SV-02 : શરીર શુદ્ધિ અને કાયા-કલ્પ । ઔષધિ વિના કાયાકલ્પ
September 5, 2022 Leave a comment
SV-02 : શરીર શુદ્ધિ અને કાયા-કલ્પ । ઔષધિ વિના કાયાકલ્પ
પાછલા પાનાંઓમાં અંદરની સાફસૂફી રાખવાનો તથા આહારવિહારની પ્રકૃતિને અનુકૂળ વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આચરણનો તુરત જ સ્વાસ્થ્યની ઉપર અસાધારણ પ્રભાવ પડે છે. શરીરમાં ભારેપણ, ઉદાસી, થાક, ગભરાટ લાગતાં હોય તો ઉપવાસ, ફળાહાર અને એનિમા દ્વારા તે જ વખતે શરીરની ગઇ ગુજરી સ્થિતિમાં મદદ મળી શકે છે. નાના રોગોમાં તુરત જ લાભ દેખાય છે. ચિકિત્સા શાસ્ત્રોમાં પણ રોગમાં પહેલાં લાંઘણ કરવાનું-ઉપવાસ કરવાનું જણાવે છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે “બિમારને ભૂખે મારો”. ભૂખ્યા રહેવાથી રોગી મરતો નથી પણ બીમારી મરી જાય છે એનિમા લેતાંની સાથે જ શરીર હલકું ફૂલ બની જાય છે. માથાનો દુખાવો, શરદી, અરૂચિ, પેટનું દર્દ, આફરો . હેડકી જેવા રોગોમાં એનિમાનો ચમત્કાર તુરત જ દેખાઇ આવે છે. ઢાઢિયા નાવમાં પેટની સાફસૂફી કરવાથી તાવની ગતિવિધિ પર અસાધારણ નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે.
કાયાકલ્પ માટે જો લોકો એક અઠવાડિયાનો, પંદર દિવસનો અથવા વીસ દિવસનો સમય કાઢી શકે તેમ ન હોય તો તેઓ એક બે દિવસનો પ્રયોગ વચ્ચે વચ્ચે કરતા રહે તો તેમના સ્વાસ્થ્યની ગતિવિધિ સારી રીતે ચાલતી રહી શકે છે. અમાસ, પૂનમ યા બંને અગિયારશો આ કાર્યને માટે ઉપયોગમાં લઈ શકાય છે. એક રવિવાર વચ્ચે છોડી દઈને બીજા રવિવારે શરીર શુદ્ધિનો ક્રમ રાખી શકાય છે. અઠવાડિયામાં એક વાર, રવિવાર અથવા સોમવાર અથવા તો કોઈ ગમે તે બીજો દિવસ પોતાની સગવડતા મુજબ નક્કી કરી શકાય છે, જે દિવસે શરીરશુદ્ધિ કરવી હોય તે દિવસે વહેલી સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને એનિમા લેવી જોઈએ અને ઉપવાસ કરવો જોઇએ. સારી વાત તો એ છે કે તે દિવસે લીંબુ અને મીઠુ ભેળવેલા પાણી સિવાય બીજું કંઇ પણ ન લેવામાં આવે.પરન્તુ જો ન સહન થઈ શકે તેવી ભૂખ લાગે અથવા ઇચ્છા શક્તિની ઓછપને કારણે દરરોજ ખાવાની ટેવ ન ભૂલી શકાય તો ત્રીજા પહોરે રસીલા (રસવાળા) ફળોનો થોડો ફળાહાર કરવો જોઇએ. વધારે જરૂરિયાત જેવું લાગે તો થોડું દૂધ પણ લઇ શકાય છે. ઉપવાસના દિવસે પાણી ખૂબ જ પીવું જોઈએ. જેને રૂચિકર લાગે તે સોડા અથવા લેમન પણ પી શકે છે ઉપવાસનો દિવસ શારીરિક વિશ્રામ સાથે વિતાવવો જોઈએ. ભૂખ્યા પેટે વધારે મહેનત કરવાથી શરીરમાં થાક લાગે છે અને ઉપવાસથી જે શક્તિ એકઠી થવી જોઈએ તે થતી નથી. ઉપવાસના બીજા દિવસે હલકો, સાદો, સાત્વિક અને સુપાચ્ય ખોરાક બહુ જ થોડા પ્રમાણમાં લેવો જોઇએ જો કે બીજે દિવસે ભૂખ ખૂબ લાગે છે અને પેટ ખાલી હોવાથી તેમાં વધારે અન્ન ભરી શકવાની ગુંજાયશ પણ હોય છે. જો પાચનશક્તિની શિથિલતાનું ધ્યાન ન રાખીને ખાલી પેટ અને ભૂખની તીવ્રતાના પ્રમાણમાં વધારે આહાર કરવામાં આવશે તો અપચો થઈ જશે અને ઉપવાસનું બધું જ મહત્ત્વ નાશ પામશે.
એ યાદ રાખો કે ઉપવાસ કરવામાં એટલી સાવચેતીની જરૂર નથી કે જેટલી ઉપવાસ તોડવામાં જરૂરી છે. ઉપવાસના સમય દરમિયાન ફક્ત આપણા ચટાકાપણાનો અને દરરોજ ખાવાની ટેવનો વિરોધ કરવો પડે છે. પેટની વાસ્તવિક સ્થિતિમાં ઉપવાસથી રાહત મળે છે. તેનાથી ઉલટું ઉપવાસના અંતે પેટની ભૂખ ઘણી ઉત્તેજના ઉત્પન્ન કરે છે. પેટ ભરેલું હોય – ભારે હોય ત્યારે ટેવ સાથે સકળાવવું સહેલું છે. પરેજી પેટનુ ખાલી થવું આરામ પછી જાગેલી ભૂખ તથા દરરોજ પેટ ભરીને ખાવાની ટેવ આ ત્રણે સાથે ગોઠવવાનું ઘણું જ કઠીન હોય છે. આ સમયે વધારે વિવેકબુદ્ધિ તથા સંયમની જરૂર પડે છે. ઉપવાસ પછી પેટ ભરીને ખાવું ન જોઈએ. ગળ્યા અને જલદીથી ન પચી શકે તેવા ખાર્થે પદાર્થો ન ખાવા જોઈએ. એક દિવસ ઉપવાસ-બીજા દિવસનું પહેલું ભોજન આમ દોઢ દિવસની એક ઉપવાસની મર્યાદા છે. દોઢ દિવસમાં એક નાનો ઉપવાસ પૂરો થાય છે. પેટનું ભારેપણું ઓછું ન થાય તો ઉપવાસના દિવસે સાંજે તથા બીજે દિવસે સવારે પણ એનિમા લઈ શકાય છે. પરન્તુ જેનું પેટ એક જ એનિમાથી સારી રીતે સાફ થઈ ગયુ હોય તેણે વધારે વાર લેવાની જરૂર નથી.
આ નાની શરીરશુદ્ધિ ઓછામાં ઓછી મહીનામાં એક વાર તો અવશ્ય કરવી જોઇએ. ચૈત્રના મહીનામાં જ્યારે બિમારીઓ ફેલાવાની વરસાદની ઋતુ હોય છે ત્યારે આ પ્રકારે શરીરશુદ્ધિ ધણી જ જરૂરી છે જે દિવસોમાં બળિયા, કોલેરા, પ્લેગ, મેલેસ્સિા વગેરે રોગો ફેલાવાની સંભાવના હોય તેવા દિવસોમાં તો આ જાતની સફાઈ કરી પોાની જાતને બીમારીઓથી બચાવી લેવાની આ ઘણો જ સુગમ અને પ્રામાણિક પદ્ધતિ છે.
એનિમાના અભાવમાં તાત્કાલિક દસ્ત કરવા માટે એક પદ્ધતિ એ છે કે ગુદા માર્ગની અંદર એક નાનો સાબુનો ટુકડો અથવા મીઠાની એક નાની કાંકરી નાખવામાં આવે. થોડી જ વારમાં મોટા આંતરડાનો મળ દસ્તના રૂપે બહાર નીકળી આવશે. દસ્ત સાફ કરનારી દવાઓ આમાશય અને નાના આંતરડા ઉપર ઘણો પ્રભાવ પાડે છે. મોટું આંતરડુ કે જે મળ સંચયનું મુખ્ય સ્થાન છે તે દસ્ત કરનારી દવાઓથી વધારે પ્રભાવિત થતુ નથી. પરન્તુ એનિમા અથવા મળદ્વાર દ્વારા અંદર પહોંચાડવામાં આવેલા સાબુના ટુકડાનો, મોટા આંતરડા પર પ્રભાવ પડે છે અને તેમાંથી એકઠા (સંચિત) થયેલા મળની સફાઇ થઇ જાય છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે એનિમાની પદ્ધતિ જ સારી છે. સાબુ વગેરેથી આંતરડા ઉત્તેજીત થાય છે અને તેમાંથી પાણી નીકળે છે અને આ પાણીના પ્રવાહમાં દસ્ત થઈ જાય છે, તેથી આ બધી રીતે નિરહિત નથી. તેથી આ પદ્ધતિનો કાયમ ઉપયોગ ન કરવામાં આવે, જો કે આ પણ એક પતિ છે કે જે કોઈ સમયે ઉપયોગમાં લઈ શકાય છે.
શરીર શુદ્ધિ માટે અંદરની અને બહારની બન્ને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પેટને સાફ રાખવું લાભદાયક છે પણ સાથે સાથે બહારની સફાઈનુ પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ચામડીને ખૂબ ઘસી ધસીને તાજા પાણીથી સ્નાન કરવું જોઈએ જેથી ત્વચાના છિદ્રો સારી રીતે ખુલી જાય અને મેલ જમા થયેલો ન રહે. નાક, કાન, આંખ, મોઢું, દાંત તથા મળમૂત્રનાં છિદ્રો વગેરેની સાફસૂફીનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કપડાં ધોયેલાં હોવાં જોઈએ. શરીરને અડકનારાં કપડાં દરરોજ ધોવા જોઇએ. પથારીને દરરોજ તડકામાં સૂકવવી જોઈએ. રહેવાનું સ્થાન સ્વચ્છ હોય. ત્યાં હવા તથા સૂર્યનો પ્રકાશ પૂરેપૂરો પહોંચે છે કે નહિ તેનો સારી રીતે વિચાર કરવો જોઇએ. ખાવાપીવામાં જેટલી સફાઈ રાખી શકાય તેટલુ સારૂં. યાદ રાખો સાફસૂફીમાં નીરોગીતા છે અને દીર્ઘજીવન તેના ઉપર આધાર રાખે છે.
અંગ પ્રત્યાંગોની સફાઇ, પોષણ, વિકાસ તથા પુષ્ટિ માટે એક ઘણી જ સરસ પદ્ધતિ માલિસ છે માલિસ કરવાથી અંગ પ્રત્યાંગોની નાની નાની માંશપેશીઓને પણ સારો એવો અને જરૂરી વ્યાયામ મળી રહે છે. સાધારણ વ્યાયામથી ઘણી માસપેશીઓ પર ઘણું વધારે દબાણ પડે છે અને ઘણી માસપેશીઓ પર બીલકુલ દબાણ પડતું નથી. પરન્તુ માલિસ માટે દરેક પેશી ઉપર હલકી રીતે ગલીપચી કરતો હાથ ફરે છે જેમાં ત્યાંની નસ, નાડીઓ, જ્ઞાનતંતુ, મજજા, સ્નાયુ, માંસપેશી તેમજ હાડકાના સ્થાનો પર જેટલી જરૂર હોય તે રીતનું જ દબાણ પડે છે. હાથ હળવેથી ઘસાતા હોઇ એક વિદ્યુતધારાનું સંચાલન થાય છે જેનાથી નિયત અંગોમાં ઉત્તેજના ઉત્પન્ન થાય છે. પહેલવાનો જેટલું મહત્ત્વ વ્યાયામને આપે છે તેટલું જ મહત્ત્વ માલિસને પણ આપે છે. કોઇ પણ પહેલવાન એવો નહિ હોય કે જે શરીરની માલિસ ન કરતો હોય. તેલની માલિસ કરવામાં ન તેલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે હાથ સારી રીતે લપસતો રહે – ચામડી ઉપર ઘસારો ન પડે અને વાળ ન તૂટે. આ ત્રણ લાભો સિવાય બીજા જે કાઈ લાભો થાય છે તે બધા માલિસથી થતા લાભો છે.
માલિસથી રોગોની સારવારમાં બહુ મોટો અને મહત્ત્વપૂર્ણ લાભ થાય છે. માથું દુ:ખે તો માથુ દબાવવાની પ્રથા બધા જાણે જ છે. રસ્તામાં ચાલતાં થાકી ગયેલા લોકોના પગ દબાવવામાં આવે છે. પેટમાં દર્દ થતું હોય તો પેટ પર હાથ ફેરવવાનો ઉપચાર કરી શકાય છે. દર્દવાળી જગ્યાએ તેલની માલિસ કરવાની ડોકટરો સલાહ આપે છે. કમજોર પ્રસૂતા સ્ત્રીઓને તેલ માલિસ કરવામાં આવે છે. નવા જન્મેલા બાળકને તેલ લગાવવાનું હવે રોજીંદુ કામ બની ગયુ છે. નપુસકતાનો રોગી નસોની માલિસ કરે છે. પરદેશોમાં મર્દન ચિકિત્સા’નો હવે ઘણો પ્રચાર થવા માંડ્યો છે. ત્યાં માલીસ વડે કઠણ રોગોના ઈલાજ કરવામાં આવે છે. આપણા દેશમાં અંગ મચકોડાઈ જવું, હાડકું ભાગવું, બેઠોમાર, સંધિવા ડુંટીની આમોઈ ખસી જવી વગેરે રોગીની માલિસ વડે સારવાર કરનારા ઘણા ડોકટરો મોજૂદ છે. એમાંના કેટલાક તો એવા છે કે જે સંગ્રહણી, ક્ષય, દમ જેવા કઠણ રોગોનો માલિસના આધાર પર ઇલાજ કરે છે. માથાની માલિસ કરનારા ઘણા લોકો પોતાની આ કલામાં ઘણા પાસ્ગત હોય છે અને પોતાના હાથની કારીગરીથી માથાને આરામ પહોંચાડવાની જ મજૂરી દ્વારા સારા એવા પૈસા કમાઈ લે છે.
મહાત્મા ગાંધી વૃદ્ધાવસ્થામાં પણ એટલો બધો પરિશ્રમ કરતા હતા કે તેઓ શક્તિ પ્રાપ્ત કરવા માટે દરરોજ બે ક્લાક તેલની માલિશ કરાવતા હતા. પ્રાકૃતિક સારવારમાં માલિસના મોટા વિસ્તારમાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. કાયાકલ્પની ઈચ્છાવાળાઓએ પોતાના દૈનિક કાર્યક્રમમાં માલિસને પણ થોડું સ્થ!ન અવશ્ય આપવું જોઈએ. જો કોઈ સહયોગી મળી જાય તો અરસપરસ એકબીજાની સહાયતાથી શરીરના દરેક અંગોની માલિસ કરવી જોઇએ. જે લોકો નોકરો પાસેથી અથવા ઘરની વ્યક્તિઓ પાસેથી આ કામ કરાવી શકે છે તેમનો વાંધો નહિ. પરન્તુ જેઓ આ બંનેમાંથી એક પણ સાધન ન મળે તેઓ જાતે પોતાના હાથે કરી લે. પીઠનો થોડો ઘણો ભાગ એવો રહી જાય છે કે જેની આપણા હાથે સારી રીતે માલિસ થઇ શકતી નથી. પરન્તુ જેટલી થઇ શકે છે ને કંઇ ઓછી મહત્ત્વપૂર્ણ નથી. તેથી જ જેઓને માલિસમાં બીજા કોઇનો સહયોગ ના મળી શકે તેમણે પોતે પોતાના હાથે જ માલિસ કરવી જોઈએ. નૅલ sy માલિસની ૧૫-૨૦ મિનીટ પછી સ્નાન કરવું જોઈએ. સ્નાન વેળાયે મોટા ખાદીના ટુવાલથી શરીરને લૂછવાથી ચિકાશ દૂર થઈ જાય છે અને કપડાં ખરાબ ધવાનો ડર રહેતો નથી. માલિસ કરતી વખતે હાથનું દબાણ હૃદયની તરફ વધારે રહેવું જોઇએ. ધડથી નીચેના ભાગોને માલીસ કરતી વખતે નીચેથી ઉપરની તરફ માલીસ કરવી જોઈએ. માયું, ખભા, ગરદન વગેરેને માલીસ કરતી વખતે છાતી તરફ તમારા હાથ છાતી તરફ વધારે જવા જોઇએ. આમ તો ઉપર નીચે બંને બાજુ ચોળવું જોઈએ પરન્તુ હલકા અને કઠણ હાથે માલિસ કરતી વખતે હૃદયની દિશા ન ભૂલાવી જોઈએ. માલીસ કરવાથી સ્વાસ્થ્ય પર ઘણી જ સારી અસર પડે છે.
ઉપર બતાવ્યા મુજબ આચરણ કરવાથી ઔષધિ વિના કાયાકલ્પ થઈ શકે છે. કમજોર બલવાન બની શકે છે અને રોગી પોતાના રોગોથી છૂટકારો મેળવી શકે છે. દવાઓથી થતો કાયાકલ્પ અસ્થાયી હોય છે પણ પ્રાકૃતિક રહેણીકરણીથી સુધારવામાં આવેલ સ્વાસ્થ્ય લાંબા સમય સુધી ટકી રહે છે.
દરેક સ્વાસ્થ્ય સુધારવાની ઇચ્છાવાળાએ એક વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ કે આ વિષયમાં અતિશય કલ્પનાઓના ઘોડા ના દોડાવે. મોટા મનમાં લાડવા ના વાળે. સાધારણ રીતે રોગી ન થવું પડે અને શારીરિક વેપાર સારી રીતે ચાલતો રહે તે ઓછા સંતોષની વાત નથી. મનુષ્ય સમાજ કે જેણે અકુદરતી આહારવિહાર અને રહેણીકરણીને અપનાવી છે તે એ જ લાગનો છે કે તે હંમેશાં રોગોની જાળમાં ફસાયેલો રહે. ઘણી જાતની ચિકિત્સા પદ્ધતિઓ અમલમાં આવી છે. દવાની દુકાનો લાખો કરોડો કિવન્ટલ દવાઓથી ભરેલી પડી છે પરન્તુ આનાથી સ્વાસ્થ્ય સુધારમાં થોડી ઘણી પણ પ્રગતિ થયેલી દેખાતી નથી. લગભગ ૯૫ ટકા લોકો નાના મોટા રોગોથી ઘેરાયેલા છે. પૂર્ણરૂપે સ્વસ્થ્ય મનુષ્ય શોધવો હશે તો ભારે પ્રયત્ન કરવો પડશે. જે લોકો જાડા અને મજબૂત દેખાય છે તેમની તપાસ કરતાં તેમનામાં પણ ઘણી જાતના રોગો જોવા મળશે. આવી દશામાં હાલના અકુદરતી આહાર વિહારમાં સારા સ્વાસ્થ્યની વ્યાખ્યા આ પ્રમાણે કહી શકાય કે શરીર કષ્ટથી મુક્ત રહે અને જીવનક્રમ ચલાવવા જેટલી શક્તિ પ્રાપ્ત થતી રહે. આટલા માટે પણ કરોડો મનુષ્યો તલસે છે. આ પુસ્તકમાં બતાવેલ વિધાનમાનું આશિક આચરણ કરનાર મનુષ્ય પણ તંદુરસ્તીને પ્રાપ્ત કરી શકે છે અને જીવનચક્રને સારી રીતે ચલાવવા યોગ્ય જીવન શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આજની પરિસ્થિતિમાં આટલું હોવું પણ કાયાકલ્પથી કોઈ રીતે ઓછું ન ગણી શકાય.
પ્રતિભાવો