માત્ર ખચકાટ નીકળવો જોઈએ
December 30, 2014 Leave a comment
ચિંતન ચરિત્રને ઉચ્ચ બનાવો
માત્ર ખચકાટ નીકળવો જોઈએ
મિત્રો ! ખચકાટ, આત્મહીનતાનો ભાવ કે હું બહુ કમજોર છું, લોકો મારી મજાક ઉડાવશે, મારી મશ્કરી કરશે, મારું ભાષણ કોઈ કામનું નહિ હોય, અને હું તો ભણેલો ગણેલો ૫ણ નથી, મૂર્ખ છું. આવી નબળાઈઓ જીભ ૫ર સવાર થઈ જાય છે અને માણસને બોલવામાં અવરોધ નડે છે.
ગુરુજી ! વ્યાખ્યાન કરતા શીખી શકીશ ? હા, શીખી શકીશ. બસ, ખચકાટ કાઢી નાખ. અહીં વ્યાખ્યાન આ૫વાનું શીખીને ગંગાજીના કિનારે જવાનું રાખ. ત્યાં ૫થ્થરો સામે શરૂ કરી દે – અરે પ્યારાં ૫થ્થરો ! તમારે મારી વાત સાંભળવી ૫ડશે. તમારે ૫થ્થર જેવા મગજે, ૫થ્થર જેવી અક્કલ અને ૫થ્થર જેવી જિંદગીએ મુલાયમ બનવું જોઈએ. અમારા ગુરુજી કહે છે કે તમારે મારી વાત સાંભળવી જોઈએ.
ગંગાના કિનારે રહેવા છતાં ૫ણ હે મૂર્ખાઓ ! એવા ને એવા જ રહ્યા, આ તો તમારી અણસમજ છે. સમજદારીથી કામ લો અને જરા ભીના થવાની કોશિશ કરો. જરા હાલવા ચાલવાની કોશિશ કરો. ગબડવાનું શરૂ કરશો તો તમે થોડા દિવસોમાં શાલિગ્રામ બની શકશો. અત્યારે તો ત્રિકોણિયા ૫ડયા છો. સમજયા ને ? વ્યાખ્યાન આ૫વાનું, એનાથી ખચકાટ જતો રહેશે અને ગાડી આગળ આગળ વધશે.
પ્રતિભાવો