શ્રીરામ થેલા પુસ્તકાલય
June 26, 2022 Leave a comment
શ્રીરામ થેલા પુસ્તકાલય
અમારી પ્રાથમિક જરૂરિયાત વિચાર ક્રાંતિની છે. જ્ઞાનયજ્ઞ આ યુગનું મોટામાં મોટું પુણ્યકાર્ય છે. આજની પરિસ્થિતિમાં જ્ઞાનદાનથી મોટું કોઈ દાન નથી. જ્ઞાન સાધના જ આજના યુગની મોટામાં મોટી સાધના છે. આજની પરિસ્થિતિમાં એક જ ઉપાય છે, જેથી એ યુગાંતરકારી પ્રબળ પ્રેરણાને દરેક ઘર સુધી, પ્રત્યેક માણસો સુધી પહોંચાડી શકાય છે. તેનો ઉપાય છે- શ્રીરામ થેલા પુસ્તકાલય, વિચારશીલ વ્યક્તિ કે જેના મનમાં દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પ્રતિ દુઃખ (લાગણી) થતી હોય, જે માનવીય આદર્શોને આગળ વધતા જોવામાં ઈચ્છુક હોય, જેમને સુંદર અને સુવ્યવસ્થિત નવયુગ તરફ આકર્ષણ હોય,તેઓ પોતાના થોડા પરિશ્રમનો ઉપયોગ કરી શકે છે, જીવન સાહિત્યને પોતાના થેલામાં રાખે, પોતે વાંચે અને પોતાના દરેક શિક્ષિત સભ્યો દ્વારા શિક્ષણ અપાવે અને અશિક્ષિતોને વાંચી સંભળાવે.
થેલા પુસ્તકાલય અમૃત વહેંચવાનું, જ્ઞાનપ્રકાશ આપવાનું અને કલ્યાણકાર્ય કરવાનું અભિયાન છે. તે અસીમ દાન અને અનુપમ પુણ્ય પરમાર્થ કાર્ય છે. આત્માની ભૂખ અંતઃકરણની તરસ દૂર કરીને આપણે તેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. તે જેટલું કરોડમણ અન્ન દાન અને લાખ મીટર વસ્રદાન કરવાથી પણ મળી શકતું નથી તેટલું સંભવિત છે. પરંતુ શું કરીએ ? કેવી રીતે કરીએ ?
(૧) આજ સુધીમાં પ્રજ્ઞા પુસ્તક માલાની બસો ત્રીસ પોકેટ બુક્સ (પુસ્તકોના સેટ) પ્રકાશિત થઈ ગઈ છે, પરિજનોનું કહેવું છે કે આપ શ્રીરામ થેલા પુસ્તકાલયના ૧૨ સભ્યો (સદસ્યો) બનાવવા માટે પોષ્ટખર્ચ સાથે કુલ ૧૩૦ રૂપિયા મનીઓર્ડર અથવા બેંક ડ્રાફટ દ્વારા યુગ નિર્માણ યોજના, અમદાવાદ ના સરનામે મોકલીને ૧૦૦ પોકેટ બુક્સ અલગ અલગ મંગાવી લેશો.
(૨) એમાંથી જુદા જુદા વિષયોના આઠ-આઠ પુસ્તકોના ૧૨ સેટ બનાવી લેશો.
(૩)એક સદસ્યના(સભ્યના) ૧૨ રૂપિયા લઈને તેમને આઠ પુસ્તકોનો એક સેટ આપી દેશો. એ જ પ્રમાણે ૧૨ સભ્યો બનાવવાના છે. એવો પ્રયત્ન કરો કે બધા સભ્યો પાસે પાસે (નજીકમાં) રહેવાવાળા હોય. એક જ કાર્યાલયના કર્મચારીને અથવા એક જ બજા૨ના દુકાનદારોને અથવા એક જ મહોલ્લાના સભ્યો બનાવવામાં આવે.
(૪) સભ્ય બનાવતી વખતે તેમની પાસેથી ૧૨ રૂપિયા લઈને આઠ પુસ્તકો આપી દો અને તેમને એક માસમાં અવશ્ય વાંચી લેવાની સૂચના આપો. એક મહિના પછી એ સેટ બીજા સેટમાં બદલીને આપવાનું આશ્વાસન પણ તેમને આપો. એ રીતે ૧૨ રૂપિયા ખર્ચ કરીને તેઓ ૧૪૪ રૂપિયાનાં પુસ્તકો એક વર્ષમાં વાંચી શકશે. આ યોજનામાં શરૂઆતમાં કંઈક નાણાંનો ખર્ચ કરવો પડશે, પરંતુ તે ધન સભ્ય (સદસ્ય) બનાવતાં જ પાછું મળી જશે. ગાયત્રી જ્ઞાનપીઠ, પાટીદાર સોસાયટી, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩.
(૫) સભ્યોના દરેક માસે સેટ કેવી રીતે બદલવામાં આવે? એમના માટે આ વિધિ અપનાવી શકાય છે. થેલા પુસ્તકાલય ચલાવવાવાળા વ્યક્તિઓ સ્વયં, દરેક માસે સભ્ય સંખ્યા એકનો સેટ, બીજા સભ્યને, સભ્ય સંખ્યા બીજાનો સેટ ત્રણ નંબરના સભ્યને, સભ્ય સંખ્યા ત્રણનો સેટ, સભ્ય સંખ્યા ચોથાને, એ પ્રમાણે આગળ એકબીજાને આપતાં આપતાં સભ્ય સંખ્યા (નંબર) ૧૨નો સેટ સભ્ય સંખ્યા એક નંબરવાળાને આપીને સેટ બદલી દે.
(૬) કેટલાક માણસો વાંચેલા પુસ્તકો પોતે ખરીદવાની માગણી કરશે. એમના માટે તમારે વધારાનાં પુસ્તકો મંગાવીને પોતાની પાસે રાખવાં જોઈએ. કેટલાંક પુસ્તકો ખોવાઈ જાય છે, તેની કિંમત લઈને તે પુસ્તકની જગ્યાએ જ બીજું પુસ્તક મૂકવું પડશે. એના માટે પણ વધારાનાં પુસ્તકોની વ્યવસ્થા થશે. ઉપર પ્રમાણેની વિધિથી કાર્ય કરવાથી કોઈ ભાઈ અથવા બહેન શ્રી રામ થેલા પુસ્તકાલયના હજારો સભ્ય બનાવી શકશે.
પ્રતિભાવો