GG-15 : જપનો પ્રભાવ, -૨૭ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
જપનો પ્રભાવ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
“ગુરુદેવ ! ઘણાં લોકો પૂછતા હોય છે કે ગાયત્રીમંત્રને વારંવાર જપવાથી શું લાભ ? એકવાર સારી રીતે સમજી લઈએ તો એનો પ્રભાવ કાયમ રહે છે. શું આ વાત બરાબર છે ?” અમે ગુરુદેવ સમક્ષ પોતાની શંકા મૂકી.
ગુરદેવ હસ્યા અને બોલ્યા, “અરે ક્યારેક બીમાર પડી જાઓ તો દવા ખાવી પડે છે ને. શું એક વાર દવા ખાવાથી જ કામ ચાલી જાય છે ? દિવસમાં બે-ત્રણ વાર અને કેટલા દિવસો સુધી ખાઓ છો, જ્યાં સુધી રોગ પૂરી રીતે સમાપ્ત ન થઈ જાય. એક જ વાર ખાઈ લેવાથી પ્રભાવ નથી પડતો. ભોજન પણ દરરોજ બરાબર લેવું પડે છે. એવી રીતે ગાયત્રીમંત્રના જાપ તથા ધ્યાન પણ ખરાબર કરવા પડે છે. એનાથી મનના રોગ દૂર થાય છે, તે સ્વચ્છ અને નિર્મળ બની જાય છે. જ્યારે જ્યારે ખરાબ વિચારો-વ્યવહારનું, દુષ્પ્રવૃત્તિઓનું આક્રમણ થાય છે આ મંત્ર તેના વિષને સમાપ્ત કરીને આપણું રક્ષણ કરે છે.
સાપ અને નોળિયાની લડાઇ ક્યારેય જોઈ છે. જંગલમાં કોઈવાર એ થાય છે. ઝેરી સાપ નોળિયા પર હુમલો કરે છે. નોળિયો એના પર ઝટ મારે છે. પોતાના દાંત અને નખ વડે એને લોહીલુાણ કરી નાંખે છે. સાપ પણ પેંતરો બદલીને ઝેરી દાંતોથી નોળિયાને ડંસી લે છે. નોળિયાના શરીરમાં વિષનો પ્રભાવ પડવા લાગે છે પરંતુ તે પોતાની સદ્બુદ્ધિને નથી છોડતો, વિવેકને નથી છોડતો, મુસીબતમાં જરાપણ ગભરાતો નથી. એને ખબર છે જંગલમાં એક જડીબુટ્ટી છે જેને ઘસવાથી ઝેરની અસર થઈ જાય છે. એ લડાઈ છોડીને ભાગે છે અને પોતાના શરીરના ડેંસવાળા ભાગને એ બુટ્ટી પર ઘસીને ઝેરના પ્રભાવને સમાપ્ત કરી દે છે. તે ફરીથી આવીને સાપને લલકારે છે, એને લોહી લુણ કરી દે છે. સાપ ફરીથી ડંખ મારે છે. નોળિયો ફરીથી ભાગીને બુઢ્ઢીને શરીર સાથે ધસીને તે ઝેરને પ્રભાવહીન કરી દે છે. ત્રણ-ચાર વખત આવું જ બધું થાય છે અને અંતમાં નોળિયો સાપના ટુકડેટુકડા કરી નાંખે છે.
આ રીતે આપણી અંદર પણ દેવાસુર સંગ્રામ થતો રહે છે. કુવિચાર અને દુષ્પ્રવૃત્તિઓ સાપની માફક વારંવાર આપણી ઉપર મુમલો કરે છે અને તેમનું ઝેર આપણા શરીરમાં ફેલાવતા રહે છે. નોળિયાની માફક આપણને પણ એ બુઠ્ઠી જોઈએ જે પેલા ઝેરને સમામ કરી શકે. એ બુઠ્ઠી છે ગાયત્રીમંત્રની, વારંવાર આ બદી સાથે આપણા શરીરને ધસતા રહેવાથી એ ઝેર સમ થાય છે. ગાયત્રીમંત્રના સતત જાપનો આ જ પ્રભાવ છે. એટલા માટે બરાબર ગાયત્રીમંત્રના જાપ કરતાં રહેવું જોઈએ.
પ્રતિભાવો