સજ્જનોને સંગઠિત કરવા અનીતિનો સામનો કરવા તથા નવસર્જનની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરી રુચિ લઈશું.

સજ્જનોને સંગઠિત કરવા અનીતિનો સામનો કરવા તથા નવસર્જનની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરી રુચિ લઈશું.

કોમળ અને સૌમ્ય તત્ત્વોને ઈશારાથી સમજાવીને વિવેક તથા તર્ક દ્વારા ઔચિત્ય બતાવીને સન્માર્ગગામી બનાવી શકાય છે, પરંતુ કઠોર અને દુષ્ટ તત્ત્વોને બદલવા માટે લોખંડને અગ્નિમાં તપાવીને ટીપવાની લુહારની નીતિ જ અપનાવી પડે છે. દુર્યોધનને સમજાવવામાં જ્યારે શ્રીકૃષ્ણ પણ સફળ ન થઈ શક્યા ત્યારે અર્જુનનાં બાણો દ્વારા માર્ગ પર લાવવાનો પ્રબંધ કરવો પડ્યો. હિંસક પશુઓ નમ્રતા અને ઔચિત્યની ભાષા નથી સમજતાં.એમનેશસ્ર દ્વારા જ કાબૂમાં લાવી શકાય. ભગવાને વારંવાર ધર્મની સ્થાપના માટે અવતાર લેવો પડે છે, સાથે સાથે તેઓ અસુરતાનો નાશ કરવાનું રૌદ્ર કૃત્ય પણ કરે છે.

વ્યક્તિગત જીવનમાં દેવશક્તિનું અવતરણ નિઃસંદેહ એક સર્જનાત્મક કૃત્ય છે. એના માટે સદ્ગુણો વધારવાની સાધના નિરંતર ક૨વી પડે છે પરંતુ સાથે સાથે અંતઃકરણમાં છુપાયેલા દોષદુર્ગુણો સામે ઝઝૂમવું પણ પડે છે. જો કુસંસ્કારોને દૂર નહીં કરીએ તો સદ્ગુણોની . સ્થાપના નહીં થાય અને બધી શક્તિ આ કષાયકલ્મષોમાં જ નષ્ટ થતી રહેશે. આળસ, પ્રમાદ, આવેશ, અસંયમ વગેરે દુર્ગુણોની સામે સખત વિરોધ ઊભો કરવો પડશે અને ડગલે પગલે એમની સામે લડવા સાવધ રહેવું પડશે. ગીતાનો રહસ્યવાદ અંતરના આ શત્રુઓને કૌરવો માનીને, અર્જુનરૂપી જીવને એમની સામે લડવાને માટે પ્રોત્સાહિત કરે છે. પોતાની સાથે લડીને વિજય મેળવે છે એને જ ખરો વિજેતા માનવો જોઈએ.

સામૂહિક જીવનમાં સમય સમય પર અનેક અત્યાચારો ઉત્પન્ન થયા કરે છે અને એમને રોકવા માટેસરકારી તથા બિનસરકારી સ્તર પર પ્રબળ પ્રયત્નો કરવા પડે છે. પોલીસ, જેલ, અદાલત, કાનૂન, સેના વગેરેના માધ્યમથી સ૨કા૨ી દંડસંહિતા અત્યાચારને રોકવાનો યથાસંભવ પ્રયાસ કરે છે. જનસ્તર ઉપર પણ અનિચ્છનીય અને અસામાજિક તત્ત્વોનો વિરોધ અવશ્ય થાય છે. જો એમને રોકવામાં ન આવે, ઉદ્દંડતા અને દુષ્ટતાનો વિરોધ ન કરવામાં આવે તો એ જોતજોતામાં આકાશને આંબી જાય અને પોતાના સર્વભક્ષી મુખથી શાલીનતા અને શાંતિને ગળી જાય.

આજે નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્ષેત્રોમાં અનિચ્છનીય તત્ત્વોનો એટલો વધારો થયો છે કે શાંતિ અને સુવ્યવસ્થા માટે એક પ્રકારનું સંકટ જ ઉત્પન્ન થયું છે. છળ, અસત્ય, બનાવટ અને વિશ્વાસઘાતનું એવું પ્રચલન થયું છે કે કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ જોખમથી ભરેલું છે. વિચારોની દૃષ્ટિથી મનુષ્ય ઘણો જ સંકીર્ણ, સ્વાર્થી તથા હરામી થઈ રહ્યો છે. પેટ અને પ્રજનન સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. આદર્શવાદિતા અને શ્રેષ્ઠતા હવે કહેવા સાંભળવાની વસ્તુ બની ગઈ છે. વ્યવહારમાં ભાગ્યે જ કોઈ વિરલો એને ઉતારે છે. સામાજિક કુરિવાજોનું તો પૂછવું જ શું ? વિવાહોન્માદ, મૃત્યુભોજન, ઊંચનીચના ભેદભાવ, નારીનો તિરસ્કાર, બાળલગ્નો, વૃદ્ધલગ્નો ન જાણે કેટલા પ્રકારના ખરાબ રિવાજો સમાજમાં ઘૂસી ગયા છે. અગર એમને રહેવા દેવામાં આવે તો આપણને સભ્ય દેશોના લોકો પછાત માણસો માનશે અને આપણે દુર્બળતાઓનો શિકાર થઈને આપણું અસ્તિત્વ જ ખોઈ બેસીસું.

આગામી દિવસોમાં વ્યક્તિગત, સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં વ્યાપેલી અસંખ્ય દુષ્પ્રવૃત્તિઓ વિરુદ્ધ શરૂ કરેલા ધર્મયુદ્ધમાં ભાગ લેવા માટે દરેક માણસને આમંત્રિત કરવો પડશે. એક જમાનામાં તલવાર ચલાવનારા અને માથું કાપનારા લોકો યોદ્ધા કહેવાતા હતા. હવે માપદંડ બદલાઈ ગયો છે. ચારે દિશામાં વ્યાપેલા આતંક અને અનાચાર સામેના સંઘર્ષમાં જે જેટલું સાહસ બતાવશે અને ઘા ખાશે એને એટલો જ બહાદુર માનવામાં આવશે. એ બહાદુરી બતાવ્યા પછી જ શોષણવિહીન સમાજની સ્થાપના શક્ય બનશે. દુર્બુદ્ધિ અને અનીતિ સામે લડવા માટે જે લોકો સમર્થ હશે એમનો જ પુરુષાર્થ પીડિત માનવતાનું રક્ષણ કરીને યશ મેળવી શકશે. ભારતીય સમાજને બેઈમાન અને ગરીબ રહેવા વિવશ બનાવનાર

સર્વનાશી લગ્નોન્માદ રૂપી રાક્ષસ સામે પૂરી શક્તિ સાથે લડવું પડશે. હમણાં પ્રચાર, વિરોધ વગેરે સામાન્ય પગલાં લેવાયાં છે, પરંતુ આગળ જતાં અસહયોગ, સત્યાગ્રહ અને ધેરાવ જેવાં મોટાં પગલાં લઈને આ કુપ્રથાનો ત્યાગ કરવા માટે તથા એને ઘૃણિત અનેદુષ્ટ માનવામાટેવિવશ કરીશું. જેથી લગ્નના નામે પ્રચલિત ઉદ્ધૃતપણાને જીવિત રાખવાનું અશક્ય થઈ જાય. પૂર્ણ સાદાઈ અને ઓછાં ખર્ચાળ લગ્નોનું પ્રચલન થાય ત્યાં સુધી આપણો સંઘર્ષ ચાલતો રહેશે. આપણે ત્યાં સુધી ચેનથી બેસીશું નહિ કે બેસવા દઈશું નહિ કે જ્યાં સુધી આ અનૈતિક તથા અનિચ્છનીય પ્રથાનું દેશમાંથી કાળું મોઢું ન થઈ જાય.

મૃતકભોજનના નામે ધૃણિત ભોજન ખાવાનીનિષ્ઠુરતા, પશુબલીની નૃશંસતા, ઊંચનીચના નામે માનવીના અધિકારોનું અપહરણ, નારીને હલકી માનીને મારઝૂડ કરવાની ક્રૂરતા આપણા સમાજ પર લાગેલાં કલંક છે, જેનું સમર્થન કોઈપણ વિવેકશીલ અને સહૃદયી વ્યક્તિ કરે જ નહીં. મૂઢ પરંપરાઓ અને આ કુરિવાજોને ધાર્મિકતા સાથે જોડી દીધાંછે. આ સ્થિતિ ક્યાં સુધી સહન કરીશું? આ મૂઢતાની વિરુદ્ધ મોરચાથી આગળ વધીને આપણે એવાં સક્રિય પગલાં લેવાં પડશે કે એ ભલે અશાંતિ ઉત્પન્ન કરનારાં કહેવાય, પરંતુ રોકાઈશું ત્યારે કે જયારે માનવતાના મૂળભૂત આધારોનો સ્વીકાર કરનારા બહાદુરો ઝઘડાના ભયનો સામનો કરીને એ અનીતિ સામે દરેક મોરચે ઝઝૂમવા માટે કમર કસી લે. ભલે એ માટે એમને કોઈ ખતરો ઉઠાવવો પડે.

વૈયક્તિક દોષદુર્ગુણો સામે લડવા અને જીવનને સ્વચ્છ, પવિત્ર તથા નિર્મળ બનાવવા માટે જો કુસંસ્કારો સામે લડવું પડે તો એ લડાઈ લડવી જ જોઈએ. પરિવારોમાં થોડા સભ્યોને દાસદાસીની જેમ અને કોઈકને રાજા રાણી જેમ રહેવાને જો પરંપરા માનીને ચાલીએ તો એને બદલીને એવી પરંપરા સ્થાપિત કરવી પડશે કે બધાને ન્યાયયુક્ત અધિકાર, લાભ, શ્રમ તથા સહયોગ કરવાની વ્યવસ્થા રહે. આર્થિક ક્ષેત્રમાં બેઈમાનીને આશ્રય ન મળે. વ્યક્તિગત વ્યવહારમાં છળકપટ અને વિશ્વાસઘાતની કોઈ શક્યતા ન રહે. આવી પરિસ્થિતિઓ પેદા કરવા માટે પ્રબળ લોકમત તૈયાર કરવો પડશે અને અનિચ્છનીય તત્ત્વોનો ઉગ્ર વિરોધ કરીને એટલા સક્રિય બનવું પડશે કે અપરાધ, ઉદંડતા અને ગુંડાગીરી કરવાની હિંમત કોઈથી ન થઈ શકે. હરામની કમાઈખાનારા, ભ્રષ્ટાચારી તથા બેઈમાન લોકોનો એટલો તીવ્ર વિરોધ કરવો પડશે કે જેનાથી તેમને રસ્તા પર ચાલવું અને મોં દેખાડવું મુશ્કેલ થઈ જાય. જ્યાંથી તેઓ નીકળે ત્યાંથી ધિક્કારના અવાજે તેમને સંભળાય, સમાજમાં ઊઠવા બેસવાનું જ બંધ થઈ જાય અને હજામ, ધોબી, દરજી કોઈપણ તેમને સહયોગ આપવા તૈયાર ન થાય.

સાર્વજનિક સંસ્થાઓમાં સ્વાર્થ સાધવા તથા નેતાગીરી કરવા જે ખરાબ આત્માઓ જામી પડ્યા છે એમને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકીદેવા જોઈએ. ધર્મ અને અધ્યાત્મનો અંચળો ઓઢીને જે શિયાળ પોતાના સ્વાર્થ સાધવા તત્પર છે એમની અસલિયત જાહેરમાં ખુલ્લી પાડવામાં આવે જેથી એમને સૌ ધિક્કારે. ભોળા લોકોને અનેક હાથોથી લૂંટાતા બચાવવા તે એક ઊંચી અને શ્રેષ્ઠ સેવા કહેવાય છે. ૮૦ લાખ ભીખ માગનારા જુદા જુદા પ્રકારનો ઢોંગ કરીને જે રીતે ઠગાઈ અને હરામખોરી કરવામાં લાગ્યા રહ્યા છે, તેમને આપણે ક્યાં સુધી સહન કરીશું ? શાસન પ્રદાન કરવા માટે રાજનૈતિક નેતા તથા વિધાયકોને શાસકો તથા અફસરોને એ વિચાર કરવા માટે વિવશ કરવામાં આવે કે એ પોતાના લાભ માટે જ નહીં, પરંતુ લોકમંગલ માટે જ શાસનતંત્રનો ઉપયોગ કરે.

આ રીતે સંધર્ષની બહુમુખી પ્રચંડ પ્રક્રિયા આવતા દિવસોમાં યુગનિર્માણ યોજના શરૂ કરશે. એમનાં સાધનો જેમ જેમ વિકસિત થશે, સંઘશક્તિ જેટલી માત્રામાં વધશે એટલી માત્રામાં એ શાંત, અહિંસક તથા સજ્જનોચિત સાંસ્કૃતિક કાર્યમાં અથાક રીતે જોડાશે. અનૌચિત્ય તથા અન્યાયની સામે લડાનારું આ ધર્મયુદ્ધ ત્યારે જ પૂરું થશે, જ્યારે માનવતાના આદર્શની વિજયપતાકા આખા વિશ્વમાં લહેરાશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: