ધર્મનો શો અર્થ થાય છે ? ધર્મનું લક્ષ્ય શું છે ?
November 27, 2014 Leave a comment
ધર્મનો શો અર્થ થાય છે ? ધર્મનું લક્ષ્ય શું છે ?
સમાધાન ‘ધૃ’ ધાતુમા મન્ ૫ત્યય લાગવાથી ધર્મ શબ્દ બન્યો છે. તેનો અર્થ છે ધારણ કરવામાં આવે છે તે, આચરણ કરવા યોગ્ય. “ધાર્યતે જનૈઃ ઈતિ ધર્મ” મનુષ્યો દ્વારા જેને ધારણ કરવામાં આવે છે, એટલે કે લોકો જેને આચરણમાં ઉતારે તેને જ ધર્મ કહેવાય છે. ધર્મને ધારણ કરનાર, ધર્મનું પોતાના જીવનમાં આચરણ કરનાર, ધર્મના આધારે પોતાનું જીવન જીવનાર માણસ ધાર્મિક કહેવાય છે. આ દૃષ્ટિએ જેનું આચરણ કરવાથી મનુષ્યનું જીવન સુવ્યવસ્થિત રૂપે ચાલતું રહે અને જેના અનુસાર ચાલવાથી માણસ પોતાના લક્ષ્ય પ્રમાણે જીવન જીવીને પોતાના જીવનને સાર્થક બનાવે તે ધર્મ છે.
ભગવાને જ્યારે મનુષ્યને બનાવ્યો ત્યારે તેણે એની પાસે એવી અપેક્ષા રાખી હતી કે તે પોતાના જીવનને એવું મર્યાદા પૂર્ણ આદર્શ જીવન બતાવે, જેનાથી તેનું પોતાનું જીવન તો સાર્થક થાય, ૫રંતુ સાથે સાથે તે જે ૫રિવાર, સમાજ તથા યુગમાં જીવે છે તેમને ૫ણ પોતાના કાર્યો તથા આચરણ દ્વારા સુવ્યવસ્થિત બનાવે. આ દૃષ્ટિએ ધર્મનું લક્ષ્ય મનુષ્યમાં શિવતત્વનો વિકાસ કરવાનું છે. વ્યષ્ટિ રૂપે મનુષ્ય દેવ તુલ્ય બને તથા સમષ્ટિ રૂપે આ ધરતી સ્વર્ગ બને એ જ ધર્મનું લક્ષ્ય છે.
પ્રતિભાવો