અશ્વમેધ યજ્ઞ શૃંખલા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૭

અશ્વમેધ યજ્ઞ શૃંખલા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૭

હરિદ્વારથી અશ્વમેધ યજ્ઞોની શૃંખલા શરૂ થઈ. પહેલો અશ્વમેધ જયપુરમાં થવાનો હતો. હું સવારે મંદિરમાં પૂજ્ય ગુરુદેવની ચરણપાદુકાઓને પ્રણામ કરી રહ્યો હતો. મેં ગુરુદેવને મનમાં પૂછ્યું કે ગુરુદેવ ! આ અશ્વમેધ યજ્ઞોમાં તપોભૂમિની ભૂમિકા શું હશે ? મને પ્રેરણા મળી કે બેટા ! તું બ્રહ્મભોજ કર. (બ્રહ્મભોજ વિશે અહીં વિસ્તારથી કહેવાની જરૂર નથી કેમ કે આ યોજના ફોલ્ડરોના માધ્યમથી બધા પરિજન જાણી ચૂક્યાં છે.) અડધી કિંમતે સાહિત્ય પ્રાપ્ત કરાવીને દરેક માણસ સુધી અમારા વિચારો પહોંચાડો. મેં વિચાર્યું કે અનુદાન ક્યાંથી આવશે અને વ્યવસ્થા કેવી રીતે થશે ? હું વિચારી રહ્યો હતો કે શાંતિકુંજથી ગાડી લઈને મારા જૂના મિત્ર રામેશ્વરભાઈ નૈનીવાલ આવ્યા. એમણે વિશ્વાસ આપ્યો કે દસ દિવસમાં જ એક લાખ રૂપિયા એકઠા કરી તમારી પાસે બ્રહ્મભોજ માટે જમા કરાવી દઈશું. એમણે એ સમયમાં દસ લોકો પાસેથી દસ દસ હજાર રૂપિયા અનુદાન લાવી પત્રિકા છપાવી દીધી. મેં સાહિત્યના પહેલા પાના પર અનુદાન આપનારનું નામ છાપી ચોંટાડી દીધું. આ રીતે અડધી કિંમતનું ચાર લાખ રૂપિયાનું સાહિત્ય જયપુર અશ્વમેધમાં બ્રહ્મભોજના રૂપમાં મોકલી આપ્યું. હું જયપુર, ગુના, ભિલાઈ અને લખનૌ આ ચાર જગ્યાએ અશ્વમેધ યજ્ઞોમાં ગયો. લખનૌમાં જ મેં માતાજીને કહ્યું કે હવે હું કોઈ અશ્વમેધમાં જઈશ નહીં. માતાજીએ કહ્યું, બેટા ! તારી જેવી મરજી હોય તેમ કર. પછી હું ૧૦૮ પુસ્તકોના સંકલન અને સંપાદન કાર્યમાં લાગી ગયો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: