શિષ્ટાચારનો અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
શિષ્ટાચારનો અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
બાળકોની હાજરીમાં ઘરનાં બીજાં બાળકોને અથવા મોટાઓને વઢવું ન જોઈએ અને ગાળાગાળી પણ ન કરવી જોઈએ. આ અનોખી વાત એમની સામે કોઈક જ વાર આવે છે, એટલે કુતૂહલતાથી તેઓ એની નકલ કરવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં ઘણાં બાળકો રહેતાં હોય તો કોઈને વધુ પ્યાર અને કોઈને ઓછો એવું ના કરવું જોઈએ. આના કારણે તેમનામાં તિરસ્કાર અથવા ઇર્ષાનો ભાવ પેદા થાય છે.
સફાઈના ફાયદાની જાણકારી આપવાની સાથે સાથે તેમને શિષ્ટાચાર શિખવવાનું પણ શરૂ કરવું જોઈએ. મોટાઓને નિત્ય પ્રણામ કરવાની ટેવ પાડવી જોઈએ. તેઓ ભૂલી જાય તો આપણે સામેથી પ્રણામ કરવા જોઈએ. તેમનું સ્વાભિમાન જગાડવા માટે નામની સાથે “જી’ અથવા ભાઈ કે બહેન લગાડવાની પ્રથા પાડવી જોઈએ. બદલામાં તેઓ પણ ભાઈસાહેબ, બહેનજી, માતાજી, તાઈજી વગેરે કહેવાનું શીખશે. આ સભ્ય પરંપરાની શરૂઆત નાનપણથી જ કરવી જોઈએ. અધૂરું નામ લેવું અથવા તું કહીને બોલાવવું તે બરાબર નથી. આપ અથવા તમે કહીને બોલાવવાની ટેવ નાનપણથી જ પાડવી જોઈએ. ખૂબ નાનું હોય ત્યારે બાળક પોતાની જ સફાઈનું ધ્યાન રાખી શકે છે, પણ થોડી ઉંમર વધે એટલે બીજાં નાનાં બાળકોની સફાઈ કરવાની કે કરાવવાની ટેવ પાડવી જોઈએ.
પ્રતિભાવો