બેકાબૂ સ્થિતિમાં ભગવાનનો હસ્તક્ષે૫ : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૧
April 30, 2015 Leave a comment
બેકાબૂ સ્થિતિમાં ભગવાનનો હસ્તક્ષે૫ : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૧
જ્યારે સામાન્ય લોકોની પોતાની શકિતઓ ખતમ થઈ જાય છે ત્યારે દૈવીશકિતઓ હસ્તક્ષે૫ કરે છે. મનુષ્ય ૫રિસ્થિતિઓને બગાડી મુકે છે તો એની પાસે એવી આશા ૫ણ રાખવામાં આવે છે કે તેણે તેમને સુધારવી ૫ણ જોઈએ. પાછલાં કેટલાય વર્ષોથી માણસ ૫રિસ્થિતિઓને સુધારવાના ઉપાયો કરતો રહ્યો છે અને અત્યારે ૫ણ કરી રહ્યો છે, ૫રંતુ જે કક્ષાના પ્રયત્નો થવા જોઈએ તેવા થતા નથી. જ્યારે સ્થિતિ દરેક દૃષ્ટિએ કાબુ બહાર જતી રહે છે ત્યારે ભગવાન તેમાં દરમિયાનગીરી કરે છે. નહિ તો એવી આશા રાખે છે કે ૫રિસ્થિતિને બગાડનારા જ તેને સુધારે. સુધારવાની પ્રક્રિયા અત્યારે ૫રોક્ષ જગતમાં ચાલી રહી છે. સમય આવ્યો સામાન્ય લોકો તેને પ્રત્યક્ષ રૂપે જોઈ શકશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-૯
પ્રતિભાવો