ધ્વંસાત્મક નહિ , પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો

યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ

ધ્વંસાત્મક નહિ , પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો

સ્વતંત્ર ભારતના યુવકો આજે એવું કહી શકે છે કે તે વખતે સ્વાધીનતા માટે રાષ્ટ્રીય ક્રાંતિની જરૂરિયાત હતી , પરંતુ આજે તો ભારત સ્વતંત્ર છે . યુવાનોએ સમયની માગને અનુરૂપ ક્રાંતિના અર્થને સમજવો જોઈએ . સામાન્ય અર્થમાં ક્રાંતિ એટલે તોડફોડ , સત્તા – પલટો તથા વ્યવસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા માનવામાં આવે છે , પરંતુ આજનો યુવાન તથા સમાજ જે સમસ્યાઓથી પીડાય છે તેમના સમાધાન તથા ઉપચાર માટે ગંભીર તથા વ્યાપક ઉપચારોની જરૂર છે . તેમના સ્વરૂપ તથા ઉદેશ્યને સમજવામાં ભૂલ ન કરવી જોઈએ .

આજે વ્યક્તિત્વના શુદ્ધીકરણ દ્વારા સમાજની એક ઉદાત્ત પરિકલ્પનાને સાકાર કરવા માટે ક્રાંતિની જરૂર છે . તે બૌદ્ધિક , નૈતિક તથા સામાજિક ક્રાંતિ હશે . આજના સમયની ક્રાંતિ કોઈ રાજનૈતિક , ધાર્મિક , સાંપ્રદાયિક કે જાતિગત સ્વાર્થ દ્વારા પ્રેરિત ન હોઈ શકે . તેનો મૂળભૂત ઉદ્દેશ્ય સર્જન કરવાનો છે , ધ્વંસ નહિ , નવું ભવન બનાવવા માટે જૂના ખંડેરને તોડવાના રૂપમાં કદાચ થોડોક ધ્વંસ કરવો પડે , પરિવર્તનના આ મહાન યુગમાં યુવાઓએ દુષ્પવૃત્તિઓના કુચક્રમાંથી બહાર નીકળીને સમગ્ર ક્રાંતિ માટે આગળ આવવું જોઈએ . સમયના આ પોકારને કોઈ પણ ભાવનાશીલ તથા વિચારશીલ યુવાન એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી ના શકે . આ આદર્શ માટે તેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો પડશે .

કોઈપણ મહાન કાર્ય ત્યાગ વગર થઈ ન શકે . યુવાઓએ હંમેશાં સમયના પોકારને સાંભળ્યો છે . ભલે પછી તે આધ્યાત્મિક કે સાંસ્કૃતિક ક્રાંતિ હોય અથવા તો રાજનૈતિક કે સામાજિક ક્રાંતિ હોય . દરેક વખતે યુવાપેઢી જ પોતાની સુખસુવિધાઓ , પદ , પ્રતિષ્ઠા કે કુટુંબના મોહનાં બંધનોને તોડીને સાહસપૂર્વક કૂદી પડી હતી . યુગની અવ્યવસ્થા , અસુરતા , અનીતિ તથા અત્યાચારને ધ્વસ્ત કરવા માટે તેઓ સગળતા દાવાનળમાં કૂદી પડે છે . ઐતિહાસિક પરિવર્તનના આ યુગમાં યુગનિર્માણ મિશને સમગ્ર ક્રાંતિ માટે ફરીથી યુવાઓને આહ્વાન કર્યું છે .

આજે અસુરતા પૂરેપૂરી શક્તિથી સર્વતોમુખી વિનાશ કરવા માટે તૈયાર થઈ ગઈ છે . તો બીજી બાજુ સર્જનની અસીમ સંભાવનાઓ પણ પોતાના દેવા પ્રયાસમાં સક્રિય છે , માવા સમયે યુવાનો પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેમને પોતાની મૂછ , જડતા , સંકીર્થ સ્વાર્થ તથા અહંનો ત્યાગ કરીને યુગના અભૂતપૂર્વ સાંસ્કૃતિક દિગ્વિજય અભિયાન સાથે જોડાઈ જાય અને આપણા સમાજ , રાષ્ટ્ર તથા વિશ્વના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવે ,

 – અખંડજયોતિ , ઑગસ્ટ ૧૯૭ , પૃ . ૧૭

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: