બે સોનેરી સૂત્ર | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
બે સોનેરી સૂત્ર
આ સ્થિતિ પર વિજય મેળવવાના બે માર્ગ છે – પ્રથમ માર્ગ દાંપત્ય જીવનનો સાચો સાર છે, જેમાં દઢ પ્રતિજ્ઞા લેવાની અને તેને નિભાવવાની છે કે અમે પતિ-પત્ની એકબીજાનો ત્યાગ નહિ કરીએ અમે બંને પ્રેમ, સહાનુભૂતિ, ત્યાગ, શીલ, આદાન-પ્રદાન તથા સહાયતાના તૂટેલા તારને સાંધી લઈશું. અમે વિશ્વાસ, આશા, સહિષ્ણુતા, અવલંબન તથા ઉપયોગિતાની તૂટેલી દીવાલના પ્રત્યેક ભાગનું નિયમિત પ્રયત્ન અને ભક્તિથી સમારકામ કરીશું. એકબીજાની માફી માગવા, સુમેળ અને સમજૂતી કરવા માટે હંમેશાં આગળ રહીશું.
બીજો ઉપાય છે – પતિ પત્નીની એકબીજા પ્રત્યેની અનન્ય ભાવના. પતિ-પત્ની એકબીજાના અસ્તિત્વમાં સમાઈ જાય, અધીનતાની ભાવના છોડીને સમભાવની પૂજા કરે, લગ્નનો આધ્યાત્મિક અભિગમ બે આત્માઓનો શારીરિક, માનસિક અને આત્મીય સંબંધ છે. તેમાં બે આત્માઓ એવા ભળી જાય છે કે આ પાર્થિવ જીવન તથા દેવલોકમાં પક્સ સાથે જોડાયેલા રહે છે. આ મિલન બંને મસ્તકો, બંને હૃદય, બંને આત્માઓ તથા સાથે સાથે બંને શરીરનું એકબીજામાં ભળી જવાનું છે. જ્યાં સુધી તેઓ એકબીજામાં નથી ભળી જતાં ત્યાં સુધી લગ્નજીવનમાં આનંદ નથી આવતો. વિવાહિત જોડામાં પરસ્પર આવો વિશ્વાસ અને ત્યાં ઘાસ – નીંદાખવ્ર ઊગી નીકળે છે, કાંટાળાં ઝાંખરાં ઉત્પન્ન થઈ જાય છે, તે જ રીતે જે પતિ-પત્ની દાંપત્યપ્રેમનું જાગરૂકતા રાખી ધ્યાનપૂર્વક રક્ષા નથી કરતાં તો તે કડવા ભાવો (મનની મલિનતા, ઈર્ષા, ઊંચનીચનો ભાવ, શિક્ષા-અશિક્ષા, શંકા, ગેરસમજ, અસંતોષ, અહંભાવ માં પરિણમે છે. દરેક કાર્ય આળસ, નીરસતા, રોગ પર પુરુષ અથવા પરસ્ત્રીની ઈર્ષાના રૂપમાં દામપ્ત્ય સુખને નુકસાન પહોંચાડવાનો પડકાર ફેંકે છે. પ્રતીતિ હોવાં જરૂરી છે કે જે બે હૃદયોને એડીને એક કરે છે, જ્યારે બંને હૃદય એકબીજા માટે આત્મસમર્પણ કરે છે ત્યારે કોઈ પણ ત્રીજી વ્યક્તિ તેઓમાં વિક્ષેપ પાડવામાં અસમર્થ બને છે. કેવળ આ રીતે તેમનામાં આધ્યાત્મિક દાંપત્યપ્રેમ શક્ય બને છે, જેને સમજવો તે વ્યક્તિઓ માટે અઘરો છે, જેઓ પોતાના અનુભવથી આ પ્રેમ અને સમજૂતીની આ પરસ્પરની જવાબદારી તથા સન્માનને, આસક્તિ તથા આત્મસંતોષને માનવ તથા દિવ્ય પ્રેરણાઓના આશ્ચર્યજનક સંયોગને કે જેનું નામ સાચાં લગ્ન છે, એને સમજી શકતા નથી.
પ્રતિભાવો