૯. ધીરજ રાખો ઉતાવળ કરો નહીં.

ધીરજ રાખો ઉતાવળ કરો નહીં.
ધીરજ આપણો સંક્ટ-કાળનો મિત્ર છે. એનાથી આપણને સાત્વના મળે છે. કેટલુંય નુકસાન કે ક્ષતિ થઈ થાય, ધીરજ એને ભુલાવવાનો પ્રયત્ન કરે છે. ધીરજ હોય નહીં તો માનસિક દુર્બળતાને કારણે મન હંમેશાં ભયભીત રહેશે. જ્યારે મનુષ્યના મનમાં શંકા વધી જાય છે, ત્યારે દુખ જતું રહ્યા પછી પણ તેનો આભાસ રહે છે. જે વ્યક્તિ ધીરજવાન હોય છે. તે આત્મસંક્ટ વખતે વિવેકનો નાશ થવા દેતી નથી. એના આત્મબળને કારણે જ એ સમયે પણ શાંતિ મળે છે. બીજા લોકો પણ એનું અનુકરણ કરવા બાધ્ય બને છે. ત્યારે એ સંકટ એટલું વ્યથિત કરતું નથી, જેટલું ધીરજના અભાવમાં કરતું હતું.


ધીરજવાન મનુષ્યના અંત:કરણમાં અત્યંત શાંતિ, ભવિષ્યની સુખદ આશા અને ઉદારતાની પ્રબળતા રહે છે. તે ખરાબ દિવસોના ફેરામાં પડીને ગભરાતો નથી, બલકે એ દિવસોને હસતા જોઇ સહી લેવાની ચેષ્ટ કરતો રહે છે.
એનાથી ઊલટું, જેમના મનમાં ધીરજ હોતી નથી. એના મનમાં આશા નિરાશાના તરંગો ઊઠે છે. જેમ કોઈ રેતીની દિવાલ બન્યા પછી ખસી પડે તેવા તે તરંગો હોય છે. સંકટના સમયે એમની માનસિક વેદના વધી જાય છે અને તેઓ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવામાં સમર્થ બનતા નથી. આવા માણસોની સ્થિતિ બહુ જ ખરાબ થતી જોવામાં આવી છે અને એમાંય કેટલાક અત્યંત દુર્બળ પ્રવૃત્તિના માણસોનું માનસિક સમતુલન તો ત્યાં સુધી બગડી જાય છે કે તેઓ આત્મહત્યા કરી બેસે છે.
સુખપૂર્વક જીવન વ્યતીત કરવા માટે જ નહીં બલકે પોતાના કર્તવ્ય-પાલન માટે પણ કર્મોને સુવ્યવસ્થિત કરવા ધીરજની આવશ્યકતા છે. માની લો કે તમે કોઈ મુકદ્દમામાં ફસાયા છો, પરંતુ એના નિર્ણયમાં વિલંબ થાય છે. એ દરમિયાન કોઈ અધિકારી માણસ એ મુકદ્દમાની તપાસ વખતે તમને ધમકાવે છે, તો એ વખતે તમારું વિચલિત થવું એ જ તમારી હારનું કારણ બની શકે છે. જો તમે એમાં ધીરજથી કામ લેશો તો વિજય પ્રાપ્ત કરી શકશો.
ધીરજને માટે દોષરહિત મનોવૃત્તિ અને પોતાનું કામ ઉચિત હોવાનો વિશ્વાસ હોવો જોઈએ. જો તમારું કામ ન્યાયયુક્ત હોય નહીં તો તમે ગમે તેટલા સાહસથી કામ લેશો તો પણ મનમાં શંકા હેશે અને ધીરજ તમને સાથ આપશે નહીં. એનાથી ઊલટું જો તમે એ સમજો છો કે તમે જે કામ કરી રહ્યા છો, તે ન્યાયયુક્ત હોવા છતાં પણ બગડી રહ્યું છે. તો પણ તમારું મન તો નિર્ભય રહેશે અને તમે તમારા ધૈર્યબળથી સફળતા મેળવી શકશો. એ ભૂલશો નહીં કે સંસારમાં ધન અને પ્રતિષ્ઠા જ સર્વ કાંઈ નથી. ધનવાન તો મૂર્ખ પણ હોય છે અને ઘણી વાર નિમ્ન સ્તરના લોકો પણ ઉંચામાં ઉંચી પ્રતિષ્ઠા મેળવી લે છે, પરંતુ એમનામાંથી જેનામાં અહંકાર જન્મ્યો તે પતિત થઈ જશે. તે અહં જ એને નષ્ટ કરવામાં કારણ બને છે, પછી તો આત્મબળ સાથે રહેતું નથી કે ધૈર્ય રહેતું નથી.
ધીરજવાન પુરુષ એ છે જેને પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે જે વ્યક્તિ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખીને ધૈર્યનું બળ ગ્રહણ કરે છે, તે દુ:ખ આવવા છતાં પણ પ્રસન્ન ચિત્ત રહે છે, કેમકે તે મુશ્કેલીઓથી ગભરાતો નથી.
એક વાર નિર્ણય લઈ લીધા પછી કાર્યને પૂર્ણ કરવામાં લાગ્યા રહો, પાછળ હટો નહીં. મનની નિરાશાને દૂર કરી દો અને વિઘ્નોને દૂર કરવાનો પ્રયત્ન કરો. પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ અને પરમાત્મા ઉપર ભરોસો રાખવાથી નદીમાં પડેલી નૌકા પણ તરી જાય છે.
ધીરજ સમાન મૂલ્યવાન બીજી કોઇ સંપત્તિ મનુષ્યની પાસે નથી. જ્યાં સુધી તે એની પાસે છે ત્યાં સુધી એના વિજયનો અસ્વીકાર કરી શકાય નહીં. આપણું ધૈર્ય શત્રુઓને પણ વિચલિત કરી દે છે અને આપણે સર્વત્ર પ્રશંસાપાત્ર બનીએ છીએ.
ધીરજની ઉપયોગિતા અસીમ છે. એક રાસાયણિક પ્રયોગ છે, એની સિદ્ધિનો સમય ચાર કલાકનો છે અને આપ ઇચ્છો બે કલાકમાં જ સિદ્ધ થઈ જાય તો એ કેવી રીતે બને? એને માટે તો તમારે પ્રયોગકાળમાં ધીરજથી કામ લેવું પડશે. નહીં લેશો તો કંઇ જ થવાનું નથી.
કેટલાક લોકો સમાજમાં પોતાની ખ્યાતિ ઇચ્છે છે, પરંતુ ખ્યાતિ એવું કામ કર્યા વિના મળતી નથી જેમાં કંઇક વિશેષતા હોય. ખ્યાતિ મેળવવા માટે જનસેવાનું કામ કરવું પડશે. એ કાર્યોમાં પરિશ્રમ અને સમય બંનેની જરૂરિયાત રહેશે અને ખ્યાતિ મળવામાં સમય લાગશે એટલા સમય સુધી ધીરજ રાખવી જ પડશે. બધાં કાર્યોનું પરિણામ ધીરજથી જ મળે છે. આમ તો ધીરજ એ કોઈ અલભ્ય વસ્તુ નથી. પોતાના મનને થોડું નિયંત્રિત કરો, એની ચંચળતાને રોકો અને કોઇ પણ કામમાં ઉતાવળ ન કરવાનો નિર્ણય કરી લો. જ્યાં તમે તમારા અસંયમ ઉપર વિજય મેળવી લીધો, ત્યાં જ ધીરજની પ્રાપ્તિ થઇ ગઇ સમજે.
અમારો અભિપ્રાય એવો નથી કે જે કામ જલદી થઈ શકતું હોય તેમાં વાર લગાડવામાં આવે અથવા જે કામ થઈ રહ્યું છે તેમાં ધીરજના બહાને આળસ કરવમાં આવે. જે કાર્ય શીઘ્રતાપૂર્વક થઇ શકે છે તેમાં વિલંબ કરવો એ તો ખરેખર મૂર્ખતા છે.
ધીરજનો મંત્ર એમના માટે લાભદાયક છે, જેમનાં કાર્યોમાં નડતર આવે છે અને તેથી નિરાશ થઇને એમના વિચારો જ બદલી નાખે છે. આ નિરાશા તો માણસ માટે મૃત્યુ સમાન છે. એનાથી જીવનની ધારાનો પ્રવાહ મંદ પડી જાય છે. અને તે કોઇ કામનો રહેતો નથી. જો નિરાશાને છોડીને વિઘ્નોનો ધૈર્યપૂર્વક સામનો કરવામાં આવે તો વિશ્વાસ રાખો કે તમારે અસફળતાનું મુખ ક્યારેય જોવું નહીં પડે.
નિરાશાજનક ભાવોને રોક્યા એ ચોકકસ સંયમનું કાર્ય છે. આપણે જેમ જેમ આપણી શારીરિક, બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરી શકીશું, તેમ તેમ જ આપણામાં ધીરજ રાખવાની શક્તિ પણ વધતી જશે. આ બધી શક્તિઓના સંમિલનથી આપણે ઉચા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ. માની લો કે આપણે કોઈ મોટર ચલાવવાનું જાણીએ છીએ, રસ્તો પણ આપણો જોયેલો છે, પરંતુ આ બધું જ્ઞાન હોવા છતાં ઇચ્છિત સ્થળે પહોંચવામાં જેટલો સમય લાગવાનો છે એમાં કોઈ ઘટાડો કરી શકાય નહીં. આપણે એટલો સમય તો ધીરજનો સહારો લેવો પડશે.
આતુરતા અને અધીરનાની ખરાબી માણસને ખરાબ રીતે પરેશાન કરે છે. પ્રાય: આપણને દરેક વાતમાં ઉતાવળ રહે છે. જે કાર્યમાં જેટલો સમય અને શ્રમ લાગવો જરૂરી છે, એટલો લગાડવા ઇચ્છતા નથી અને રુચિકર આકાંક્ષાની સફળતા તાત્કાલિક મેળવવા ઇચ્છીએ છીએ. વડનું ઝાડ ઉગે ત્યારથી લઈને ફળવા ફૂલવાની સ્થિતિમાં પહોંચે ત્યાં સુધી કેટલોક સમય લે છે, પરંતુ હથેલી ઉપર સરસવને ઉભેલા જોનાર બાળકોને એને માટે ધીરજ ક્યાં ? આ આતુરતાની બીમારી જનસમાજના મગજમાં ખરાબ રીતે પ્રવેશ કરી ગઇ છે અને લોકો એમની આકાંક્ષાની પૂર્તિ માટે એવો માર્ગ શોધે છે જેમાં આવશ્યક પ્રયત્ન કરવો પડે નહીં અને જાદુની જેમ એની મનોકામના તરત જ પૂરી થઈ જાય.
રાજમાર્ગને છોડીને લોકો પગદંડી શોધે છે. પરિણામે કાંટાઓમાં અટવાઈ પડે છે. હથેળી ઉપર સરસવ જામી તો જાય છે, પરંતુ એ સરસવનું તેલ ડબ્બામાં કોઈ ભરી શક્યું નથી. બાજીગર રેતીનો મહેલ બનાવે છે ખરો, એ ઉભો તો કરી શકાય, પરંતુ એમાં નિવાસ કરીને જિંદગી વિતાવવાની ઇચ્છા કોશ પૂરી કરી શકે ? રેતીની દિવાલ કેટલા દિવસ અડગ રહેવાની ?
સુખ-શાંતિના લક્ષ્ય સુધી ધર્મ અને સદાચારના રાજમાર્ગ ઉપર ચાલતાં ચાલતાં જ પહોચી શકાય છે. આ રસ્તો એટલો સીધો છે કે એમાં ટૂંકી રીતોની પગદંડીની ગુંજાશ નથી. આપણા નથ્યદર્શી એવા પ્રાચીન પુરુષોને માનવ જીવનને સફળતા, સમૃદ્ધિ, પ્રગતિ, અને શાંતિથી પરિપૂર્ણ કરી દેનારો જે માર્ગ સૌથી સરળ લાગ્યો, તે રાજમાર્ગનું નામ ધર્મ અને સદાચાર રાખ્યું. આ માર્ગના દરેક માઈલે અધિકાધિક પ્રફુલ્લતાભર્યું વાતાવરણ મળતું જાય છે.
સુખ સમૃદ્ધિને માટે ધીરજપૂર્વક સદાચરણના માર્ગ ઉપર ચાલતા રહેવું અને પોતાનામાં જે દુર્બળતાઓ હોય એમને એક એક કરીને દૂર કરતા જવું એ જ એક સાચી રીત છે. આ સુનિશ્ચિત પધ્ધતિને છોડીને અધીરા લોકો, ધરી જલદીથી અત્યધિક મેળવવાની ચેષ્ટા કરે છે અને જે કંઇ એમની પાસે હતું એને પણ ખોઇ બેસે છે. જલ્દીથી વધુ ધન કમાઈ લેવા અને આર્થિક સ્થિતિ સુધારી લેવાની કામનાથી પ્રેરાઈને લોકો ચોરી કુટિલતા, ઠગાઇ, વિશ્વાસધાત, રુશ્વત જેવા ખોટા માર્ગોને અપનાવે છે. તેઓ વિચારે છે કે સીધા માર્ગે બહુ જલ્દીથી મળતું ધન કેમ માઇ ન લેવું ? એવું લાગે છે કે આજે અધિકાંશ લોકોને આ તર્ક પસંદ પડે છે અને તેઓ કોઈ પણ રીતે જલદીમાં જલદી મનમાન્યું ધન પ્રાપ્ત કરવા માટે ધર્મ અને સદાચારના બધા જ આધારોને તિલાંજલિ આપીને અનીતિની કમાણી કરવામાં લાગી ગયેલા છે. વેપારની બાબતમાં એવું હેવાય છે કે જુઠ અને કુટિલતા વિના તે ચાલી જ શકતો નથી. રુશ્વતખોરી એક સામાન્ય વાત બની ગઇ છે. મજૂર પોતાના કર્તવ્યને પૂરું ન કરીને શ્રમ અને સમયની ચોરી કરે છે. ધર્મના નામે જે પાખંડ અને ઠગવિધા ચાલે છે એનાથી કોણ અપરિચિત છે ? આ દુષ્પ્રવૃત્તિઓના મૂળમાં એ જ ધારણા કામ કરી રહી છે કે સદાચાર નહીં, અનીતિ આપણા માટે અધિક લાભદાયક છે. એનાથી જલદી લાભ થઈ શકે છે.
પરંતુ આ વાત સાચી ક્યાં છે ? અનીતિની પ્રવૃત્તિ વ્યાપક રુપમાં ફેલાઈ જતાં પ્રત્યેક ચોરને પણ અન્ય ચોરો દ્વારા ઠગવામાં અને સતાવવામાં આવે છે. એક વ્યક્તિ દૂધમાં પાણી મેળવીને વધુ પૈસા કમાઈ લે છે, પરંતુ એનું બાળક બીમાર પડે છે ત્યારે એની મામૂલી બીમારીને ખૂબજ મોટી બતાવીને ડોકટર ડરાવે છે અને ઇલાજમાં મનમાન્યા પૈસા વસૂલ કરે છે. એ ડોક્ટરને પણ ચેન ક્યાં છે ? બજારમાં પોતાની પત્ની માટે ધરેણાં ખરીદવા જાય છે ત્યારે અડધું પિતળના મિશ્રણવાળુ સોનું એના હાથમાં આપી દેવાય છે. તે સોની ઇન્કમટેક્ષના અધિકારી દ્વારા નિચોવી લેવાય છે અને પછી ‘એન્ટીકરપ્શન’ વાળા એ અધિકારીનું પણ તેલ કાઢી લે છે. આ સિલસિલો આગળ વધી અંતે અનીતિની દરેક માણી કરનારો ખાલી હાથ રહી જાય છે. ડાકું લગભગ ધણું ધન લૂંટીને લઈ જાય છે, પરંતુ જયાં તેઓ ચોરીનો માલ વેચે છે તેઓ અડધા પૈસા પણ આપતા નથી કારતૂસો અને બંદૂકો ખરીદવામાં, છાના-છપના ખાધ પદાર્થ મંગાવવામાં કેટલા ગણા પૈસા એમને આપવા પડે છે ? આ રીતે વધુ માગણી કરવા છતાં અંતે તેઓ ખાલી હાથે રહી જાય છે અને ગરીબી તથા પરેશાની ના જ પાલવે બંધાઈ રહે છે. કોઈ ચોર ડાકૂના મહેલ-બંગલા બંધાતા ક્યાંય જોયા છે ?
શરીરને બળવાન બનાવવા માટે આહાર વિહારમાં સંયમ રાખવા માટે દિનચર્યા અને શ્રમશીલતા ઉપર ધ્યાન આપવું, બ્રહ્મચર્ય ધારણ કરવું વગેરે આવશ્યક નિયમોનું પાલન કરવાના રાજમાર્ગ પર ચાલવાને બદલે ટોનિક પીવાનો, માંસ-માછલી, ઇંડાં ખાવાની પગદંડી શોધે છે પરંતુ શું કોઈને આ ખોટા રસ્તા ઉપર ચાલતા જઇને સ્વાસ્થય સુધારવાનો અવસર મળે છે ? થોડા સમય માટે આ રીત કોઇક લાભ બતાવી શકે છે, પરંતુ અને જીવનશક્તિનો નાશ કરનારાં આ ટોનિકોથી અનેક બીમારીની ચુંગાલમાં ફસાઈ પડે છે અને અકાળ મૃત્યુ સામે આવીને ઉભું રહે છે.
મનની પ્રસન્નતાને માટે લોકો વિષય-વાસનાઓ પર એવા તૂટી પડે છે જેમ માછલી આટો લગાડેલા કાંટાની અણીને ગળી જાય છે. કહેવાય છે કે નશાબાજી એટલા માટે કરવામાં આવે છે કે મનની પ્રસન્નતા અને સ્ફૂર્તિ વધે. ચા, સિગારેટ, દારૂ, ભાંગ, ગાંજો વગેરે પીનારા પોતાની આદતના સમર્થનમાં આ જ વાત કહે છે. વ્યભિચારી, વેશ્યાગામી અને ધૃણાજનક પદ્ધિતઓથી પોતાનાં જીવન-તથ્યને નિચોવતા રહેતા માણસો પણ પોતાની કુટેવોનું સમર્થન આ આધાર ઉપર કરે છે. સિનેમા, શેતરંજ, પત્તાં વગેરે વ્યસનોના સંદર્ભમાં પદ્મ આવું જ કંઇક કહેવાય છે. બની શકે છે કે તત્કાળ થોડી વાર માટે આ કુટેવો કે વ્યસનોમાં ફસાયેલા લોકોને થોડીક પ્રસન્નતા મળતી હોય પરંતુ ધીમે-ધીમે એમનું ધન, સમય, સ્વાસ્થ્ય અને ચરિત્ર પતન પામતું જાય છે. એમની સ્થિતિ દિવસે ખોખલી થતી જાય છે.
સન્માન મેળવવા માટે લોકો ઉદ્ધત રીતો ઉપયોગમાં લે છે. વિવાહ, લગ્નોમાં કમાણીના મહત્ત્વપૂર્ણ પૈસાની હોળી એટલા માટે કરવામાં આવે છે કે જોનારા એમને અમીર સમજે અને અમીરોને જે સન્માન મળે છે તે એમને પણ મળે. દહેજની હત્યારી કુપ્રથાની પાછળ આર્થિક કમાણીનો ભાવ એટલો હોતો નથી જેટલો પોતાનું નાક ઉંચું કરવાનો હોય છે. વિચારવામાં આવે છે કે જેને જેટલું વધારે દહેજ મળશે તે તેટલો મોટો માણસ ગણાશે. નેતા થવા માટે ચુંટ્વીમાં જીતવા સારુ લોકો કેવાં-કેવાં ઘૃણાસ્પદ ચાલાક કાર્યો ઉપયોગમાં લે છે ? એના મૂળમાં એ જ પ્રવૃત્તિ કામ કરે છે કે લોકોની આંખોમાં અમારું વ્યક્તિત્વ ચમકે. અખબારોમાં નામ છપાવવા માટે લોકો આતુર રહે છે. વિચારવા જેવી વાત છે કે આવાં ચાલાક કાર્યોથી કોઇને સ્થાયી કીર્તિ મળવાની છે ખરી ? અંદરની મહાનના વધાર્યા વિના શું કોઈ વ્યક્તિ ક્યારેય સ્થાયી સંમાનની અધિકારી બની શકી છે ખરી ?
કોપી કરીને અથવા બીજી કોઈ રીત અપનાવીને કેટલાય લોકો પરીક્ષામાં પાસ થઈ જાય છે, પરંતુ એમને વિધાથી પ્રાપ્ત થનારી યોગ્યતા ક્યાં મળે છે ? સ્ત્રીઓ, બાળકો અને કર્મચારીઓને ડરાવી ધમકાવીને અથવા એમની મજબુરીઓનો લાભ ઉઠાવીને એમને પરવશ બનાવી શકાય છે, પરંતુ આત્મત્યાગ વિના, સાચા પ્રેમ વિના અને સૌજન્ય વિના હૃદયને જીતવું કેવી રીતે શક્ય બને ? અનુચિત સહાય વડે કેટલાક લોકો ઊંચાં પદો ઉપર જઈ પહોંચે છે, પરંતુ એ પદની શોભા અને સફળતા એ કુપાત્રો દ્વારા ક્યાં થઇ શકે છે ? સત્પાત્રતાનું જ સદા મહત્ત્વ રહ્યું છે અને આગળ પણ રહેશે. છળકપટના આધાર પર મળેલી સફળતાઓ કેટલા દિવસ ટકે છે અને એમનાથી ક્યું પ્રયોજન સિદ્ધ થાય છે ?
આત્મકલ્યાણ માટે, સ્વર્ગ અને મુક્તિને માટે એ અનિવાર્ય છે કે આપણે આપણા કુવિચારો અને કુર્મોને સમાપ્ત કરીએ. સદયતા, પ્રેમ, સેવા અને ઉદારતાની ભાવનાઓનો વિકાસ કરીએ, પરંતુ સસ્તી પધ્ધતિઓ અપનાવનાર આ ઝંઝટમાં ન પડી કોઈ તીર્થયાત્રા, દેવદર્શન, બ્રહ્મભોજન તથા કથા-વાર્તા કે એવાં જ કોઈ નાનાં-મોટાં કર્મકાંડોને પર્યાપ્ત માની ભેસે છે. એમની એ આત્મ-વંચના ક્યારેય સાર્થક થઈ શકશે કે કેમ એ માટે પૂરેપૂરો સંદેહ છે. મુક્તિનો સીધો રસ્તો છે. વાસનાઓ અને તૃષ્ણાઓના બંધનમાંથી છુટકારો મેળવવો આત્મ-ચિંતન, આત્મ-મનન, આત્મ-નિરીક્ષા, આત્મ-સુધાર, આત્મ-નિર્માણ, અને આત્મ-વિકાસની સીડીઓ ચડયા વિના જ કોઈનાથી આત્મકલ્યાાના લક્ષ્ય સુધી પહોંચવું સંભવ છે ? પરંતુ ઉતાવળા લોકો થોડીક પૂજા, પાઠ, દર્શન, દાન-દક્ષિણા માત્રનો સસ્તો આધાર લઈને જલ્દીથી સ્વર્ગમુક્તિ પ્રાપ્ત કરી લેવા ઇચ્છે છે. એ બિચારાઓના હાથમાં કશું આવતું હશે ખરું ?
ઉન્નતિ અને સફળતાને માટે દરેક વ્યક્તિ ખરાબ રીતે આતુર રહે છે અને રૂચિકર માત્રામાં ઇચ્છિત સફળતા તરત મળતી નથી તો અત્યંત નિરાશ થઈ જાય છે. લોકો અનેક કામો શરૂ કરે છે અને સફળતામાં વાર લાગતી નથી એને છોડી બેસે છે અને ફરી નવું કામ શરૂ કરે છે. આ રીતે એમના ધન, સમય અને શ્રમનો નાશ કરે છે. આતુર લોકોમાં આરંભિક જોશ બહુ જ હોય છે, પરંતુ તેઓ નિરાશ પણ એટલા જ જલદી થઈ જાય છે. જંતર-મંતરની, સાધુ-સંતોના આશીર્વાદની, દેવતાઓના વરદાનની પણ આવા લોકો બહુ તલાશ કરે છે જેથી જલદીમાં જલદી એમનો મનોરથ પૂરો થઈ જાય.
આપણે જાણવું જોઇએ કે પ્રત્યેક વસ્તુ સમયસાધ્ય છે અને શ્રમસાધ્ય પણ. કોઈ માર્ગ એવો નથી જેમાં નડતરો અને અડચણો હોય નહીં. એમને હટાવવા માટે પ્રયત્ન પણ કરવો પડે છે અને ધૈર્યપૂર્વક પ્રતીક્ષા પણ આજે નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે પરિશ્રમી અને પુરુષાર્થી માણસને સફળતા મળે છે, જો ન પણ મળે તો એની પ્રતિભા અને ક્ષમતા વધતી રહે છે. પ્રયત્નશીલતાથી, પુરુષાર્થથી, સતત પ્રયત્નથી વ્યક્તિત્વ નિખરે છે અને એના આધારે પ્રગતિની ઉંચી મંજિલ પર ચડી શક્યું સંભવ બની જાય છે.
આપણે ધીરજ અને દુરદર્શિતા અપનાવવાં જોઇએ. સફળતા અને પ્રગતિના માર્ગ પર આગળ વધતાં એ ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણું પૂરું ધ્યાન આપણા પુરુષાર્થ ઉપર રહે. ફળ ક્યારે મળશે ? કેટલું મળશે ? કેવું મળશે ? એ કંઈ નક્કી નથી. એ બધુ પરિસ્થિતિ ઉપર નિંર્ભર છે. નાના કામમાં પણ વાર લાગી શકે છે અને સંજોગોવશાત્ મોટાં કામ જલદી પણ થઇ શકે છે. મનુષ્યના હાથમાં ઇશ્વરે પ્રયત્ન જ આપ્યો છે અને ફ્ળનું વિધાન પોતાના હાથમાં રાખ્યું છે. આપણે આપણું કામ કરવું જોઇએ. ઇશ્વરના કામ ઉપર આપણે કબજો ન જમાવીએ અને આપણા કર્તવ્યનું પાલન કરતા રહી ઉચિત માર્ગે ચાલતા રહેવુ જ આપણા માટે શ્રેયકર છે. ઉતાવળમાં લાભનો કંઈ નથી થતો ઉલટું સફળતાનું લક્ષ્ય દૂર હે છે. સાથે જ એવાં વિપરિત કામો પણ આવી પડે છે જે અસફળનાથી પણ વધુ કષ્ટદાયક પરિણામ ઉત્પન્ન કરનાર સિદ્ધ થાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: