૧૧. સમયનો સદુપયોગ

સમયનો સદુપયોગ
જીવનનો મહેલ સમયની કલાક-મિનિટોની ઈંટોથી ચણવામાં આવ્યો છે. જો આપણને જીવન વહાલું હોય તો સમય વ્યર્થ નષ્ટ કરીએ નહીં એ જ ઉચિત છે. મરણ સમયે એક વિચારશીલ વ્યક્તિએ પોતાના જીવનને વ્યર્થ જવાનો અફસોસ પ્રગટ કરતા કહ્યું, “મેં સમય નષ્ટ કર્યો, હવે સમય મારો નાશ કરી રહ્યો છે.”


ગુમાવેલી સંપત્તિ ફરી કમાઇ શકાય છે. ભૂલાયેલી વિધા ફરી યાદ કરી શકાય છે. ગુમાવેલું સ્વાસ્થ્ય ચિકિત્સા દ્વારા પાછું મેળવી શકાય છે, પરંતુ ગુમાવેલો સમય કોઈ રીતે પાછો આવતો નથી. એ માટે કેવળ પશ્ચાત્તાપ જ શેષ રહી જાય છે.
જે રીતે ધનના બદલામાં ઇચ્છિત વસ્તુ ખરીદી શકાય છે એ જ રીતે સમયના બદલામાં પણ વિધા, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, આરોગ્ય, સુખ શાંતિ, મુક્તિ વગેરે જે રુચિ લાગે તે ખરીદી શકાય છે. ઈશ્વરે સમયરૂપી અમાપ ધન આપીને મનુષ્યને પૃથ્વી પર મોકલ્યો છે અને નિર્દેશ કર્યો છે કે એ એને બદલે સંસારની જે વસ્તુ રુચિકર લાગે તે ખરીદી લે.
પરંતુ કેટલા લોકો છે જે સમયનું મુલ્ય સમજે છે અને એનો સદુપયોગ કરે છે ? મોટાભાગના લોકો આળસ અને પ્રમાદમાં પડયા પડયા જીવનની બહુમુલ્ય ક્ષોને એમ જ નુકસાન કરતા રહે છે. એક એક દિવસ કરીને આખું આયુષ્ય વીતી જાય છે અને અંતિમ સમયે તેઓ જુએ છે કે એમણે કંઈ જ પ્રાપ્ત કર્યું નથી. જીંદગીના દિવસો એમ જ વિતાવી દીધા. એનાથી ઉલટું જેઓ જાણે છે કે સમયનું નામ જ જીવન છે તેઓ એક-એક ક્ષણને મતી મોતીની જેમ ખર્ચ કરે છે અને એના બદલામાં ઘણું ઘણું પ્રાપ્ત કરી લે છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિએ બુદ્ધિમત્તાનું સૌથી મોટું પ્રમાણ એ જ આપ્યું છે કે જીવનની ક્ષણોને વ્યર્થ નુકસાન થવા દીધી નથી. પોતાની સમજ પ્રમાણે સારામાં સારી રીતે ઉપયોગ થઈ શકતો હતો એમાં જ સમય લગાવ્યો. એમનો આ કાર્યક્રમ ખરેખર એમને આ સ્થિત સુધી પહોંચાડી શક્યો, જેના પર એમનો આત્મા સંતોષ અનુભવે.
પ્રતિદિન એક કલાકનો સમય જો મનુષ્ય નિત્ય લગાવે તો એટલા થોડા સમયમાં પણ એ થોડા જ દિવસોમાં મોટાં મહત્વપૂર્ણ કાર્યો પૂરાં કરી શકે છે. એક કલાકમાં ચાલીસ પાનાં વાંચી શકાય છે. આ ક્રમ દસ વર્ષ ચાલે તો દોઢ લાખ પાનાં વાંચી શકાય. આટલાં પાનામાં કેટલાક ગ્રંથ થઈ શકે છે. જો એ કોઈ એક જ વિષયનાં હોય તો એ વ્યક્તિ એ વિષયનો વિશેષજ્ઞ બની શકે છે. એક કલાક રોજ કોઈ વ્યક્તિ વિદેશી ભાષા શીખવામાં લગાવે તો એ ત્રીસ વર્ષમાં સંસારની બધી ભાષાઓનો જ્ઞાના બની શકે છે. એક કલાક રોજ વ્યાયામમાં કોઇ વ્યક્તિ લગાવે તો પોતામાં આયુષ્યનાં પંદર વર્ષ વધારી શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા પ્રખ્યાત ગણિતાચાર્ય ચાર્લ્સ ફાસ્ટે રોજ એક કલાક ગણિત શીખવાનો નિયમ બનાવ્યો હતો. આ નિયમ પર અંત સુધી લાગ્યા હીને જ એટલી પ્રવીણતા પ્રાપ્ત કરી.
ઇશ્વરચંદ્ર વિધાસાગર સમયના બહુ ચોક્કસ હતા જ્યારે તેઓ કોલેજ જતા ત્યારે રસ્તા પરના દુકાનદારો પોતાનાં ઘડિયાળ એમને જોઈને મેળવતા હતા. તેઓ જાણતા હતા કે વિધાસાગર કદી એક મીનીટ પણ મોડા કે વહેલા હોતા નથી.
એક વિદ્વાને પોતાના દરવાજા પર લખ્યું હતું, “કૃપયા નકામા બેસી ન રહો. અહીં આવવાની કૃપા કરી છે તો મારા કામમાં થોડી મદદ પણ કરો” સાધારણ મનુષ્ય જે સમય બેકાર વાતોમાં ખર્ચતા હે છે એને વિવેકશીલ લોકો પોતાના ઉપયોગી કાર્યમાં લગાવે છે. આ આદત છે જે સામાન્ય શ્રેણીની વ્યક્તિઓને પણ સફળતાના ઉચ્ચ શિખર પર પહોંચાડી દે છે. માજાર્ટે દરેક ક્ષણ ઉપયોગી કાર્યમાં લગાવી રાખવાનો પોતાનો જીવનનો આદર્શ બનાવી રાખ્યો. રક્યૂમ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ એમણે મોત સાથે લડતાં લડતાં પૂરો કાર્યો.
બ્રિટીશ કોમનવેલ્થ અને પ્રોટેક્ટરના મંત્રીનું અત્યધિક વ્યસ્ત ઉત્તરદાયિત્ત્વ વહન કરતાં કરતાં મિલ્ટને “પેરેડાઈઝ લૉસ્ટ” ની રચના કરી. રાજકાજમાંથી એને બહુ થોડો સમય મળતો હતો. તો પણ જેટલી મિનિટ એ બચાવી શકતો એમાં જ એ કાવ્યની રચના કરી લેતો. ઇસ્ટ ઇંડિયા હાઉસની ક્લાર્કની નોકરી કરતા જઈને જોન સ્ટુઅર્ટ મિલે પોતાના સર્વોત્તમ ગ્રંથોની રચના કરી. ગેલેલિયો દવાદારુ વેંચવાનો ધંધો કરતો હતો. તો પણ એણે થોડો થોડો સમય બચાવીને વિજ્ઞાનની મહત્વપૂર્ણ શોધો કરી.
હેનરી કિરક વ્હાઈટને સમયનો બહુ અભાવ રહેતો હતો, પણ ઘેરથી ઓફિસ સુધી ચાલીને આવવા જવાના સમયનો સદુપયોગ કરીને એમણે ગ્રીક ભાષા શીખી. ફૌજી ડોક્ટર બરનેનો સમય ઘોડાની પીઠ પર વીતતો હતો. એમણે એ સમયને વ્યર્થ ન જવા દીધો અને રસ્તો પસાર કરતાં કરતાં ઈટાલીયન અને ફ્રેંચ ભાષા શીખી લીધી. એ યાદ રાખવાનું છે કે પરમાત્મા એક સમયે એક જ ક્ષણ આપણને આપે છે અને બીજી ક્ષણ આપતા પહેલા પહેલાંની ક્ષણ છીનવી લે છે. જે વર્તમાન કાળમાં ઉપલબ્ધ ક્ષણોનો આપણે સદુપયોગ કરીએ નહીં તો એ એક-એક કરીને આપણી પાસેથી છીનવાની જશે અને અંતે ખાલી હાથ જ રહેવું પડશે.
એડવર્ડ બટલર લિટને પોતાના એક મિત્રને ક્યું હતું કે લોકોને આશ્ચર્ય થાય છે કે તેઓ રાજનીતિ તથા પાર્લામેન્ટના કાર્યક્રમોમાં વ્યસ્ત સ્ત્રીને પણ આટલું સાહિત્યિક કાર્ય કેવી રીતે કરી લે છે ? આ ગ્રંથોની રચના તેમણે કેવી રીતે કરી ? પણ એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી આ નિયમિત દિનચર્ચાનો ચમત્કાર છે. તેમણે રોજ ત્રણ કલાકનો સમય વાંચવા અને લખવા માટે નિયત કરેલો હતો. આટલો સમય રોજ તેઓ કોઇને કોઇ રીતે તેમના સાહિત્યિક કાર્યો માટે કાઢી લેતા હતા. બસ થોડા જ નિયમિત સમયમાં જ તેમને હજારો પુસ્તક વાંચી નાખવાનો અને સાઠ ગ્રંથોના સર્જનનો અવસર મળી ગયો હતો.
ધર ગૃહસ્થીની અનેક મુશ્કેલીઓ અને બાલબચ્ચાંઓની સારસંભાળમાં આખો દિવસ વ્યસ્ત રહેનારી મહિલા હેરેટ બીચર સ્ટોવે ગુલામપ્રથા વિરુદ્ધ આગ ઓક્નારું એ પુસ્તક “ટોમ કાકાની ઝુંપડી” લખીને પ્રકાશિત કરી, જેની પ્રસંશા આજે પણ બેજોડ રચનાઓમાં કરવામાં આવે છે.
ચા બનાવવા માટે પાણી ઉકાળવામાં જેટલો સમય જાય છે એમાં વ્યર્થ બેસી રહેવાને બદલે લોંગ ફ્લોએ “ઇનફરલો નામના ગ્રંથનો અનુવાદ કરવાનું શરૂ કર્યું અને દરરોજ આટલા થોડા સમયનો ઉપયોગ આ કાર્યમાં કરતા રહેવાથી એણે થોડા જ દિવસોમાં એ અનુવાદ પૂરો કર્યો.
આ પ્રકારનાં અનેક ઉદાહરણ આપણી ચારેબાજુ ફેલાયેલાં જોવા મળે છે. દરેક ઉન્નતશીલ અને બુદ્ધિમાન મનુષ્યની મૂળભૂત વિશેષતાઓમાં એક વિશેષતા અવશ્ય મળશે. સમયનો સદુપયોગ જેણે આ તથ્યને સમજવું અને અમલમાં ઉતાર્યું એમણે જ અહીં આવીને કંઇક પ્રાપ્ત કર્યું છે, અન્યથા તુચ્છ કાર્યોમાં આળસ અને ઉપેક્ષા સાથે દિવસ વિતાવનારા લોકો તો કોઇ રીતે જીવન તો પૂરું કરી લે છે પણ એ લાભથી વંચિત જ રહી જાય છે જે માનવજીવન જેવી બહુમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થવાથી ઉપલબ્ધ થવો જોઇએ અથવા થઈ શક્યો હતો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: