૩૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૯/૧૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૯/૧૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઘૃતવ્રતો ધનદાઃ સોમવૃદ્ધઃ સ હિ વામસ્ય વસુનઃ પુરુક્ષુઃ । સ જગ્મિરે પથ્યા રાયો અસ્મિન્ત્સમુદ્રે ન સિન્ધવો યાદમાનાઃ ॥ (ઋગ્વેદ ૯/૧૯/૫)

ભાવાર્થ : સમુદ્રને કોઈ કામના હોતી નથી, છતાં અનેક નદીઓ તેમાં સમાઈ જાય છે. આ રીતે ઉદ્યમી પુરુષની સેવામાં લક્ષ્મી હંમેશાં હાજર હોય છે. એટલે કે જે ઉદ્યમ કરે છે, પુરષાર્થ કરે છે તેનેં ક્યારેય ધનનો અભાવ સતાવતો નથી.

સંદેશ : “સેવા પરમો ધર્મઃ” બીજાની સેવા કરવી એ સંસારમાં સૌથી પુનિત અને પવિત્ર કાર્ય છે. સામૂહિકતાની ભાવના ધર્મનું એક મુખ્ય અંગ છે. સાથે મળીને કામ કરવાથી અને એકબીજાને મદદ કરવાના સ્વભાવને લીધે જ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વ્યાપાર, શિલ્પ વગેરે અનેક ક્ષેત્રોમાં માનવી પ્રગતિનાં ઉચ્ચતમ સોપાનો સુધી પહોંચ્યો છે. સમાજના ઉત્થાનનાં કામો માટે આપણી ક્ષમતા અને પ્રતિભાને વા૫૨વી, દીન, દુ:ખી, રોગી તથા લાચાર લોકોને મદદ કરવી, સત્કાર્યો અને સત્પ્રયાસોમાં જોડાયેલી સમાજસેવી સંસ્થાઓને દાન આપવું એ આપણો ધર્મ છે.

લોકોમાં એવો ભ્રમ છે કે દાન આપવામાં તેમને આર્થિક નુકસાન થાય છે, પણ સાચું તો એ છે કે બીજાની ભલાઈમાં ધન વાપરવાથી, તે અનેકગણું થઈને આપણને પાછું મળી જાય છે. “સો હાથોથી કમાઓ ઔર હજાર હાથે વહેંચો” આ શાસ્ત્રોનું સૂચન છે. બીજાને સહાયતા કરનારા દીનદુ:ખી રહેતા નથી. એ તો ભગવાનના ખેતરમાં બી વાવવા સમાન છે. એક દાણામાંથી હજાર દાણા થાય છે. માનવીએ ઉદ્યમ અને પુરુષાર્થમાં ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહિ. મહેનત અને ઈમાનદારીથી વધુમાં વધુ કમાઓ અને પોતાની બ્રાહ્મણોચિત જરૂરિયાતો પૂરી કર્યા પછી વધે તેને પરોપકારમાં વાપરો.

સમુદ્ર પાસે અગાધ જળરાશિ છે, પણ તે પોતાના ઉપયોગમાં લેતો નથી. સૂર્યના સહકારથી વરાળ બનાવીને વાદળોને આપી દે છે અને તે વાદળો બધે જઈને સંસારની તરસ છિપાવે છે. સમુદ્રને કોઈ ઇચ્છા હોતી નથી, કોઈ કામના નથી. તેને ક્યારેય જળની કમી પડે છે? ના, અનેક નદીઓ સતત તેને જળથી ભરતી રહે છે. આ રીતે જ પુરુષાર્થ અને પરોપકારમાં જોડાયેલ માણસને ક્યારેય ધનની ખોટ રહેતી નથી. જ્યારે પરોપકારની મહત્ત્વાકાંક્ષા મનમાં જાગૃત થાય છે ત્યારે પોતાનું જીવન ઉન્નત બને છે, દીનતા નાશ પામે છે, દુઃખ દૂર ભાગે છે, શરીરમાં નવા સામર્થ્યનો સંચાર થાય છે, બુદ્ધિમાં નવું તેજ આવે છે, મનની ચંચળતા દૂર થાય છે, શારીરિક કષ્ટ સહન કરવાની ક્ષમતા વધે છે અને દરેક રીતે ઉત્કર્ષનો માર્ગ મોકળો થાય છે. પોતાની પ્રતિભા અને ક્ષમતાનો ઉપયોગ જ્યારે પરમાર્થનાં કાર્યો માટે કરવામાં આવે છે ત્યારે પરમાત્માની સહાય અને અનેક વરદાન આપોઆપ મળવા લાગે છે. એટલું જ નહિ, બીજા માણસોનો સહકાર પણ સરળતાથી મળવા લાગે છે. આત્મોન્નતિના માર્ગની મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જાય છે અને જીવનલક્ષ્ય સુધી પહોંચવામાં સરળતા થાય છે.

વિદ્વાનો અને બ્રાહ્મણોએ સફળતાના આ રાજમાર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: