અર્થસંયમ શા માટે ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
May 27, 2022 Leave a comment
અર્થસંયમ શા માટે ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
અર્થસંયમ શા માટે ? અર્થનો સંયમ કરવાથી –
– ‘શું યોગ્ય છે, શું યોગ્ય નથી’ એવી સદ્બુદ્ધિનો વિકાસ થાય છે.
– સરળ, સહજ જીવન જીવવાની ઇચ્છા જાગે છે. એમાં જ જીવનનું સૌંદર્ય છે.
“શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ’’ આ નિર્ણય મનથી નહિ, વિવેક પાસે કરાવો.
સૂચન –
અભ્યાસ
(૧) મુંડન, લગ્ન, મૃત્યુભોજન અથવા અન્ય સમારોહ જેવા ખોટા રિવાજોની નકલ ન કરો. આ રિવાજો ખોટા ખર્ચાઓ કરાવે છે.
(૨) કેફી પદાર્થો, વ્યસનો, ફેશન વગેરે પાછળ ખોટો ખર્ચ કરવાથી દૂર રહો.
(૩) શાંતિ, દૃઢતા, સાહસ આ ત્રણેય ગુણોને ધારણ કરો. – તમારું સાહસ જગાડો. શાંત અને દૃઢ ચિત્તથી જાહેર કરો કે ઉપરોક્ત ખોટા ખર્ચાઓને હું મારા કુટુંબમાં બંધ કરાવી
દઈશ.આપનું આ સાહસિક પગલું સમાજને રસ્તો ચીંધનારું બની જશે.
(૪) સૌથી મોટી વાત એ છે કે પોતાના વૈભવને જગજાહેર કરવાની ઇચ્છાનું શમન કરો.
પ્રતિભાવો