નારી-જાગરણ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૨

નારી-જાગરણ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૨

નારી દેવત્વની મૂર્તિમાન પ્રતિમા છે. આમ તો દોષ બધામાં જ રહે છે. સર્વથા નિર્દોષ તો પરમાત્મા જ છે. નારીઓમાં તેની આધ્યાત્મિક પ્રવૃત્તિ જ તાત્ત્વિક દૃષ્ટિએ આત્મિક વિશેષતા છે. પરિવાર માટે એ પુત્રી, બહેન, ધર્મપત્ની અને માતાના રૂપમાં જે રીતે ઉચ્ચ આદર્શોથી ભરેલું જીવન જીવે છે, તે જોતાં એમ કહી શકાય કે પુરુષાર્થપ્રધાન નર એની જગ્યાએ ઠીક છે, પરંતુ આત્મિક સંપદાની દષ્ટિએ નારી કરતાં પાછળ જ રહેશે. નારીને પ્રજનનની જવાબદારી સંભાળવાને કારણે શારીરિક દષ્ટિએ થોડું ઘણું દુર્બળ ભલે રહેવું પડ્યું હોય, પરંતુ આત્મિક વિભૂતિઓની અધિકતા જોતાં એ ઈશ્વરીય દિવ્ય અનુકંપાની વધુ હકદાર બની છે. આગામી દિવસોમાં ઝડપી ગતિથી વધતો આ નવયુગ નિશ્ચિત રૂપે આધ્યાત્મિક માન્યતાઓથી ભરેલો હશે. શાસનતંત્ર, ધર્મતંત્ર, અર્થતંત્ર તથા સમાજતંત્રનું આખું માળખું એ જ સ્તરનું નિર્મિત થશે. એવી સ્થિતિમાં નારીએ દરેક ક્ષેત્રમાં વિશેષ ભૂમિકાઓ અદા કરવી પડશે. ઉજ્વળ ભવિષ્યને ધ્યાનમાં રાખવામાં આવે તો નારી જાગરણ તેના સમયનું સૌથી મોટું કાર્ય હશે.

૧. યુગ નિર્માણ મહિલા મંડળની સ્થાપના કરવી જોઈએ.

૨. યુગ નિર્માણ યોજના, યુગ શક્તિ ગાયત્રી(ગુજરાતી) તથા અખંડ જ્યોતિ તેમજ સાહિત્યિક જીવનગાથાઓ બહેનોને વધુ રસપ્રદ હોય છે. આ સાહિત્ય નિયમિત રૂપે એમને વાંચવા મળે તો એમના ભાવનાત્મક સ્તરમાં ચોકસપણે વધારો થાય છે અને થોડા દિવસોમાં જ તેઓ પણ મહિલા સંગઠનોની ગતિવિધિઓમાં યોગદાન આપવા લાગે છે. તેથી શહેરની ભણેલી બહેનોની યાદી બનાવી તેમની પાસે બપોરના નવરાશના સમયે નવ નિર્માણનું સાહિત્ય વાંચવા આપવા તથા લેવાનો ક્રમ બનાવીને મહિલા મંડળ સક્રિય બનાવી શકાય.

૩. મહિલા મંડળ દ્વારા સાપ્તાહિક સત્સંગનું આયોજન

૪. મૂઢ માન્યતાઓ, અંધવિશ્વાસો, કુરીતિઓ તેમજ સામાજિક વિકૃતિઓને કારણે ભારતીય નારી જાતિને કેટલુંય ભારે નુકસાન વેઠવું પડ્યું છે. હવે તેનું નિરાકરણ, સમાધાન અને નાબૂદી કેવી રીતે થઈ શકે, એ દાર્શનિક પક્ષને નારી શિક્ષણનું અભિન્ન અંગ માનવામાં આવ્યું છે. કહેવું નહિ પડે કે આજની સુશિક્ષિત છોકરીઓને વ્યર્થ મગજ કસવું પડે છે, પરંતુ વ્યાવહારિક જીવનમાં કામ આવતી ઉપયોગી તથા જરૂરી માહિતીઓથી વંચિત જ રહેવું પડે છે.

૫. પુંસવન, નામકરણ, મુંડન અને અન્નપ્રાશન જેવા સંસ્કારો બહેનો પરસ્પર હળીમળીને શાસ્ત્રીય વિધિથી કરી શકે છે અને એની સાથે જોડાયેલ શિક્ષણના આધારે એ પરિવારોમાં એક નવી વિચારધારા તથા ચિંતન શૈલીનો પ્રવાહ વહેવડાવી શકાય છે.

૬. જન્મદિવસ અને લગ્નદિવસના ઉત્સવ પર સંગઠિત મંડળની સ્ત્રીઓ એક ફૂલ અને એક પતાસાની ભેટ લઈને પહોંચી જાય અને શુભકામનાઓ આપે તો એમનામાં પરસ્પર ઘનિષ્ઠતા વધતી જ જશે.

૭. નારી પરના પ્રતિબંધો તાત્કાલિક હટાવવામાં આવે. તેને પડદા પ્રથામાંથી મુક્ત કરાવવાના ઉપાયોને કાર્યરૂપમાં બદલી નાંખવામાં આવે.

૮. નારીને સમાજની સેવા કરવા માટે ઘરનાં બંધનોમાંથી થોડો અવકાશ આપવો જોઈએ. તેને સાર્વજનિક સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા દેવામાં આવે.

૯. જે લોકો નારી ઉત્કર્ષના મહત્ત્વને સમજે છે તથા ભારતની અડધી જનસંખ્યાને અપંગ સ્થિતિથી દૂર રાખવા માગે છે તેમણે પોતાના ઘરની સ્ત્રીઓને આ તરફ રુચિ ઉત્પન્ન થાય એ પહેલું કાર્ય કરવાનું છે. તેમને યોગ્ય બનાવે, આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે અને માર્ગદર્શન તથા સહયોગ આપી કાર્યક્ષેત્રમાં ઉતારે.

૧૦.નારી શિક્ષણનો પ્રચાર જરૂરી છે. ભારતીય નારીને ત્રીજા પહોરે સમય મળે છે. એ વખતે શેરીઓ અને મહોલ્લાઓમાં મહિલા પાઠશાળાઓ ચાલવી જોઈએ. થોડા પ્રયત્નો કરવાથી મહોલ્લાઓમાં આવી પાઠશાળાઓ સ્થાપિત થઈ શકે છે. એમાંથી જે કોઈ સુશિક્ષિત બહેન જે મહિલા સંગઠનમાં સામેલ હોય તે શીખવવાની જવાબદારી પોતે લઈ લે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: