વ્યસનમુક્તિ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૫

(૬) વ્યસનમુક્તિ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૫

માદક દ્રવ્યોથી થતા નુક્સાનની બધાને ખબર છે. આ તરફ જેમના ખભા પરરાષ્ટ્રના નવનિર્માણની જવાબદારી છે, તેવી આપણા દેશની યુવા પેઢીમાં આ ખરાબ પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે. યુવાન અવસ્થામાં જ્યારે શરીરનાં અંગોનો વિકાસ થઈ રહ્યો હોય છે, જીવન શક્તિ વધતી હોય છે ત્યારે જ માદક દ્રવ્યોનો દુષ્પ્રભાવ એમને નિષ્ક્રિય અને અશક્ત કરવા લાગે છે. આ દયાજનક સ્થિતિ છે. ગાંજો, ભાંગ, ચરસ, સિગરેટ, તમાકુ, વગેરે નશાઓ યુવક-યુવતીઓમાં એટલા લોકપ્રિય થઈ ગયા છે કે તેમને ન અપનાવનારને રૂઢિવાદી તથા જુનવાણી સમજવામાં આવે છે. આજે વ્યસનની આ પ્રવૃત્તિનો વિધિપૂર્વક વિરોધ કરવાની જરૂર છે. આપણે આ વિશે લોકોને સજાગ કરવા પડશે અને એમને બતાવવું પડશે કે આ કોઈ શોખ કે ફેશનની વસ્તુ નથી. પોતાને સભ્ય દર્શાવવાની આ કોઈરીત નથી. બધી સમાજસેવી સંસ્થાઓએ આ અસુર પર વિજય મેળવવા માટે નીચે દર્શાવેલ કાર્યક્રમો ચલાવવા જોઈએ.

૧. વિચારગોષ્ઠિઓ દ્વારા સમયાંતરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બોલાવી વ્યસની લોકોને તેનાથી થતા નુકસાનથી વાકેફ કરવામાં આવે.

૨. પુરોહિતો દ્વારા યજ્ઞ, સંસ્કાર, પર્વ તથા કથા વગેરે પ્રસંગે વ્યસન છોડવા માટે પ્રેરિત કરવા.

૩. સાધુ, સંત તથા મહાત્માઓનાં પ્રવચનોમાં આ દુષ્પ્રવૃત્તિને છોડવાનું આહ્વાન કરાવવું. વિભિન્ન ઉદાહરણો અને તર્કો દ્વારા વ્યસનોથી થતાં નુકસાન વિશે સમજાવવું.

૪. વ્યસનમુક્ત ભાઈ બહેનોને સહયોગ હેતુ સંગઠિત કરવાં.

૫. સમાજસેવાની ભાવના રાખતા ચિકિત્સકો દ્વારા ગોષ્ઠિઓ તથા શિબિરોનું આયોજન કરી બધા લોકોને આ દુષ્પ્રવૃત્તિઓથી થતી શારીરિક, માનસિક, કૌટુંબિક તથા સામાજિક હાનિઓથી પરિચિત કરાવવાં.

૬. પરિવારના સભ્ય એવાં બાળકો, પત્ની તથા ઘનિષ્ઠ મિત્રો વ્યસનગ્રસ્ત વ્યક્તિ પર વારંવાર દબાણ કરતા રહે તો સફળતાની આશા રાખી શકાય છે.

૭. વ્યસનમુક્તિ આંદોલન કાર્યો દ્વારા બેનરો, ઝંડાઓ લઈને સરઘસ કાઢવું. સરકારને માદક દ્રવ્યોના ઉત્પાદન તથા સેવન પર કાયદાકીય પ્રતિબંધ લગાવવા માટે આવેદનપત્ર આપવું.

૮. નશાનું સેવન કરવાથી થતી ભયંકર દુર્ઘટનાઓનું સંકલન કરવામાં આવે અને તેમને છાપાંઓ અને માસિક વગેરેમાં મોટા અક્ષરોમાં પ્રકાશિત કરવામાં આવે.

૯. યુગ નિર્માણ યોજના, મથુરા દ્વારા પ્રદ્ભાશિત વ્યસનમુક્તિ આંદોલન સેટનાં પુસ્તકોને ઝોલા પુસ્તકાલય, જ્ઞાનમંદિર અથવા વેચાણ દ્વારા દરેક માણસ સુધી પહોંચાડીને વ્યસનગ્રસ્તોના ચિંતનમાં પરિવર્તન કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: