બ્રાહ્મણ બનો, બ્રહ્મયજ્ઞ કરો, સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
February 15, 2016 Leave a comment
બ્રાહ્મણ બનો, બ્રહ્મયજ્ઞ કરો. : શુભ સંકલ્પોનો યજ્ઞ એટલો ઉચ્ચ કોટિ નો છે કે તેની સરખામણીમાં મોટી સેવા, મોટા ઉપકાર કે દાન પુણ્ય પણ તુચ્છ છે. હંમેશા શુભ વિચારોની સામગ્રી જીવન રૂપી યજ્ઞમાં હોમવા નો બ્રહ્મયજ્ઞ બધા યજ્ઞો માં સૌથી ઉચ્ચ કોટિ નો છે. વિચાર એક મૂર્તિમંત પદાર્થ છે. તે વરાળની જેમ ઊંડે છે અને વાદળોની જેમ વરસે છે. જ્યારે આપણા મગજમાંથી કોઈ સારો કે ખરાબ વિચાર નીકળે છે ત્યારે તે આકાશમાં ઊડી જાય છે અને આમે તેમ ઘુમરાતો રહે છે. રેડિયો સ્ટેશન થી બ્રોડ કાસ્ટ કરેલા તરંગો રેડિયો ઉપર સ્પષ્ટ રીતે સંભળાય છે, એ જ રીતે તે વિચારો જે લોકોના મનમાં એવા જ ભાવ જાગતા હોય તેમના મસ્તક સાથે ટકરાય છે.
જો આપણે હંમેશા સારા વિચાર કરતા હોઈએ તો તે વિચારો એવા વિચાર વાળા બીજા લોકોને ખૂબ પ્રોત્સાહન આપશે. વિચારોનો કદાપિ નાશ થતો નથી. તેમની ફેલાવાની શકિત ખૂબ તે જ હોય છે. તે થોડીક ક્ષણોમાં જ પૃથ્વીના એક છેડા થી બીજા છેડા સુધી પહોંચી જાય છે. જો કોઈ માણસ સત્યના માર્ગે ચાલવાનો વિચાર કરતો હોય ત્યારે વાતાવરણમાં રહેલા એવા શુભ વિચારો તેની પાસે પહોંચી જાય છે અને તે તેના ઉત્સાહ ને બમણો કરી દે છે. એના પરિણામે તે શુભ કર્મ કરે છે અને ધીમે ધીમે એ જ માર્ગે આગળ વધે છે. તેના પ્રયત્નથી બીજા લોકો પર આવો જ ઉપકાર થાય છે. આ ક્રમ આગળ વધે છે અને સંસારમાં દૈવી સંપત્તિ નો વિકાસ થાય છે, ધર્મની ઉન્નતિ થાય છે તથા દુનિયામાં સખ શાંતિ વધે છે. તમારા નાનકડા શુભ વિચારથી આટલું મોટું કામ થાય છે, તેથી તમને તેનું બહુ મોટું પુણ્ય મળશે.
હંમેશા શુભ વિચારો કરવા, સત્ય, પ્રેમ,ન્યાય, ઉદારતા, સહાનુભૂતિ, દયા વગેરેની ભાવનાઓ મનમાં ધારણ કરવી અને એવા વિચારો બીજા લોકોના મનમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ભરવાનો પ્રયત્ન કરવો તે અખંડ બ્રહ્મયજ્ઞ છે. અખંડ શબ્દ એટલા માટે જોડવા માં આવ્યો છે કે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ, ક્યારેક સારા તો ક્યારેક ખરાબ વિચાર કરવાથી એટલો લાભ થતો નથી. જેમ સારા વિચારો સંસાર નું કલ્યાણ કરવા તે સારી બાબત નથી, તેથી જે કોઈ કાર્ય કરીએ તેમાં ઉપેક્ષા ભાવ ન હોવો જોઈએ. જે રીતે આપણે દરરોજ શૌચ જઈએ છીએ, સ્નાન કરીએ છીએ, ભોજન કરીએ છીએ તથા સૂઈએ છીએ એ જ રીતે પોતે સારા વિચાર કરવા જોઈએ અને બીજા લોકોને પણ સારો ઉપદેશ આપવો જોઈએ.
વિચારોની અનંત શક્તિનો અનુભવ કરો અને તેમનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા રહે. ગમે તેની સાથે વાતચીત કરવાની તક મળે ત્યારે તેની સાથે સત્ય, પ્રેમ અને ન્યાયની ચર્ચા કરો. તેને બૂરાઈ છોડીને ભલાઈ શીખવાની સલાહ આપો. આ સુધાર દ્વારા આપણે તેના પ્રત્યેના સાચા પ્રેમનો પરિચય આપી શકીશું. કોઈને મીઠાઈ આપીએ તો તે એવું માને છે કે તેને મારા પર પ્રેમ છે, પરંતુ બ્રાહ્મણ આ મૂર્ખતાને સમજે છે. તે મીઠાઈ દ્વારા નહિ, પરંતુ શ્રેષ્ઠ વિચારો દ્વારા તેને નકર લાભ પહોંચાડે છે. દુનિયા બ્રહ્મ યજ્ઞનું મહત્વ નથી સમજતી, પરંતુ આધ્યાત્મિક માણસને તેમાં બહુ મોટો લાભ દેખાય છે. આપણે અખંડ બ્રહ્મ યજ્ઞને નિરંતર ચાલુ રાખીને પ્રાણી માત્ર પ્રત્યે ઉચ્ચ કક્ષાનો પ્રેમ પ્રદર્શિત કરીને આપણું કલ્યાણ કરી શકીએ છીએ.
-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪ર, પૃ. ૧૦
પ્રતિભાવો