જીવનને સુખી બનાવવાનો માર્ગ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા

જીવનને સુખી બનાવવાનો માર્ગ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા

ઉપરોક્ત વિવેચનથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે જો આપણે સંસારમાં સુખ અને શાંતિનું જીવન પસાર કરવું હોય તો હંમેશાં આ મનોવિકારોને નિયંત્રણમાં રાખવા આવશ્યક છે, જે આપણા માનસિક સંતુલનને નષ્ટ કરી એકાંગી બનાવી પતન તરફ ધકેલે છે. સુખ અને દુઃખ સંસારમાં આવે જ છે. એવી જ રીતે કોઈને કોઈ દૃષ્ટિથી કદાચ નાના-મોટા હોવું પણ પ્રકૃતિમાં ઘણીવાર જોવા મળે છે, પરંતુ આ વાતોને કારણે મનમાં ક્રોધ, ઈર્ષા, નિરાશા વગેરેનો ભાવ ઉત્પન્ન કરવો એ આપણો માનસિક દુર્ગુણ છે. મનુષ્ય એ જ છે કે બધી જ પરિસ્થિતિમાં શાંત રહી પોતાના કર્તવ્યનું પાલન કરતો રહે છે. જો તમો આ નિયમનું પાલન કરશો તો દુઃખના દિવસો, વિપરીત પ્રસંગો, સહજ રીતે દૂર થઈ જશે. એવા પ્રસંગે માનસિક સંતુલન સ્થિર રાખવું અને શાંતિ તથા દૃઢતાથી વિઘ્નો અને મુશ્કેલીઓનો પ્રતિકાર કરવો એ જ આપણે માટે સર્વાધિક હિતકારી છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: