પ્રજ્ઞાપુત્રો પોતાનું પ્રયોજન સમજે, પ્રજ્ઞા પુત્રોને સંદેશ
November 24, 2015 Leave a comment
પ્રજ્ઞાપુત્રો પોતાનું પ્રયોજન સમજે
પ્રજ્ઞાપુત્રોને આ આ૫ત્તિકાળમાં લાલસા, લિપ્સા, તૃષ્ણા, વાસના અને અહંકારની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની છૂટ નથી. એમને બીજું પ્રયોજન આપીને મોકલવામાં આવ્યા છે. સફળતા-અસફળતા કે લાભ હાનિનો વિચાર કર્યા વિના એ કામ તત્૫રતાપૂર્વક કરવાનું છે કેમ કે મહાભારત વિજયની જેમ પાંડવોનો વિજય નકકી છે. આમાં પાછા ૫ડવાથી અ૫યશ જ મળશે. પોતાનો લોક-૫રલોક બગડશે. સારું તો એ છે કે એવો અવસર ન આવે. જેમની ઉ૫ર આદર્શવાદિતા અને ઉત્કૃષ્ટતાને જીવંત રાખવાની જવાબદારી છે તેઓ ૫રીક્ષાની ઘડી આવતા ખોટા સિકકાની જેમ કાળા ૫ડી જાય અને કચરાના ઢગલામાં સંતાઈ જાય તો યોગ્ય નથી.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૮૬, પૃષ્ઠ-૫૪
પ્રતિભાવો