૧૮૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૬૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૬૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉપસ્થાસ્તે અનમીવા અયક્ષ્મા, અસ્મભ્યં સન્તુ પૃથિવી પ્રસૂતાઃ । દીર્ઘ ન આયુ: પ્રતિબુધ્યમાના, વયં તુભ્યં બલિહૃતઃ સ્પામ ॥ (અથર્વવેદ ૧૨/૧/૬૨)

ભાવાર્થ : હે માતૃભૂમિ ! અમે તારા ખોળામાં જ મોટા થઈએ છીએ અને આરોગ્યવર્ધક પદાર્થો પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે સમય આવે ત્યારે તારા માટે બલિદાન આપવામાં પાછી પાની નહિ કરીએ.

સંદેશ : માતા તો આપણને ફક્ત જન્મ આપે છે, પરંતુ માતૃભૂમિ તો આપણું લાલનપાલન, પોષણ અને રક્ષણ કરે છે. એ જ આપણને રહેવા માટે આશરો આપે છે. અન્ન, જળ, વાયુ, ફળ, ઔષધિ, વનસ્પતિ, પશુ, ધન બધું જ આપણને આ સ્નેહમયી મા પાસેથી જ મળે છે. એના સ્વાસ્થ્યપ્રદ સંરક્ષણમાં રહીને આપણે શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ કરીએ છીએ. એના અપાર ઉપકારોની કોઈ મર્યાદા જ નથી. એનું માતૃઋણ ચૂકવવાનો પ્રયાસ કરવો તે આપણું કર્તવ્ય છે.

હે પરમેશ્વર ! અમે બુદ્ધ બનીએ, ઉત્તરોત્તર વધુ જ્ઞાનવાન બનીએ, આત્મિક રીતે જાગૃત બનીએ અને માતૃભૂમિ પ્રત્યે અમારી જવાબદારીઓને તન, મન, ધનથી નિભાવતા રહીએ.

આ ધરતીમાતા પ્રત્યેનું આપણું કર્તવ્ય પર્યાવરણનું સમતોલન જાળવી રાખવાનું છે. આપણે ધરતીમાંથી દરેક પ્રકારની ખનીજ, વનસ્પતિ અને ઔષધિનું દોહન કરતા રહીએ છીએ, પરંતુ તેના પોષણ પ્રત્યે ધ્યાન આપતા નથી. એટલું જ નહિ, ચારે તરફ જાતજાતની ગંદકી ફેલાવીને રાતદિવસ વધુ ને વધુ પ્રદૂષણ ફેલાવતા રહીએ છીએ. આપણા આ અજ્ઞાન ૫૨ અને સ્વાર્થપૂર્ણ આચરણ પર ધિક્કાર છે. ધરતીમાતા પ્રત્યે આ ઘોર પાપ છે. આપણે તાત્કાલિક એનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. આ સમયનો પોકાર છે. તેને ન સાંભળીને આપણે પોતે પોતાના પગ પર કુાડો મારી રહ્યા છીએ. વૃક્ષારોપણ અને વૃક્ષોનું સંરક્ષણ કરવું તે ધરતીનું જીવનરક્ષણ કરવા માટે સૌથી જરૂરી તત્ત્વ છે. આ હકીક્તની અવગણના કરીને આપણે જાતે જ આપણા સર્વનાશને આમંત્રિત કરી રહ્યા છીએ.

માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણોનું હસતાં હસતાં બલિદાન આપી દેવું તે ભારતના રાષ્ટ્રભક્તોની ગૌરવશાળી પરંપરા રહી છે, પરંતુ આજના રાજનેતાઓ, ધર્માચાર્યો, બુદ્ધિજીવીઓ બધા જ સ્વાર્થમાં આંધળા બનીને દેશને લૂંટવામાં અને વેચી દેવામાં પાછી પાની કરતા નથી. આપણી કર્તવ્યભાવના ક્યારે જાગૃત થશે ? આપણને ક્યારે સત્બુદ્ધિ આવશે અને આપણે આપણું સર્વસ્વ માતૃભૂમિનાં ચરણોમાં સમર્પિત કરવા ક્યારે તત્પર થઈશું ? ભાવનાત્મક નવનિર્માણની જરૂરિયાતનું મહત્ત્વ સમજનારા અને તેના માટે કંઈક ત્યાગ કરવાની હિંમત રાખનારા લોકો જ માતૃભૂમિનું આઋણ ચૂક્વી શકે છે. જેમના અંતઃકરણમાં દેશભક્તિ, સમાજસેવા, પરમાર્થ અને લોકમંગળ માટે કંઈક કરી છૂટવાની ભાવનાઓ લહેરાઈ રહી હોય એવાં નરરત્નો જ પોતાનું જીવન ધન્ય બનાવે છે અને આજના સમયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અધ કરે છે.

રાષ્ટ્રને આજે એવા સપૂતોની જરૂર છે કે જેઓ ધાર્મિકતાના સહારે ભાવનાત્મક નવનિર્માણના કાર્યમાં જોડાઈ શકે, ઘરસંસારમાં રહેવા છતાંય સાધુ બ્રાહ્મણની પરંપરાને નિભાવી શકે, એનાથી જનસમાનસનું શુદ્ધિકરણ થશે અને સદ્ગુણો તેમ જ સત્પ્રવૃત્તિઓની સુગંધથી દેશનો ખૂણેખૂણો મહેંકી ઊઠશે. પ્રાચીનકાળનુંભારત દેવોપમ મનુષ્યો અને સ્વર્ગીય પરિસ્થિતિઓથી ભરપૂર હતું, કારણ કે દેશવાસીઓનું રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉચ્ચ કક્ષાનું હતું અને માતૃભૂમિ પ્રત્યેનાં કર્તવ્યોનુંપૂરી પવિત્રતા અને ઈમાનદારીપૂર્વક પાલન કરવામાં આવતું હતું. વ્યક્તિગત સ્વાર્થનું રાષ્ટ્રહિત આગળ કોઈ જ મહત્ત્વ નહોતું.

જે માતૃભૂમિ આપણને બળ, બુદ્ધિ, દીર્ઘાયુષ્ય, સુખ, સંપત્તિ સર્વ કંઈ આપે છે તેના પ્રત્યે આપણે આપણું ક્તવ્ય નિભાવવું જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: