સંગઠન વિના માનવ જીવન અધૂરું છે . !!જયાં પણ રહો સંગઠીત રહો..!!

એક વ્યકિત હતો, જે હંમેશા પોતાના સંગઠનમાં ખૂબ સક્રિય હતો.
તેનેબધા ઓળખતા હતા.
દરેક તેને ઘણું માન સન્માન આપતા હતા .
કોઈ સંજોગોવસાત તે સંગઠનમાંથી અલગ ( નિષ્ક્રીય ) રહેવા લાગ્યો, કોઈને પણ મળવાનું બંધ કરી દીધું .
મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. અને સંગઠનથી દૂર થઇ જાય છે .
થોડા અઠવાડિયા પછી ખૂબજ ઠંડી હતી અને રાત્રીમાં સંગઠનના મુરબ્બી માણસે તેને મળવાનું નક્કી કર્યું.
અને મુરબ્બી માણસ તેના ઘરે આવ્યા અને જોયું તો આ માણસ ઘરે એકલો જ હતો. અને તગારામાં લાકડાનું તાપણું કરીને સામે બેસી આરામથી તાપતો હતો .
તે માણસે ઉભા થઇ આવેલાુ મુરબ્બીનું સ્વાગત કરી આવકારો આપ્યો .
બંન્ને તાપણાની સામે શાંતિથી બેઠા . તાપણાની આગની જવાળા ઉપર સુધી ઉઠતી હતી તેને જોતાં હતાં . થોડી વાર , મુરબ્બીએ કાંઈપણ બોલ્યા વિના ,
તાપણામાંથી એક સળગતુ એક લાકડુ લઈ તાપણાથી, અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા..
તે માણસ આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો. અને
લાંબા સમયથી એકલો રહેતો હોય , અને તેના સંગઠનના મુરબ્બી ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં આનંદ લઈ રહ્યો હતો. અને
મનમાં વિચારતો હતો કે આજે તે સંગઠન ના મુરબ્બી સાથે છે . પરંતુ તેને જોયુ કે લાકડાના તાપણામાંથી જુદુ ( અલગ) રાખેલ સળગતુ લાકડુ ધીરે ધીરે ઠરવા લાગ્યુ હતું અને અગ્નિ ઓછી થવા લાગી હતી .
અને થોડી વાર પછી સાવ ઓલવાઈ ગયું હતું. અગ્નિ સાવ બૂઝાઈ ગયો , હવે તેમાં કોઈ આગ કે ચમક રહી નથી.. થોડીવાર પહેલા આ લાકડામાં જે આગ અને પ્રકાશ હતો ,
તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !!!
હવે બંને એ એકબીજા ના ખબરઅંતર પૂછ્યા અને ઓછામાં ઓછા શબ્દોમાં વાતો કરી .
મુરબ્બી* એ જતા જતા , અલગ કરેલ અને ઠરી ગયેલ લાકડાને ઉઠાવીને પાછી સળગતી આગમાં રાખી દીધી .
આ લાકડુ ફરીવાર સળગવા લાગ્યુ અને પહેલા જેવો પ્રકાશ આપવા આપવા લાગ્યુ અને ચારેબાજુ રોશની અને તાપ આપવા લાગ્યું… ત્યાર પછી આવેલ મુરબ્બી જવા લાગ્યા ત્યારે આ માણસ ઘરનાં દરવાજા સુધી વળાવવા ગયો અને બોલ્યો આપે મારા ઘરે આવી મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે .આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.

સંગઠન કે ગ્રુપના સાથ સહકાર થકી જ માણસો ઓળખાતા અને ઉજળા હોય છે . *સંગઠન* થકી જ માણસોની *પહેચાન* હોય છે .

સંગઠન સર્વોપરી હોય છે . સંગઠન પ્રત્યે અમારી નિષ્ઠા અને સમર્પણ કોઈ વ્યકિત માટે નહીં , સંગઠન ની સાથે જોડાયેલા વિચાર , સિદ્ધાંતો પ્રત્યે હોવી જોઈએ .

સંગઠન કોઈપણ પ્રકાર નુ હોઈ શકે છે , પારિવારિક , રાજકીય , પક્ષીય , સામાજિક , વ્યાપારિક કે સાંસ્કૃતિક વિગેરે વિગેરે…..

સંગઠન વિના માનવ જીવન અધૂરું છે . !!
જયાં પણ રહો સંગઠીત રહો..!!

मित्रता कोई स्वार्थ नही ,
बल्कि एक विश्वास है ,
जहा सुख में हँसी मजाक से लेकर,
संकट में साथ देने की
जिम्मेदारी भी होती है .

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: