AA-05 : હું કોણ છું? પરિચય પ્રસ્તાવના : શ્રીરામ શર્મા આચાર્ય
June 10, 2022 Leave a comment
હું કોણ છું? આ સંસારમાં જાણવા જેવી ઘણી વાતો છે. વિદ્યાનાં અનેક ક્ષેત્રો છે, સંશોધન માટે, માહિતી મેળવવા માટેના ઘણા રસ્તા છે. વિજ્ઞાનનાં એવાં કેટલાયે પાસાં છે જે જાણવાં મનુષ્ય માટે જરૂરી છે. શા માટે ? કેવી રીતે ? ક્યાં ? ક્યારે ? આ બધા પ્રશ્નો દરેક ક્ષેત્રમાં માનવીએ ઊભા કર્યા છે. આ જિજ્ઞાસુવૃત્તિને લીધે જ માનવીએ અત્યાર સુધી આટલું બધું જ્ઞાન મેળવ્યું છે અને સાધનસંપન્ન બન્યો છે. સાચે જ જ્ઞાન જીવનની દીવાદાંડી છે.
જાણકારીની બધી વાતોમાં પોતાની જાતની જાણકારી મેળવવી સર્વશ્રેષ્ઠ છે. આપણે દુનિયાની અનેક વાતો જાણીએ છીએ અથવા જાણવા પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે આપણે પોતે શુંછીએ ? પોતાની જાતને જાણ્યા વિના જીવન ડામાડોળ, અનિશ્ચિત અને કાંટાળું બની જાય છે. પોતાની વાસ્તવિક જાણકારી ન હોવાથી માણસ ન વિચારવા જેવી વાતો વિચારે છે અને ન કરવા જેવાં કૃત્યો કરે છે. સાચા સુખ અને સાચી શાંતિનો રાજમાર્ગ એક જ છે અને તે છે આત્મજ્ઞાન.
આ પુસ્તકમાં આત્મજ્ઞાનની સમજ આપવામાં આવી છે. “હું કોણ છું?’’ આ પ્રશ્નનો જવાબ શબ્દોથી નહીં, પણ સાધના દ્વારા હૃદયંગમ કરાવવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કર્યો છે. આ પુસ્તક અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓને ઉપયોગી રસ્તો ચીંધશે એવી મને આશા છે.
પ્રતિભાવો