પ્રકૃતિનો રુદ્રાભિષેક – તપોવનનું મુખ્ય દર્શન, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – તપોવનનું મુખ્ય દર્શન, સૂનકારના સાથીઓ
ભગવતી ભાગીરથીના મૂળ ઉદ્ગમ ગૌમુખનું દર્શન કરી મારી જાતને ધન્ય માની. આમ જોવા જઈએ તો વિશાળ પથ્થરમાંથી ફાટેલી તિરાડમાં થઈને દૂધ જેવા સ્વચ્છ પાણીના ઊછળતા ઝરણાને જ ગૌમુખ કહે છે. પાણીનો પ્રવાહ અત્યંત વેગીલો હોવાથી વચ્ચે આવતા પથ્થરો સાથે અથડાઈને ખૂબ ઊંચે સુધી ઊડે છે. આ જલબિંદુઓ પર જ્યારે સૂર્યનાં સોનેરી કિરણો પડે છે ત્યારે ઇન્દ્રધનુષ્ય જેવું ખૂબ જ સોહામણું દૃશ્ય ખડું થાય છે.
આ પુનિત ઝરણામાંથી નીકળેલી ગંગામૈયા લાખો વર્ષથી માનવજાતિને તરણતારણનો સંદેશો આપતી રહી છે. જે મહાન સંસ્કૃતિને તે પ્રવાહિત કરી રહી છે તેના સ્મરણમાત્રથી આત્મા પવિત્ર થઈ જાય છે. આ દૃશ્યને આંખોમાં સમાવી લેવાનું મન થાય છે. હજુ આગળ ચાલવાનું હતું. ગંગા, વાત્રક, નંદનવન, ભાગીરથ શિખર, શિવલિંગ પર્વતથી ઘેરાયેલું તપોવન જ હિમાલયનું હૃદય છે. એ હૃદયમાં અજ્ઞાતરૂપે કેટલાય ઉચ્ચકોટિના આત્માઓ સંસારના તરણતારણ માટે જરૂરી શક્તિભંડાર ભેગો કરવામાં લાગેલા છે, જેની ચર્ચા અહીં યોગ્ય નથી કે જરૂરી પણ નથી.
અહીંથી જ મારા માર્ગદર્શકે આગળનો રસ્તો બતાવ્યો. કેટલાય માઈલોનાં વિકટ ચઢાણ પાર કર્યા બાદ તપોવનનાં દર્શન થયાં. ચારે બાજુ બરફ આચ્છાદિત પર્વતમાળાઓ પોતાના સૌંદર્યની અલૌકિક છટા વેરતી છવાયેલી છે. સામેવાળા શિવલિંગ પર્વતનું દૃશ્ય બિલકુલ એવું હતું, જાણે કોઈ વિશાળકાય સાપ ફેણ ફેલાવી બેઠેલો છે. ભાવનાની આંખો જેમને મળેલી છે તેઓ સર્પધારી ભગવાન શિવનું દર્શન પોતાનાં ચર્મચક્ષુથી જ કરી શકે છે. જમણી બાજુ લાલિમાવાળો બરફનો સુમેરુ પર્વત છે. કેટલીક લીલી ટેકરીઓ બ્રહ્મપુરીના નામે ઓળખાય છે. ત્યાંથી થોડા પાછળ ખસીએ તો ડાબી બાજુ ભાગીરથ પર્વત છે. કહે છે કે અહીં બેસીને ભગીરથજીએ તપ આદર્યું હતું, જેનાથી ગંગાવતરણ શક્ય બન્યું હતું.
આમ તો ગંગોત્રીમાં ગૌરીકુંડ પાસે ભાગીરથ શિલા છે તે પણ ભગીરથના તપ સાથે સંકળાયેલી છે. હકીકતમાં આ સ્થાને બરફાચ્છાદિત ભાગીરથ પર્વત જ છે. ઇજનેરો આ પર્વતને જ ગંગાનું ઉદ્ગમસ્થાન માને છે.
ભાગીરથ પર્વતની પાછળ નીલગિરિ પર્વત છે, જ્યાંથી લીલા રંગના પાણીવાળી નીલ નદી નીકળે છે. આ બધા રંગબેરંગી પર્વતોનું સ્વર્ગીય દશ્ય એક ઊંચા સ્થાન પરથી જોઈ શકાય છે. જ્યારે બરફ ઓગળે છે ત્યારે ભાગીરથ પર્વતનું ફેલાયેલું મેદાન દુર્ગમ બની જાય છે. બરફ ફાટવાથી વિશાળ પહોળી ખીણ જેવી તિરાડો પડે છે. તેમાં કોઈ પડી જાય તો પાછા આવવાની આશા રાખી શકાય નહિ. શ્રાવણ – ભાદરવા માસમાં જ્યારે બરફ ઓગળી ગયેલો હોય છે. ત્યારે આ પ્રદેશ સાચે જ નંદનવન જેવો લાગે છે. આ પ્રદેશનું ખાલી નામ જ નંદનવન નથી, પણ હકીકતમાં વાતાવરણ પણ નામ પ્રમાણે ગુણવાળું સ્વર્ગીય છે. આ દિવસોમાં મખમલ જેવું ઘાસ ઊગી નીકળે છે અને દુર્લભ જડીબુટ્ટીઓની મહેકથી આખું વાતાવરણ મઘમઘી ઊઠે છે. ફૂલોથી આ ધરતી ઢંકાઈ જાય છે. આવી સૌંદર્યસભર ધરતી પર જો દેવો રહેતા હોય તો એમાં આશ્ચર્ય હોય જ નહિ, પાંડવો સ્વર્ગારોહણ માટે અહીં આવ્યા હશે એમાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી.
હિમાલયનું આ હૃદય – તપોવન જેટલું મનોરમ્ય છે તેટલું જ દુર્લભ પણ છે. અહીં શૂન્યથી પણ નીચે બરફ થીજી જાય ઓળખાય છે. ત્યાંથી થોડા પાછળ ખસીએ તો ડાબી બાજુ ભાગીરથ પર્વત છે. કહે છે કે અહીં બેસીને ભગીરથજીએ તપ આદર્યું હતું, જેનાથી ગંગાવતરણ શક્ય બન્યું હતું.
આમ તો ગંગોત્રીમાં ગૌરીકુંડ પાસે ભાગીરથ શિલા છે તે પણ ભગીરથના તપ સાથે સંકળાયેલી છે. હકીકતમાં આ સ્થાને બરફાચ્છાદિત ભાગીરથ પર્વત જ છે. ઇજનેરો આ પર્વતને જ ગંગાનું ઉદ્ગમસ્થાન માને છે.
ભાગીરથ પર્વતની પાછળ નીલગિરિ પર્વત છે, જ્યાંથી લીલા રંગના પાણીવાળી નીલ નદી નીકળે છે. આ બધા રંગબેરંગી પર્વતોનું સ્વર્ગીય દશ્ય એક ઊંચા સ્થાન પરથી જોઈ શકાય છે. જ્યારે બરફ ઓગળે છે ત્યારે ભાગીરથ પર્વતનું ફેલાયેલું મેદાન દુર્ગમ બની જાય છે. બરફ ફાટવાથી વિશાળ પહોળી ખીણ જેવી તિરાડો પડે છે. તેમાં કોઈ પડી જાય તો પાછા આવવાની આશા રાખી શકાય નહિ. શ્રાવણ – ભાદરવા માસમાં જ્યારે બરફ ઓગળી ગયેલો હોય છે. ત્યારે આ પ્રદેશ સાચે જ નંદનવન જેવો લાગે છે. આ પ્રદેશનું ખાલી નામ જ નંદનવન નથી, પણ હકીકતમાં વાતાવરણ પણ નામ પ્રમાણે ગુણવાળું સ્વર્ગીય છે. આ દિવસોમાં મખમલ જેવું ઘાસ ઊગી નીકળે છે અને દુર્લભ જડીબુટ્ટીઓની મહેકથી આખું વાતાવરણ મઘમઘી ઊઠે છે. ફૂલોથી આ ધરતી ઢંકાઈ જાય છે. આવી સૌંદર્યસભર ધરતી પર જો દેવો રહેતા હોય તો એમાં આશ્ચર્ય હોય જ નહિ, પાંડવો સ્વર્ગારોહણ માટે અહીં આવ્યા હશે એમાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી.
હિમાલયનું આ હૃદય – તપોવન જેટલું મનોરમ્ય છે તેટલું જ દુર્લભ પણ છે. અહીં શૂન્યથી પણ નીચે બરફ થીજી જાય તેવી ઠંડી પડે છે ત્યારે આવા સૌંદર્યનું રસપાન કરવા કોઈક વિરલો જ આવી શકે છે. આમ તો હાલના રસ્તે જતાં ગૌમુખથી બદરીનાથ લગભગ ૨૫૦ માઈલ દૂર છે, પણ આ તપોવનથી માણા ધાટી થઈને બદરીનાથનું આ અંતર ફક્ત ૨૦ માઈલ જ છે. આ રીતે કેદારનાથ અહીંથી ૧૨ માઈલ છે, પણ બરફ છવાયેલા રસ્તા સુગમ નથી.
આ તપોવનને સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યાં પહોંચી હું પણ જાતે સ્વર્ગમાં જ ઊભો છું તેવો મેં અનુભવ કર્યો. આ બધું પરમશક્તિની કૃપાનું જ ફળ છે, જેના હુકમથી મારું શરીર માત્ર નિમિત્ત બનીને કઠપૂતળીની માફક ચાલ્યા કરે છે.
પ્રતિભાવો