GG-15 : ઉપાસના કેવી રીતે કરીએ -૨૮  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ઉપાસના કેવી રીતે કરીએ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ગુરુદેવ ! એક વાત બીજી બતાવો. લોકો ઘણીવાર કહે છે કે ઉપાસના માટે ન તો સમય મળે છે અને ન તો ઉચિત સ્થાન. નાના નાના પર છે, જ્યાં આખા પરિવારમાં કેટલાય લોકો રહેતા હોય છે. આવામાં ઉપાસના તથા જપ માટે એકાંત જ નથી મળતું. પછી શું કરવું.” અમે જીજ્ઞાસા પ્રગટ કરી. આ તો આજની બહુ જ ગંભીર સમસ્યા છે પરંતુ એનું સમાધાન પણ બહુ જ સરળ છે. ઉપાસના માટે સાફ સુથરું સ્થાન હોય, એકાંત હોય અને આસન લગાવી એકાગ્રચિત્ત થઈને બેસવાની સુવિધા હોય તો પછી વાત જ શું કરવી. આ રીતે બેસીને ઉપાસના તથા ધ્યાન કરવાથી મન પર બહુ જ સારો પ્રભાવ પડે છે. પરંતુ આ સુવિધા ન મળે તો શું કશું જ ન કરવું.

એક ઘોડેસ્વાર એક વખત ક્યાંક જઈ રહ્યો હ્તો. ઘોડો બહુ તરસ્યો હતો, ધંફી રહ્યો હતો, પણ રસ્તામાં ક્યાંય પાત્રી દેખાતું નહોતું. અચાનક એણે જોયું કે એક ખેતરના કિનારે બેઠેલો એક ખેડૂત રેંટ વડે કૂવામાંથી પાણી કાઢીને ખેતરમાં સીંચી રહ્યો હતો. બળદ ચાલી રહ્યા હતા, રેંટની માળા નીચે જતી હતી., પાણી લઈને ઉપર આવતી હતી. પાણી નીચે પડીને નળીમાં થઈને ખેતરમાં પહોંચી રહ્યું હતું. રેંટ ચાલવાથી સીંગીં અવાજ થઈ રહ્યો હતો. એણે ઘોડાને પાણી પિવડાવવા માટે આગળ વધાર્યો, લોડો ટના અવાજથી ગભરાઈને પાછો વળી ગયો. એણે ફરીથી પ્રયાસ કર્યો, તે ફરીથી પાછો હટી ગયો. એ સવાર લગામ પકડીને ઊભો રહી ગયો. થોડીવાર પછી ખેડૂતે પૂછ્યું, ‘ઊભો કેમ રહી ગયો, લોડાને પાણી કેમ નથી પીવડાવતો.’ સવાર બોલ્યો આ સીંગીં બંધ થાય તો પાણી પીવડાવું’ એના પર ખેડૂત હો અને બોલ્યો અરે આ ચીંચીં બંધ થઈ જશે તો પાણી પણ બંધ થઈ જશે પછી શું પિાવીશ. જો પિાવવું હોય તો આ સીંગીં માં જ પિવડાવી છે.’

તો બેટા આ જ મુખ્ય વાત છે. જગ્યા નથી, શોર બકોર છે, આખું પરિવાર એ ઓરડામાં રહે છે, બધી જગ્યાએ ચીંથી થઈ રહ્યું છે. પરંતુ જો ઉપાસના કરવી હોય, સાધના કરવી હોય, જપ કરવા હોય તો આજ ચીંચીં વચ્ચે કરવી પડશે. બાળકોની ચીંચીંમાં જ અનના થોડાને પાણી પિવડાવવું પડશે. જ્યાં પણ હો, જેવા પણ હો, જે સ્તિથિમાં હો, દરેક સમયે ગાયત્રી માતામાં ધ્યાન રાખો. બસમાં, ટ્રેનમાં, કારખનામાં, બજારમાં, ઘરમાં દરેક સમયે ચી-ચીંની વચ્ચે એનું ધ્યાન કરો. જ્યારે પણ સમય મળે જપ કરો. આ જ સાચી ગાયત્રી ઉપાસના છે. ‘ગુરુદેવ આ તો બહુ જ કઠીન કાર્ય છે. કહેવું તો સરળ છે. પરંતુ કરવું અસંભવ જેવું લાગે છે.” અમે શંકા વ્યક્ત કરી.

“હા બેટા ! દરેક કાર્ય કહેવામાં સહેલું અને કરવામાં મુશ્કેલ હોય છે. પરંતુ જ્યારે કરવા માટે મનને તૈયાર કરી દેશો તો તે જાતે જ સુગમ અને સરળ બની જશે. સારું ભક્ત પ્રહલાદની બાબતમાં તો જાણતો જ હોઈશ. એનાથી વધુ વિષમ પરિસ્થિતિઓ કોની રહી હશે. ક્યાં એક નાનકડો બાળક અને ક્યાં એક સર્વશક્તિમાન સમ્રાટ જેના ભયથી મનુષ્ય જ નહીં જીવજંતુ પણ કાંપતા હતા. આખા રાજ્યમાં ભગવાનનું નામ લેવા પર મૃત્યુદંડની સાનું વિધાન હતું. લોકો દરેક સમયે ‘હિરણ્યકશ્યપ નમઃ’ના જ જાપ કરતા હતા. પ્રહલાદ તો એ નિરંકુશ શાસકનો પુત્ર હતો. ઘર બહાર, દરેક જગ્યાએ, દરેક સમયે એને આ બધું સાંભળવા મળતું હતું. જેનો બાપ જ આટલો કુબુદ્ધિગ્રસ્ત હોય એ નાના બાળકની વિષમ પરિસ્થિતિઓની કલ્પના કરો. પરંતુ પ્રહલાદ પર ગાયત્રી માતાની કૃપા હતી, એનામાં સદ્ગુદ્ધિનું જાગરણ થયું હતું, એણે વિવેકથી વિચાર કરીને પોતાના પિતાની ક્રૂરતાના અસારને સમજ્યો હતો અને ઇશ્વરભક્તિના સાચા પાયા પર ચાલી નીકળ્યો હતો. એના દૃઢ નિશ્ચયને શું કોઈ ડગાવી શક્યું હતું ? ના, એના પિતાની બધી જ દૂર શક્તિઓ પણ એને વિચલત ન કરી શકી અને અંતમાં વિજય કોનો થયો સદ્ગુદ્ધિનો. તો બેટા, પ્રયાસ તો કરવો જ પડશે. ચી-ચીં અને છે

જ પડશે. એમ બની શકે કે પ્રહલાદની જેમ પૂરી સફળતા ન મળે પરંતુ કંઈને કંઈ લાભ તો થશે જ. જે કંઈ થોડુંધણું ફળ મળશે તે ગાયત્રીની પંચકોશી સાધનાનું વ્યાવહારિક રૂપ જ હશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: