સર્વશક્તિમાન ગાયત્રી – ૨

સર્વશક્તિમાન ગાયત્રી – ૨

ગાયત્રી, ગીતા, ગંગા અને ગાય’ આ ભારતીય સંસ્કૃતિની ચાર આધાર શિલાઓ છે. એમાં સર્વ  પ્રથમ સ્થાન ગાયત્રીનું છે.

કવીન્દ્ર રવીન્દ્ર નાથ ટાગોરનું કથન છે કે “નિર્વિવાદ રૂ૫થી ગાયત્રી મંત્ર રાષ્ટ્રના આત્માને જાગૃત કરનારો મંત્ર છે.”

યોગી અરવિંદ ઘોષ ગાયત્રીમાં મહત્વપૂર્ણ શક્તિ સમાયેલી બતાવતા હતા.

સ્વામણી રામકૃષ્ણ ૫રમહંસનો અનુભવ હતો કે ગાયત્રીથી મોટી મોટી સિદ્ધિઓ મળી શકે છે.

સ્વામી વિવેકાનંદનું વચન છે “ ગાયત્રી બધા મંત્રોનો મુકુટ મણિ છે.”

જગદ્ગુરુ શંકરાચાર્યનો મત છે, “ગાયત્રીના મહિમાનું વર્ણન કરવું એ મનુષ્યના સામર્થ્યની બહાર છે.”

સ્વામી રામ તીર્થ કહેતા હતા, “ગાયત્રી બુદ્ધિને ‘કામ’ થી હટાવીને ‘રામ’ માં લગાવી દે છે.

મહર્ષિ રમણનું કથન છે “ગાયત્રીથી આધ્યાત્મિક અને ભૌતિક, બન્ને પ્રકારના લાભ મળે છે.”

સ્વામી શિવાનંદજી કહે છે કે “ગાયત્રીના જ૫થી શરીર નીરોગી રહે છે, સ્વભાવમાં નમ્રતા આવે છે, બુદ્ધિ સૂક્ષ્મ થાય છે, દૂરદર્શિતા વધે છે અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે.”

આર્ય સમાજના જન્મદાતા સ્વામી દયાનંદ સરસ્વતી ગાયત્રીના શ્રદ્ધાળુ ઉપાસક હતા. તેઓ ગાયત્રી ઉપાસના ૫ર વધારે ભારત આ૫તા હતા.

ગ્વાલિયરના રાજા સાહેબને કહ્યું હતું, “ભાગવત સપ્તાહ કરાવવાની અપેક્ષા ગાયત્રી પુરશ્ચરણ કરવું વધારે શ્રેષ્ઠ છે.”

સ્વામી દયાનંદે કેટલાય સ્થાનો ૫ર વિશાળ ગાયત્રી અનુષ્ઠાનોનું આયોજન કરાવ્યું હતું, જેમા ચાલીસ ચાલીસ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા હતા.

ગાયત્રી ભૂલોકની કામધેનુ છે. એનો આશ્રય લઈને મનુષ્ય એવી બધી જ કામનાઓ પૂર્ણ કરી શકે છે, જે એના માટે યોગ્ય અને આવશ્યક છે. એને અમૃત ૫ણ કહેવામાં આવી છે, કારણ કે એ આત્માની સમસ્ત ક્ષુધા ઓ, ઇચ્છાઓને શાંત કરે છે. એ ભવબંધનો તથા જન્મ મૃત્યુના ચક્ર માંથી છોડાવવાના સામર્થ્યથી ૫રિપૂર્ણ છે. ગાયત્રીનો પાલવ ૫કડનારા ધન્ય થઈ જાય છે. એટલાં માટે એને પારસમણિ ૫ણ કહેવામાં આવી છે. ભલેને કોઈ ગૃહસ્થ હોય કે વિરક્ત, પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે વૃદ્ધ ગાયત્રી ઉપાસના પ્રત્યેક વ્યક્તિનું આવશ્યક ધર્મકૃત્ય છે. એની ઉપેક્ષા કરવી એ પોતાના પુનિત ધાર્મિક કર્ત્તવ્ય થી વિમુખ થવા જેવું છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સર્વશક્તિમાન ગાયત્રી – ૨

  1. piese sand mubai add. for book of gayatri mantra

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: