આર્થિક સફળતાની ચાવી – આત્મવિશ્વાસ | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

આર્થિક સફળતાની ચાવી – આત્મવિશ્વાસ

જો તમે ધનના વાસ્તવિક સ્વરૂપને સમજી લીધું હોય અને તેનો દુરુપયોગ કરવાથી બચી શકતા હો તો તો એવું કોઈ જ કારણ નથી કે, ઉચિત પ્રયત્ન કરવા છતાં તમો આર્થિક સફળતા પ્રાપ્ત ન કરો.

આપ આર્થિક રીતે સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો, તમારા મનમંદિરમાં સમૃદ્ધિનો વિચાર પ્રવેશવા દો. આવું ક્યારેય ન સમજો કે હું ગરીબ, દરિદ્ર કે ક્ષુદ્ર છું, સંસારમાં જો કોઈ ચીજ સૌથી વધુ નિકૃષ્ટ હોય તો તે છે વિચારોની દરિદ્રતા. જે મનુષ્યના વિચારોમાં દરિદ્રતા પ્રવેશ કરી લે છે, તે રૂપિયા હોવા છતાં ગરીબાઈનાં રોદણાં રડ્યા કરતો હોય છે. દરિદ્રતાના અનિષ્ટકારી વિચારો આપણને સમૃદ્ધિવાન બનાવતાં રોકે છે. આપણને ગરીબ જ બનાવી રાખે છે.

તમે દરિદ્રી ગરીબી અથવા અનાથ અવસ્થામાં રહેવા માટે પૃથ્વી ઉપર નથી જન્મ્યા. તમે ફક્ત એક મૂઠી અનાજ અથવા વસ્ત્ર માટે ગુલામી કરવા જન્મ્યા નથી.

ગરીબ કાયમ ગરીબાઈમાં જ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, તે ઉચ્ચ આકાંક્ષા, ઉત્તમ પવિત્ર કલ્પનાઓ, સ્વાસ્થ્યદાયક સ્ફૂર્તિમય વિચારોનો નાશ કરી નાખે છે. આળસ તથા અવિવેકમાં ડૂબી જાય છે. હ્રદયને સંકુચિત, ક્ષુદ્ર, પ્રેમવિહીન તથા નિરાશ બનાવી લે છે. સીમિત દરિદ્રતા આવી જવાના કારણે, પ્રગતિ અટકી પડે છે. મનુષ્ય ઋણથી કાયમ માટે દબાઈ જાય છે. તેને પોતાના ગૌરવ તથા સ્વાભિમાનને ટકાવવું પણ મુશ્કેલ બની જાય છે. દરિદ્રી સ્વભાવવાળી વ્યકિતઓ કસમયે વૃદ્ધ બની જતી હોય છે. જે બાળકો ગરીબ ઘરમાં જન્મતાં હોય છે, તેમના સૂક્ષ્મ માનસ પર માનસિક ગરીબાઈની ગાંઠ પડી જતી હોય છે, પરિણામે તેઓ જીવનમાં ક્યારેય ઉચ્ચતા અથવા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકતાં નથી. દરિદ્રતા, હસતા કિલકિલાટ ચહેરાઓને કમળની જેમ કરમાવી નાંખે છે. સર્વોત્કૃષ્ટ ઇચ્છાઓનો નાશ થઈ જાય છે. આવી અસહ્ય માનસિક દરિદ્રતા માણસને પીસી નાખતી હોય છે. સેંકડો મનુષ્યો આ ક્ષુદ્રતાની ઊંડી ખાઈમાં ડૂબેલા હોય છે.

આર્થિક સફળતા માટે પણ એક માનસિક સ્થિતિ, યોગ્યતા તથા પ્રયત્નશીલતાની જરૂર હોય છે. લક્ષ્મીનું આહ્વાન કરવા માટે પણ માનસિક દૃષ્ટિએ પણ તમારે કંઈક પૂજાનો સામાન એકત્રિત કરવો પડતો હોય છે.

દીપાવલીના પર્વ પર આપણે ઘર લીપી ગૂંપીને, ધોળાવીને, વાળી – ઝૂડીને સાફસૂફ કરીએ છીએ તથા સજાવીએ છીએ. નવી નવી કલાત્મક વસ્તુઓથી ઘરને શણગારીએ છીએ. શરીરને સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી સજાવીએ છીએ. બસ આજ રીતે માનસિક પૂજા પણ કરતા રહો અર્થાત્ મનના ખૂણે ખૂણામાંથી દરિદ્રતા, ગરીબી, પરવશતા, ક્ષુદ્રતા, સંકુચિતતા, ઋણનાં જાળાં, વગેરેને વિવેકના ઝાડુથી સાફ કરી નાખો માનસિક પટલને આશાવાદિતાના ચૂનાથી ધોળી નાખો. માનસિક ઘરમાં આનંદ, આશા, ઉત્સાહ, પ્રસન્નતા, હાસ્ય, ઉલ્લાસ, ખુશમિજાજ વગેરેનાં મનોરમ ચિત્રો લગાવી દો. પછી શ્રમ તથા કરકસરના નિયમો મુજબ લક્ષ્મી દેવીની સાધના કરો. આર્થિક સફળતા તમારી થઈને રહેશે. આ વિદ્યા બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે જે આપણને દરિદ્ર તથા નિકૃષ્ટ વિચારોમાંથી મનને કેમ સાફ કરવું તે શીખવે છે.

પરમપિતા પરમાત્માની એવી ઇચ્છા ક્યારેય નથી કે આપણે આર્થિક રીતે બીજાઓના ગુલામ બની રહીએ. ભગવાને આપણને વિવેક આપ્યો છે, જેને અપનાવીને આપણે ઉચિત – અનુચિત ખર્ચનો ભેદ સમજી શકીએ. કામવાસના અને નશીલા પદાર્થોમાંથી મુક્ત થઈ શકીએ. આપણા અનુચિત ખર્ચ, ભોગ – વિલાસ તથા ફેશનમાં કાપ મૂકી શકીએ. ઘરમાં થતો વિવિધ પ્રકારનો બગાડ અટકાવી શકીએ છીએ. આપણી આવકમાં વધારો કરવો એ આપણા હાથની વાત છે, જેટલો આપણે પરિશ્રમ કરીશું. યોગ્યતાઓને વધારીશું, આપણી વિદ્યામાં સર્વોત્કૃષ્ટતા, માન્યતા, નિપુણતા વગેરે પ્રાપ્ત કરીએ, તેટલી જ ગતિથી આપણે આપણી આવક પણ વધારી શકીશું. દરેકને પોતાની યોગ્યતા અને નિપુણતા પ્રમાણે ધન પ્રાપ્ત થતું હોય છે. પછી શા માટે આપણે આપણી યોગ્યતા ન વધારીએ અને આપણી જાતને દરેક રીતે યોગ્ય સાબિત ન કરીએ ?

શ્રી ઓરિસન માર્ડનને પોતાના પુસ્તક ‘શાંતિ, શક્તિ તથા સમૃદ્ધિ’ માં ઘણાં બધાં જરૂરી તત્ત્વો તરફ ધ્યાન આકર્ષિત કરતાં લખ્યું છે કે – “દુનિયાના ગરીબ લોકોની ગરીબીનું કારણ શોધીએ તો જણાશે કે એમનામાં એ આત્મવિશ્વાસ નથી, એ શ્રદ્ધા નથી કે જેનાથી તેઓ છુટકારો મેળવી શકે.” હું ગરીબોને બતાવવા માગું છું કે તેઓ આવી કઠોર સ્થિતિમાંથી પણ પોતે પોતાની જાતને ઉન્નત બન્યા છે, ધનવાન બન્યા છે અને એથી જ તો હું કહું છું કે આ ગરીબો માટે પણ ઉજવળ આશાએ જ તેઓ ઉગ્ર પરિસ્થિતિને બદલી શકે છે. સંસારમાં આત્મવિશ્વાસ જ એક એવી ચાવી છે, જે સફળતાનું તાળું ખોલી શકે છે.

સંસારમાં જેટલા પ્રકારની શ્રેષ્ઠ શક્તિઓ છે તે બધી ઈશ્વરપ્રદત્ત છે. ધનની શક્તિ પણ તેમના દ્વારા જ ઉત્પન્ન કરેલી છે અને તેમણે ‘ લક્ષ્મી ’ સ્વરૂપે તેને સંસારના કલ્યાણાર્થે પ્રેરિત કરી છે. મનુષ્યનું કર્તવ્ય છે કે તેને ભગવાનની પવિત્ર અનામત સમજીને વ્યવહાર કરે. એટલું જ નહિ, તેણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ શક્તિ એવા લોકો પાસે ન જાય, જેઓ તેનો દુરુપયોગ કરીને બીજાઓનું અનિષ્ટ કરતા હોય.

આપણે શરૂઆતથી જ ધનની પ્રશંસા અને બુરાઈ બંને સાંભળતાં આવ્યા છીએ, સંતોએ ‘ કામિની અને કંચન’ને આત્મિક પતનનું કારણ ગણાવ્યું છે. બીજા અનેક સાંસારિક કવિઓ ‘ સર્વે ગુણ: કંચનમાશ્રયત્તિ ‘ નો સિદ્ધાંત સંભળાવ્યા કરે છે. આ બંને વાતો સત્ય છે. જો આપણે ધનમાં આસક્ત બનીને તેને જ ‘ સારવસ્તુ ’ સમજી લઈએ અને તેને મેળવવા માટે પાપ – પુણ્યના ખ્યાલો પણ ભૂલી જઈએ અથવા તેનો દુરુપયોગ કરીએ, તો ચોક્કસપણે તે નર્કનો માર્ગ પકડ્યો કહેવાશે. પણ જો તેને ફક્ત સાંસારિક જરૂરિયાતોની પૂર્તિ માટેનું એક માત્ર સાધન માનીને જરૂરી કામોમાં તેનો ઉપયોગ કરીએ તો તે કલ્યાણકારી પણ બની શકે છે. આથી જ તો આત્મકલ્યાણના ઈચ્છુકોએ તો હંમેશાં ધનની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને તેનો સદુપયોગ જ કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: