મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવામાં આવે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવામાં આવે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
દરેક ગામમાં આ પ્રકારની એક શાળા તો હોવી જ જોઈએ. લોકસેવકો વધુ હોય અને બાળકો વધારે હોય તો એની બીજી શાખાઓ ખોલવી જોઈએ, જેથી વધારે બાળકોને ભણાવી શકાય. જ્યાં સગવડ હોય ત્યાં ત્રણ વર્ષનાં બાળકોની પણ પાઠશાળા વર્ગ પ્રમાણે શરૂ કરવી જોઈએ કારણ કે ઘરનું વાતાવરણ એવું રહ્યું નથી, જેનાથી નાનાં બાળકો પણ સુસંસ્કાર શીખી શકે. તેઓ ઘરમાં ગોંધાયેલાં રહેવાથી કંઈકને કંઈક ઉપદ્રવ કરતાં રહે છે. એમના માટે નર્સરી, શિશુ શિક્ષણની નાની પાઠશાળા શરૂ કરી શકાય. આનાથી બાળકો ઘરેલુ કુસંસ્કારોથી બચી શકે છે અને વાલીઓને આખો દિવસ ચોકીદારી નહિ કરવી પડે. સાથે સાથે કોઈ ને કોઈ બુદ્ધિવર્ધક સુસંસ્કારિતાનું શિક્ષણ પણ મળશે.
બાળસંસ્કાર શાળાએ આજના સમયની મહત્ત્વની આવશ્કયતા છે. એના માટે એવા સેવાભાવી સુશિક્ષિતોની જરૂરિયાત છે કે જેઓ પોતાનો અમૂલ્ય સમય આ પુનિત કામમાં ગાળી શકે. સેવાભાવી ન મળે તો એવા માણસો શોધવા જોઈએ કે જેઓ થોડુંક માનદ વેતન લઈને આ પુનિત કાર્ય કરી શકે.
માત્ર સરકારી સ્કૂલો દ્વારા આ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકે નહિ કારણ કે ત્યાં જેમ તેમ કરીને અભ્યાસક્રમ પૂરો કરવાની વાત મગજમાં ચાલતી હોય છે. સંસ્કારોનું મહત્ત્વ તેઓ સમજતા નથી. એવા શિક્ષકોની જરૂરિયાત ત્યારે જ પૂરી થાય કે જ્યારે પ્રાચીનકાળ જેવાં ગુરુકુળોનું પ્રચલન હોત. હવે એ પદ્ધતિના અભાવની પૂર્તિ આપણે બાળસંસ્કાર શાળા જન સ્તર પર શરૂ કરીને પૂરી કરવી જોઈએ.
કોઈ પ્રજ્ઞા સંસ્થાન એવું ન હોય કે જયાં આવી પાઠશાળા ન ચાલતી હોય. દરેક શાખા તથા સ્વાધ્યાય મંડળે આવી સંસ્કારશાળાઓ ચલાવવી જોઈએ.
પ્રતિભાવો