પાઠ્યતર શિક્ષણ પણ જરૂરી, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
પાઠ્યતર શિક્ષણ પણ જરૂરી, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
પ્રજ્ઞા પ્રશિક્ષણ પાઠશાળાનો સમય દિવસભરના લેશન, પુનરાવર્તન, રમતગમત તથા ગુણ, કર્મ અને સ્વભાવમાં શાલીનતાનો સમાવેશ કરવા માટે છે. સમયનું વિભાજન એવી રીતે કરવું જોઈએ કે ત્રણેય માટે સમય મળી રહે. ભણવા માટેનો નિયત સમય દરરોજ રાખીને એક દિવસ ખેલકૂદ અને એક દિવસ શિષ્ટાચારનો શિક્ષણક્રમ વારાફરતી રાખી શકાય છે.
સંસ્કારશાળાનો કોઈ સભ્ય કોઈક દિવસ ગેરહાજર હોય તો એની જાણકારી મેળવવી જોઈએ. જો કોઈ બીમાર હોય તો ક્લાસ પૂરો થયા પછી તેના ઘેર સહાનુભૂતિ પ્રગટ કરવા, તેને હિંમત આપવા અને કોઈ કામ હોય તો તે પૂછવા માટે જવું જોઈએ. આનાથી આત્મીયતા તથા ઘનિષ્ઠતા વધે છે. ઘનિષ્ઠતા વધે તેવો વ્યવહાર વધારે કરવો જોઈએ. કોઈ ને કોઈ બહાને પોતાની ઘનિષ્ઠતાનું ક્ષેત્ર વધારવું જોઈએ. જે બીજાઓના કામમાં આવે છે અને સહાયતા માટે હાથ લાંબો કરે છે તેઓ અનાયાસે બીજાઓના પ્યારા બની જાય છે. તેમની ઈજ્જ્ત પણ વધે છે. સંકીર્ણતાને જ ક્ષુદ્રતા માનવામાં આવે છે. ઉદારતા જ મહાનતા છે. જેમને મહાનતા પસંદ હોય તેમણે ઉદાર બનવું જોઈએ. સાથીઓની સહાયતા માટે સદાય તત્પર રહેવું જોઈએ. આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતાના કામ માટે બીજાઓની ઓછામાં ઓછી મદદ માગવામાં આવે. નહિતર માગવાની ટેવ આપણું સન્માન ઘટાડી દેશે.
બાળસંસ્કારશાળામાં સ્કાઉટિંગના નિયમો પણ સામેલ કરવા જોઈએ. બધાનો અમલ કરવો શક્ય ન હોય, તો એમાંથી જેટલા પણ શક્ય હોય તેટલા શીખવવા જોઈએ અને પ્રયોગમાં લાવવા જોઈએ. એનાં પુસ્તકો પુસ્તકાલયમાં અવશ્ય રાખવા જોઈએ. સાથે સાથે શિષ્ટાચાર તથા સભ્યતાનું શિક્ષણ આપતાં પુસ્તકો પણ પુસ્તકાલયમાં રાખવાં જોઈએ અને તે ઘેર લઈ જઈને વાંચવા જોઈએ.
સુંદર લિપિ, લેખનકળા, ભાષા જ્ઞાન, શબ્દ ભંડોળ વગેરે વધારવા માટે બની શકે તો એક હસ્તલિખિત માસિક અંક પ્રકાશિત કરવો જોઈએ. એમાં બે-બે પેજનો એક એવા સારા લેખ પેનથી લખવા જોઈએ. લેખોનો વિષય અને એમાં સમાવેશ કરવાના મુદા શિક્ષકોને પૂછી લેવા જોઈએ. એમને સુંદર અક્ષરોમાં લખવા જોઈએ. બધાના લેખ સંપાદિત કરીને એક સુંદર અંક બનાવી લેવો જોઈએ. એ જ એ મહિનાની માસિક પત્રિકા બની જશે.
જે વિષય પર લખ્યું હોય એનો વારંવાર વ્યાખ્યાનના રૂપવિચાર વ્યક્ત કરવાનો અભ્યાસ કરાવવો જોઈએ. લેખન અને ભાષણ બંને સારાં બનાવો. દર મહિને એક ચર્ચા સભા અને એક લેખ સંગ્રહની માસિક પત્રિકાનો ક્રમ ચાલતો રહેતો એનાથી વિચાર અભિવ્યક્તિની યોગ્યતા વધે છે અને આ શિક્ષણ આગળ ઉપર ખૂબ કામમાં આવે છે.
પ્રજ્ઞા પ્રશિક્ષણના પુસ્તકાલયમાં ફર્સ્ટ એઈડ, રોગીઓની સારવાર, સામાન્ય ગૃહવિજ્ઞાન આ ત્રણેય વિષયોનાં પુસ્તકો પણ રાખવાં જોઈએ અને તેમને વાંચવા – વંચાવવાનો ક્રમ એવી રીતે ચાલતો રહેવો જોઈએ કે પરીક્ષામાં ભલે પાસ ન થાય, પરંતુ એ બધી વાતોનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય. જો એ બીજાને શિખવાડવું પડે તો શિખવાડી શકે. એવું ન બને કે પોતે તો એ વાતોને જાણી લે, પરંતુ કોઈ બીજાને અથવા પરિવારજનોને સમજાવવા ઇચ્છે તો અધૂરા જ્ઞાનને કારણે શિખવાડી ન શકે.
પ્રતિભાવો