સત્પ્રવૃત્તિ સંવર્ધન દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૩
August 7, 2022 Leave a comment
સત્પ્રવૃત્તિ સંવર્ધન દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૩
દેવ અને અસુર બંને તત્ત્વો મળીને મનુષ્ય બન્યો છે. એમાં ઈમાન પણ રહે છે અને શેતાન પણ રહે છે. પરિસ્થિતિ તેમને વિકસિત કરે છે. જો સારું વાતાવરણ મળે તો દેવ તત્ત્વ અને ઈમાન વિકસિત થાય છે. સજ્જનતા અને મહાનતામાં વધારો થાય છે. જો ખરાબ વાતાવરણ મળે તો તેના પ્રભાવથી અંતરંગમાં છુપાયેલી અસુરતા વિકસે છે અને મનુષ્યનું ચિંતન અને કર્તૃત્વ નીચલા સ્તરનું પતનોન્મુખ બનતું જાય છે.
૧. સમાજનું નેતૃત્વ કરનાર બુદ્ધિજીવી લોકોનું કામ છે કે તેઓ એવું વાતાવરણ બનાવે, એવું આંદોલન ચલાવે જેમાં આદર્શવાદનું અવલંબન કરનાર વ્યક્તિઓને ઓછામાં ઓછું સામાજિક સન્માનનો લાભ તો મળી જ શકે.
૨. સત્પ્રવૃત્તિઓને વિકસાવવા માટે, સદ્ભાવનાઓને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા માટે કશું જ કરવામાં આવ્યું નથી. જ્યારે એવું હોવું જોઈતું હતું કે જેટલું ધ્યાન દુષ્ટતાના દમન પર આપવામાં આવે છે, ઓછામાં ઓછું તેટલું ધ્યાન તો સજ્જનતાને સત્કારવા અને આદર્શવાદી સત્સાહસને પુરસ્કૃત કરવા પર આપવું જ જોઈતું હતું. અપરાધ અને દંડ એ નિષેધાત્મક પક્ષ છે. તેનાથી પણ મહત્ત્વપૂર્ણ પક્ષ એ છે જેને અનૈતિકતાને દંડ આપવા જેટલો જ વિધેયાત્મક કરવો પણ જરૂરી છે.
૩. અનીતિ વિરોધી વાતાવરણ બનાવવા માટે લોકમતને સંગઠિત તથા પ્રખર કરવો જોઈએ. આ પ્રયોગની શરૂઆત આપણે આપણા ઘરમાંથી જ કરવી જોઈએ. જે બાળકોની અને પરિજનોની ગતિવિધિઓ પ્રશંસનીય હોય તેમને યોગ્ય સહયોગ, સમર્થન, પ્રેમ, સન્માન તથા પુરસ્કાર મળવાં જોઈએ. ભૂલ કરનારાઓની અને કુમાર્ગ પર ચાલનારાઓની ઉપેક્ષા કરવામાં આવે.
નિંદા, તિરસ્કાર, ધાકધમકી, અસહયોગ વગેરે ક્રમ પરિસ્થિતિ મુજબ અપનાવવામાં આવે કે જેથી કુમાર્ગગામીને તેના કાર્યથી પરિવારની નારાજી તથા તિરસ્કારનો પરિચય મળે. આ નીતિ પરિવારના ભાવનાત્મક વિકાસ અને વ્યવસ્થાનું સંતુલન બનાવી રાખવામાં ખૂબ જ સહાયક બની શકે છે.
૪. આદર્શ પ્રસ્તુત કરતી અનેક એવી વ્યક્તિઓ મળી શકે છે જેમને ગરીબાઈને કારણે કોઈએ પ્રોત્સાહિત કરી નથી. એવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે. એવા સ્વર્ગીય લોકોની જયંતીઓ મનાવી તેમનાં ચિત્રો પર ફૂલો ચઢાવવાં, તેમના સ્મારક રૂપે વૃક્ષો વાવવાં, તેમના જીવનવૃત્તાંતથી બધા લોકોને પરિચિત કરવા તે એવી પદ્ધતિ છે જેનાથી દરેક વ્યક્તિને સન્માર્ગગામી તથા લોકસેવી બનવાનું પ્રોત્સાહન મળે છે.
૫. વૈયક્તિક જીવનમાં સમાયેલી નીચતા અને કુંઠાઓ સાથે લડવા માટે આપણે પ્રાયશ્ચિત્ત અને શરીરને કષ્ટ આપવાનું શરૂ કામે લગાડવું જોઈએ. આત્માને શુદ્ધ કરવા માટે દરરોજ નવો જન્મ, દરરોજ નવાં મોતનો જે મંત્ર આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઉપયોગી થાય છે. દિવસ દરમિયાન પોતાનાં શારીરિક-માનસિક કાર્યો પર નજર રાખવી જોઈએ. રાતે સૂતી વખતે દિવસ દરમિયાન કરેલી ભૂલોનું શારીરિક કષ્ટોના રૂપમાં પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. કાન પકડીને ઊઠબેસ કરવી, પોતાના ગાલ પર તમાચા મારવા, અમુક સમય સુધી ઊભા રહેવું, સૂવાને બદલે તેટલો સમય જાગતા રહેવું, ભોજન ઓછું લેવું કે ઉપવાસ કરવો. પોતાને આ પ્રકારનાં શારીરિક કષ્ટો આપીને બીજા દિવસથી એવી ભૂલો ન કરવાની ચેતવણી આપીને આ પ્રાયશ્ચિત્તની પ્રક્રિયા દરરોજ રાત્રે પૂરી કરી લેવી જોઈએ. સવારે ઊઠતાં જ વિચાર કરવો જોઈએ કે આજનો દિવસ એક નવો જન્મ છે. રાત્રે સૂવાની સાથે જ મૃત્યુ થઈ જશે. આ એક દિવસનાં જીવનને સર્વોકૃષ્ટ રીતે જીવવાની દિનચર્યાસવારે જ બનાવી જ લેવામાં આવે તો એ દિવસ વધુ શ્રેષ્ઠતાથી વીતી શકે છે એમાં શંકાને સ્થાન નથી.
૬. પરિવાર નિર્માણ માટે પણ સંઘર્ષ કરવાની જરૂર પડે છે. પત્ની તથા બાળકોને, નાના તથા મોટાઓને યોગ્ય સ્નેહ આપવામાં આવે તથા તેમની જરૂરિયાતોનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે, પરંતુ સાથે જ પરિવારનો કોઈ સભ્ય કુમાર્ગગામી, વ્યસની, દુર્ગુણી તથા અનાચારી તો બની રહ્યો નથી તેનું પણ ધ્યાન રાખવામાં આવે. દરેક હાલતમાં યોગ્ય હોય તે જ કરવું જોઈએ. આ સંઘર્ષ બને તેટલો હળવો, સૌમ્ય અને સ્નેહભર્યો રાખવો જોઈએ.
૭. રૂઢિવાદિતા અને અનુચિતતાની વિરુદ્ધ મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે પણ સંઘર્ષ કરી શકાય છે. મોટાઓનો આદર કરવો, તેમની સુવિધાઓનું ધ્યાન રાખવું તથા શારીરિક સેવા કરવી તે નાની વ્યક્તિઓનું કર્તવ્ય છે તથા આ શિષ્ટાચાર તો દરેક હાલતમાં પાળવો જોઈએ, પરંતુ તેમની અયોગ્ય ઈચ્છાઓ અને આશાઓને માન આપવાનો સાહસથી ઈનકાર પણ કરી દેવો જોઈએ.
૮. ઊંચ-નીચ, અસ્પૃશ્યતા, પરદા પ્રથા અને નારી પ્રતિબંધ જેવી પ્રથાઓ મનુષ્યતાને કલંકિત કરનારી કુરીતિઓ છે. સવાલ હિંદુ પરંપરાઓનો નથી, પરંતુ વિશ્વ વિવેક અને માનવીય ન્યાયનો છે. કોઈ સંપ્રદાય કે કોઈ દેશમાં કોઈ અનુચિત પરંપરા ચાલવા લાગે તો તેનો અર્થ એ નથી થતો કે એ વાતને યોગ્ય અને ન્યાયસંગત પણ માની લેવામાં આવે.
૯. સી અને પુરુષ વચ્ચે ઊભી કરવામાં આવેલી દીવાલ સર્વથા અન્યાયયુક્ત છે. પરદાપ્રથા, વિધવાનો પુનર્વિવાહ વગેરે પ્રતિબંધો યોગ્ય હોય તો નર અને નારી બન્ને પર સમાન રૂપે લાગુ થવા જોઈએ. એ જ રીતે પુત્રી અને પુત્ર વચ્ચે કરવામાં આવતો ભેદભાવ કોઈપણ દૃષ્ટિએ ન્યાયસંગત નથી. આ મૂઢ માન્યતાઓ હિંદુ ધર્મમાં ઊંડે સુધી મૂળ જમાવીને બેઠી છે.
૧૦. અનાચારી તત્ત્વો પ્રત્યે સમાજમાં ધૃણા, અસહયોગ, વિરોધ, વેરઝેર તથા સંઘર્ષની પ્રવૃત્તિ પેદા કરવી પડશે.
પ્રતિભાવો