ષટ્કર્મ – દેવપૂજન , સાધના આંદોલન પર એક દૃષ્ટિ
April 5, 2022 Leave a comment
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
ષટ્કર્મ – દેવપૂજન
ષટ્કર્મ તથા દેવપૂજનનું ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ઉપાસના સંબંધી પુસ્તકોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે . મોટા ભાગના પરિજનો તેને જાણે છે અને કરે છે પણ ખરા , એટલા માટે એની પદ્ધતિઓનું અહીં પુનરાવર્તન કર્યું નથી .
નિયમો ષટ્કર્મ તથા દેવપૂજનનું પ્રત્યેક કર્મકાંડ કરતી વખતે અંતઃકરણમાં તેને સંબંધિત વિચારો અને શ્રદ્ધા જગાડવાં જરૂરી છે . ત્યારે જ તે પ્રભાવશાળી બને છે અને શક્તિ પેદા કરે છે . જેમ કે –
અભ્યાસ
( ૧ ) પવિત્રતા ધારણ કરવાની ઇચ્છા તથા ભાવની સાથે પવિત્રીકરણ કરો .
( ૩ ) શક્તિ તથા તેજ ધારણ કરવાની ઇચ્છા તથા ભાવ સાથે શિખાબંધન , પ્રાણાયામ , ન્યાસ કરો ,
( ૪ ) નમ્રતા ધારણ કરવાની ઇચ્છા તથા ભાવ સાથે ભૂમિપૂજન કરો .
( ૫ ) ભક્તિભાવને ધારણ કરવાની ઇચ્છા તથા ભાવ સાથે દેવપૂજન કરો .
૪. પાઠ
( ૧ ) જીવન જીવવાનો સાચો રસ્તો ભૂલી ગયેલા લોકોને પાઠ ઉજ્જવળ જીવનનો રસ્તો ચીંધે છે . (
૨ ) મનને સ્થિર બનાવે છે અને જપ તથા ધ્યાનને યોગ્ય બનાવે છે .
સૂચનો : ( ૧ ) પાઠ કરતી વખતે તેની ગતિ ધીમી રાખો . ( ૨ ) સમજીને પાઠ કરો . ( ૩ ) શ્રદ્ધા તથા વિશ્વાસ સાથે પાઠ કરો .
અભ્યાસ
શિક્ષિત લોકો – ‘ ‘ આપણા યુગનિર્માણ સત્સંકલ્પો ” નો પાઠ કરે . અશિક્ષિત લોકો
(૧) નીચે દર્શાવવામાં આવેલ સદ્ભાવને યાદ કરે . ( કાર્યકર્તા તેમને યાદ કરાવે )
( ૨ ) આ સદ્ભાવ સાથે ઈશ્વરને પ્રાર્થના કરો –
“ હે પ્રભુ ! મને સદ્ભાવ અને સદ્ગુદ્ધિ પ્રદાન કરો . હું હંમેશાં શ્રેષ્ઠ જ વિચારતો રહું અને શ્રેષ્ઠ કર્મો કરતો રહું .
હે પ્રભુ ! અમને સૌને સદ્ગુદ્ધિ અને સદ્ભાવ પ્રદાન કરો . અમને સૌને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરો . ’ ’
પ્રતિભાવો