GG-15 : પંચકોશી સાધના -૨૯  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

પંચકોશી સાધના, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

“ગુરુદેવ આ પંચકોશી સાધના શું હોય છે”

જો બેટા, ગાયત્રી મંત્રના ફક્ત જપ કરવાં જ પૂરતાં નથી હોતા. જપ અને ધ્યાન કરવાથી અમારી મનોભૂમિ શુદ્ધ થાય છે. ખેતર ખેડવાનું જે કામ હળ અને બળદ દ્વારા સંપન્ન થાય છે તે જ જપ અને ધ્યાનથી પૂરું થાય છે. આપણી મનોભૂમિ કુવિચારો અને દુષ્પ્રવૃત્તિઓના ઝાડ-ઝાંખરાથી મુક્ત બની જાય છે. પરંતુ એટલું જ પૂરતું નથી. ખેતરની ખેડણી પછી એમાં બીજ રોપવા, સીંચવા, ખાતર આપવું, નિંદામણ કાઢવું અને રખેવાળીની પણ જરૂરિયાત પડે છે. આ પાંચ કાર્ય કર્યા પછી જ સુંદર પાકના દર્શન થાય છે. એવી જ રીતે જપ તથા ધ્યાનથી પરિમાર્જિત મનોભૂમિમાં પણ પાંચ સંસ્કારોની જરૂરત હોય છે. આ જ પંચકોશી સાધના છે. આપણા આત્મા પર પાંચ આવરણ હોય છે, જેવી રીતે આપણા શરીર જુદાં જુદાં કપડાંના આવરણ વડે ઢંકાયેલા હોય છે. આ આવરણોને ક્રમશઃ આાવતા જઈને આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરવો એ જ સાધનાનું વાસ્તવિક લક્ષ્ય છે. આત્માના આ પાંચ આવરણ છે અન્નમય કોશ, મનોમય કોશ, પ્રાણમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ.

“આ તો ગુરુદેવ આપે વધારે ઝંઝટ ઊભી કરી દીધી. એક તો જપ-ધ્યાન માટે પણ સમય નિકાળવો કઠીન હોય છે અને આપ વે કહો છો કે પંચકોશી સાધના કરો. સામાન્ય માન્નસ માટે આ બધું કેવી રીતે સંભવ થશે ?” ગુરુદેવ હસ્યા અને બોલ્યા “અરે નહીં બેટા, આમાં કોઈ ઝંઝટ નથી. નાના સરખા પ્રહલાદે જ્યારે આ કરી લીધી તો પછી કોઈને આમાં શું મુશ્કેલી થવાની છે. આ પંચકોશી સાધના તો સર્વ સાધારણ માટે, બાળક-વૃદ્ધ, નર-નારી, ગૃહસ્થ વૈરાગી બધા માટે અતિ સરળ અને સર્વથા ઘનિ રતિ છે. થોડોક સમય ફાળવીને કોઈપણ વ્યક્તિ એને બહુ જ સરળતાપૂર્વક અપનાવી શકે છે. એના પર આગળ વધતાં સામાન્ય વ્યક્તિ પણ અંતમાં એ સ્થિતિએ પહોંચી જાય છે જ્યાં આત્મસાક્ષાત્કારની સંભાવના પૂરી રીતે સ્પષ્ટ હોય. આધ્યાત્મિક વિચારોને વ્યાવહારિક રૂપમાં પરિવર્તન કરવાનું નામ જ પંચકોશી સાધના છે. એનાથી આત્મિક સ્તરનો સર્વતોમુખી વિકાસ થાય છે. પંચકોશોના અનાવરણથી અનંત આનંદદાયી બ્રહ્મ સાક્ષાત્કાર સંભવ થઈ જાય છે.

આ સાધના અત્યંત સરળ છે. યોગી વનવાસી તો એમાં પોતાનો બધો સમય લગાવી જ શકે છે પરંતુ ગૃહસ્થ લોકો પા પોતાના દૈનિક અને વ્યાવસાયિક કાર્યોની વ્યસ્તતા પછી પણ એના માટે સમય નીકાળી શકે છે. પોતાના મનને વશ કરતી વખતે સમય સંયમ કરીશું તો બેકારના કાર્યોમાં જે મૂલ્ય સમય નષ્ટ થઈ જાય છે એ જ એના માટે પૂરતો થઈ જશે. તેનો પોતાની સાારણ શ્રમની સાધના દ્વારા જ આત્મકલ્યાણની પૂર્ણતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. તને આ પાંચેયની બાબતમાં સમજાવું નવા ખેંચ-આ આત્માનું પ્રથમ આવરણ છે અને મનુષ્યની ઈંદ્રિયો સાથે સંબંધ ધરાવે છે. આપણી ઈંટ્યો તે સંયમિત કરવાની જ સાધના છે. પ્રેમ માર્ગથી શ્રેષ માર્ગ પર તરફ વધવાનું વિધાન છે. પ્રેપ માર્ગ એ હોય છે જે પ્રિય લાગે છે. તેના પર ચાલવાથી ઇંદ્રિયોનો આવેશ શાંત થાય છે. આગળ-પાછળનું કાંઈપણ સૂઝતું નથી. ફક્ત વર્તમાનની, આજની, અત્યારની વાત યાદ રહે છે. આજની ખોજ-મસ્તીના બદલામાં ભવિષ્યને અંધકારય બનાવવાના ખેલને જ પ્રેય કહે છે. આજે જેને જુઓ તે વાસના અને તૃષ્ણાની સત્યાનાશી સડક પર બેલગામ ઘોડાની માફક અંધાધુંધી ભાગતા જઈ રહ્યા છે, આ વાત પર અંકુશ લગાવવાની આવશ્યક્તા છે કે નહીં. અધ્યાત્મથી વિમુખ થઇને ભૌતિકવાદી દૃષ્ટિકોણમાં પ્રવૃત્ત મનુષ્ય પ્રેય માર્ગમાં એટલો આસક્ત થઈ જાય છે કે લોટની ગોળી સાથે કાંટો પણ ગળી જનારી માછલીની માફક જાણી જોઈને જાતે પોતાનો જ સર્વનાશ કરી લે છે.

તો આ છે પ્રેમ માર્ગ, એમાં સૌથી મોટો દોષ એ છે કે સીમિત માત્રામાં ઉપભોગ સુખ પ્રાપ્ત થવાથી સંતોષ નથી થતો. જેટલો પણ ઉપભોગ મળે છે એટલી જ તૃષ્ણા વધતી જાય છે. ઈંદ્રિય સુખ, ધન-દોલત, માનસન્માન, સત્તા-અધિકાર માટે મન લલચાયા કરે છે. આ બધાને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ચોરી, બેઇમાની, દગાબાજી, છળ, કપટ, હત્યા, શોષગ્ન વગેરે અનેકાનેક દુષ્કર્મ કરતો રહે છે. પાપના કીચડમાં ઉડો ઉતરતો જ જાય છે.

એનાથી વિપરિત શ્રેય માર્ગ છે. એમાં આજની અપેક્ષા કાને મહત્વ આપવું અને ભવિષ્યના સુખ માટે આજે સંયમને અપનાવવો પડે છે. શ્રેષ માર્ગનો પશિક આરંભમાં નુકસાનમાં રહેતો દેખાય છે જ્યારે પ્રેયમાર્ગવાળાને તરત જ લાભ મળે છે. મેલ માર્ગ પર માલવાવાળાનો ઉપહાસ પણ થાય છે અને એને મૂર્ત સમજવામાં આવે છે. આજ દૂરદર્શિતા તથા બુદ્ધિમત્તાની પરીક્ષાનો સમય છે. જે આમાં ચૂકી ગયો તે અનંતકાળ સુધી પસ્તાતો રહે છે. વિતી ગયેલો સમ ફરીથી પાછો તો નથી આવી શક્તો. આ જ અન્ય કોપની સાધના છે. શ્રેય માર્ગ પર ચાલતાં ચાલતાં કષ્ટ સહન કરવામાં આવે છે. તેને જ તપ કહેવાય છે, ત, ઉપવાસ, સંયમ, નિયમ, ત્યાગ, તપ વગેરેનું વિધાન આટલા માટે જ કરવામાં આવ્યું છે. નાથી માત્મિક પ્રગતિ સંભવ ય છે. આત્મિક પ્રગતિનું પહેલું પગલું છે કે આપણે આપણા જીવનના શ્યને નિતિ કરીએ, આ લક્ષ્ય પ્રેપ માર્ગથી નહીં શ્રેય માર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભોગના સ્થાને સંયમ અને વિલાસના સ્થાન પર તપની સાધના કરવી જોઈએ. તપનો ઉદ્દેશ્ય છે. ઈંદ્રિય સંયમ માટે કષ્ટ સહન કરવું. સપ્તાહમાં એક દિવસ અસ્વાદ વ્રત કરો, મીઠાં વગર અને ગળપણ વગરનું ભોજન કરવું જોઈએ. ઇંદ્રિય સંયમની આ બહુ જ સરળ વિદ્યા છે. અન્નમય કોશને શુદ્ધ કરવા તથા જીતવા માટે અન્નની શુદ્ધિ પણ આવશ્યક છે. ધીમે-ધીમે સાત્ત્વિક ભોજનનો અભ્યાસ કરતાં કરતાં આ મહાન પ્રક્રિયાને પણ પૂર્ણ કરી શકાશે. આના ઉપર જ મનની શુદ્ધિ નિર્ભર છે. હવે બતાઓ ભેટા આ સાધના માટે કોઈ વધારના સમયની જરૂરિયાત છે ?” “હા ગુરુદેવ, આ તો ફક્ત મનને વશમાં કરવાથી જ થઈ જશે. આમાં તો કોઈ પણ વધારાનો સમય નહીં જોઈએ.’’ અમે સંતુષ્ટ ભાવથી કહ્યું.

“હા બેટા, આ જ પંચકોશની સાધનાનું રહસ્ય છે, હવે આગળ જુઓ. ” મનોમય કોશ – અન્નમય કોશ પછી આત્માનું બીજું આવરણ મનોમય કોશ છે. મનને શુદ્ધ બનાવવા માટે સદ્વિચારોની નિયમિત ધારણા જ એકમાત્ર ઉપાય છે. એને શિક્ષિત લોકો પુસ્તકો વાંચીને તથા અશિક્ષિત લોકો બીજા પાસેથી સાંભળીને પૂરું કરી શકે છે. આને સ્વાધ્યાય તથા સત્સંગ કહે છે. હાડ-માંસના શરીરની દૃષ્ટિએ મનુષ્ય અત્યંત જ તુચ્છ છે. એની અંદર જે કાંઈ વિશેષતા છે તે એની આંતરિક ચેતના જ છે. વિવેક અને વિચારના બળ પર જ એને સૃષ્ટિ સર્વોત્તમ જીવ કહેવડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

પૂજા, સ્નાન વગેરેની માફક સ્વાધ્યાય પણ આપણું નિત્યકર્મ હોવું જોઈએ. આપણી ચારેય તરફ ફેલાયેલા વિષાક્ત વાતાવરણનો દૂષિત પ્રભાવ દરેક સમયે આપણા મન પર પડતો રહે છે. એની સફાઈ કરવા માટે નિત્ય ફરજિયાત સ્વાધ્યાય આવશ્યક છે. જેવી રીતે વાસણોને રોજ માંજવામાં આવે છે, ઓરડામાં રોજ ઝાડુ મારવામાં આવે છે, દાંત રોજ સાફ કરીએ છીએ, શરીર તથા કપડાંની સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ એવી રીતે મનને પણ રોજ નિયમિત સ્વાધ્યાય દ્વારા માંજીને કે ધોઈને સાફ રાખવું પડે છે.

સ્વાધ્યાય અને સત્સંગથી, મનન અને ચિંતનથી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પેદા થાય છે. એના દ્વારા મનમાંથી કુવિચારો હઠાવીને એના સ્થાને સદ્વિચારોને બેસાડવા પડે છે. દરરોજ એક કલાકનો સમય સ્વાઘ્યાય કે સત્સંગ માટે નિયમતિ કરવો મુશ્કેલ નથી. જીવનને સમુન્નત બનાવવાની પ્રેરણા આપવાવાળા તથા એનો ઉપાય બતાવનારા સાહિત્ય જ સ્વાધ્યાય માટે પસંદ કરવા. ધીરે ધીરે સમજીને એને વાંચવા અને એના પર મનન-ચિંતન કરવું જોઈએ. એક નાનું પુસ્તકાલય તો દરેકે પોતાના ઘરમાં અવશ્ય બનાવવું જોઈએ. એને જ્ઞાનમંદિરના રૂપમાં શ્રદ્ધા તથા પવિત્રતા સાથે સ્થાપિત કરવામાં આવે. સારી, શ્રેષ્ઠ તથા પ્રેરક પુસ્તકો કબાટમાં સારી રીતે સજાવીને રાખીએ અને નિયમિત સ્વાધ્યાય કરીએ તથા બીજાઓને પણ એના માટે પ્રેરિત કરીએ.

આજકાલ ઉપર્યુક્ત સત્સંગનો તો સર્વથા અભાવ જ દેખાય છે. એટલા માટે આ પ્રક્રિયાને જાતે જ શરૂ કરવાનો પ્રયત્ન કરવી જોઈએ. ઓછામાં ઓછું એટલું તો સહેલાઈથી થઈ શકે કે ઘરમાં બાળકોને રાત્રે સૂતાં પહેલાં એકઠાં કરવામાં આવે આને એમને રોચક રીતે કથા-વાર્તા સંભળાવવામાં આવે. કથા પ્રસંગોની વચ્ચે ઉપદેશાત્મક શિક્ષણ પણ આપતાં રહેવું જોઈએ. આમાં પરિવારની સ્ત્રીઓ પણ ભાગ લઈ શકે છે. ધીરે ધીરે આ ક્રમમાં અડોશ-પડોશના બાળકો તથા વડીલોને પણ સામેલ કરી શકાય છે. સંગઠિત રૂપે મહોલ્લામાં કે કોલોનીમાં પણ સાપ્તાહિક સત્સંગની વ્યવસ્થા કરી શકાય છે.

પ્રાણમય કોશ – બેટા, પશુઓમાં શરીરબળ કામ કરે છે પરંતુ મનુષ્યનું પ્રધાનબળ તો એનું મનોબળ છે. જો મનોબળ પૂરતું હોય તો સાધારણ શરીર હોવા છતાં પણ મહાન કાર્ય કરી શકે છે. સાહસના બળ પર લોકોએ મોટા-મોટા મુશ્કેલ કાર્ય પૂરું કરી બતાવ્યા છે. અસહાય ફરહાદે તો પોતાની પ્રેમિકા શીરીને ખાતર મોટા પર્વતો કાપી-કાપીને એક લાંબી નહેર ખોદીને તૈયાર કરી દીધી હતી. એની પાસે એક માત્ર મનોબળની ૪ પૂંજી હતી જેના આધાર પર અસંભવ કાર્ય પણ સંભવ થઈ શક્યું. મનોબળમાં ઓછપ અને સંકલ્પશક્તિની દુર્બળતા જ મનુષ્યની બધી મુસીબતોનું મૂળ છે. જાણો છો આટલું ઉપયોગી તથા મહત્ત્વપૂર્ણ મનોબળ’ આખરે છે શું ? શરીર અને મસ્તકનું બળ પણ આવશ્યક અને ઉપયોગી છે, પરંતુ મનોબળ એ બંને કરતાં જુદું છે. વસ્તુતઃ આ મહાન તત્ત્વની પોતાની સ્વતંત્ર સત્તા છે જેને પ્રાણતત્ત્વ’ કહેવાય છે. પ્રાણ જ જીવન છે. ભીષ્મ પિતામહના શરીરમાં આ ‘પ્રાણ’ જ અતિશય માત્રામાં હતો જેના બળ પર તેઓ છ મહિના સુધી બાણશૈયા પર પડી રહ્યાં અને શરીર ત્યાગ માટે ઉપર્યુક્ત સમયની પ્રતીક્ષા કરતાં રહ્યાં. રોગી વ્યક્તિમાં પણ જો પ્રાણતત્ત્વની જરૂરી માત્રા હોય તો તે લાંબા સમય સુધી બીમારી સામે ટક્કર લઈ શકે છે અને અસાધ્ય લાગનારા રોગોને પણ હરાવી શકે છે.

ગાયત્રી શબ્દનો અર્થ જ છે, પ્રાણોની રક્ષા કરવાવાળી, પ્રાણશક્તિમાં વધારો જ ગાયત્રી ઉપાસનાની મૂળ ઉપલબ્ધિ છે. પ્રાણ સાધનાથી જ આત્મા ઉત્કર્ષનો માર્ગ સધાય છે. મનુષ્ય વીર, બળવાન, પરાક્રમી અને તેજસ્વી બને છે. એના અંદરની અસીમ સૂક્ષ્મ શક્તિઓ કેન્દ્રિત થઈને સંકલ્પશક્તિને પરિપુષ્ટ કરે છે. દૃઢનિશ્ચય અને ધૈર્યની વૃદ્ધિ થાય છે. સંકલ્પ પૂર્તિ માટે જે વ્રત ધારણ કરવામાં આવે છે અને પ્રાણના વચને પૂરા કરવાની શક્તિ શ્રત થાય છે. શારીરિક અસુવિધાઓ એમાં કોઈ અડચણ ઉત્પન્ન નથી કરી શકતી. કોઈપણ પ્રકારની માનસિક શિથિલતા પણ નથી આવી શક્તિ. એક પછી એક સંકલ્પ પૂરા થવાથી મનુષ્યનું સાહસ વધે છે અને તે મોટામાં મોટા મુશ્કેલ કાર્ય પણ દઢતાપૂર્વક પૂરા કરી શકનારા મહાપુરુષોની શ્રેણીમાં જઈ પહોંચે છે.

પ્રાણાયામ દ્વારા પ્રાણમય કોશની સાધના સધાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ એની મહત્તા ઘણી બધી છે. મનની ચંચળતાને દૂર કરી એમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાનું આ એક અમોધ અસ્ત્ર છે. એને બાળકો, વૃદ્ધો, રોગી, નિરોગી બધાં આસાનીથી કરી શકે છે. શરૂઆતમાં પાંચ પ્રાણાયામ કરો પછી ધીમે ધીમે વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રાતઃકાળે નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈને પલાંઠી મારીને બેસો, ધીમે ધીમે ઊંડા શ્વાસ લો, બંને નસકોરાંને બંધ કરી થોડીવાર સુધી શ્વાસને અંદર રોકો, ધીરે-ધીરે બાર નીકાળો અને પછી થોડીવાર શ્વાસને બહાર જ રોકો. અર્થાત્ શ્વાસ વગર રહો. આમાં કોઈ પ્રકારનું ોર જબરદસ્તી ન કરવાં. જેટલા સમય સુધી શક્ય હોય તેટલો જ શ્વાસ રોકો. આ જ પ્રાણમયકોશની સરળમાં સરળ સાધના છે, જેને અવશ્યપણે કરવી જ જોઈએ. વિનમય કોશ આ સાધનામાં ભાવનાનો ઉચ્ચતર સુધાર જ મુખ્ય છે. આત્મા પર છવાયેલાં ગંદા આવરણ, દોષ-દુર્ગુણ દૂર કરવાની સાધના છે આ. એમાં સતત તથા નિષ્પક્ષ આત્મ નિરિક્ષણની અપેક્ષા રાખવામાં આવે છે, મુશ્કેલ આત્મ-સમીક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે. પોતાના દોષો, દુર્ગુણોનો ત્યાગ કરવો પડે છે. જો પોતાને જાતે જ પોતાના દોષ સમજમાં ન આવે અને કોઈ બીજા બતાવે તો એના પર ક્રોધ આવે તો પછી આત્મ સુધારની ગાડી કેવી રીતે આગળ વધે ? આત્મસુધારની આ સાધના સુવ્યવસ્થિત રૂપે આરંભ કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં અનેક દોષ-દુર્ગુણ ભરેલા છે, તે બધા જ એક સાથે નથી છૂટી શકતા. પગમાં ઘણા બધા કાંટા વાગી જાય તો એક-એક કરીને જ તેઓને કાઢી શકાય છે. આ રીતે પ્રત્યેક મનુષ્યએ એક-એક કરીને પોતાની ખરાબીઓનો ત્યાગ કરતાં રહેવું જોઈએ.

આનંદમંય કોશ – આ સાધનાનો ઉદ્દેશ્ય પોતાની પ્રેમ ભાવનાને વધારવી, પોતાની ચારેય તરફ પ્રેમપૂર્ણ વાતાવરણ ઉત્પન્ન કરવાનો છે. આત્માના આ અંતિમ દ્વારા ખુલતાં જ આત્મદર્શનનો અલૌકિક આનંદનો અનુભવ થવા લાગે છે. આત્માના આનંદનું ઉદ્ગમ સ્થાન તો પ્રેમ જ છે. આ પ્રેમ તત્ત્વનું જે જેટલું અધિક રસાસ્વાદન કરી લે છે, એની આત્મા એટલી જ અધિક આત્મવિભોર રહે છે.

પતિ-પત્નીમાં, ભાઈભાઈમાં, મિત્ર-મિત્રમાં જ્યાં પણ સાચો પ્રેમ હોય છે ત્યાં તેઓ પોતાને અસાધારણ બળવાન અનુભવ કરે છે. કહેવાય છે કે નિર્જીવ વસ્તુઓ તો એક અને એક મળીને બે થાય છે પરંતુ સજીવ મનુષ્ય આ પ્રેમની દોરીથી બંધાઈને એક અને એક મળી અગિયાર થાય છે. આ જ આનંદમય કોશની સાધના છે. મનુષ્ય ગાયત્રીમંત્રના જાપ કરતાં કરતાં ચારેય તરફ પોતાની દિવ્ય સુગંધ વડે પરમ આનંદદાયક વાતાવરણનું નિર્માણ કરી શકે છે. માનવ-જીવનમાં જો કોઈ રસ છે, કોઈ સાર છે તો તે પ્રેમ જ છે. આ પ્રેમ ભાવનાથી જ ભગવાનને વશમાં કરી શકાય છે.

હવે બતાવ બેટા, આ પંચકોશી સાધનામાં કોઈને શું તક્લીફ હોઈ શકે છે ?” “હા ગુરુદેવ આપ ઠીક કહો છો. આ તો બહુ જ સરળ અને લાભદાયક છે.” અમે પૂરા સંતોષ સાથે કહ્યું.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: