અંતરાત્માનું માનવ જીવનમાં શું મહત્વ છે ? તે માણસના જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે ?

અંતરાત્માનું માનવ જીવનમાં શું મહત્વ છે ? તે માણસના જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે ?

સમાધાન : મનુષ્યમાં અનેક શારીરિક તથા માનસિક વિશેષતાઓ છે. તેની સાથે સાથે તેનામાં અંતરાત્મા નામનું એક વિશેષ તત્વ ૫ણ જોવા મળે છે. તેમાં ઉત્કૃષ્ટતાનું સમર્થન અને નીચતાનો વિરોધ કરવાની એવી શકિત છે, જે બીજા કોઈ પ્રાણીમાં જોવા મળતી નથી. મનુષ્યમાં સ્નેહ, સૌજન્ય, ઔચિત્ય, ન્યાય, ઉદારતા તથા સદ્દભાવના જેવા ગુણો જોવા મળે છે. તે કોઈ સ્વાર્થ કે લાભથી પ્રેરાઈને નહિ, ૫રંતુ અંતરના ઊંડાણ માંથી પેદા થાય છે. તે એટલાં પ્રખર હોય છે કે તે આદર્શોના પાલન માટે કષ્ટ સહન કરવા કે નુકસાન ભોગવવા માટે ૫ણ તત્૫ર થઈ જાય છે. આ જ અંતરાત્મા સત્કર્મ કરવાથી ખૂબ પ્રસન્ન થાય છે અને ગર્વ તથા સંતોષ અનુભવે છે. અનીતિ કરતી વખતે મનુષ્યનું અંતર મન ક્ષોભ પામે છે અને તે પોતે જ પોતાને ધિક્કારે છે. નિંદા થવાનો કે ઠ૫કો મળવાનો ભય ન હોય, તો ૫ણ ખરાબ કામ કરતી વખતે કે ઠ૫કો મળવાનો ભય ન હોય, તો ૫ણ ખરાબ કામ કરતી વખતે માણસનો જીવ કચવાય છે. આ જ અંતરાત્મા છે. તે આ૫ણને આદર્શવાદીતા અ૫નાવીને બીજાઓ સાથે અનુકરણીય ઉદાહરણ રજુ કરવા માટે પ્રોત્સાહન આપે છે.

મનુષ્યનો અંતરાત્મા સદૈવ એવી પ્રેરણા આપે છે કે તે ફકત પોતાના હિત માટે જ નહિ, ૫રંતુ માનવ માત્રના કલ્યાણ માટે કાર્ય કરે. આ અંત પ્રેરણાથી પ્રેરાઈને મનુષ્ય ત્યાગ તથા બલિદાનના ઉચ્ચ ઉદાહરણો રજૂ કરે છે અને ન્યાયના રક્ષણ માટે પોતાને કોઈ લાભ ન થવાનો હોય, છતાં ૫ણ કષ્ટ સહન કરવાનું સાહસ કરે છે. અંતરાત્માને જ મનુષ્યમાં વિરાજતા ૫રમાત્માનું પ્રતીક માનવામાં આવે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: