બ્રાહ્મણો ! સદ જ્ઞાન રૂપી અમૃત વહેંચો, સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
February 16, 2016 Leave a comment
બ્રાહ્મણો ! સદ જ્ઞાન રૂપી અમૃત વહેંચો : શાસ્ત્ર કહે છે કે વિદ્યા વાન બ્રાહ્મણ સંસાર ના અજ્ઞાન ને પોતાના તપ દ્વારા દૂર કરે. જે લોકોને વિદ્યા મળી છે, બુદ્ધિ મળી છે, જેમના હ્રદયમાં દયા છે, જેમના હ્રદયમાં બ્રાહ્મણો જેવી તપ તથા ત્યાગની ભાવના છે, તેઓ જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે. ભલે પછી તેઓ કોઈ પણ જાતિ કે વંશમાં પેદા થયા હોય. એવા બ્રાહ્મણોને ગાયત્રીનો પ્રથમ સંદેશ છે કે બુદ્ધિ આ સંસારનું સર્વશ્રેષ્ઠ તત્વ છે. તે તમને ઈશ્વરની એક અમાનતના રૂપમાં મળ્યું છે. તેને તમારી શકિત પ્રમાણે લોકોમાં વહેંચો. તુચ્છ સ્વાર્થ છોડો અને ઈશ્વરે તમને જે યોગ્યતા અને ઈમાનદારી વહેંચવાના પદ પર નિયુક્ત કર્યા છે તે બદલ ગૌરવનો અનુભવ કરો. તમારા કર્તવ્યેનું પાલન કરો. અજ્ઞાન તથા દુખથી વ્યાકુળ જનતાને સુખ બનાવવા માટે સદૃજ્ઞાનરૂપી અમૃત વહેંચો અને પોતે તપશ્ચર્યા તથા પરોપકારનું સ્વર્ગીય સુખ મેળવો.
હે બ્રાહ્મણો ! એવું ના વિચારશો કે અમે જો પરમાર્થ માં જ રચ્યાપચ્યા રહીશું તો અમારો ખર્ચો કેવી રીતે નીકળશે ? ઈશ્વર પર વિશ્વાસ રાખો અને લોકોને સદ જ્ઞાન વહેંચવા તથા તેનો ફેલાવો કરવા માટે આગળ વધો. તમારા ઉત્તમ જ્ઞાન અને ઉજ્જવળ ચરિત્રથી અંધકાર ભરેલા હૃદયોમાં પ્રકાશ પેદા કરો. તમને પૈસાની ખોટ નહિ પડે. મનુષ્યની સાચી જરૂરિયાતો તો બહુ થોડી હોય છે. એમાંય વળી બ્રાહ્મણ ની જરૂરિયાતો તો સાવ ઓછી હોય છે. બાળકના જન્મ પહેલા જે ઈશ્વર દૂધ ના કટોરા ભરીને તૈયાર રાખે છે તે આ સૃષ્ટિમાં હજુ પણ છે. બ્રાહ્મણત્વ પ્રત્યે અપાર શ્રદ્ધાનો ભાવ હજુ આજે પણ ટકી રહ્યો છે. તેની પર વિશ્વાસ રાખો. કાંકરા ભેગા ના કરો, પરંતુ હીરા નો વેપાર કરો. શાસ્ત્ર કહે છે કે બુઘ્ધિજીવીઓ ! લાલચમાં ના ફસાઓ. બ્રાહ્મણને યોગ્ય કામ કરો, સંસારમાં સદ જ્ઞાનનો ફેલાવો કરો.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૪૯, પૃ. ૯
પ્રતિભાવો