યુવાઓ , પોતાને ઓળખો
October 26, 2019 Leave a comment
યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ
યુવાઓ , પોતાને ઓળખો
નવજવાનો , યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ , એકલો ચાલ , તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે , જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર , સારહીન અને કમર છે . પોતાની આશાને બીજા લોકોના ભરોસે રાખવી તે પોતાની મૌલિકતાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાન છે , જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે . એકલા પડી જતાં તેને પોતાની મૂર્ખતાનું ભાન થાય છે .
– અખંડજ્યોતિ , ફેબ્રુઆરી ૧૯૫૩ , પૃ . ૧૪ , ૧૫
પ્રતિભાવો