પવિત્રતા અને મનોવિકારોનો સંબંધ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
પવિત્રતા અને મનોવિકારોનો સંબંધ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
આમ તો પવિત્રતા અને સ્વચ્છતાને મુખ્યત્વે શારીરિક કાર્ય માનવામાં આવે છે, પણ મનોવિકારો સાથે પણ તેમનો ગાઢ સંબંધ છે. આમ જોવા જઈએ તો બધાં સાંસારિક કાર્ય આપણી બાહ્ય ઈન્દ્રિયો અને હાથપગ દ્વારા જ થાય છે, પણ તેમનું સંચાલન મગજ દ્વારા થાય છે. આપણું મગજ જ સારીનરસી ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ રાખે છે, જેનો પ્રભાવ આપણા શરીર પર સંપૂર્ણ રીતે પડે છે.
કેટલાક લોકો એમ માને છે કે કામ, ક્રોધ, લોભ વગેરે મનોવિકારોનો સંબંધ માત્ર આધ્યાત્મિક જીવન સાથે છે. ભૌતિક વાતો સાથે તેમનો સંબંધ નથી, પણ આ સાચું નથી. પરમાત્માએ માનવીની રચના એવી કરી છે કે ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસાં એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભૌતિક પાસું બગડે તો તેનો પ્રભાવ આધ્યાત્મિક જીવન પર પડે છે. આપણાં કામ, ક્રોધ વગેરે એક પ્રકારનું ઝેર છે, જે મનમાં પ્રવેશીને ત્યાં અડ્ડો જમાવી લે છે અને આપણી અંદરનાં શારીરિક અંગોને ગંદાં બનાવી દે છે. આ ઝેર તેના કાળા ધુમાડાથી શરીરની ધાતુઓને ઝેરી બનાવી દઈ તેમને રોગોનાં કેન્દ્ર બનાવી લે છે. જો આ વિકારો દૂર કરી જીવનને પ્રસન્નતા, પ્રેમ, સૌંદર્ય અને પવિત્રતાના ભાવોથી ભરી લેવામાં આવે, તો માનવી ઘણા ઓછા સમયમાં સંપૂર્ણ સ્વસ્થ બની શકે છે. એ કહેવાની જરૂર જ નથી કે સ્વાસ્થ્ય જ સૌંદર્ય છે, એક જ સિક્કાની બે બાજુ છે.
પ્રતિભાવો