ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૧
February 2, 2016 Leave a comment
ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૧
ઉપાસના અનિવાર્ય અને આવશ્યક પણ આ સંસારમાં જે કંઈ શુભ છે, શ્રેષ્ઠ છે, મંગળમય છે – તે બધો પરમાત્માનો જ વૈભવ છે. ગીતામાં વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે આ સંસારમાં જે કંઈ શ્રેષ્ઠ જોવા મળે છે, તેને ભગવાનની વિભૂતિ જ માનવી જોઈએ.
પરમાત્માની જેટલા નજીક જઈએ છીએ, એટલી જ શ્રેષ્ઠતા આપણા અંતઃકરણમાં પેદા થાય છે તથા વધે છે. એના પ્રમાણમાં જ આંતરિક શાંતિ પણ મળે છે.
હિમાલયમાં રહેતા લોકોને ત્યાંની ઠંડી આબોહવા વધારે શીતળતા પ્રદાન કરે છે, એ જ રીતે આગની ભઠ્ઠીઓની નજીક કામ કરતા લોકોને વધારે ગરમી લાગે છે. જીવ જેમ જેમ પરમાત્માની નજીક પહોંચતો જાય છે, તેમ તેમ એને એમની વિભૂતિઓનો પોતાની અંદર અનુભવ થવા માંડ છે. જે તે પરમ પ્રભુમાં ઓત પ્રોત છે.
પ્રતિભાવો