૬. નાગરિક કર્તવ્ય પાલન
July 1, 2022 Leave a comment
નાગરિક કર્તવ્ય પાલન
જીવનમાં મોટી-મોટી સફળતાઓ, સંભાવનાઓ, ઉપલબ્ધિઓનો આધાર, આપણી જીવવાની રીત પર નિર્ભર છે. આપણે કેવી રીતે ચાલીએ છીએ, ઉઠીએ છીએ, સાર્વજનિક જીવનની આવશ્યક વાતોનું કેટલું ધ્યાન રાખીએ છીએ એના પર આપણા જીવનનું નિર્માણ થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે આ વ્યાવહારિક બાબતોમાં સફળ થવું આવશ્યક છે. જેઓ પોતાના વ્યવહારમાં આ બાબતોનું ધ્યાન રાખતા નથી, બીજાનાં હિત–અહિતનો વિચાર કરતા નથી, સ્વેચ્છાચાર અપનાવે છે તેઓ સમાજદ્રોહી કહેવાય છે. આ રીતે સમાજદ્રોહીઓની નાની નાની બાબતોથી પણ સમાજનું ઘણું અહિત થાય છે. એમનું પોતાનું અહિત નો નિશ્ચિત જ છે.
સડક પર, સાર્વજનિક રસ્તાઓ પર કેટલાક લોકો એવી રીતે ચાલે છે જાણે સડક એમના માટે જ બનાવી હોય, ક્યારેક વચ્ચે, ક્યારેક જમણી બાજુ, ક્યારેક ડાબી બાજુ આગળ પાછળનો તો વિચાર જ કોણ કરે ? પરંતુ થાય છે એવું કે કોઈ પણ વાહન આવવાથી સમતુલા ગુમાવતાં આમ-તેમ ભાગવા લાગે છે અને ગાડી સાથે અથડાઈ પડે છે. આ રીતે થનારી દુર્ધટનાઓ એક સામાન્ય બાબત બની ગઈ છે. થોડી ભૂલને કારણે જીવથી હાથ ધોવા પડે છે. ગાડી તૂટી-ફૂટી જાય છે. નાનક્ડી ભૂલને કારણે બહુ મોટું નુકસાન થઇ જાય છે. એ જ રીતે ઝડપથી વાહન ચલાવનારા પણ લાપરવાહીમાં કોઇથી પાછા પડે એવા હોતા નથી. તેઓ પોતાની સાયકલ, મોટર, સ્કૂટર, આદિ એવી રીતે ચલાવે છે કે દૂર્ઘટના થવામાં વાર લાગતી નથી.
સાર્વજનિક જીવન પ્રત્યેની ઉપેક્ષા અને અસાવધાનીની બીમારી મનુષ્યનાં પાળેલાં પશુઓમાં, બાળકો સુધ્ધામાં ફેલાઈ ગઈ છે. લોકો દૂધ પીવાની લાલચમાં પશુ પાળે છે પરંતુ એના ખર્ચથી બચવા માટે પશુઓને અકારણ છોડી મૂકે છે અને આ પશુ બજાર, સાર્વજનિક સ્થાન, રસ્તાઓ, સડકો પર સ્વતંત્ર થઈને ધૂમે છે. અનાજના ઢગલા, ખેતર, શાકભાજીની દુકાનોમાં મોં નાખે છે. બાગની હરીયાળી ફૂલો વગેરેનો નાશ કરે છે. પશુની આ સ્થિતિમાં મનુષ્યનો હાથ છે જે સમય આવ્યે તેઓને પકડી દૂધ દોહીને એને પાછાં છોડી મૂકે છે.
આ મામુલી દેખાતી બાબતોમાં – જેનાથી આપણા સમાજ અને રાષ્ટ્રનો નકશો સામે આવે છે – સુધારો કર્યા વિના કામ ચાલે નહીં. આ ગંદી, સ્વેચ્છાચારપૂર્ણ આદતો ભયંકર સાર્વજનિક અપરાધ છે. આપણા સામાજિક સ્વાસ્થ્ય પર એનો કેટલો ખરાબ પ્રભાવ પડે છે એ તો સહજ જ જોઈ શકાય છે. હોસ્પિટલો ઔષધાલયો વધી રહ્યા છે તો રોગી અને બીમારોની સંખ્યા પણ વધતી જાય છે શહેરોમાં રહેનારાઓને તો બીમારીના ઇલાજ માટે પણ ખાવા-પીવાની જેમ જ એક નિશ્ચિત રકમ ખર્ચની યાદીમાં રાખવી પડે છે. આપણી આ ગંદી આદતોને કારણે જ બરાબર સફાઈ થયા પછી પણ શહેરોની સડકો, ગલીઓ, સાર્વજનિક સ્થાનોની કેવી ગંદી હાલત રહે છે એ પ્રત્યેક નગરવાસી જાણે છે. આ ગંદકીમાં રહીને મનુષ્યનાં સ્વાસ્થ્યની કામના કરવી એક વિડંબના છે. સફાઈ માટે સરકાર, નગરપાલિકા કોઈ પણ નિયમ બનાવે, વ્યવસ્થા કરે, પરંતુ આનાથી ત્યાં સુધી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં, જ્યાં સુધી આપણે પોતે જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થા, અને સાર્વજનિક નિયમો પર ધ્યાન દઈએ નહીં, આપણી વિભિન્ન ગંદી આદતો સુધારીને બીજાને પ્રેરણા આપવી એક સામાજિક કર્તવ્ય છે. જનસેવાનું આ એક મહાન પાસુ છે. સાર્વજનિક સડકો, બજાર, સ્ટેશન, પ્લેટફોર્મ, પ્રતીક્ષાલય વગેરેમાં સફાઈ કરનારા દિવસમાં બે ત્રણ વાર વાળે છે, સફાઈ કરે છે. પરંતુ કોઈ પણ સમયે જઈને જોવાથી એ સદૈવ ગંદાં અને ધૃણિત જ હોય છે. આનું મુખ્ય કારણ છે આપણા સાર્વજનિક જીવનમાં સફાઈ, શિષ્ટાચારનો અભાવ સાર્વજનિક સડકો, ગલીઓ, રસ્તાને કિનારે રહેનારા લોકો પોતાના મકાનની છત, બારી વગેરેમાંથી જોયા વિના જ ક્ચરો નાખી દે છે ત્યારે કેટલાક લોકોનું એક અસભ્ય સ્વાગત થઈ જાય છે. એનાથી લોકોનાં કપડાં ખરાબ થાય છે. ઘણી વાર અંદર અંદર ગાળાગાળી લડાઈ-ઝઘડા વગેરેની નોબત વાગી જાય છે. ગંદકી વગેરે નાખવાથી રસ્તે ચાલનારાઓની પરેશાની સાથે જ રસ્તામાં ગંદકી એકઠી થઈ જાય છે અને એ જ ગંદકી ચાલનારના પગ, મોટર, સાયકલ ચાલવાથી હવા દ્વારા ઉડે છે અને ચારે બાજુ ફેલાઇ જાય છે. દુકાનોમાં મૂકેલા ખાધ પદાર્થો પર પણ જામે છે. જેનાથી અનેક બિમારીનો ફેલાવો થાય છે.
ઘણી વાર લોકો કેળાં, સંતરાં, કેરી વગેરે ખાઇને છોતરાં સડક પર, સાર્વજનિક રસ્તા પર નાખી દે છે. એનાથી કેટલાક લોકો લપસી પડીને પોતાના હાથ પગ તોડે છે. ધણાંને તો એવી ઘેરી ચોટ લાગે છે કે જીવનથી જ હાથ ધોઈ નાખવા પડે છે. આ રીતે લોકોમાં એંઠાં પતરાળાં વગેરે સડકો પર ફેંકવાની આદત પડી ગઇ છે. એનાથી ગંદકી ફેલાય છે. વિષમય જીવાણુ, માખી, મચ્છરને આશ્રય મળે છે જે અનેક લોકોનાં સ્વાસ્થ્યનો નાશ કરે છે.
પાન ખાનારા લોકો જ્યારે રસ્તે ચાલતા આજુબાજુ જોયા વિના જ થૂંકની પિચકારી છોડે છે તો આગળ પાછળ ચાલનારા કેટલાકનાં કપડાં ખરાબ થાય છે. એ સાથે જ સડક, સાર્વજનિક સ્થાનોની ફરસ, દીવાલો પર થનારી ગંદકીથી કોઇ પણ સફાઈ પસંદ કરનાર વ્યક્તિનો જીવ બાઈ શકે છે. આ રીતે કફનો ગળફો, થૂંક, નાક, વગેરેની ગંદકી પણ લોકો જ્યાં ત્યાં નાખતાં હિચકાતા નથી.
રેલનો ડબ્બા, સિનેમાહોલ, પ્રતીક્ષાલય, ધર્મશાળાઓ વગેરેમાં મનુષ્યની આ અસામાજિક ગંદી આદતોનાં દૃશ્ય સહજ જ જોઈ શકાય છે. મગફળીનાં છોતરાં, બીડીઓનાં ઠૂંઠાં, માચીસ, સિગરેટનાં ખાલી ખોખાં, એંઠા પડિયા, કોડિયાંઓના ટુકડા, ફળોનાં છોતરાં, બાળકોનાં મળમૂત્ર, થૂંક વગેરેની ગંદકી જયાં ત્યાં ફેલાવી દેવી, એ મનુષ્યની ગંદી અસામાજિક આદતોનો પરિચય આપે છે.
આ રીતે પોતાના ધુમ્રપાન વગેરે વિભિન્ન શોખને લોકો એવી રીતે સ્વતંત્રતાથી પૂરા કરે છે કે તેઓ એ વિચારવાનો પ્રયત્ન કરતા નથી કે એનાથી એમનાં સ્વાસ્થ્ય, રૂચિ પર કેટલો ખરાબ પ્રભાવ પડશે.
આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે પ્રાત:કાળે સડકો, ગલીઓની બંને બાજુ બનેલા ખાળ પર લોકો પોતાનાં બાળકોને શૌચનિવૃત્તિ માટે બેસાડી દે છે. કેટલાંક નાનાં બાળકોને તો ગલી વચ્ચે જ બેસાડી દેવામાં, આવે છે, એટલું જ નહીં સહેજ વહેલી સવારે તો પુખ્ત વયના લોકો પણ ખાળમાં શૌચ કરતા જોવામાં આવે છે. શહેરોની ગંદકીમાં લોકોની આ ખરાબ આદતો જ મુખ્ય છે.
મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા વગેરેને પોતાના પૂજાસ્થળ માનનારા લોકો જ્યારે આ સ્થાનોની આસપાસ જ ટ્ટટી-પેશાબ કરતા જોવા મળે છે ત્યારે એ લોકોની ભક્તિ પર સંદેહ થવા લાગે છે. ભગવાનનાં દર્શન કરનારા દર્શન કરનારા, કલાકો જપ-તપ કરનારા જ્યારે મંદિરોમાં પોતાના પગ વસ્ત્રોના માધ્યમથી ગંદકી લાવે છે, ખૂણેખાંચરે થૂંકે છે, બાળકોને ટ્ટટી-પેશાબ કરવાની છૂટ આપે છે ત્યારે એમની શ્રદ્ધાની ન્યૂનતા સહજ જ પ્રગટ થઈ જાય છે.
પ્રતિભાવો