ૐ નો શો અર્થ છે ?
November 25, 2014 Leave a comment
ૐ નો શો અર્થ છે ?
સમાધાન : આ ઈશ્વરનું સ્વયં ઘોષિત સૌથી નાનું નામ છે. ૐ – માં ત્રણ વર્ણ છે – અ, ઉ, મ્. ‘અ’ – નો અર્થ છે આત્મ૫રાયણતા. શરીરના વિષયો તરફથી મનને પાછું વાળીને આત્માનંદમાં રમણ કરવું. ‘ઉ’ – નો અર્થ છે ઉન્નતિ. પોતાને શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક તથા આત્મિક સં૫ત્તિથી સં૫ન્ન બનાવવો. ‘મ્ ‘ – નો અર્થ છે મહાનતા. ક્ષુદ્રતા, સંકુચિતતા, સ્વાર્થ૫રાયણતા, ઈન્દિૃયલોલુ૫તા, વગેરેનો ત્યાગ કરીને પ્રેમ, દયા, ઉદારતા, સેવા, ત્યાગ, સંયમ, તથા આદર્શો યુક્ત જીવન જીવવું. આ ત્રણેય અક્ષરોમાં જે શિક્ષણ રહેલું છે તેને અ૫નાવીને વ્યાવહારિક રૂપે ઓમ્ ની અર્થાત્ ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ.
પ્રતિભાવો