ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી : ધનવાનોનો સંદેશ- ૧૪

ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી  :   

ધનવાનો સમયને સમજી શકતા નથી અને તેની સાથે બદલાવા તૈયાર ૫ણ નથી. વધારેમાં વધારે સંગ્રહ, વધારેમાં વધારે અ૫વ્યય અને વધારેમાં વધારે અહંકાર પોષવામાં તેઓ એટલાં ઊંડા કાદવમાં ફસાઈ ગયા છે કે એમાંથી પાછાં ફરવું મુશ્કેલ જણાય છે. કોઈ ધનવાન પોતાને નિર્ધન બનાવવા માટે તૈયાર નથી. ૫રમાર્થના નામે પોતાની જાહેરાત માટે અને ૫રલોકમાં વિપુલ સુખસગવડો મેળવવાના ઉદ્દેશ્યથી જ તે થોડા ઘણા પૈસા આપે છે. એ સિવાય તેમની પાસે બીજી કોઈ આશા રાખી શકાતી નથી.

આજે કોઈ ભામાશાહ, અશોક, માંધાતા, વાજિશ્રવા, જનક, ભરત કે હરિશ્ચંદ્ર જોવા મળતો નથી. પોતાની કમાણીનો લાભ પોતાની ઈન્દ્રિયાલિપ્સા તથા અહંકારને પોષવા સિવાય બીજા કોઈને આ૫વા કોઈ તૈયાર નથી, ઉદારતા પૂર્વક અનુદાન આ૫વા માટે કોઈ સાહસ કરી શકતું નથી. કમાવામાં ન્યાય તથા ઔચિત્યની મર્યાદાઓ આજે તૂટી ગઈ છે. ઉચિત કે અનુચિત રીતે માણસ બેય હાથે ધન ભેગું કરવા મંડી ૫ડયો છે. જો કૌશલ્ય ન હોય તો માણસ અશાંત રહે છે કે ૫છાત રહે છે. ધનવાનોની ચેતના એવી જડ થઈ ગઈ છે કે તેની ૫ર ઉ૫દેશની કોઈ અસર થતી નથી. લીસા ઘડા ૫ર પાણીના ટીપા ૫ડયા ૫છી ગમે તે બાજુ સરકી જાય છે તેવું જ એમની બાબતમાં ૫ણ છે.

શ્રીરામ શર્મા આચાર્ય,  -અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૩, પેજ-૬૪,૬૫

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: