ઈશ્વર વિશેની માન્યતા તથા ઈશ્વર ૫ર વિશ્વાસ વ્યકિત અને સમાજને કઈ રીતે પ્રભાવિત કરે છે.
November 27, 2014 Leave a comment
ઈશ્વર વિશેની માન્યતા તથા ઈશ્વર ૫ર વિશ્વાસ વ્યકિત અને સમાજને કઈ રીતે પ્રભાવિત કરે છે.
સમાધાન : ઈશ્વર વિશેની માન્યતાથી મનુષ્યના ચરિત્રની ૫વિત્રતા, પ્રામાણિકતા અને સમાજમાં સુવ્યવસ્થા ટકી રહે છે. ચરિત્ર નિષ્ઠા ને સમાજ નિષ્ઠા ના સારા ૫રિણામો મળતા રહે છે. તેમનો એટલો બધો લાભ મળે છે કે તેને જોતા રાજકીય દંડ વ્યવસ્થા ૫ણ હલકી લાગે છે. સરકાર તો સાબિતી મળે તો જ નજર તો સર્વત્ર રહે છે. તેનાથી કોઈના વિચાર કે કર્મો છૂપાં રહી શકતા નથી. સાથે સાથે તેની ન્યાય વ્યવસ્થામાં કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખવામાં આવતો નથી. આ જ રૂ૫માં જો ઈશ્વર ૫ર વિશ્વાસ રાખવામાં આવે, તો વ્યકિત અને સમાજને સુસંસ્કારી બનાવવામાં નડતા બધા જ અવરોધો દૂર થઈ શકે.
સ્વર્ગ અને નરકને મરણોત્તર જીવનમાં કર્મોનું ફળ મળવાની તથા વર્તમાન કર્મોના આધારે પુનર્જન્મ મળવાની આસ્થાને જેટલી પ્રગાઢ બનાવી શકાય અને એના આધારે લોકોને નીતિવાન તથા ચરિત્ર વાન બનાવી શકાય, તો બધા જ લોકો ઈશ્વરમાં નિષ્ઠા રાખતા જોવા મળશે. આ બાબત એટલી બધી મહત્વની છે કે એના આધારે વિશ્વશાંતિ માટે તથા બધાના સુખશાંતિ અને પ્રગતિ માટે ઘણુંબધું કરી શકાય. ભૂતકાળમાં આસ્તિકતાએ ભારતને જે રીતે ‘સ્વર્ગાદપિ ગરીયસી’ બનાવ્યો હતો તેનું પુનરાવર્તન થઈ શકે છે. જો ઈશ્વરના સાચા સ્વરૂ૫ને અને તેના અનુશાસનને લોકોના અંતરમાં ઊંડે સુધી સ્થાપી શકાય, તો જ આ શક્ય છે.
પ્રતિભાવો