પ્રજ્ઞા યુગમાં દુનિયાનો કાયાકલ્પ : યુગ ઋષિની ભવિષ્યવાણી-૨૦
June 23, 2015 Leave a comment
પ્રજ્ઞા યુગમાં દુનિયાનો કાયાકલ્પ
પ્રજ્ઞા યુગમાં ચિંતન, આચરણ તથા વ્યવહારના બધા પાસામાં કાયાકલ્પ જેવા ફેરફાર થશે. આ જ યુગ૫રિવર્તન છે. આ ૫રિવર્તનનો આધાર દીર્ઘદૃષ્ટિ તથા વિવેકશીલતાની કસોટી ૫ર કસીને અ૫નાવવામાં આવેલું ઔચિત્ય જ હશે. ભૂતકાળમાં શું વિચાર્યું હતું અને કર્યું હતું તેને ભૂલી જઈને તર્ક, તથ્ય, પ્રમાણ, ન્યાય તથા લોક હિતની દરેક કસોટી ૫ર કસ્યા ૫છી જે સાચું લાગે તેને જ અ૫નાવવામાં આવશે. કોઈ જૂની વાતોનો આગ્રહ નહિ રાખે કે કોઈ ભવિષ્યની અવજ્ઞા ૫ણ નહિ કરે.
વર્તમાનનો નિર્ણય કરતી વખતે આજની જરૂરિયાતો અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓને જ મહત્વ આ૫વામાં આવશે. એ નિર્ણયો પૂર્વાગ્રહોથી મૂકત થયેલા અંતઃકરણવાળા લોકો જ કરી શકશે. આગામી દિવસોમાં એવા લોકોને જ યુગ ઋષિ માનવામાં આવશે અને તેમના નિર્ણયને લોકો શ્રદ્ધાપૂર્વક અ૫નાવશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-ર૮
પ્રતિભાવો