૧૪ શ્રમ અને મનોયોગ

શ્રમ અને મનોયોગ : ધનનું મહત્વ એટલે માનવામાં આવે છે કે એના માધ્યમથી આનંદમય પરિસ્થિતિ પ્રાપ્ત કરવામાં સુવિધા થાય છે. ધનનું ઉત્પાદન પ્રત્યક્ષત: ખેતી, કારખાનાં અને બજારોમાં થાય છે. પણ મૂળ તો એ મનુષ્યના સમય અને શ્રમની કીમત છે. ભગવાને શ્રમ કરવા યોગ્ય શરીર અને સમયનો સદુપયોગ કરવા યોગ્ય મગજ આપીને ધનવાન બનવાની અને સુવિધાપૂર્ણ જીવન વિતાવવાની બધી સંભાવનાઓ પહેલેથી આપી દીધી છે.


સાપ, હાથી, કાચબો, કાગડો, વગેરે દસ-વીસ પ્રાણીઓને છોડીને મનુષ્ય સૌથી દીર્ઘજીવી છે. સાધારણ રીતે સો વર્ષનું એનું મધ્યમ આયુષ્ય માનવામાં આવે છે પણ એમ તો અપવાદ રૂપે એનાથી દોઢા બમણા આયુષ્યવાળા હજારો દીર્ઘજીવી આજે પણ સંસારમાં હયાત છે. ઈરાનમાં ફાજા રાજી પણ ૧૯૧ વર્ષનો મૌજૂદ છે. આટલી મોટી વય સાથે જ દૈવી ઉપહારની જેમ એને શ્રમ કરવાની અદ્ભૂત ક્ષમતા મળી છે. આઠ કલાક કામ કરવું પડે તો બીજાં પ્રાણી સાવ થાકી જાય છે, પરંતુ મનુષ્ય આજીવિકા કમાવા માટે આઠ કલાક આપ્યા પછી પણ બાકીના આઠેક કલાક પોતાનાં અન્ય વ્યક્તિગત કામોમાં લગાવે છે. સુવા, આરામ કરવામાં એ આઠ કલાક કોઇ ભાગ્યવાનને મુશ્કેલીથી મળે છે. આમ ૨૪ કલાકમાંથી આ આરામના આઠ કલાક કાઢીને, મનુષ્ય સોળ કલાક કામ કરી શકે છે, કરે પણ છે. આ રીતે અન્ય પ્રાણીઓની તુલનામાં બમણો શ્રમ કરવા માટે એને શરીર મળ્યું છે. આવું શરીર સૃષ્ટિમાં અન્ય કોઈ પ્રાણીને ઉપલબ્ધ નથી.
મન-મગજના ચમત્કારી સંસ્થાનના મહિમાનું વર્ણન તો કેવી રીતે કરી શકાય ? એની રચના એવી બુદ્ધિમત્તા સાથે થઈ છે કે જે તરફ મનોયોગ કરવામાં આવે એ તરફ ચમત્કાર ઉત્પન્ન થવા લાગે છે. સંસારમાં અનેક વિચિત્રતાઓ, વિલક્ષણતાઓ અને વિશેષતાઓ જોવા મળે છે. એના મૂળમાં માનવીય આકાળાંઓ, અભિરુચિ તેમજ તત્પરતા જ કામ કરી રહી હોય છે. ખાબડખૂબડ સુમસામ અને ભયંકર દેખાતી આદિમયુગની આકુરૂપ ધરતીને ચિત્ર જેવી સુંદર અને રમકડાં જેવી સુસજિજત બનાવવાનું મનુષ્યના મગજને શ્રેય મળે છે. ભાષા, લિપિ, ગૃહસ્થ, સમાજ, શાસન, ધર્મ, ઇશ્વર, ચિક્તિસા, કળા, સંગીન, શિલ્પ, રસાયણ, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય, પશુપાલન, પરિવહન, ઉડ્ડયન, અસ્ત્ર-શસ્ત્ર વગેરે અગણિત પ્રક્રિયાઓ માનવ જીવનને વિકસિત કરવામાં સહાયક થઈ રહી છે. અગ્નિ, જળ, વાયુ વિધુત, અણું વગેરે પ્રકૃતિની અનેક શક્તિઓને છીનવીને મનુષ્યે પોતાને એટલો શક્તિશાળી બનાવી દીધો છે કે એને આ સૃષ્ટિનો સ્વામી માનવો પડે છે. અત્યાર સુધીમાં જે પ્રગતિ થઇ ચૂકી છે એનાથી ભવિષ્યમાં અનેક ગણી વધુ સંભાવનઓ જોતાં એમ કહી શકાય છે કે માનવીય મગજનો આ એક જીવતો જાગતો જાદુ છે.
ઇશ્વરદત્ત શક્તિઓમાં જે રીતે મગજ અને મનનું મહત્વ છે એ જ રીતે શરીરમાં શ્રમનો મહિમા છે. શ્રમશક્તિને નિયોજિત કરીને મનુષ્ય જો ઈચ્છે તો અસંભવને સંભવ બનાવી શકે છે. ફરહાદનો પર્વત છેદીને નહેર કાઢી લાવવાના એકાકી પ્રયત્નની કથા પ્રસિદ્ધ છે. ટિટોડીએ પોતાનાં ઈડાં પાછાં મેળવવા માટે સમુદ્રને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો તો અગસ્ત્ય ઋષિના સહયોગથી એને આ અસંભવ કાર્યમાં પણ સફળતા મળી ગઈ. સૂર્યના નિરંતર ધૂમ્યા કરવાના શ્રમે આ સંસારને જીવન પ્રદાન કર્યું છે અને ધરતીની ભ્રમણશીલતાએ જ એને આ રૂપમાં સ્થિર રાખી છે. બ્રહ્માજીના એકાકી પુરુષાર્થથી સૃષ્ટિ રચાઇ અને અણુઓની ગતિશીલતાથી જ નિર્માણ-વિકાસનો ઉપયોગી ક્રમ અવિરત ચાલી રહ્યો છે.
માનવીય શ્રમના જોરે આપણે અન્ન, વસ્ત્ર, શિક્ષણ, આજીવિકા, સુવિધા તેમજ આનંદપ્રમોદનાં સાધન પ્રાપ્ત કરીએ છીએ. જે લોકોમાં આળસની પ્રવૃત્તિ વધી જાય અને શ્રમથી મન ચોરવાની રાહત અપનાવી લેવામાં આવે તો જે સુવિધાઓ આજે આપણે મેળવીએ છીએ એ બધી સમાપ્ત થઈ જાય અને જીવન ધારણ કરી રાખવાનું પણ અસંભવ લાગે શ્રમને આધારે જ શરીર અને પરિવારનો નિર્વાહ થાય છે. પ્રગતિની કોઈ પણ દિશામાં અગ્રેસર થવા માટે સૌથી પહેલું સાધન શ્રમ-અપેક્ષિત હોય છે. જે જેટલો પરિશ્રમી હોય છે એ એટલી જ ઉન્નતિ કરતો જાય છે અને આળસુને પોતાની પાછળ રહી ગયેલી દીન પરિસ્થિતિ જોઇ જોઇને પસ્તાવું પડે છે. પછી ભલે એ પોતાનો દોષ બીજા પર ઢોળીને મન હલકું કરી લે, પરંતુ વસ્તુસ્થિતિ જેમની તેમ જ રહેશે. શ્રમથી જે જેટલો દૂર ભાગશે, સૌભાગ્ય એનાથી એટલું જ દૂર જતું જશે, પ્રગતિની સંભાવનાઓ એટલી ઓછી થતી જશે.
શ્રમશક્તિને સુવ્યવસ્થાપૂર્વક જીવનોત્કર્ષ માટે સુનિયોજિત કરવાનું કાર્ય મનુષ્યની સૌથી મોટી બુદ્ધિમત્તા માની શકાય. સમય ઈશ્વરદત્ત સંપત્તિ છે. એનો પ્રયોગ જે પ્રયોજન માટે કરવામાં આવે એ સિદ્ધ થવા લાગશે. આજકાલ લોકો ધનને વધુ આવશ્યક માને છે અને એને કમાવાની ઇચ્છા રાખે છે. પરિણામે આજીવિકાનાં કાર્યોમાં એને લગાવી રાખે છે. પરિસ્થિતિ, સાધન, અને ક્ષમતાને અનુરૂપ લાભ પણ થાય છે. જે જેટલો શ્રમશીલ છે એ એટલો જ આગળ વધશે. એને એટલી જ સફળતા મળશે અને જેણે જેટલી ઢીલ કરી હશે એને એટલી જ અસફળતાનો સામનો કરવો પડશે.
લક્ષ્ય કોઈ પણ કેમ ન હોય, એમાં પ્રગતિ ત્યારે જ થાય જ્યારે ઇચ્છિત માત્રામાં શ્રમ તેમજ સમય લગાડવામાં આવે. છોડનો વિકાસ ખાતર અને પાણી પર નિર્ભર રહે છે. આ બે વસ્તુઓને પ્રાપ્ત કરીને કોઇ વૃક્ષ મોટું થઈને ફળવાફૂલવાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એ જ રીતે કોઇ પણ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે એના માટે મનોયોગપૂર્વક શ્રમ અને સમયને નિયોજિત કરવામાં આવે અને મનોયોગપૂર્વક કાર્યક્રમ બનાવીને નિયમિત રૂપે એમાં મચ્યા રહેવામાં આવે.
કળાકૌશલ, શિક્ષણ, ભાષણ, લેખન, સ્વાસ્થ્ય વગેરે કાર્યોમાં ઘણી વ્યક્તિઓ અસાધારણ પ્રગતિ કરતી જોવા મળે છે. લોકો એમ માને છે કે એમને કોઈ દૈવી વરદાન કે પ્રારબ્ધલાભ પ્રાપ્ત થયો છે, પરંતુ વસ્તુતઃ આ એમના શ્રમ તેમજ મનોયોગનું જ ફળ હોય છે. લૌકિક કે અલૌકિક પ્રયોજન માટે પરિપૂર્ણ શ્રમ અને ઉચિત સમય આપવાની આવશ્યકતા હોય છે. જેઓ સફળતાના આ રહસ્યને નથી સમજતા અને આળસને છાતી સાથે ચીપકાવીને ઉન્નતિનાં મોટાં મોટાં સપનાં જુએ છે તેમને નિરાશા સિવાય શું હાથ લાગે ? વ્યર્થ સમય બરબાદ કરવો અને કામચોરી કરવી આ બે દુર્ગુણ જીવન બરબાદ કરવા માટે પર્યાપ્ત છે. ક્લે છે કે શનિ અને રાહુની દશા સૌથી ખરાબ હોય છે અને જ્યારે એ આવે છે ત્યારે બરબાદ કરી નાખે છે. આ કથનમાં કેટલી સચ્ચાઇ છે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એ નિતાંત સત્ય છે કે આળસને શનિ અને પ્રમાદને – સમયની બરબાદીને રાહુ માની લઇએ તો એની છાયા પડવા માત્રથી મનુષ્યની બરબાદીનો પૂરેપૂરો સરંજામ બની જાય છે.
અવનતિગ્રસ્ત લોકોની હીન સ્થિતિનાં અનેક કારણ હોય છે, પરંતુ સૌથી મોટું કારણ એ જ હોય છે કે તેઓ પોતાના સમય, શક્તિ અને શ્રમશક્તિનું મહત્ત્વ સમજી શકતા નથી. આ દૈવી સંપત્તિઓનો સદુપયોગ કરવાથી બધું જ પ્રાપ્ત કરી શક્વાની સચ્ચાઈ જેમણે હૃદયંગમ કરી નથી તેઓ મૂળને સીંચવાનું છોડીને પાંદડાં પર પાણી છાંટયા કરે છે અને જલ્દી પરિશ્રમ વિના મનવાંછિત સફળતા પ્રાપ્ત કરવા માટે ભટકતા રહે છે. દેવીદેવતાઓની માનતા માનનારા, આશીર્વાદ-વરદાન માટે યોગી યતિઓની શોધમાં ફરનારા લોકો પ્રાયઃ આ પ્રકારના હોય છે. તેઓ ભૂલી જાય છે કે પુરૂષાર્થથી મોટો કોઈ દેવતા નથી અને સુનિયોજિત રીતે મનોયોગપૂર્વક શ્રમ કરવાથી મોટું અન્ય કોઇ સિધ્ધિદાયક સાધન નથી.
મનુષ્યના હાથમાં રહેનાર શ્રમ દેવતા એટલો શક્તિશાળી અને ઉદાર છે કે પોતાનાં કોઈ ભક્તને ક્યારેય નિરાશ થવા દેતો નથી. સમયના સદુપયોગની તત્પરતાને અલાઉદ્દીનના ચિરાગ કે વિક્રમાદિત્યના અદૃશ્ય શક્તિશાળી ‘વીરો’ સાથે સરખાવી શકાય. આવા અસંખ્ય ઉદાહરણો આપણી આસપાસ ફેલાયેલાં હોય છે. જેને ધ્યાનથી જોવાથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ નબળી પરિસ્થિતિનો વ્યક્તિ પણ જે પ્રગતિની સુવ્યવસ્થિત યોજના બનાવીને એને માટે શ્રમ અને સમયની આવશ્યક માત્રા આપવા લાગે તો ઉન્નતિની સંભાવનાઓ તત્કાળ દૃષ્ટિગોચર થવા લાગે. આ બંને દેવતાઓની પૂજા કદી પણ નિરર્થક જતી નથી. લૌકિક અને પારલૌકિક બધી પ્રગતિઓનાં દ્વાર કુંઠિત કરનારા બે જ અસુર મુખ્ય છે – એક આળસ બીજો પ્રમાદ સમયને બરબાદ કરનારો અને શ્રમથી મોં ફેરવનારો પોતે જ પોતાનો શત્રુ છે. એને બહારના શત્રુઓની શી જરૂર છે, જેણે પોતાની બરબાદી માટે આ બે દુર્ગુણ પાળ્યા છે એને નિ અને રાહુની દશાની પ્રતીક્ષા કરવી પડે નહીં. એના ઉપર સાડાસાતી નહીં અજરઅમર સત્યાનાશી શનિદેવતા સદાય ચડેલા રહેશે. રાહુ સ્થાયી રૂપે એના માથા પર ભમતો રહેશે.
સંસારના પ્રગતિશીલ લોકો પ્રગતિની દિશામાં કદમ પર કદમ આગળ વધતા જાય છે. વિજ્ઞાનની શોધોએ વિશ્વસની આશ્ચજનક સુવિધાઓ ઉત્પન્ન કરી છે. ચંદ્રમા પર ઝંડો લહેરાવ્યો છે. ધન અને વૈભવની સંભાવનાઓ વધુને વધુ થઇ છે. અસ્વસ્થતા અને દૂર્બળતાને જીનવાની તૈયારી થઈ રહી છે. આ મહત્વાકાંક્ષાઓની પાછળ શ્રમ તેમજ મનોબળની પ્રેરકશક્તિ કામ કરી રહી છે. આ જીવિત અને પ્રત્યક્ષ દેવતાઓની પૂજા કરીને જ્યારે સંસારના પ્રગતિશીલ લોકો મનમાન્યાં વરદાન પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આપણે મંત્રસિદ્ધિના ચમત્કારોની લાલસામાં જ ભટકતા રહીએ છીએ. સૌથી મોટો મંત્ર છે – જીવનમને સુનિયોજિત કરીને એમાં સમય, શ્રમ તેમજ પુરૂષાર્થને પૂરી રીતે સંલગ્ન કરવો. આ મંત્રને વ્યવહારિક જીવનમાં ઉતારવાની સાધના જેણે આરંભી દીધી એને અષ્ટ સિધ્ધિ નવનિધિ મળે નહીં તો પણ જીવનને સુવિકસિત કરવાની સફળતા બહુ મોટી માત્રામાં અવશ્ય મળીને જ રહેશે.
આપણે એ તત્ત્વો તરફ ધ્યાન આપવું જોઈએ જે જીવનવિકાસનો મૂળ આધાર છે. એનો સદુપયોગ જ લૌકિક-પારલૌકિક સફળતાનો એકમાત્ર ઉપાય છે. ઇશ્વરે આપણને શરીર અને મન જેવી અણમોલ વસ્તુઓ આપી છે. એનો લાભ પણ એ જ ઉઠાવી શકે છે જે શરીરને સુવ્યવસ્થિત શ્રમમાં નિરંતર લગાવે છે અને એક ક્ષણનો સમય પણ બરબાદ ન થવા દેવા માટે સતર્ક રહે છે. મનોયોગપૂર્વક, રસપૂર્વક જે કોઈ કાર્ય કરવામાં આવશે એની ચમક નિરાળી હશે. બેકાર ચૂકવણીની જેમ ભારરૂપે કોઈ રીતે પૂરું કરેલું કામ અને પોતાના સન્માનનો પ્રશ્ન બનાવી પૂરી તન્મયતા સાથે કરેલા કામમાં જમીન આસમાનનો તફાવત દેખાઇ આવે છે. જે કામમાં સજીવતા હશે એ નાનું કેમ ન હોય, કરનારના વ્યક્તિત્વ તેમજ ગૌરવને વિકસાવવામાં સહાયક સિધ્ધ થશે. સફળતાની ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક પ્રગતિશીલને આ રસ્તે યાત્રા કરવી પડી છે. આપણે પણ જો સફળ વ્યક્તિનું જીવન ઇચ્છના હોઇએ તો આ રીત અપનાવવી પડશે કે પરિશ્રમી બનીએ, ધોર પરિશ્રમમાં આનંદનો અનુભવ કરીએ તથા એક ક્ષણ પણ બરબાદ ન થવા દઈએ. આપણા કાર્યોમાં આપણી જેટલી રુચિ હશે એ એટલાં જ વધુ સુંદર બનશે અને ક્લાકૃતિઓનાં એ નગ઼ખલાઓ દ્વારા સફળતાનો એ માળો બનાવી શકાશે જેમાં બેસીને કોઇ ચતુરપક્ષીની જેમ આપણે પણ સંતોષનું જીવન વિતાવી શકીશું.
ઉજ્જવળ ભવિષ્યનાં સજાવેલાં સ્વપ્નોની સાર્થકતા નિરર્થના એ બાબત પર નિર્ભર છે કે આપણે કેટલા ધૈર્યપૂર્વક કેટલા અભ્યાસ સાથે નિર્ધારિત લક્ષ સાથે જોડાઇએ છીએ, એના માટે કેટલો મનોયોગ કરીએ છીએ અને કેટલો પુરૂષાર્થ કરીએ છીએ. આળસ અને પ્રમાદ આ બે જ્યાં રહેશે ત્યાં ડગલેને પગલે અસફળતા હશે. દૈવી અનુગ્રહ પણ પુરુષાર્થીઓનો સહાયક હોય છે. આળસુ અને પ્રમાદીને ધરતીનો ભાર માનવામાં આવે છે. એમના પર કૃપા કરીને દેવતાઓ પણ પોતાની ઉદારતાનો દુરુપયોગ શા માટે કરે ? એક વાર કૃપા કરી પશ્ન દે તો પોતાના દુર્ગુણોને કારણે આળસને બીજે દિવસે દુર્ભાગ્યનો જ સામનો કરવો પડશે. આમ વિચારીને દૈવી કૃપા પણ એમનાથી દૂર જ રહે છે. આપણે પ્રગતિશીલ અને પુરુષાર્થી બનીએ તો દૈવી અનુગ્રહ પણ સહજ જ પ્રાપ્ત થવા લાગશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: