SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૪) અવ્યવસ્થાથી બચાવ । ઔષધિ વિના કાયાકલ્પ
September 5, 2022 Leave a comment
SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૪) અવ્યવસ્થાથી બચાવ । ઔષધિ વિના કાયાકલ્પ
અવ્યવસ્થાથી બચાવ : ભોજન અને કામની માફક તંદુરસ્તી કાયમ રાખવા માટે વ્યવસ્થા અને સંયમશીલતાનું પણ એક આગવું સ્થાન છે. દૈનિક કાર્યક્રમ નિયમિત થવો જોઇએ. સુવાનો, ભોજનનો, કામ કરવાનો, સ્નાન કરવાનો, નિત્યકર્મનો, વ્યાયામનો, સમય નિશ્ચિત હોવો જોઇએ. પરણેલાં યુગલોએ કામસેવનમાં મર્યાદા જાળવવી જોઇએ. ગર્ભધારણની ક્રિયા, સંતાન ઉત્પન્ન કરવાના સદ્ ઉદ્દેશ્યથી માસિક ઋતુ ધર્મ પછી ત્રણ ચાર દિવસ પૂરતી જ કરવી જોઇએ. મહીનામાં ચાર છ વખતથી વધુ વાર વિર્યપાત ન થવા દેવો જોઇએ. સીને સંતુષ્ટ રાખવા માટે વધારે કામસેવન કરવું જરૂરી છે એવો એ એક્દમ ખોટો અને નકામો ભ્રમ લોકોમાં ફેલાયેલો છે. ઘણી બધી સ્ત્રીઓ કામી પુરૂષની ઇચ્છા રાખતી નથી. તે સ્રીઓને તો પુરૂષાર્થી – સદાચારી – પ્રસન્ન મુખવાળા, સાચો પ્રેમ કરનારા જીવનસાથીની જરૂરિયાત છે. પતિ કામસેવનમાં અયોગ્ય હોય એવા ઘણાં ઉદાહરણો આપણે જાણીએ છીએ. વધારે પડતા કામસેવનથી રતિક્રિયાનું આકર્ષણ અને આનંદ ચાલ્યો જાય છે. પુરૂષ અને સી બંન્ને રજ અને વીર્યના રોગોથી પીડાય છે. માટે જ કામસેવન સંબંધી યોગ્ય વ્યવસ્થા બનાવી અને તે મુજબ દેઢતાપૂર્વક વર્તવું અત્યંત જરૂરી છે. આમાં અમર્યાદિત રહેવાથી તંદુરસ્તી ઉપર ઘણી જ માઠી અસર પડે છે.
દિવસભર કરવાનાં થતાં બધાં જ કામોનો વ્યવસ્થિત કાર્યક્રમ હોવો જોઇએ. જેનું જીવન નિયમિત અને સંયમિત હોય છે તે રોગોની જાળમાં ફસાતું નથી. તેની સાથે સાથે સાદાઇ અને સ્વાભાવિકતાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઇએ. કપડાંની વણજારની જરૂર નથી. ઝભ્ભો, ધોતિયું અને ચંપલ આટલું પહેરવાથી કામ ચાલી શકે છે. વધારે ઠંડીમાં અથવા વધુ પડતી ગરમીમાં શરીરનો બચાવ કરવા માટે જરૂરી પ્રબંધ કરી શકાય છે. વધારે પડતાં કપડાં પહેરવાથી સૂર્યનાં કિરણો અને પવન શરીરનાં બધા જ અંગો સુધી પહોંચી શકતાં નથી. પરિણામે પ્રકાશ અને હવાથી બચાવીને રાખવામાં આવેલા છોડ જેવી શરીરની દશા થાય છે. ઋતુઓના પ્રભાવથી હંમેશ માટે પોતાની જાતને બચાવીને ન રાખતી જોઇએ. ઠંડી-ગરમી અને વરસાદનો પ્રભાવ શરીરમાં મજબૂતી અને ચેતના પેદા કરે છે. રોગ તેમજ વિપરીત પરિસ્થિતિમાં સામનો કરવાની જરૂરી શક્તિ પેદા કરે છે. જે લોકો ગરમીના દિવસોમાં ખસની ટટ્ટી લગાવીને કે વીજળીના પંખા નીચે બેસી રહેતા હોય છે, ઠંડીમાં ઉનનાં અને રૂનાં ગરમ કપડાં પહેરી તાપણી પાસે તાપતા હોય છે, વરસાદમાં એક ટીપુ પણ પોતાના શરીર ઉપર પડવા દેતા નથી તેઓની શક્તિ ઘણી જ નિર્બળ થઇ જાય છે. વાતવાતમાં તેઓને શરદી, સળેખમ, લૂ લાગવી, માથું દુ:ખવુ, ઉધરસ આવવી વગેરે રોગોના શિકાર બનવું પડે છે. બીમારીઓ ઘણી જ સહેલાઇથી તેમને ઘેરી વળે છે, માટે જ ઋતુઓના વધારે પડતા પ્રભાવથી બચીને તે ઋતુઓનો થોડો ઘણો પ્રભાવ સહન કરવાનું રાખવુ જોઇએ.
સફાઇ, સ્વચ્છતા, પવિત્રતાની તંદુરસ્તી ઉપર ઘણી મોટી અસર પડે છે. પરસેવો પણ મુત્રની માફક જ ગંદો અને દૂષિત પદાર્થ છે. શરીર પર પહેરવામાં આવતાં કપડામાં દરરોજ પરસેવો લાગતો હોવાથી તે કપડાં દરરોજ ધોવ જોઇએ. દરરોજ તે કપડાંને સૂર્યની ગરમીમાં સૂકવવા જોઇએ. એવા ઘરમાં વાસ કરવો જોઇએ કે જ્યાં પ્રકાશ અને હવા સંપૂર્ણ રીતે મળતી હોય. શરીર, કપડાં અને મકાન આ ત્રણે હંમેશાં સ્વચ્છ, નિર્મળ-સુશોભિત અને સાફ સફાઈવાળાં રાખવાં જોઇએ. ભોજન અને પાણી તથા તેને રાખવાના સ્થાન વગેરે સ્વચ્છ સાફસુફીવાળા હોવા જોઇએ. સારી અને કીંમતી ચીજો પણ જો મેલી અને ગંદી હરશે તો તેનાથી કોઇ લાભ નિહ થાય.
હંમેશાં હસતા રહેવાની (હસમુખ રહેવાની) તથા પ્રસન્નતાઓનો અનુભવ કરવાની ટેવ પાડવી જોઇએ.
ગમે તેટલી ભારે મુશ્કેલીઓ આવી પડી હોય, ગમે તેવી વિપત્તિ આવી પડી હોય તો પણ મન ઉપર તેની બહુ ઘેરી અસર ન પડવા દેવી જોઇએ. શોક, ચિન્તા, ક્ષોભ, ગભરામણ, બેચેની, ઉદ્વિગ્નતા, વ્યાકુળતા, સોંપેલું કામ નહિ કરવાની વૃત્તિ આ બધાં તંદુરસ્તીનાં ભયંકર દુશ્મનો છે. ચાર દિવસ ભોજન ન મળવાથી શરીરને જે નુકસાન થાય છે તેના કરતાં પણ વધારે નુકસાન એક દિવસની ચિંતા, શોકાતુરતા તથા વ્યાકુળતાને કારણે થાય છે. આવા માનસિક વિક્ષેપોથી મુશ્કેલીઓમાં વધારો થાય છે અને તે દૂર કરવાનો ઉપાય જડતો નથી જેના પરિણામે મુશ્કેલીઓ ઘણી વધી જાય છે વિપરિત પરિસ્થિતિમાં પણ માનસિક સંતુલન કાયમ જાળવી રાખવું તે મુશ્કેલીઓથી છુટકારો મેળવવાનો સર્વોત્તમ ઇલાજ છે.
દરરોજ એક કલાક હસવું, એ એક ગ્લાસ દૂધ તથા નવટાંક ઘી કરતાં પણ અધિક બળવર્ધક છે. ખુશ રહેનારા, મલકાતા રહેનારા, પ્રસન્ન ચિત્તવાળા, હંમેશાં હસીને વાન કરનારા, ચહેરા ઉપર હંમેશા ઉલ્લાસ અને આશાન્ત કિરણો ધારણ કરનારા મનુષ્યો હંમેશાં તંદુરસ્ત હોય છે. એક શરીર શાસ્ત્રીએ કહ્યું છે કે પ્રસન્નતા અને તંદુરસ્તીનો આપસમાં બહુ જ મોટો ગાઢ સંબંધ છે પરન્તુ મને એ વાતની ખબર નથી કે લોકો તંદુરસ્તીને કારણે પ્રસન્ન રહેતા હોય છે કે પ્રસન્ન રહેતા હોવાને કારણે તદુરસ્ત હોય છે. પ્રસન્નતાની સ્વાસ્થ્ય (તંદુરસ્તી) ઉપર ઘણી જ ઘેરી અસર પડે છે તે વાત નિસંદેહ સાચી લાગે છે. ફ્રાન્સની એક કહેવત છે કે હસો અને જાડા થાઓ. જે હસે છે તેમની તંદુરસ્તી હંમેશાં કાયમ રહે છે. તેનાથી બીજી બાજુ કોધ કરવાવાળા, ઇર્ષાળુ, બીજાનો ઉત્કર્ષ જોઇ ઇર્ષા કરનારા, મનમાં ને મનમાં બળાવો કરનારા, આખો દિવસ દુર્ભાગ્ય અને દુઃખનાં રોદણ રોવાવાળા, બીજાઓ ઉપર દોષારોપણ કરવાવાળા, સંકુચિત મનોવૃત્તિવાળા લોકો પોતાના આ સંકુચિત અને દુષિત મનોભાવોના કારણે પોતાનું લોહી બાળતા રહે છે. તેમનું ખાધેલું પીધેલું મજરે મળતું નથી. મનોવિકારોની અગ્નિમાં તેઓની જીવનશક્તિ ધીમે ધીમે શેકાતી જાય છે અને તેઓ કમજોરી, બીમારી તેમજ અકાળ મૃત્યુના શિકાર બને છે. કપટ, છલ, જઠુ, ઢોંગ, ચોરી, દુરાચાર, અહંકાર વગેરે દોષોથી પણ તંદુરસ્તીને ભારે નુકસાન થાય છે.
મનને હંમેશા પ્રસન્ન, ચિતારહિત, નિર્દોષ, નિર્વિકાર રાખવું જોઇએ. હંમેશાં સુન્દર ભવિષ્યની આશા રાખવી જોઇએ. લોકો તરફ સદભાવના આત્મીયતા, પ્રિયતા અને ઉદારતાની દૃષ્ટિથી જોવું જોઇએ. ઇશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. નિશ્ચિંત રહેવું જોઇએ. પરમાત્માના ખોળામાં આપણું જીવન સુરક્ષિત છે એવો વિશ્વાસ રાખવાથી ઘણાખરા ભય અને સંદેહોથી છુટકારો મેળવી શકાય છે.
યાદ રાખો સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ચાર વાતોની જરૂર છે. (૧) ખાધે પદાર્થોની પસંદગી. (૨) ખાવાની પદ્ધતિ (૩) જરૂરી શ્રમ (૪) અવ્યવસ્થાથી બચાવ. આ ચાર વાતો ઉપર ધ્યાન રાખી અને તે પ્રમાણે આચરણ કરવું, કંઇ બહુ અઘરું નથી. મનને જરા સાવધાન કરી, થોડા દિવસો સુધી આ બાબત ઉપર પ્રયત્નપૂર્વક ધ્યાન રાખવામાં આવે તો પછી તે મુજબની ટેવ પડી જાય છે અને આ બધી વાતો સ્વભાવમાં સામેલ થઇ જાય છે. આ ચાર વાતો જ તમારા જીવનમાં ટેવ બની જાય તો તમારે સમજી લેવાનું કે તમે તંદુરસ્તી ઉપર સફળતાપૂર્વક વિજય પ્રાપ્ત કરી લીધો છે.
હે કાયાકલ્પની ઇચ્છા રાખનારાઓ આ ચાર વાતો ઔષધિ નથી. પરન્તુ તેનો તમારા જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો તે હજારો રૂપિયાની રંગબેરંગી દવાઓની બાટલીઓ કરતાં પણ અધિક કિંમતી છે. આ નિયમોનું પાલન કરો. તમારું શરીર એટલું તંદુરસ્ત બની જશે કે આજની તંદુરસ્તીના મુકાબલામાં તેને જરૂર કાયાકલ્પ કહી શકાશે.
પ્રતિભાવો