આંતરિક વિકારોનાં ખરાબ પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
આંતરિક વિકારોનાં ખરાબ પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
જે કારણે શરીરમાં વિકાર અને ભાતભાતના રોગ થાય છે તે શરીરની એકઠી થયેલી ગંદકી જ છે. આપણે આચરકૂચર ખાઈએ છીએ, અભક્ષ્ય પદાર્થો ખાઈએ છીએ, ઘર, કારખાનાં કે ઓફિસમાં પડ્યા રહીએ છીએ. એટલા માટે શરીર અને આંતરડામાં દૂષિત પદાર્થો એકઠા થાય છે. આ પદાર્થોના ઢગલા કેટલાક દિવસો સુધી પડ્યા રહે છે અને લોહીને દૂષિત બનાવે છે, પાચનતંત્રને મંદ બનાવી દે છે અને એકંદરે શરીર અંદરથી અને બહારથી રોગી તથા દુર્બળ બની જાય છે. આવી સ્થિતિમાં પેટને થોડો સમય વિશ્રામ આપવો ખૂબ જરૂરી છે.
ભોજન બંધ કરી દેવાથી લોહી બગડતું અટકે છે અને રોગ થવાની શક્યતાઓ દૂર થાય છે. આપણા શરીરના જ્ઞાનતંતુઓ પર વધારાનો બોજ પડતો નથી. એટલે તેમનું બળ વધી જાય છે અને ઓજસ વધે છે. ન પચેલો અથવા થોડો પચેલો જે કંઈ ખોરાક પેટમાં પડ્યો રહ્યો હોય તે ધીરેધીરે પચી જાય છે અને પેટ વધતું અટકે છે. ડૉ. લિંડહર લખે છે, ઉપવાસમાં શરીરે પેટમાં એકઠું થયેલું વાપરવું પડે છે, પણ તે પહેલાં શરીરની ઘણી ગંદકી અને ઝેરી પદાર્થો બહાર ફેંકાઈ જાય છે. જ્યારે આપણે જાણી લઈએ છીએ કે આપણું સમગ્ર પાચનતંત્ર ૨૬ ફૂટ લાંબું હોય છે, જેની શરૂઆત મોંથી અને અંત ગુદાદ્વારથી આવે છે, જે કેટલાય કોષો અને ગ્રંથિઓથી બનેલું છે, જેનું કામ ગંદકી બહાર ફેંકવાનું છે ત્યારે લાંબા ઉપવાસનો પ્રભાવ આપણે સારી રીતે સમજી શકીએ છીએ.”
હકીકતમાં ઉપવાસ આપણા વર્ષોથી એકઠા થયેલા મેલને-ઝેરને બહાર ફેંકી દઈ નવજીવન આપે છે, નવો પ્રાણ ફૂંકે છે. શરીરની ગંદકી અને ઝેર ઉપવાસ દરમિયાન પીધેલા પાણી દ્વારા સરળતાથી બહાર નીકળતાં રહે છે. અનેક રોગીઓને આ કારણથી ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે, જેનાથી આંતરડાંને અંદર સંઘરાયેલો કચરો બહાર ફેંકી દઈ સફાઈ કરવાની તક મળે. જેઓ પૂરી સફાઈ ચાહે છે તેઓ કુદરતી ઉપચારના દાક્તરની દેખરેખમાં લાંબા ઉપવાસ કરે છે. સંચિત મળ ધીમે ધીમે નીકળે છે અને સફાઈ પછી કબજિયાત સંપૂર્ણ દૂર થાય છે.
પ્રતિભાવો