બ્રાહ્મણો ! સદ્દજ્ઞાનરૂપી અમૃત વહેંચો
October 26, 2019 Leave a comment
સાધુ બ્રાહ્મણો માટે સંદેશ
બ્રાહ્મણો ! સદ્દજ્ઞાનરૂપી અમૃત વહેંચો
શાસ્ત્ર કહે છે કે વિદ્યાવાન બ્રાહ્મણ સંસારના અજ્ઞાનને પોતાના તપ દ્વારા દૂર કરે . જે લોકોને વિઘા મળી છે , બુદ્ધિ મળી છે , જેમના હૃદયમાં દયા છે , જેમના ઉદયમાં બ્રાહ્મણો જેવી તપ તથા ત્યાગની ભાવના છે તેઓ જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે , ભલે પછી તેઓ કોઈ પણ જાતિ કે વંશમાં પેદા થયા હોય , એવા બ્રાહ્મણોને ગાયત્રીનો પ્રથમ સંદેશ છે કે બુદ્ધિ આ સંસારનું સર્વશ્રેષ્ઠ તત્વ છે . તે તમને ઈશ્વરની એક અમાનતના રૂપમાં મળ્યું છે . તેને તમારી શક્તિ પ્રમાણે લોકોમાં વહેંચો . તુચ્છ સ્વાર્થ છોડો અને ઈશ્વરે તમને જે યોગ્યતા અને ઈમાનદારી વહેંચવાના પદ પર નિયુક્ત કર્યા છે તે બદલ ગૌરવનો અનુભવ કરો . તમારાં કર્તવ્યોનું પાલન કરો . અજ્ઞાન તથા દુખથી વ્યાકુળ જનતાને સુખી બનાવવા માટે સજ્ઞાનરૂપી અમૃત વહેંચો અને પોતે તપશ્ચર્યા તથા પરોપકારનું સ્વર્ગીય સુખ મેળવો . હૈ બ્રામણો ! એવું ના વિચારશો કે અમે જે પરમાર્થમાં જ રચ્યાપચ્યા રહીશું તો અમારો ખર્ચો કેવી રીતે નીકળશે ? ઈશ્વર પર વિશ્વાસ રાખો અને લોકોને સદજ્ઞાન વહેંચવા તથા તેનો ફેલાવો કરવા માટે આગળ વધો . તમારા ઉત્તમ જ્ઞાન અને ઉજજવળ ચરિત્રથી અંધકાર ભરેલાં હૃદયમાં પ્રકાશ પેદા કરો . તમને પૈસાની ખોટ નહિ પડે . મનુષ્યની સાચી જરૂરિયાતો તો બહુ થોડી હોય છે . એમાંય વળી બ્રાહ્મણની જરૂરિયાતો તો સાવ ઓછી હોય છે . બાળકના જન્મ પહેલાં જે ઈશ્વર દૂધના કટોરા ભરીને તૈયાર રાખે છે તે આ સૃષ્ટિમાં હજુ પણ છે , બ્રાહ્મણત્વ પ્રત્યે અપાર શ્રદ્ધાનો ભાવ હજુ આજે પણ ટકી રહ્યો છે . તેની પર વિશ્વાસ રાખો . કાંકરા ભેગા ના કરો , પરંતુ હીરાનો વેપાર કરો .શાસ્ત્ર કહે છે કે હે બુદ્ધિજીવીઓ ! લાલચમાં ના ફસાઓ . બ્રાહ્મણને યોગ્ય કામ કરો , સંસારમાં સદજ્ઞાનનો ફેલાવો કરો .
– અખંડજયોતિ , એપ્રિલ ૧૯૪૯ , પૃ . ૯
પ્રતિભાવો