ગરીબાઈમાંથી છુટકારો
November 30, 2018 Leave a comment
ગરીબાઈમાંથી છુટકારો
ગરીબાઈથી મનુષ્યને શરમ આવે છે , શરમથી પરાક્રમ નષ્ટ થઈ જાય છે . પરાક્રમ નષ્ટ થઈ જતાં અપમાન થાય છે . અપમાનથી દુ:ખ થાય છે , દુઃખથી શોક થાય છે , શોકથી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે . બુદ્ધિનો નાશ થતાં જ મનુષ્યનો નાશ થઈ જાય છે . સાચું છે કે ગરીબાઈ બધાં જ દુ:ખોનું મૂળ છે . ”
એક મહાપુરુષ
શું તમો ગરીબાઈની જંજીરોમાં જકડાયા છો ? આમાંથી છૂટકારો મેળવવા પોતાને અસહાય સમજો છો ? કદાચ તમે તમારા દુર્ભાગ્યનાં રોદણાં રડતાં હશો અને આ દુ:ખદ પરિસ્થિતિ માટે ભાગ્યને , ઈશ્વરને કે અન્ય મનુષ્યોને દોષિત ગણાવતા હશો . તમે વિચારતા હશો કે , ભગવાન અને તેનો સંસાર કેટલો અન્યાયી છે , જે કોઈકને તો વિપુલ સંપત્તિ આપે છે , તો કોઈકને ગરીબાઈના ડુંગર નીચે આંસુ વહેવડાવતાં મૂકી દે છે .
જો તમે આવું વિચારતા હો , તો તે એક મોટી ભૂલ છે . તમારી ગરીબાઈ અથવા વિપત્તિનું કારણ આમાંથી એક પણ નથી . જેને તમે દોષિત માનો છો તેને ભૂલી જાઓ . રોવાનું અને નિંદવાનું છોડી દો . વિચારપૂર્વક જુઓ . તમને દુ:ખદાયક લાગતી પરિસ્થિતિઓનાં બીજ તમારી અંદર છૂપાયેલા પડ્યાં છે . બીજાને દોષ દેવો અને કાયરોની જેમ રોવું – સબડવું એ સાબિત કરે છે કે , તમારે ગરીબાઈમાં જ પડ્યા રહેવું જોઈએ અને એનાથી પણ વધુ દુ:ખ ભોગવવું જોઈએ . આત્મવિશ્વાસ રાખવો , પોતાના ઉપર ભરોસો રાખવો , આગળ વધવા પ્રયત્ન કરવો , એ એવા ગુણ છે જે દરેક ઉન્નતિશીલ મનુષ્યમાં હોય છે . ચિંતા કરવી , દુ:ખી રહેવું , બીજાને દોષિત ઠરાવવા વગેરે એક પ્રકારની આત્મહત્યા છે . શું આજ સુધી કોઈ આત્મહત્યારો દુ:ખ ના અંધકારને દૂર કરીને સુખનો પ્રકાશ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે ?
ઊઠો , ગરીબાઈના વિચારોને હટાવીને એક બાજુ ફેંકી દો .એવું ક્યારેય ન વિચારો કે અમે ગરીબ રહેવા માટે પેદા થયા છીએ .દિલને અમીર બનાવો .પછી જુઓ કે બહારની પરિસ્થિતિ બદલાતાં પણ વાર નહીં લાગે , વિશ્વાસ રાખો કે મારી પાસે જેટલી પણ યોગ્યતા છે , તેનો વધુને વધુ સારો ઉપયોગ કરી શકે તેમ છે .નાનાં કામોની ઉપેક્ષા કરીને , મોટાં કામો મેળવી શકાતાં નથી .આથી જો પ્રગતિ કરવા માગતા હો તો , અત્યારે જે કોઈ સ્થિતિમાં છો , તેનો સારામાં સારો ઉપયોગ કરીને એ સાબિત કરી દો કે અમે મોટી સમૃદ્ધિનાં અધિકારી છીએ .પહેલા ધોરણની ઉપેક્ષા કરીને દસમા ધોરણનું ભણવા બેસે તો તે મોટી ભૂલ કરે છે .જે તે આવો પ્રયત્ન કરશે તો તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થશે .કોઈક સંજોગોમાં તે ઉપલા ધારણનાં પુસ્તકો કોઈક રીતે મેળવી પણ લે તો તે પરત લઈ લેવા પડે .પ્રકૃતિનો એક અખંડ નિયમ છે કે , જે પોતાને મળેલી વસ્તુઓ વધુને વધુ સદુપયોગ કરે છે તો , તે તેને વધુને વધુ આપવામાં પણ આવે છે , અને જે દુરુપયોગ કરે છે અથવા તો ઉપેક્ષા સેવે છે તો , તે વસ્તુ તેની પાસેથી છીનવી લેવામાં આવે છે .જ્યારે તમે દુ:ખદ પરિસ્થિતિઓમાં પડી જઈને રડો છો અને કર્તવ્યહીન થઈને બેસી જાઓ છો , તો તમે એ સાબિત જ કરો છો કે તમે બરોબર આ જ પરિસ્થિતિને લાયક છો , જે આ આજે તમને પ્રાપ્ત થઈ છે
તમે એક નાનકડી ઝૂંપડીમાં રહો છો અને ઇચ્છો છો કે કોઈ મોટું મકાન મળી જાય .તમારી ઇચ્છાને ઈશ્વર ચોક્કસ પૂર્ણ કરશે , પરંતુ શરત એ છે કે તમે મોટા મકાન માટે લાય છો , તેવું સાબિત કરી આપવું પડે .તમે તમારી આજની ઝૂંપડીને જેટલી બનાવી શકો તેટલી સાફ , સ્વચ્છ , સુંદર તથા આકર્ષક બનાવો .તમારી પાસે તેને સજાવવા માટે પૈસા નથી તો તેની કોઈ ચિંતા નહીં . સંસારમાં સજાવટ કરવા માટે એટલો બધો કીમતી સામાન પડ્યો છે કે જેની કોઈ સીમા નથી . મને તે દરેક ગરીબ કે અમીર પાંને મફત મળે છે . સુંદરતાની તલાશ કરો . તમારા દૃષ્ટિકોણને સુંદર બનાવો . અસંખ્ય સાધનો તમારી સામે આવીને ઊભા થઈ છે , પેલી ઝૂંપડીને મોટા મહોલની જેમ સુંદર બનાવી શકશો . પ્રથમ તમારી મનોવૃત્તિને મોટી અને સુંદર બનાવો તો સુંદર મકાન પણ તમને મળી જશે. જો તમે મારે તમારી ઝૂંપડીને સડેલી , કચરાવાળી,ગંદી તથા અવ્યવસ્થિત બનાવી રાખી છે , તો કયા મોઢે તમે કહી શકો કે અમારે રહેવા માટે સુંદર મકાન જોઈએ . શું પરમાત્મા આવા માણસ લોકો ઉપર પોતાની વિભૂતિઓને સાચવવાની જવાબદારી કોપશે ? એ ધર્મશાળામાં કેટલાક લોકો રોકાયેલા હતા . આમાંના કેટલાક તો સુશિક્ષિત સંતો , પણ કેટલાકે તો સાવ ફૂવડા હતા. શિક્ષિતો હું પોતાના ઓરડાને વાળીઝૂડીને એકદમ સ્વચ્છ બનાવી દીધો પણ પેલા આળસુ અને ફૂવડ લોકોએ તો ચારે બાજું ઉપરથી ગંદકી ફેલાવી દીધી, ધર્મશાળાનો માલિકે જ્યારે નિરીક્ષણ કરવા માગ્યો તો તેને ખુશ થઈને શિક્ષિત લોકોને એનાથી પણું વધારે સુંદર અને સારી જગ્યા રહેવા માટે આપી અને પેલા ગંદા લોકોને ખૂબ જ ધમકાવ્યા. જો કે દયાળુ સ્વભાવનો હોવાથી રૂમ ખાલી તો ન કરાવ્યો. , પણ નાનકડા એવા તૂટેલા – ફૂટેલા અને ગંદકીવાળા ઓરડામાં મોકલી દીધા, આ ઓરડામાં લગભગ આવા જ પરના લોકોને રાખવામાં આવતી હતી . જે મનુષ્યો પોતાનાં કર્તવ્યોની ઉપેક્ષા કરે છે અને આળસુપણાની ટેવથી ઘેરાયેલો હોય છે તે લગભગ દરિદ્ર જ હોય છે , એવા મનુષ્યની ગરીબાઈ સ્વયં પ્રગટે છે . આત્મવિશ્વાસ દ્વારા સમૃદ્ધિ પાપ્ત કરવાને બદલે જેનો હિનમનોવૃતિ સ્વીકારીને ગરિબાઈ માંગે છે, ભગવાન તેમને એ જ વસ્તુ આપે છે , મધમાખી ફુલની અને છાણના કીડા માટે છાણની ભગવાનની સૃષ્ટિમાં વ્યવસ્થા કરેલી છે જે પોતાની ઇચ્છા મુજબ જેને જે જોઈએ તેને તે પસંદ કરી લે છે અને તે વસ્તુ તેને થોડા પ્રયત્ન મળી જતી હોય છે . શક્ય છે કે તમારે વધારે પરિશ્રમ કરવો પડતો હોય અને ફુરસદનો સમય ઓછો મળતો હોય , બારીકાઈથી જોતાં જરૂર જણાશે કે નિત્ય કર્મ અને અધિક પરિશ્રમ કર્યા પછી પણ ઘણો બધો સમય બચે છે અથવા બચાવી શકાય છે . છે . આ સમયનો સારો ઉપયોગ કરવાની ઇચ્છા નથી , તો ભગવાન વધારે સભય અને સગવડ આપશે પણ નઈ . કારણ કે તે જે વધારે સમય આપે અને પરિશ્રમ ઓછો કરી આપે તો તમારામાં આળસુપણું , ઉદાસીનતા અને કામચોરીનો વધારો થશે , આથી એવું ના વિચારો કે અમને વધારે સગવડ મળી જાય તો અમે વધુ સફળતા પ્રાપ્ત કરી લઈએ , જેઓ સંપન્ન દેખાય છે , તેમણે ખૂબ જ મહેનત પૂર્વકનું કામ કર્યું છે અને નાનામાંથી મોટા બન્યા છે . સૌથી વધુ મરૂ ભૂમિમાં સુંદર ફૂલો ખીલે છે , એ જ રીતે કઠિન પરિસ્થિતિમાં જ મનુષ્ય ઉન્નતિ કરે છે . મુશ્કેલીઓ સામે સંઘર્ષ અને વિપત્તિઓથી . ટક્કર લઈને જ મનુષ્ય ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે . મનુષ્ય ત્યાં સુધી સમૃદ્ધ રહી શકે છે જયાં સુધી તેનામાં ઉત્સાહ હોય , જ્યાં કઠોર કર્તવ્યથી બચવાની અને મોજશોખ કરવાની મનોવૃત્તિ પેદા થઈ , ત્યાં કુબેરનો ખજાનો પણ સ્થિર રહી શકતો નથી. આપણે જે ઈએ છીએ કે ધનવાનોનાં છોકરાં કે જેમને મોજ – મસ્તી કરવાનું જ શિક્ષણ મળ્યું છે , તેઓ સ્વતંત્રતા મળતાં જ નકામા ખર્ચમાં બાપદાદાની સમગ્ર મિલકત વેડફી દે છે અને અંતે પોતાનું યોગ્ય પદ ગરીબી પ્રાપ્ત કરી લે છે . | ગરીબાઈ એક અસ્વાભાવિક વસ્તુ છે . આત્મા ઐશ્વર્યશાળી છે , એની સાથે દરિદ્રતાનો શું સંબંધ હોઈ શકે ? દયામય પરમાત્માની ક્યારેય એવી ઇચ્છા નથી હોતી કે , તેનો પુત્ર ગરીબાઈ અને મુશ્કેલીમાં જ જીવન પસાર કરે , મનુષ્યને ફક્ત રોટી , કપડા માટે જ નહીં , પણ કોઈ વિશિષ્ટ ઉદેશ્ય માટે આ સંસારમાં મોકલવામાં આવ્યો છે , આપણે જયાં સુધી ગરીબાઈમાં સપડાયા છીએ , ત્યાં સુધી નથી તો કોઈ મહત્ત્વનું કામ કરી શકતા કે નથી આપણી સંદ્રવૃત્તિઓનો સારી રીતે વિકાસ કરી શકતા , ભૂખ્યો મનુષ્ય કઈ રીતે પોતાના શરીર અને મગજનો સુવ્યવસ્થિત રાખી શકે ? આનંદ અને આશાનો નાશ કરનારા આ અસ્વાભાવિક પરિસ્થિતિ ફક્ત ઉનતિનો માર્ગ જ બંધ નથી કરતી , પરંતુ અનેક બદીઓને પણ જન્મ આપે છે અને પ્રેમની જગ્યાએ ઝધડો અને આનંદના સ્થાને દુઃખનું પેદા કરે છે . કેટલીકવાર તો એ મનુષ્યને મનુષ્ય રહેવા દેતી નથી અને અપમાન , અભાવ , લાંછને , શોક વગેરે દ્વારા આત્મહત્યા જેવી દુઃખદ ઘટના તરફ દોરી જાય છે . કેટલાક અસંખ્ય જીવન આવી રીતે બરબાદ થઈ ગયો છે . સંસારમાં ગરીબાઈથી બચવા યોગ્ય અને કષ્ટદાયક બીજી કોઈ વસ્તુ નથી . મનુષ્યનું જીવન એ રીતે વણાઈ ગયું છે કે તે સુખપૂર્વક જીવન વ્યતીત કરી શકે છે , તે આપણે સારી રીતે સમજી લેવું છે ઈએ , પ્રભુની ઇચ્છા પણ એવી છે કે આપણે આનંદમય પરિસ્થિતિનો ઉપયોગ કરીએ . જ્યારે પણ કદી આનાથી વિપરીત સ્થિતિ પેદા થાય અને ગરીબાઈ ઘેરી વળે . તો સમજવું જોઈએ કે આપણી અંદર કોઈ વિકાર પેદા થયો છે . આપણે રસ્તો ભૂલી રહ્યા છીએ અને રાજમાર્ગને છોડીને કોઈક અસમાન કાંટાળા માર્ગ ભૂલા પડયા છીએ , જો તમે ગરીબી અવસ્થામાં ફસાઈ ગયા છો તો વિચાર કરો કે આપણા અંતઃકેરખ્રને કઈ દવૃત્તિઓએ ઘેરી લીધું છે , જેના કારણે ગરીબી ભોગવવાનો વારો આવ્યો છે . | ક્યારેક હું કોઈ એવાં દૈવી કારણો સર ગરીબાઈ અનિવાર્ય થઈ પડે, તો એમાં કોઈ બે આબરૂની વાત નથી , શારીરિક અસમર્થતા અથવા તો કોઈ અન્ય કારણથી લોકો ગરીબ થઈ જાય છે , તો દુનિયા એમની ધૃણા કરતી નથી , પરંતુ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી ઉપરથી મદદ કરે છે . બેઆબરૂની પરિસ્થિતિતો ત્યાં ગણાય કે હાથ , પગ અને બુદ્ધિ હોવા છતાં માપણે અભાવોના કારણે દુ:ખો ભોગવ્યા કરીએ , નિ:શંક ગરીબાઈનું કા૨કા દુષુપ્રિ છે , કુબેરને પણ ગરીબ બનાવનાર દુર્ગુણો આ છે ( ૧ ) આળસમાં સમય વેડફવો ( ૨ ) નિરાશામાં પડયા રહેવું ( ૩ ) અપ્રિય સ્વભાવ બનાવી દેવો ( ૪ ) કામ ન કરવાની ટેવ પાડવી ( ૫ ) નાનું કામ કરવામાં શરમ અનુભવવી ( ૬ ) સ્થિતિ કરતાં વધુ ખર્ચ કરવું , મા દુર્ગુણો છે જે કુબેરને પણ ગરીબ બનાવી દે છે , જો તમે ગરા છે તો ઉપરના બધા જ અથવા થોડા પણ દુર્ગુણોથી ઘેરાયેલા હશો , પછી ભલેને તમારી નાંખે તમને દેખાતું ન હોય , તમે સમજતા હશો કે મા દુર્ગુણો નાનો છે . આના માટે ગરીબાઈ જેવી કઠોર સજા – મળવી જે ઈએ , પરંતુ જ્યારે વિચારપૂર્વક જોવામાં આવે તો , ખ્યાલ આવશે કે આ માઠતો તુછ નહીં , પણ ખૂબ ભયે કર છે , દારુણ પાપોને પેદા કરવાવાળી છે , જૂઠ , દંછળ , કપટ , અનાચાર , ચોરી , હિંસા , હત્યા જેવો દુષ્ટ કર્મો કોઈ મનુષ્ય સ્વાભાવિક રીતે કરવાનું ઇચ્છતો નથી , પરંતુ આજ ખરાબ આદતો મનુષ્યને દુષ્ટ કામો કરવા માટે મજબૂર કરે છે , મારો મત છે કે ચોરી અને હત્યા જેવા છે , માણસ , કામ ટાળવાની વાત , ઉડાઉ ખર્ચ વગેરે દોષો છે , અને આ પાપોના પરિણામે જીવતી હોવા દેતો નરકની આગમાં શેકાવું પડે છે , નામ કહેવું જરાય ખોટું નથી કે ગરીબ નરક ભોગવી રહ્યો છે , આાવી નારકીય વ્યક્તિને સંસાર પૂણાની દૃષ્ટિથી જુએ છે તો એમાં જરાય અનુચિત નથી . એક ભલા માણસને શરમ આવવી જોઈએ કે તે ગરીબાઈથી પીડાઈ રહ્યો છે તો તે ગરીબાઈને દૂર કરવી એ આપણા હાથની વાત છે , તો પછી શા માટે એને દૂર ન કરવી જોઈએ ? કહેવત છે કે ગરીબોની કોઈ મદદ કરતું નથી , ખરું પૂછો તો એ બધાં એને યોગ્ય જ છે કે જેથી તેમની કોઈ મદદ કરતું નથી , હું જ્યારે મારી ચારે બાજુ નજર ફેરવીને જોઉં છું તો ગરીબાઈનાં ભયંકર દૃશ્યો જોવા મળે છે . ફિક્કા અને સૂકાયેલા મોં વાળા નવયુવકો જેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નષ્ટ થઈ ગયું છે , બેઢંગાં જીવનના ભારથી વાંકા વળેલા નજરે પડે છે . જો કે આ માટે બધી જ રીતે રાજ્યતંત્ર જવાબદાર છે . તેમ છતાં નવયુવકો પણ નિર્દોષ તો નથી જ . આમાંથી કેટલાંકના હૃદયમાં તો આ વિશ્વાસ ખૂબ જ સારી રીતે પોતાનાં મૂળ ઊંડાં નાખીને ઘર કરી ગયો છે કે આ ગરીબીમાંથી બહાર નીકળી શકીશું નહિ . ગરીબાઈ અમારો કેડો છોડશે નહિ તેઓ વિચારે છે કે જે ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે . જે અમારા નસીબમાં ધનવાન થવાનું લખાયું હોત તો કોઈ ધનવાનના ઘરમાં જ જન્મ મળત જ્યારે તેઓ કોઈ ધંધા તરફ નજર દોડાવે છે તો તેમને સૌથી પહેલાં એ સિદ્ધાંત યાદ આવે છે કે , પૈસો પૈસાને લાવે છે . જ્યારે આપણી પાસે પૈસા જ નથી તો ધનવાનું કઈ રીતે બનાય ? તેઓ પોતાની યોગ્યતા ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે છે અને જુએ છે કે તેમના માટે કોઈ કામ નથી . અમારે આ જ દુ:ખ માં પડ્યા રહેવું પડશે . પોતાની જાત ઉપરથી વિશ્વાસ ઉઠાવી લેવો , નિરાશ થઈ જવું , ઉદ્યમને તિલાંજલી આપી દેવી વગેરે એવાં કારણો છે જેની સાથે ગરીબાઈ બંધાયેલી રહે છે . ગરીબાઈ જેટલી વિઘાતક નથી , તેટલા . તેના વિચારો છે . અમે તો તુચ્છ છીએ . અમારે તો ગરીબ જ રહેવાનું છે . અમે શું કરી શકીએ ? આવા વિચારો જ પોતાને ગરીબાઈમાં જકડી રાખે છે . જેઓ પોતાને દીન – હીન અને ભિખારી સમજે છે તેઓ પોતાના વિશ્વાસના આધારે એવા જ બની રહેવાના . એમના માટે શુભ દિવસ ક્યારેય નહીં આવે . જે તમે વિચારો છો કે સમય ખૂબ ખરાબ છે , અમારી દશા બગડતી જ જશે , તો વિશ્વાસ રાખજે કે સમય ખરાબ નર્ટી હશે તો , પણ તમારા માટે તો સમય ખરાબ જ હશે અને તમારી દશા વધારે બગડતી જશે . વિચારોમાં એક મોટી ચુંબકીય શક્તિ રહેલી છે . મનમાં રહેનાર વાત પોતાના આકર્ષણ દ્વારા અનંત આકાશમાંથી એવાં તત્ત્વોને આકર્ષિત કરે છે કે , જેઓ એને બળ આપે છે . એવામાં આવ્યું છે કે ભયની કલ્પના કરનારની સામે ભય સાક્ષાત્ આવીને થઈ જાય છે. પ્રકૃતિનો ભંડાર આપણા માટે ખુલ્લો છે જેટલું ઇચ્છે તે પોતાની ઇચ્છાનુસાર લઈ શકે છે . જે તમે આખો દિવસ ગરીબી વિચાર કરીને , ગરીબી તમારો ઇષ્ટદેવ બની જશે અને ગુણ થઈને તમારી ચારે બાજુ ઘેરો ઘાલીને બેસી જશે . જે પશ્ચિમ તરફ થઈ છે તેને પૂર્વમાં, પહોંચવાની આશા સેવવી જોઈએ નહીં . ગરીબ મનોવૃત્તિવાળી વ્યક્તિ ક્યારેય સમૃદ્ધિ મેળવી શકતી નથી .
એક વાર એક માણસનો હીરાનો હાર ખોવાઈ ગયો. તે સમય છે . કોઈક ચોરી ગયું છે . તેની બાકી રહેલી સંપત્તિનો પણ નાશ થઈ ગયો અને તે બેચાર આનામાં મજૂરી કરવા લાગ્યો . ગરીબીના કારણે તેના દુ:ખ ભોગવતો હતો . એકવાર તેને હાથ ગળેથી ફાટેલા ઝભ્ભા પર ગયો , તો તેના હાથમાં હાર આવ્યો . તેને ખબર પડે કે હીરાનો હાર તો ગળામાં જ હતો . ગરીબીના સમય દરમિયાન લાખો રૂપિયાનો હાર તેની સાથે રહ્યો હતો , છતાં ભૂલી જવાને કારણે તે દુ:ખ ભોગવતો રહ્યો.
દક્ષિણ ભારતમાં ગોવળકોંડા ગામે પ્રસિદ્ધ હીરાની ખાણ આવેલી છે . આ જગ્યા પહેલાં અલિહાફિજ નામના પારસીની પાસે હતી તેને એક હીરાની જરૂર હતી , તેથી તેણે આ જગ્યા થોડાક રૂપિયામાં વેચી દીધી અને બજારમાંથી એક નાનકડો હીરા ખરીદી લીધો. તેને બિચારાને, ક્યાં ખબર હતી કે જે જગ્યા વેચી રહ્યો છું તે તો હીરાનો ખજાનો છે . નેવડાની બહુ કીમતી ખાણને તેના માલિકે એક વ્યક્તિને પોતે ફક્ત પાંચસો રૂપિયામાં વેચી દીધી હતી . જો તેને ખબર હોત તો તે આવું કરત નહિ . મનુષ્યમાં કમાવાની અને તેનો સંગ્રહ કરવાની ભરપૂર શક્તિ પડેલી છે , પરંતુ તે જાણી શકતો નથી ને ઉપરોક્ત ઉદારોનું અનુકરણ કરતો રહે છે . આકાશમંડળમાં વિદ્યુતશક્તિનો ભંડાર પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ છૂપાયેલો છે , પરંતુ તે હાથમાં ત્યારે જ આવ્યો , જ્યારે મનુષ્ય તેને મેળવવા પ્રયત્ન કર્યો . તમારી અંદર પણ આવી અનેક યોગ્યતાઓ ભરેલી પડી છે , જે બહુ જ ઓછા સમયમાં તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે છે . એ બધી અહલ્યાની જેમ કોઈ રામની પ્રતીક્ષા કરી રહી છે , જે આવીને સજીવ કરે . ક્યારેય એવું વિચારો નહીં કે , અમે ગરીબ છીએ , અમે શું કરી શકીએ ? અમારી પાસે યોગ્યતા છે જ નહીં , આવું કદાપિ ન કહો . સંસારમાં અદ્ભુત અને આશ્ચર્યજનક શોધ કરનાર માણસો ગરીબ જ હતા .
પ્રતિભાવો