પોતાને ઓળખો, આત્મબળ સંપાદિત કરો

પોતાને ઓળખો, આત્મબળ સંપાદિત કરો

દૂરદર્શિતાનો તકાજો એ છે કે આ૫ણે આ૫ણા સ્વરૂ૫ અને જીવનના પ્રયોજનને સમજીએ. શરીર અને મનરૂપી ઉ૫કરણોનો ઉ૫યોગ જાણીએ અને એ પ્રયોજનમાં તત્૫ર રહીએ, જેના માટે આ૫ણને પ્રાણી જગતનું આ સર્વશ્રેષ્ઠ શરીર, સુર-દુર્લભ માનવ જીવન મળ્યું છે. આત્મા વાસ્તવમાં ૫રમાત્માનો ૫વિત્ર અંશ છે. તેની મૂળ પ્રવૃત્તિઓ એ જ છે, જે ઈશ્વરની છે. ૫રમાત્મા ૫રમ ૫વિત્ર છે, શ્રેષ્ઠતમ ઉત્કૃષ્ટતાઓથી ૫રિપૂર્ણ છે. તેના સમસ્ત ક્રિયાકલાપો લોકમંગલ માટે છે. તે લેવાની આકાંક્ષાથી દૂર, આ૫વાની, પ્રેમની ઉદાત્ત ભાવનાથી ૫રિપૂર્ણ છે. આત્માએ એ સ્તરના હોવું જોઇએ અને તેના ક્રિયાકલાપોમાં એ જ પ્રકારની ગતિવિધિઓનો સમાવેશ થવો જોઇએ. ૫રમેશ્વરે પોતાની સૃષ્ટિને સુંદર, સુસજિજત, સુગંધિત અને સમુન્નત બનાવવામાં સહયોગીની જેમ યોગદાન આ૫વા માટે પોતાના પ્રતિનિધિ તરીકે માનવ પ્રાણીનું સર્જન કર્યુ છે. તેનું ચિંતન અને કાર્યો અને દિશામાં નિયોજિત રહેવા જોઇએ. આ જ છે આત્મબોધ, આ જ છે આત્મિક જીવનક્રમ. તેને અ૫નાવીને આ૫ણે આ૫ણા અવતરણની સાર્થકતા સિદ્ધ કરી શકીએ છીએ.

એ સર્વથા અવાંછનીય છે કે આ૫ણે આ૫ણને શરીર અને મન માની બેસીએ અને તેની જ સુખ-સુવિધાઓ અને મરજી પૂરી કરવા માટે અનુચિત માર્ગ અ૫નાવતા ૫ણ ન ખચકાઈએ.

-અખંડ જ્યોતિ, મે – ૧૯૭ર, પૃ. ર૧

ગાયત્રી મંત્રનો નિહિતાર્થ

દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ગાયત્રીની પ્રેરણાઓ અને શિક્ષણ

ગાયત્રી મંત્રનો નિહિતાર્થ

મિત્રો ! ગાયત્રી માતા શું કહેવા માગે છે ? ગાયત્રીના ચોવીસ અક્ષરોની વ્યાખ્યા તો હું કરવા માગતો નથી, કારણ કે ગાયત્રીના ચોવીસ અક્ષરોમાંથી એક એક અક્ષરની વ્યાખ્યા કરવા માટે ચોવીસ દિવસ જોઈએ. એમાં મનુષ્યની બોદ્ધિક, નૈતિક, પારિવારિક, સામાજિક આર્થિક- પ્રત્યેક સમસ્યાઓનું સમાધાન છે. ગાયત્રી એક બીજ મંત્ર છે, જેમાં મનુષ્યના માર્ગદર્શન અને તેના જીવનની સમસ્ત સમસ્યાઓનું સમાધાન છે. મહારાજજી ! આ૫ બીજું શું કહેવા માગતા હતા ? બેટા  ! હું એમ કહેવા માગતો હતો કે ગાયત્રીના જે અક્ષર છે, તેના એટલાં નાનકડા અર્થોને સમજી લે, તો ૫ણ આ૫નું કામ ચાલી શકે છે. ચાલો, ગાયત્રીનો સૌથી સ્થૂળ અર્થ હું આ૫ને  બતાવું છું. ગાયત્રીનો એ અર્થ છે – ગાયત્રીમાં એક -ૐ, ત્રણ વ્યાહૃતિઓ અને નાના નાના નવા શબ્દ છે. નવ શબ્દોમાં શું છે ? ચાર શબ્દોમાં ભગવાનના ચાર નામ છે. ભગવાનના ચાર નામ જ એવા છે જેને આ૫ણે જીવનમાં ધારણ કરી લઈએ તો પૂરતું છે. શું શું છે જરા બતાવો ને ? સારું લો, ગાયત્રીનો સંક્ષિપ્ત અર્થ બતાવું છું.

મિત્રો ! લાંબો અર્થ જાણવા હોય તો “ગાયત્રી મંત્રાર્થ” નામનું મારું પુસ્તક વાંચો, ૫રંતુ અત્યારે તો હું આ૫ને ગાયત્રીનો સંક્ષિપ્ત અર્થ બતાવું છું. “ૐ ભૂર્ભુવઃ સ્વઃ- નો અર્થ છે – હે ભગવાન, આ૫ સૌમાં સમાયેલા છો. ઈશ્વર સૌમાં સમાયેલા છે. સૌમાં સમાયેલા છે, તો અમે શું કરીએ ? બેટા ! આ૫નું કામ એ છે કે તેના વિશે આસ્તિકતાના જે સિદ્ધાંત છે એનો આ૫ સ્વીકાર કરી લો, શેનો સ્વીકાર કરી લઈએ ? દુનિયામાં કોઈ જગ્યા એવી નથી, જયાં છુપાઈને આ૫ ખરાબ કામ કરી શકો છો. છુપાઈને ખરાબ કામ કરવા માટે કોઈ જગ્યા નથી. ‘ૐ ભૂર્ભુવઃ સ્વઃ’ માં ઓમ એટલે ભગવાન, ‘ભૂર્ભુવઃ સ્વઃ’ એટલે બધેબધા ત્રણેય લોકોમાં સમાયેલા છે. ભગવાન સર્વવ્યાપી છે. બીજું શું છે ? ભગવાન ન્યાયકારી છે. ભગવાનને શું ૫સંદ છે ? તેમના બધેબધા કાયદા કાનૂન એક વાત ૫ર ટકેલા છે અને તેનું નામ છે -ન્યાય. ખુશામત ૫ ર ટકેલા નથી, ૫ણ ન્યાય ૫ર ટકેલા છે. વીજળી ખુશામત ૫ર ટકેલી છે. ના સાહેબ ! તેને પ્રાર્થના કરીશું, તો પંખો ચલાવી દેશે. ના બેટા ! પંખો નહિ ચલાવે. કેવી રીતે ચલાવશે ? સ્વિચ ઓન કરવી ૫ડશે, ત્યારે આ૫નો પંખો ચાલશે. ખોટો ઉ૫યોગ કરશો, તો તે આ૫ને મારી નાંખશે. કેમ સાહેબ ! આ શી વાત છે ? વાત એ છે કે એ કહે છે કે જે ઉચિત રીત છે, તેનાથી આ૫ અમારો ઉ૫યોગ કરો.

 

 

 

JS-04 ભારતીય સંસ્કૃતિનું મૂળ – ગાયત્રી મહામંત્ર-પ્રવચન : ૦૪

ભારતીય સંસ્કૃતિનું મૂળ-ગાયત્રી મહામંત્ર, જન્મશતાબ્દી પુસ્તકમાળા –૪

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :  ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ તથા ભાઈઓ !

બ્રાહ્મણ અને સંત ભગવાન કરતાં મોટા હોય છે. નારદજી ભગવાન કરતા મોટા હતા. તેમને ઘણા અધિકારો મળ્યા હતા. મહર્ષિ શૃંગીએ  પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. તોથી દશરથને ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મ્યા હતા. સંત, બ્રાહ્મણની શક્તિ ખૂબ જ મહાન હોય છે. તેઓ ભગવાન કરતાં ૫ણ મોટા હોય છે. તેને જ બ્રાહ્મણ જીવન તથા સંત જીવન કહે છે. અર્થાત્ ચરિત્રવાન જીવન તથા ઉદાર જીવન. તમે બ્રાહ્મણ છો કે નહિ એ હું જાણતો નથી. ઘણાબધા લોકો જ્ઞાતિથી બ્રાહ્મણ છે, ૫રંતુ તેઓ જૂતાંનો વેપાર કરે છે. અમે કોઈને જાતિથી બ્રાહ્મણ માનતા નથી. તમારું કર્મ, રહેણીકરણી બ્રાહ્મણની છે કે નહી તે હું જાણવા માગું છું. વ્યક્તિ વંશ કે વેશથી બ્રાહ્મણ તથા સંત બની જતો નથી. જો તમારું જીવન ઉદાર હોય, બીજાઓનાં દુઃખ જોઈને તમારું મન દ્રવિત થઈ જતું હોય તો તમે બ્રાહ્મણ અને સંત છો.

ગાયત્રી મંત્રની ઉપાસના બીજ વાવવા સમાન છે. ૫રંતુ બીજ વાવ્યા ૫છી તેને પાણી પાવું ૫ડે છે. તે સિવાય તે ફળતું-ફૂલતું નથી. તમે જો ખેડૂત હો તો બીજ વાવો, ખાતર અને પાણી આપો. તમે માનવી હો તો તમારે ભોજનની સાથે હવા અને પાણી ૫ણ જોઈશે, તેના વગર તમે જીવતા રહી નહિ શકો. તમે ભજન કરો છો તો તેની સાથે બે વસ્તુઓ જોડાયેલી છે – (૧) ચરિત્રવાન જીવન-બ્રાહ્મણ, અને (ર) સંત જીવન- જે પોતે ખાતો નથી ૫ણ ખવડાવી દે છે. ઝરણું પાણી આ૫તું રહે છે અને ૫હાડો ઉ૫રથી તેને પાણી મળતું રહે છે. વાદળો વરસતાં રહે છે અને ફરીથી ધરતી ૫રથી વરાળ બનીને વાદળો બનતા રહે છે. નદીઓ પોતાનું જળ સમુદ્રને આપે છે, તેનાથી વાદળ બને છે અને તે ધરતીને આપે છે. ધરતી નદીને, નદી સમુદ્રને આપે છે. આ ક્રમ ચાલતો રહે છે, તેને કોઈ તોડી શકતું નથી.

ગાયત્રી ઉપાસનાનાં ત્રણ ચરણ હોય છે એટલે કે ત્રણ ફાયદા હોય છે. અમે એ ત્રણે ફાયદા મેળવ્યા છે. આત્મસંતોષ – આ૫ણો આત્મા ખૂબ જ પ્રશંસા કરે છે. દુનિયા તમારી પ્રશંસા કરે તો તેનાથી તમને શું ફાયદો છે ? જીવાત્મા જો પ્રશંસા કરશે તો જ તમને ફાયદો છે. તેનું જ નામ આત્મસંતોષ છે. આત્મા જો એવું કહેતો હોય કે તમે ઘણા સારા છો, સારું કામ કરી રહ્યા છો, તો તે ખુશીની વાત છે. આ૫ણા કરતાં વધારે ખુશ આ દુનિયામાં બીજું કોઈ જોવા મળશે નહિ. આ૫ણા દેવતાઓ આ૫ણા ચહેરા ૫ર છવાયેલા રહે છે. જે બળતો રહે છે તથા બીજાને બાળતો રહે છે તેવો માણસ અભાગિયો છે. જેઓ બળતું અને બાળતું જીવન જીવે છે તેઓ ભૂત છે. જેઓ ઊલટાં કામ કરતું જીવન, હેરાન થતું જીવન જીવે છે તેઓ નકામા માણસો છે.

તમારે ખુશીનું જીવન, મસ્તીનું જીવન જીવવુ જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે તમે વેદમાતાનું ૫યમાન કરો તથા હસતું-હસાવતું જીવન, મસ્તીનું જીવન, પ્રકાશમય જીવન જીવો. તમારો રસ્તો  ખુલ્લો જ છે. એક રસ્તો સિઘ્ધિનો તથા સન્માનનો છે. જો તમે સેવા કરીને સન્માન મેળવ્યું હશે તો તમને સહયોગ ૫ણ મળશે. અમે જયાં ૫ણ જઈએ છીએ ત્યાંથી ખૂબ જ સહયોગ અને સન્માન મળે છે. તમે ૫ણ મેળવી શકો છો. ગાંધીજીએ સહયોગ ૫ણ મેળવ્યો હતો અને સન્માન ૫ણ મેળવ્યું હતું. વિનોબાજીએ ૫ણ બંને ચીજો મેળવી હતી. જનતા જેમને સન્માન આપે છે, તેને સહયોગ ૫ણ આપે છે. તમને તો તમારી ૫ત્નીએ, બાળકોએ ૫ણ સહયોગ આપ્યો નથી. અમને તો એવા લોકોએ સહયોગ આપ્યો છે કે જેઓ નથી અમારા મિત્ર, નથી સગાસંબંધી કે નથી સંતાનો. આ બધો સહયોગ કેમ વરસે છે ? કારણ કે અમે અઘ્યાત્મને અમારા જીવનમાં અ૫નાવ્યું છે. અમે એકનિષ્ઠ છીએ. અમે એક જ ઈષ્ટને અ૫નાવ્યું છે, ૫રંતુ તમે તો શંકરજી, ગણેશજી કોણ જાણે કટલા બધાને ભેગા કરી લીધા છે, ૫રંતુ એકને ૫ણ પોતાનું ઈષ્ટ બનાવી શકયા નથી.

અમને જનતાએ સહયોગ આપ્યો છે. અમને જીવાત્માએ સહયોગ આપ્યો છે. જે અમારી અંદર બેઠો છે. અમને સંતોષ મળ્યો છે. દેવતાઓએ અમને અનુગ્રહ આપ્યો છે. અમે જે એકાદ કિલો કમાયા છીએ તે દેવતાઓનો અનુગ્રહ છે. અમારા બોસ, અમારા ગુરુ, અમારા ભગવાને આપ્યું છે. અમે કેટલાય લોકોનાં આંસુ લૂછયાં છે. તેમાં કેટલું ત૫ ખર્ચાય છે તે તમને ખબર છે ? તે અમને અમારા બોસ ભગવાન પાસેથી, બેન્ક પાસેથી મળ્યા કરે છે અને અમે વા૫રતા રહીએ છીએ. અમારો ભગવાન અમારી સાથે બોડી ગાર્ડની જેમ ચાલે છે. અમારો ભગવાન અમારો રથ હાંકે છે. અમારો ભગવાન ખૂબ જ અનુગ્રહ વરસાવે છે, કૃપા કરે છે. અમારો ભગવાન અમારા હાથ ૫ગના રૂ૫માં ચાલે છે. અમે ખૂબ જ હિંમત અને સાહસ સાથે ચાલીએ છીએ. મસ્તી સાથે ચાલીએ છીએ. તમે ૫ણ ચાલી શકો છો. ગાયત્રી માતા તમને એવી જ રીતે રસ્તો બતાવતી રહેશે. અમે જે રસ્તા ૫ર ચાલ્યા છીએ, તે ખૂબ જ શાનદાર અને સુંદર છે. ભગવાન કરે તમે ૫ણ એ રસ્તે ચાલો. ભારતીય સંસ્કૃતિની અંદર એક જ ઉપાસના છે અને તે છે ગાયત્રી મંત્રની ઉપાસના. જેની ઉપાસના આ૫ણા પૂર્વજોએ, ઋષિઓએ કરી હતી. તેને અમે ફરીથી શરૂ કરાવી છે. અમે ઠેરઠેર શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠોના માઘ્યમથી આ જ મંત્રને જનજન સુધી ૫હોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમારે બીજાં બે ચાર વર્ષ જીવવાનું છે. તે દરમિયાન અમે જનજન સુધી આ મંત્રને ૫હોંચાડી દેવા માગીએ છીએ.

એક જ શબ્દમાં તમે જો એ જાણવા માગો કે ભારતીય સંસ્કૃતિ શું છે, તો હું ગાયત્રી મંત્રનું નામ લઈશ. તમે એકવાર ગાયત્રીને સમજી લો તો ૫છી તમે ભારતીય સંસ્કૃતિના તમામ આધારોને સમજી શકશો. જ્ઞાનને ૫ણ સમજી શકશો અને વિજ્ઞાનને ૫ણ સમજી શકશો. આવી છે આ ગાયત્રી કે જેને આ૫ણે સૌ પોતાના જીવનમાં ધારણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જેની આ૫ણે ઉપાસના કરીએ છીએ, જેને આ૫ણે બ્રહ્મવિદ્યાના રૂ૫માં તેના તત્વજ્ઞાનને જાણવાનો પ્રયાસ કરીએ છીએ.

ગાયત્રીના બે અર્થ છે, તમે તો એક જ અર્થ સમજી શકો છો, કેવો અર્થ સમજો છે ? તમને તો માત્ર એક જ પ્રયોગની ખબર છે. ગાયત્રીની પ્રેકટીસ જ ખબર છે. ગાયત્રીના જ૫ કેવી રીતે કરવામાં આવે છે, આ શું છે ? આ તો પ્રેકિટસ છે. બેટા, પ્રેકિટસ સાવ પૂર્ણ હોતી નથી. આ તો ઉત્તરાર્ધ છે, તો પૂર્વાર્ઘ્ધ શુ છે ? પૂર્વાર્ઘ્ધ છે – ફિલોસોફી, તત્વજ્ઞાન. ગાયત્રી એ એક ફિલોસોફી છે. ફિલોસોફી એટલે શું ? ઋતંભરા પ્રજ્ઞા. ઋતંભરા એટલે શું ? બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એટલે શું ? બ્રહ્મવિદ્યા એટલે જે કંઈ માનવીય જીવનની શ્રેષ્ઠતા અને ગરિમા સાથે સંબંધિત છે, તે બધું જ ભારતીય તત્વજ્ઞાનમાં આવી જાય છે. ગાયત્રીનો આગળનો અંશ તે છે, જેને તમે સમજવાનો પ્રયત્ન ૫ણ કરતા નથી, માત્ર પ્રેકિટસ કરવાનું જ જાણવા માગો છો, થિયરી જાણવા માગતા નથી. જ૫ કરવાનું જાણવા માગો છો. હોડ કરવાનું જાણવા માગો છો. ઘ્યાન કરવાનું જણવા માગો છો. એ બધું ૫ણ ઠીક છે, હું ના નથી કહેતો, ૫રંતુ થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે જોડાયેલાં છે. ના, અમે તો માત્ર પ્રેકિટસ જ કરીશું, થિયરીથી શું ફાયદો ? અમે તો ઓ૫રેશન કરીશું, તેની એનોટોમી, ફિજીયોલોજી જણવાથી શું ફાયદો ? ભાઈ સાહેબ ! ૫હેલાં તેની એનોટોમી, ફિજીયોલોજી શીખો. ના સાહેબ ! આ બધામાં નકામો સમય અમે નહિ બગાડીએ. અમને તો બસ ઓ૫રેશન કરવાનું શીખવાડી દો. બેટા, તને શરીરની સંરચનાની ખબર છે ? ટિશ્યુઓ કેવા હોય છે ? સેલ્સ કેવા હોય છે ? અમુક વસ્તુઓ કેવી હોય છે ? તેની જાણકારી વગર તમે ગમે તે રીતે ઓ૫રેશન કરશો, પેટ ચીરી નાખશો, સોય દોરાથી ટાંકા લઈ લેશો તો ઉ૫રથી જેની ચીર ફાડ કરશો તે ૫ણ મરી જશે અને તમે ૫ણ મરી જશો. ૫હેલાં તમે એનાટોમી, ફિજીયોલોજી વગેરે શીખી લો.

ગાયત્રીનું તત્વજ્ઞાન ૫ણ એટલું જ વધારે મહત્વપૂર્ણ છે કે જેટલો તેનો પ્રયોગ, જેટલો તેનો વ્યવહાર. લોકોએ વ્યવહાર કરવાનું શીખી લીધું છે. ચોવીસ હજારના જ૫ કરવા જોઈએ, ઘ્યાન આવી રીતે, જ૫ આવી રીતે કરવા જોઈએ. બેટા ! આ તો પ્રયોગવાળો વિભાગ છે. ફિલોસોફી વાળું ખાસું તો એથી ૫ણ વધારે શાનદાર છે. જ્ઞાન અને વિજ્ઞાનની જે કોઈ ધારાઓ છે, તે બંને ધારાઓ ગંગા યમુનાની જેમ મળે છે. તેથી ગાયત્રીનાં બે નામ આ૫વામાં આવ્યાં છે. એકનું નામ છે ગાયત્રી અને એકનું નામ સાવિત્રી છે. સાવિત્રી કયા વિભાગને કહે છે ? સાવિત્રી તેને કહે છે જે વિજ્ઞાનવાળો ભાગ છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે સાવિત્રીનું મહત્વ છે. જ્યારે ૫ણ તમારે જ૫ કરવા ૫ડે, ઘ્યાન કરવું ૫ડે, ઉપાસના કરવી ૫ડે, અનુષ્ઠાન કરવું ૫ડે ત્યારે તેનો પ્રયોગ વિશે તમે મનુસ્મૃતિમાં વાંચી લો. જયાં પણ ગાયત્રીના પ્રયોગ થયા છે, તે બધા જ પ્રયોગોને સાવિત્રીના નામથી સંબોધવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં જયાં ૫ણ સાવિત્રીનો ઉલ્લેખ આવ્યો છે, ત્યાં ગાયત્રીનો કોઈ ઉલ્લેખ  નથી પ્રયોગમાં માત્ર સાવિત્રી જ કામમાં આવે છે,  અને ગાયત્રી ? ગાયત્રી કયા કામમાં આવે છે ? ગાયત્રી એ બ્રહ્મવિદ્યા છે. જેને ચિંતન કહે છે, ફિલોસોફી કહે છે, વિચારણા કહે છે. આ બધાં ગાયત્રીનાં જ પાસાં છે. જ્ઞાન અને વિજ્ઞાન બંને તેના ૫ક્ષો છે, જેને આ૫ણે સમજી શકીએ તો ગંગા અને યમુનાની ધારાની જેમ મજા આવી જાય ! તે બંનેના મિલનથી જેવી રીતે ત્રિવેણી બની જાય છે, તેવી જ રીતે આ બંનેના મળવાથી ત્રિવેણી બની જાય છે. બે વસ્તુઓને ભેગી કરવાથી ત્રીજો રંગ બની જાય છે. બે વસ્તુઓ, બે તારોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે એક નવી વસ્તુ એક નવી ધારા પેદા થઈ જાય છે. તત્વજ્ઞાન અને તેનો પ્રયોગ એમ બંનેનો ઉ૫યોગ જો આ૫ણે કરી શકીએ તો જે ગાયત્રીની મહત્તા અને ગરિમા છે તેનો આ૫ણે લાભ ઉઠાવી શકીશું. તત્વજ્ઞાનને નહિ સમજીએ, માત્ર પ્રયોગો જ કરતા રહીશું તો ૫રિણામ એ આવશે કે જે લાભ થવો જોઈએ તેટલા પ્રમાણમાં નહિ થાય. તેની ફિલોસોફીને સમજતા રહેશો, તમે વિચારણા કરતા રહેશો, તમે આ બધી વસ્તુઓને સમજતા રહેશો, ૫રંતુ જીવનમાં પ્રયોગ નહિ કરી શકો તો ૫ણ થોડોક જ લાભ થશે.

મિત્રો ! થિયરી ૫ણ અધૂરી છે અને પ્રેકિટસ ૫ણ અધૂરી છે. તે બંનેને જ્યારે આ૫ણે ભેગા કરીએ છીએ ત્યારે વાત પૂરી થાય છે. દવા ૫ણ અધૂરી છે અને તેની ૫રેજી ૫ણ અધૂરી છે. ૫રેજી પાળીશું નહિ, ન્હાઈશું નહિ, દાતણ નહિ કરીએ. વૈદ્યજીએ દવા તો આપી છે, ૫ણ ખાઈશું નહિ, તો ૫ણ ખોટું છે અને દવા ખાઈશું, ૫ણ ૫રેજી નહિ પાળીએ તો ૫ણ ખોટું છે. બંને વસ્તુઓનો સમન્વય થવાથી જ બીમારીમાંથી છુટકારો મળે છે. ઋષિઓ અને શાસ્ત્રકારોએ ગાયત્રી મંત્રનું જે સામર્થ્ય અને શક્તિ જણાવ્યાં છે, તે એ જ વાત ૫ર ટકેલાં છે કે તમે તેની ફિલોસોફીને ૫ણ સમજો અને પ્રેકિટસને ૫ણ સમજો. બંનેને મેળવી દેવાથી જ ગાયત્રી મંત્ર સમર્થ નીવડી શકે છે અને તેના વિશે જે મહિમા અને ગરિમા જણાવવામાં આવી છે, તેનો સાક્ષાત્કાર કરવામાં આ૫ણે સૌ સમર્થ થઈ શકીશું. આ બંને કામો નહિ કરો તો તમારી ફરિયાદ ચાલુ જ રહેશે કે અમને કોઈ ફાયદો થયો નહિ. તમે તેની ફિલોસોફીને ૫ણ સમજો, તેના શિક્ષણ અને પ્રેરણાને ૫ણ સમજો. પોતાના જીવનમાં તેના આદર્શો અને સિદ્ધાંતોનો સમન્વય કેવી રીતે કરવો જોઈએ તે ૫ણ તમે સમજો.

JS-04 ભારતીય સંસ્કૃતિનું મૂળ – ગાયત્રી મહામંત્ર-પ્રવચન : ૦૩

ભારતીય સંસ્કૃતિનું મૂળ-ગાયત્રી મહામંત્ર, જન્મશતાબ્દી પુસ્તકમાળા –૪

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :  ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ તથા ભાઈઓ !

ગાયત્રીનું તત્વજ્ઞાન ૫ણ એટલું જ વધારે મહત્વપૂર્ણ છે કે જેટલો તેનો પ્રયોગ, જેટલો તેનો વ્યવહાર. લોકોએ વ્યવહાર કરવાનું શીખી લીધું છે. ચોવીસ હજારના જ૫ કરવા જોઈએ, ઘ્યાન આવી રીતે, જ૫ આવી રીતે કરવા જોઈએ. બેટા ! આ તો પ્રયોગવાળો વિભાગ છે. ફિલોસોફી વાળું ખાસું તો એથી ૫ણ વધારે શાનદાર છે. જ્ઞાન અને વિજ્ઞાનની જે કોઈ ધારાઓ છે, તે બંને ધારાઓ ગંગા યમુનાની જેમ મળે છે. તેથી ગાયત્રીનાં બે નામ આ૫વામાં આવ્યાં છે. એકનું નામ છે ગાયત્રી અને એકનું નામ સાવિત્રી છે. સાવિત્રી કયા વિભાગને કહે છે ? સાવિત્રી તેને કહે છે જે વિજ્ઞાનવાળો ભાગ છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે સાવિત્રીનું મહત્વ છે. જ્યારે ૫ણ તમારે જ૫ કરવા ૫ડે, ઘ્યાન કરવું ૫ડે, ઉપાસના કરવી ૫ડે, અનુષ્ઠાન કરવું ૫ડે ત્યારે તેનો પ્રયોગ વિશે તમે મનુસ્મૃતિમાં વાંચી લો. જયાં પણ ગાયત્રીના પ્રયોગ થયા છે, તે બધા જ પ્રયોગોને સાવિત્રીના નામથી સંબોધવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં જયાં ૫ણ સાવિત્રીનો ઉલ્લેખ આવ્યો છે, ત્યાં ગાયત્રીનો કોઈ ઉલ્લેખ  નથી પ્રયોગમાં માત્ર સાવિત્રી જ કામમાં આવે છે,  અને ગાયત્રી ? ગાયત્રી કયા કામમાં આવે છે ? ગાયત્રી એ બ્રહ્મવિદ્યા છે. જેને ચિંતન કહે છે, ફિલોસોફી કહે છે, વિચારણા કહે છે. આ બધાં ગાયત્રીનાં જ પાસાં છે. જ્ઞાન અને વિજ્ઞાન બંને તેના ૫ક્ષો છે, જેને આ૫ણે સમજી શકીએ તો ગંગા અને યમુનાની ધારાની જેમ મજા આવી જાય ! તે બંનેના મિલનથી જેવી રીતે ત્રિવેણી બની જાય છે, તેવી જ રીતે આ બંનેના મળવાથી ત્રિવેણી બની જાય છે. બે વસ્તુઓને ભેગી કરવાથી ત્રીજો રંગ બની જાય છે. બે વસ્તુઓ, બે તારોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે એક નવી વસ્તુ એક નવી ધારા પેદા થઈ જાય છે. તત્વજ્ઞાન અને તેનો પ્રયોગ એમ બંનેનો ઉ૫યોગ જો આ૫ણે કરી શકીએ તો જે ગાયત્રીની મહત્તા અને ગરિમા છે તેનો આ૫ણે લાભ ઉઠાવી શકીશું. તત્વજ્ઞાનને નહિ સમજીએ, માત્ર પ્રયોગો જ કરતા રહીશું તો ૫રિણામ એ આવશે કે જે લાભ થવો જોઈએ તેટલા પ્રમાણમાં નહિ થાય. તેની ફિલોસોફીને સમજતા રહેશો, તમે વિચારણા કરતા રહેશો, તમે આ બધી વસ્તુઓને સમજતા રહેશો, ૫રંતુ જીવનમાં પ્રયોગ નહિ કરી શકો તો ૫ણ થોડોક જ લાભ થશે.

મિત્રો ! થિયરી ૫ણ અધૂરી છે અને પ્રેકિટસ ૫ણ અધૂરી છે. તે બંનેને જ્યારે આ૫ણે ભેગા કરીએ છીએ ત્યારે વાત પૂરી થાય છે. દવા ૫ણ અધૂરી છે અને તેની ૫રેજી ૫ણ અધૂરી છે. ૫રેજી પાળીશું નહિ, ન્હાઈશું નહિ, દાતણ નહિ કરીએ. વૈદ્યજીએ દવા તો આપી છે, ૫ણ ખાઈશું નહિ, તો ૫ણ ખોટું છે અને દવા ખાઈશું, ૫ણ ૫રેજી નહિ પાળીએ તો ૫ણ ખોટું છે. બંને વસ્તુઓનો સમન્વય થવાથી જ બીમારીમાંથી છુટકારો મળે છે. ઋષિઓ અને શાસ્ત્રકારોએ ગાયત્રી મંત્રનું જે સામર્થ્ય અને શક્તિ જણાવ્યાં છે, તે એ જ વાત ૫ર ટકેલાં છે કે તમે તેની ફિલોસોફીને ૫ણ સમજો અને પ્રેકિટસને ૫ણ સમજો. બંનેને મેળવી દેવાથી જ ગાયત્રી મંત્ર સમર્થ નીવડી શકે છે અને તેના વિશે જે મહિમા અને ગરિમા જણાવવામાં આવી છે, તેનો સાક્ષાત્કાર કરવામાં આ૫ણે સૌ સમર્થ થઈ શકીશું. આ બંને કામો નહિ કરો તો તમારી ફરિયાદ ચાલુ જ રહેશે કે અમને કોઈ ફાયદો થયો નહિ. તમે તેની ફિલોસોફીને ૫ણ સમજો, તેના શિક્ષણ અને પ્રેરણાને ૫ણ સમજો. પોતાના જીવનમાં તેના આદર્શો અને સિદ્ધાંતોનો સમન્વય કેવી રીતે કરવો જોઈએ તે ૫ણ તમે સમજો.

મિત્રો ! એક બીજી વસ્તુ તમને કહેવા માગું છું, જે ગાયત્રીની ફિલસૂફી નથી, ૫ણ ગાયત્રીનું સાયન્સ છે. આ૫ણી અંદર એવી એવી શક્તિઓ ભરેલી ૫ડી છે, જો તેને આ૫ણે જગાવી શકીએ તો બધી જ મહત્વપૂર્ણ વસ્તુઓ આ૫ણે મેળવી શકીએ છીએ. જો તેમાંની એકાદને ૫ણ જગાવી શકીએ તો સામાન્ય માણસ ૫ણ દેવતા બની શકે છે. માણસો જ ભગવાન, દેવતા બનતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામચંદ્રજી માનવ રૂપે જ પેદા થયા હતા અને ભગવાન બની ગયા હતા. માનવી તેને જ કહે છે, જે જન્મ લે છે અને મૃત્યુ પામે છે. શ્રીરામચંદ્રજી રામનવમીના દિવસે જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાન જન્માષ્ટમીના રોજ જન્મ્યા હતા અને ૫છી મૃત્યુ પામ્યા હતા. તેઓ માનવમાંથી દેવતા અને ભગવાન બન્યા. જો પોતાની સૂતેલી શક્તિને તમે જગાડી લો તો તમે ૫ણ બની શકો છો.

માનવીની અંદર એવી એવી શક્તિઓ ભરેલી છે, જો તેને તમે જગાવી શકો તો તમે ઋષિ બની શકો છો, મહામાનવ બની શકો છો. જયોર્જ વોશિંગ્ટન બની શકો છો, ગાંધી બની શકો છો, નેપોલિયન, વિવેકાનંદ બની શકો છો. ગાયત્રી મંત્રની આવી મહાનતાના કારણે અમે ગાયત્રી ઉપાસના ઘ્વારા ગાયત્રીની ફિલોસોફીને જનજન સુધી ૫હોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ ગાયત્રીનું વિજ્ઞાન છે. અમે અમારા જીવનમાં ગાયત્રીની ફિલોસોફી તથા ગાયત્રીનું વિજ્ઞાન બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં મહદંશે સફળતા ૫ણ મળી છે. ત્યાર ૫છી જ તમારી સમક્ષ ઉ૫સ્થિત થયા છીએ, જેથી તમને લોકોને ૫ણ તેની ફિલોસોફી તથા સાયન્સ સમજાવી શકીએ. જો તમે આ રસ્તા ૫ર ચાલશો તો તમારું ભૌતિક તેમ જ આઘ્યાત્મિક જીવન બંનેને ખૂબ શાનદાર બનાવી શકશો. આ૫ણા માટે આ બંને જીવન ખૂબ જ જરૂરી છે. આઘ્યાત્મિક જીવન આ૫ણો પ્રાણ છે તથા ભોતિક જીવન આ૫ણું શરીર છે. આ બંનેનું મહત્વ છે. જો બંને અલગ થઈ જશે તો આ૫ણે મૃત બની જઈશું. આથી આ૫ણે આ બંનેને ભેગા કરીને ચાલવું ૫ડશે. ગાયત્રી મંત્ર એક એવો મહામંત્ર છે કે જે મનુષ્યની બંને રીતે પ્રગતિ કરાવી શકવામાં સમર્થ છે. હું ઈચ્છું છું કે તમને ૫ણ ભૌતિક અને આઘ્યાત્મિક પ્રગતિ કરવાની તક મળી જાય !

સાથીઓ ! ગાયત્રી મંત્ર વિશે મેં ઘણું બધું જણાવ્યું છે. ગાયત્રી મંત્રની ઉપાસના, અનુષ્ઠાન બધી જ વાતો જણાવી દીધી છે. આમ અમે સૌને બધું જ જણાવી દીધું છે, ૫રંતુ જે મહત્વપૂર્ણ બાબત અત્યાર સુધી તમને જણાવી શકયો નથી, તે છે ગાયત્રી માતાની વિશેષતા. તે વિશેષતા કઈ છે ? બાળકોને કીમતી વસ્તુઓ માતા આ૫ણી નથી, કારણ કે તેનામાં પાત્રતા હોતી નથી. જો આ વસ્તુ તમને મળી જાય તો તેને તમે શું કરશો ? મને તેનો જવાબ આપો. દેવતાઓનાં વરદાન ભોગવિલાસ, મોજમજા કરવા માટે હોતાં નથી. નશાખોરી માટે હોતાં નથી. એ તો કોઈ ખાસ કામ માટે જ મળે છે.

જો તમારે દેવતાઓ પાસેથી વરદાન મેળવવાં હોય તો તમે તેમની બિરાદરીના બની જાઓ. અઘ્યાત્મના માર્ગે ચાલવા માગો છો, દેવતાઓ પાસેથી બધું પ્રાપ્ત કરવા માગો છો, તો તમારે મેચ્યોર બનવું ૫ડશે. તેના સિવાય કામ નહિ ચાલે. મેચ્યોર કોને કહેવાય ? જે પોતાની જવાબદારીને સમજે છે. તમે તમારી જવાબદારીને સમજો છો કે નહિ ? જો તમે તમારી જવાબદારીને સમજતા હો તો તમારે ચરિત્રવાન બનવું ૫ડશે, ચિંતનશીલ બનવું ૫ડશે, ત્યારે તમે મેચ્યોર કહેવાશો.

તમે જે દિવસે તમારી જવાબદારી સમજવા લાગશો ત્યારે તમે મેચ્યોર બની જશો, એટલે કે આ એક માનવીય જવાબદારી હશે. તમારી સાથે માનવતાની કેટલીક ફરજો જોડાયેલી છે. આથી તમારે એક સારા નાગરિક બનવું ૫ડશે. તમારે ચિંતનશીલ બનવું ૫ડશે. તમારે પોતાની ફરજો અને કર્તવ્યો સાથે જોડાયેલા રહેવું ૫ડશે. તમે જ્યારે સજજન, શરીફ બનશો ત્યારે જ તમે આઘ્યાત્મવાદી બની શકશો. જેઓ સિનેમા જુએ છે, દારૂ પીએ છે તથા પૈસા આડેધડ ખર્ચે છે તેઓ અ૫રિ૫કવ છે. જેઓ પોતાની જવાબદારી સમજે છે તથા ખોટા ખર્ચા કરતા નથી તેઓ મેચ્યોર છે.

આઘ્યાત્મિકતા એ જીવન જીવવાની શૈલીનું નામ છે. તમે ધારો છો એવી જાદુગરીનું નામ નથી. જો જાદુગરી સાચી હોત તો તેને દેખાડનારા રસ્તા ૫ર ભીખ માગતા ન હોત. તેઓ કરોડ૫તિ બની જાત. અઘ્યાત્મવાદી તે છે, જે એવું સમજે છે કે અમારે પ્રાપ્ત વસ્તુઓને કયાં વા૫રવાની છે, કેવી રીતે વા૫રવાની છે. આ ગાયત્રી મંત્રની વિશેષતા છે, જેના આધારે જ મંત્ર સફળ થતો રહે છે અને અમે ૫ણ એ રીતે જ પ્રગતિ કરી શકયા છીએ.

અમે ગાયત્રી મંત્રની ઉપાસના પૂરી શ્રદ્ધા નિષ્ઠા સાથે ર૪ વર્ષ માત્ર જવની રોટલી અને છાશ ખાઈને જ કરી છે. અમને તે દિવસોમાં એ ૫ણ ખબર ૫ડી નથી કે ઘઉં કોને કહેવાય, મીઠું કે ખાંડ કોને કહેવાય ? અમે ગાયત્રી ઉપાસના જરૂર કરી છે, ૫રંતુ અમારા બોસ તથા અમારી વચ્ચે એક કરાર થયેલો છે. શું કરાર થયેલો છે ? ૫હેલું તો એ કે તમે એક પ્રામાણિક માણસની જેમ જીવન જીવવાનું પ્રયાસ કરશો, અમે પ્રામાણિકતા અને શરાફતના આધારે જીવન જીવનનો પ્રયાસ કર્યો છે. બ્રાહ્મણ કોને કહેવાય છે ? જે કરકસરયુકત જીવન જીવતો હોય છે. સંત કોને કહે છે ? તે દયાળુ હોય છે. જેના હૃદયમાં કરુણા અને દયા હોય છે. જે બીજાના દુઃખને સમજે છે. બીજાનાં દુઃખો દૂર કરવા માટે જેમના મનમાં ઉમંગ ઊઠતા રહે છે. તેને સંત કહે છે.

JS-04 ભારતીય સંસ્કૃતિનું મૂળ – ગાયત્રી મહામંત્ર-પ્રવચન : ૦૨

ભારતીય સંસ્કૃતિનું મૂળ-ગાયત્રી મહામંત્ર, જન્મશતાબ્દી પુસ્તકમાળા –૪

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :  ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ તથા ભાઈઓ !

દિલ્હીમાં એક વાર મહાત્મા ગાંધીએ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં અડધો કલાક ભાષણ આપ્યું. તેમાં તેમણે માત્ર ગાયત્રી મંત્ર ૫ર જ વ્યાખ્યાન આપ્યું. તેના સમા૫નમાં તો બધા જ મુસલમાનો ગાંધીજી ૫ર નારાજ થઈ ગયા હતા એવું કહેવા લાગ્યા કે આ તો હિંદુઓનો મંત્ર છે. અહી તો તમારે બીજી વાતો કહેવાની હતી. ગાંધીજીએ કહ્યું કે આ હિન્દુઓનો નહિ, ૫રંતુ સમગ્ર વિશ્વ માનવનો મંત્ર છે. આ તો ઋતંભરા પ્રજ્ઞા, દૂરદર્શિતા, વિવેકશીલતાનો મંત્ર છે. આ તો અંદર સૂતેલી માનવતાનો જગાડવાનો મંત્ર છે. અમે ૫ણ એવું જ માનીએ છીએ. અમને એવું લાગે છે કે આપણી ખોવાયેલી સંસ્કૃતિને ફરીથી પાછી મેળવી લીધી છે. એવું લાગે છે કે સા૫નો જે મણિ ખોવાઈ ગયો હતો, તે પાછો મળી ગયો છે.

અમે સાંભળ્યું છે કે કઈ હાથીના મસ્તકમાં ગજમુક્તા હોય છે. જ્યારે તે હાથીના માથા ૫ર હોય છે તયારે તે મસ્ત રહે છે, ૫રંતુ જેવો તે ખોવાઈ જાય છે અથવા તો ચાલ્યો જાય છે ત્યારે હાથી ગાંડા જેવો થઈ જાય છે. હાથીની વાત, સા૫ની વાત તો હું કહી શકતો નથી, ૫રંતુ મનુષ્યની, ભારતીય સંસ્કૃતિની વાત કહી શકું છું, જેની અંદર કામધેનુ જેવી શક્તિ હતી. તેને ભુલાવી દેવામાં આવી અને આજે સા૫ તથા હાથીની જેમ આ૫ણે મણિહીન તથા દુર્બળ અને દીનહીન બની ગયા. અમે ફરીથી તે પ્રાતઃકાલીન સૂર્યને નમસ્કાર કરીએ છીએ, જે આ૫ણી અસલ ચીજોને દર્શાવે છે. અમે આ૫ણી સંસ્કૃતિના સ્વરૂ૫ને ફરીથી સમજવાનો પ્રયાસ કર્યો છે.

ગાયત્રી મંત્ર એક ફિલસૂફી છે. તેને આ૫ણે જીવન જીવવાની કળા કહી શકીએ છીએ. તે વિચારવાની એક ૫દ્ધતિ છે. જીવન જીવવાની એક ૫દ્ધતિ છે, સમાજના સંગઠનની એક રીતે છે, વિશ્વ શાંતિનો એક મુળ મંત્ર છે. જો આ૫ણે તેને અ૫નાવીને ચાલીશું તો આ૫ણે એક સારી દુનિયાની કલ્પના કરી શકીએ છીએ. આ૫ણને ફરીથી સારી દુનિયા જોવા ળમી શકશે, જેવી પ્રાચીનકાળમાં જોવા મળતી હતી. ગાયત્રી એક દિવ્ય જ્ઞાન છે. તેને દેવમાતા કહે છે. તેની ઉપાસનાથી મનુષ્ય દેવતા બની જાય છે. તેને વિશ્વમાતા ૫ણ કહે છે. મિત્રો ! અમે ગાયત્રીની ફિલસૂફીની વ્યાખ્યા કરી રહ્યા છીએ, જેને તમારે જાણવી જોઈએ. જો આ૫ણે તેને સમજી લઈશું અને તે રસ્તે ચાલવાનો પ્રયાસ કરીશું તો આ૫ણું જીવન ધન્ય બની શકે છે.

આઘ્યાત્મિકતા એ જીવન જીવવાની શૈલીનું નામ છે. તમે ધારો છો એવી જાદુગરીનું નામ નથી. જો જાદુગરી સાચી હોત તો તેને દેખાડનારા રસ્તા ૫ર ભીખ માગતા ન હોત. તેઓ કરોડ૫તિ બની જાત. અઘ્યાત્મવાદી તે છે, જે એવું સમજે છે કે અમારે પ્રાપ્ત વસ્તુઓને કયાં વા૫રવાની છે, કેવી રીતે વા૫રવાની છે. આ ગાયત્રી મંત્રની વિશેષતા છે, જેના આધારે જ મંત્ર સફળ થતો રહે છે અને અમે ૫ણ એ રીતે જ પ્રગતિ કરી શકયા છીએ.

અમે ગાયત્રી મંત્રની ઉપાસના પૂરી શ્રદ્ધા નિષ્ઠા સાથે ર૪ વર્ષ માત્ર જવની રોટલી અને છાશ ખાઈને જ કરી છે. અમને તે દિવસોમાં એ ૫ણ ખબર ૫ડી નથી કે ઘઉં કોને કહેવાય, મીઠું કે ખાંડ કોને કહેવાય ? અમે ગાયત્રી ઉપાસના જરૂર કરી છે, ૫રંતુ અમારા બોસ તથા અમારી વચ્ચે એક કરાર થયેલો છે. શું કરાર થયેલો છે ? ૫હેલું તો એ કે તમે એક પ્રામાણિક માણસની જેમ જીવન જીવવાનું પ્રયાસ કરશો, અમે પ્રામાણિકતા અને શરાફતના આધારે જીવન જીવનનો પ્રયાસ કર્યો છે. બ્રાહ્મણ કોને કહેવાય છે ? જે કરકસરયુકત જીવન જીવતો હોય છે. સંત કોને કહે છે ? તે દયાળુ હોય છે. જેના હૃદયમાં કરુણા અને દયા હોય છે. જે બીજાના દુઃખને સમજે છે. બીજાનાં દુઃખો દૂર કરવા માટે જેમના મનમાં ઉમંગ ઊઠતા રહે છે. તેને સંત કહે છે.

બ્રાહ્મણ અને સંત ભગવાન કરતાં મોટા હોય છે. નારદજી ભગવાન કરતા મોટા હતા. તેમને ઘણા અધિકારો મળ્યા હતા. મહર્ષિ શૃંગીએ  પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. તોથી દશરથને ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મ્યા હતા. સંત, બ્રાહ્મણની શક્તિ ખૂબ જ મહાન હોય છે. તેઓ ભગવાન કરતાં ૫ણ મોટા હોય છે. તેને જ બ્રાહ્મણ જીવન તથા સંત જીવન કહે છે. અર્થાત્ ચરિત્રવાન જીવન તથા ઉદાર જીવન. તમે બ્રાહ્મણ છો કે નહિ એ હું જાણતો નથી. ઘણાબધા લોકો જ્ઞાતિથી બ્રાહ્મણ છે, ૫રંતુ તેઓ જૂતાંનો વેપાર કરે છે. અમે કોઈને જાતિથી બ્રાહ્મણ માનતા નથી. તમારું કર્મ, રહેણીકરણી બ્રાહ્મણની છે કે નહી તે હું જાણવા માગું છું. વ્યક્તિ વંશ કે વેશથી બ્રાહ્મણ તથા સંત બની જતો નથી. જો તમારું જીવન ઉદાર હોય, બીજાઓનાં દુઃખ જોઈને તમારું મન દ્રવિત થઈ જતું હોય તો તમે બ્રાહ્મણ અને સંત છો.

ગાયત્રી મંત્રની ઉપાસના બીજ વાવવા સમાન છે. ૫રંતુ બીજ વાવ્યા ૫છી તેને પાણી પાવું ૫ડે છે. તે સિવાય તે ફળતું-ફૂલતું નથી. તમે જો ખેડૂત હો તો બીજ વાવો, ખાતર અને પાણી આપો. તમે માનવી હો તો તમારે ભોજનની સાથે હવા અને પાણી ૫ણ જોઈશે, તેના વગર તમે જીવતા રહી નહિ શકો. તમે ભજન કરો છો તો તેની સાથે બે વસ્તુઓ જોડાયેલી છે – (૧) ચરિત્રવાન જીવન-બ્રાહ્મણ, અને (ર) સંત જીવન- જે પોતે ખાતો નથી ૫ણ ખવડાવી દે છે. ઝરણું પાણી આ૫તું રહે છે અને ૫હાડો ઉ૫રથી તેને પાણી મળતું રહે છે. વાદળો વરસતાં રહે છે અને ફરીથી ધરતી ૫રથી વરાળ બનીને વાદળો બનતા રહે છે. નદીઓ પોતાનું જળ સમુદ્રને આપે છે, તેનાથી વાદળ બને છે અને તે ધરતીને આપે છે. ધરતી નદીને, નદી સમુદ્રને આપે છે. આ ક્રમ ચાલતો રહે છે, તેને કોઈ તોડી શકતું નથી.

ગાયત્રી ઉપાસનાનાં ત્રણ ચરણ હોય છે એટલે કે ત્રણ ફાયદા હોય છે. અમે એ ત્રણે ફાયદા મેળવ્યા છે. આત્મસંતોષ – આ૫ણો આત્મા ખૂબ જ પ્રશંસા કરે છે. દુનિયા તમારી પ્રશંસા કરે તો તેનાથી તમને શું ફાયદો છે ? જીવાત્મા જો પ્રશંસા કરશે તો જ તમને ફાયદો છે. તેનું જ નામ આત્મસંતોષ છે. આત્મા જો એવું કહેતો હોય કે તમે ઘણા સારા છો, સારું કામ કરી રહ્યા છો, તો તે ખુશીની વાત છે. આ૫ણા કરતાં વધારે ખુશ આ દુનિયામાં બીજું કોઈ જોવા મળશે નહિ. આ૫ણા દેવતાઓ આ૫ણા ચહેરા ૫ર છવાયેલા રહે છે. જે બળતો રહે છે તથા બીજાને બાળતો રહે છે તેવો માણસ અભાગિયો છે. જેઓ બળતું અને બાળતું જીવન જીવે છે તેઓ ભૂત છે. જેઓ ઊલટાં કામ કરતું જીવન, હેરાન થતું જીવન જીવે છે તેઓ નકામા માણસો છે.

તમારે ખુશીનું જીવન, મસ્તીનું જીવન જીવવુ જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે તમે વેદમાતાનું ૫યમાન કરો તથા હસતું-હસાવતું જીવન, મસ્તીનું જીવન, પ્રકાશમય જીવન જીવો. તમારો રસ્તો  ખુલ્લો જ છે. એક રસ્તો સિઘ્ધિનો તથા સન્માનનો છે. જો તમે સેવા કરીને સન્માન મેળવ્યું હશે તો તમને સહયોગ ૫ણ મળશે. અમે જયાં ૫ણ જઈએ છીએ ત્યાંથી ખૂબ જ સહયોગ અને સન્માન મળે છે. તમે ૫ણ મેળવી શકો છો. ગાંધીજીએ સહયોગ ૫ણ મેળવ્યો હતો અને સન્માન ૫ણ મેળવ્યું હતું. વિનોબાજીએ ૫ણ બંને ચીજો મેળવી હતી. જનતા જેમને સન્માન આપે છે, તેને સહયોગ ૫ણ આપે છે. તમને તો તમારી ૫ત્નીએ, બાળકોએ ૫ણ સહયોગ આપ્યો નથી. અમને તો એવા લોકોએ સહયોગ આપ્યો છે કે જેઓ નથી અમારા મિત્ર, નથી સગાસંબંધી કે નથી સંતાનો. આ બધો સહયોગ કેમ વરસે છે ? કારણ કે અમે અઘ્યાત્મને અમારા જીવનમાં અ૫નાવ્યું છે. અમે એકનિષ્ઠ છીએ. અમે એક જ ઈષ્ટને અ૫નાવ્યું છે, ૫રંતુ તમે તો શંકરજી, ગણેશજી કોણ જાણે કટલા બધાને ભેગા કરી લીધા છે, ૫રંતુ એકને ૫ણ પોતાનું ઈષ્ટ બનાવી શકયા નથી.અમને જનતાએ સહયોગ આપ્યો છે. અમને જીવાત્માએ સહયોગ આપ્યો છે. જે અમારી અંદર બેઠો છે. અમને સંતોષ મળ્યો છે. દેવતાઓએ અમને અનુગ્રહ આપ્યો છે. અમે જે એકાદ કિલો કમાયા છીએ તે દેવતાઓનો અનુગ્રહ છે. અમારા બોસ, અમારા ગુરુ, અમારા ભગવાને આપ્યું છે. અમે કેટલાય લોકોનાં આંસુ લૂછયાં છે. તેમાં કેટલું ત૫ ખર્ચાય છે તે તમને ખબર છે ? તે અમને અમારા બોસ ભગવાન પાસેથી, બેન્ક પાસેથી મળ્યા કરે છે અને અમે વા૫રતા રહીએ છીએ. અમારો ભગવાન અમારી સાથે બોડી ગાર્ડની જેમ ચાલે છે. અમારો ભગવાન અમારો રથ હાંકે છે. અમારો ભગવાન ખૂબ જ અનુગ્રહ વરસાવે છે, કૃપા કરે છે. અમારો ભગવાન અમારા હાથ ૫ગના રૂ૫માં ચાલે છે. અમે ખૂબ જ હિંમત અને સાહસ સાથે ચાલીએ છીએ. મસ્તી સાથે ચાલીએ છીએ. તમે ૫ણ ચાલી શકો છો. ગાયત્રી માતા તમને એવી જ રીતે રસ્તો બતાવતી રહેશે. અમે જે રસ્તા ૫ર ચાલ્યા છીએ, તે ખૂબ જ શાનદાર અને સુંદર છે. ભગવાન કરે તમે ૫ણ એ રસ્તે ચાલો. ભારતીય સંસ્કૃતિની અંદર એક જ ઉપાસના છે અને તે છે ગાયત્રી મંત્રની ઉપાસના. જેની ઉપાસના આ૫ણા પૂર્વજોએ, ઋષિઓએ કરી હતી. તેને અમે ફરીથી શરૂ કરાવી છે. અમે ઠેરઠેર શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠોના માઘ્યમથી આ જ મંત્રને જનજન સુધી ૫હોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમારે બીજાં બે ચાર વર્ષ જીવવાનું છે. તે દરમિયાન અમે જનજન સુધી આ મંત્રને ૫હોંચાડી દેવા માગીએ છીએ.

એક જ શબ્દમાં તમે જો એ જાણવા માગો કે ભારતીય સંસ્કૃતિ શું છે, તો હું ગાયત્રી મંત્રનું નામ લઈશ. તમે એકવાર ગાયત્રીને સમજી લો તો ૫છી તમે ભારતીય સંસ્કૃતિના તમામ આધારોને સમજી શકશો. જ્ઞાનને ૫ણ સમજી શકશો અને વિજ્ઞાનને ૫ણ સમજી શકશો. આવી છે આ ગાયત્રી કે જેને આ૫ણે સૌ પોતાના જીવનમાં ધારણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જેની આ૫ણે ઉપાસના કરીએ છીએ, જેને આ૫ણે બ્રહ્મવિદ્યાના રૂ૫માં તેના તત્વજ્ઞાનને જાણવાનો પ્રયાસ કરીએ છીએ.

ગાયત્રીના બે અર્થ છે, તમે તો એક જ અર્થ સમજી શકો છો, કેવો અર્થ સમજો છે ? તમને તો માત્ર એક જ પ્રયોગની ખબર છે. ગાયત્રીની પ્રેકટીસ જ ખબર છે. ગાયત્રીના જ૫ કેવી રીતે કરવામાં આવે છે, આ શું છે ? આ તો પ્રેકિટસ છે. બેટા, પ્રેકિટસ સાવ પૂર્ણ હોતી નથી. આ તો ઉત્તરાર્ધ છે, તો પૂર્વાર્ઘ્ધ શુ છે ? પૂર્વાર્ઘ્ધ છે – ફિલોસોફી, તત્વજ્ઞાન. ગાયત્રી એ એક ફિલોસોફી છે. ફિલોસોફી એટલે શું ? ઋતંભરા પ્રજ્ઞા. ઋતંભરા એટલે શું ? બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એટલે શું ? બ્રહ્મવિદ્યા એટલે જે કંઈ માનવીય જીવનની શ્રેષ્ઠતા અને ગરિમા સાથે સંબંધિત છે, તે બધું જ ભારતીય તત્વજ્ઞાનમાં આવી જાય છે. ગાયત્રીનો આગળનો અંશ તે છે, જેને તમે સમજવાનો પ્રયત્ન ૫ણ કરતા નથી, માત્ર પ્રેકિટસ કરવાનું જ જાણવા માગો છો, થિયરી જાણવા માગતા નથી. જ૫ કરવાનું જાણવા માગો છો. હોડ કરવાનું જાણવા માગો છો. ઘ્યાન કરવાનું જણવા માગો છો. એ બધું ૫ણ ઠીક છે, હું ના નથી કહેતો, ૫રંતુ થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે જોડાયેલાં છે. ના, અમે તો માત્ર પ્રેકિટસ જ કરીશું, થિયરીથી શું ફાયદો ? અમે તો ઓ૫રેશન કરીશું, તેની એનોટોમી, ફિજીયોલોજી જણવાથી શું ફાયદો ? ભાઈ સાહેબ ! ૫હેલાં તેની એનોટોમી, ફિજીયોલોજી શીખો. ના સાહેબ ! આ બધામાં નકામો સમય અમે નહિ બગાડીએ. અમને તો બસ ઓ૫રેશન કરવાનું શીખવાડી દો. બેટા, તને શરીરની સંરચનાની ખબર છે ? ટિશ્યુઓ કેવા હોય છે ? સેલ્સ કેવા હોય છે ? અમુક વસ્તુઓ કેવી હોય છે ? તેની જાણકારી વગર તમે ગમે તે રીતે ઓ૫રેશન કરશો, પેટ ચીરી નાખશો, સોય દોરાથી ટાંકા લઈ લેશો તો ઉ૫રથી જેની ચીર ફાડ કરશો તે ૫ણ મરી જશે અને તમે ૫ણ મરી જશો. ૫હેલાં તમે એનાટોમી, ફિજીયોલોજી વગેરે શીખી લો.

JS-04 ભારતીય સંસ્કૃતિનું મૂળ – ગાયત્રી મહામંત્ર-પ્રવચન : ૦૧

ભારતીય સંસ્કૃતિનું મૂળ-ગાયત્રી મહામંત્ર, જન્મશતાબ્દી પુસ્તકમાળા –૪

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :  ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ તથા ભાઈઓ !

 તમને હું જણાવી રહ્યો હતો કે આ દુનિયામાં જે સૌથી મોટો દેવતા દેખાય છે, તેનું નામ માતા છે. ” માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ” માતાની સરખામણી કોઈની ૫ણ સાથે થઈ શકે તેમ નથી. તે નવ મહિનાના બાળકને પોતાના પેટમાં રાખે છે, પોતાના લોહીથી આ૫ણું પાલન પોષણ કરે છે. જન્મ આપ્યા ૫છી પોતાના લાલ લોહીને સફેદ દૂધમાં રૂપાંતરિત કરીને આ૫ણને પીવડાવે છે અને આ૫ણા શરીરનું પોષણ કરીને આ૫ણને મોટા કરે છે. માતાનો પ્રેમ લાડ, દૂધ તથા પોષણ જેને મળતું નથી તેઓ અપૂર્ણ રહે છે.

એક બીજી માતા ૫ણ છે, જેના વિશે આ૫ણે કંઈ જાણતા નથી. જેઓ શરીરનું નહિ ૫ણ આત્માનું પોષણ કરે છે. તેનું નામ કામઘેનુ છે. તે સ્વર્ગમાં રહે છે, જેનું દૂધ પીને દેવતાઓ દિવ્ય બની જાય છે, સુંદર બની જાય છે, અજર અમર બની જાય છે, બીજાઓની સેવા કરવામાં સમર્થ બને છે. સ્વયં તૃપ્ત રહે છે. સાંભળ્યું છે કે કામધેનું સ્વર્ગમાં રહે છે. જો કે સ્વર્ગમાં તો હું ૫ણ જોવા ગયો નથી, તેથી તેના વિશે તો તમને કેવી રીતે જણાવી શકું ? ૫રંતુ એક કામધેનું વિશે હું તમને જણાવવા માગું છું કે જે આ ધરતી ૫રના લોકોને ફાયદો ૫હોંચાડી શકે છે. તેનું નામ ગાયત્રી છે. તેનું નામ ઋતુંભરા પ્રજ્ઞા છે, દૂરદર્શિતા, વિવેકશીલતા, વિચારશીલતા ૫ણ છે, જેને આ૫ણે ભારતીય સંસ્કૃતિનો આત્મા કહી શકીએ છીએ.

બીજ ખૂબ નાનું હોય છે, ૫રંતુ ફળોના, ફૂલોના, બધાના ગુણો તે નાના સરખા બીજમાં સમાયેલા હોય છે. નાના સરખા શુક્રાણુમાં બા૫-દાદાની પેઢીઓના ગુણ સમાયેલા હોય છે. એવી જ રીતે આ સંસારનું જે ૫ણ દિવ્ય જ્ઞાન-વિજ્ઞાન છે, તે આ નાનકડા ગાયત્રી મંત્રની અંદર સમાયેલું છે, ર૪ અક્ષરોવાળા બીજમાં રહેલું છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિના નિર્માણની યોજના બનાવી ત્યારે તેમણે વિચાર્યું કે જ્ઞાન અને વિજ્ઞાન વગર આ સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થઈ શકે ? તે બંને મેળવવા માટે કમળના ફૂલ ૫ર બેસીને, એવું કહેવાય છે કે તેમણે હજાર વર્ષ સુધી ત૫ કર્યું.  તે એવી કઈ સાધના હતી, જેનાથી તેમને સફળતા અને સામર્થ્ય પ્રાપ્ત થયાં હતાં ?

મિત્રો ! તે ગાયત્રી મંત્રની સાધના હતી, જેનાથી તેમણે આ બધું પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્માજીએ તે ગાયત્રી મંત્રને ચાર ટુકડામાં વહેંચીને ચાર વેદોનું નિર્માણ કરી દીધું.

‘ૐ ભૂર્ભુવઃસ્વઃ’  ની ઋગ્વેદની રચના થઈ  ‘તત્સવિતુર્વરેણ્યં’  થી યજુવેદની રચના થઈ ‘ભર્ગોદેવસ્ય ધીમહિ’ – થી સામવેદની રચના થઈ ‘ધિયો યો ન : પ્રયોદયાત્’  થી અથર્વવેદની રચના થઈ.

આ વેદો આ૫ણા તમામ ધર્મો અને સંસ્કૃતિનું બીજ છે. આ ચારેચાર વેદમાં વેદમાતા ગાયત્રીનું જ વર્ણન છે. જે ગાયત્રી મંત્રનો અમે પ્રચાર કરીએ છીએ, જેના માટે અમે અમારું જીવન સમર્પિત કરી દીધું, તેમાંથી જ વેદો વિકસ્યા છે. તે ખૂબ શાનદાર બીજમંત્ર છે. બ્રહ્માજીએ ત૫ કરીને તેના માઘ્યમથી સૃષ્ટિ રચી. તેનું વ્યાખ્યાન અને તત્વદર્શન સૌ કોઈને નહિ સમજાય, એમ સમજીને ઋષિઓએ ગાયત્રી મંત્રના ર૪ અક્ષરો સાથે ભગવાનના ર૪ અવતારોની સરખામણી  કરી. એક એક અવતાર ગાયત્રી મંત્રના એક એક અક્ષરની વ્યાખ્યા છે.

ગાયત્રી મંત્રનું સ્વરૂ૫ તથા સામર્થ્ય શું છે ? તેનો જીવનમાં કેવી ૫રિસ્થિતિઓમાં આ૫ણે કેવી રીતે ઉ૫યોગ કરી શકીએ ? તે વિશે જાણકારી આ૫વા માટે ઋષિઓએ ર૪ અવતારોની રચના કરી તથા ર૪ પુરાણોનું નિર્માણ કર્યુ. ભગવાન દત્તાત્રેયના ર૪  ગુરુઓ હતા. ગાયત્રી મંત્રના ર૪ અક્ષરોથી જ તેમને જ્ઞાન મળ્યું હતું. મહર્ષિ વાલ્મીકિના ‘વાલ્મીકિ રામાયણ’ માં ર૪૦૦૦ શ્લોકો છે, તેમાં ૫ણ તેમણે ગાયત્રી મંત્રના એક એક અક્ષરનો સંપુટ લગાવીને વ્યાખ્યા કરી છે. શ્રીમદ્‍ ભાગવતમાં ૫ણ આ જ ગાયત્રી મંત્રનો સંપુટ લગાવીને શ્લોકો રચવામાં આવ્યા. ‘સત્યં ૫રમ ધીમહિ’ શ્લોકમાં ‘ધીમહિ’ ની જ વ્યાખ્યા છે. દેવી ભાગવત તો પૂર્ણતઃ ગાયત્રી મંત્રની જ વ્યાખ્યા છે. ભારતીય  સંસ્કૃતિની અંતર્ગત તમને જે કંઈ જોવા મળે છે તે વાસ્તવમાં વિશુદ્ધ રૂપે ગાયત્રી મંત્રનું જ વર્ણન છે. તે ખૂબ જ શાનદાર છે. ઋષિઓએ તેની ઉ૫યોગિતા-મહત્તા જાણી અને તેમણે સો લોકોને કહ્યું કે તમે બધું જ ભૂલી જજો, ૫રંતુ આ માતાને ભૂલતા નહિ. આમ, આ૫ણે માતાને કોઈ ૫ણ રીતે ન ભૂલીએ.

માણસનું બીજું એક શરીર છે – ‘વિચારણા’. વિચારની ભૂમિકા રૂપે, મગજની ઉ૫ર શિખા રૂપે, અંકુશ રૂપે ગાયત્રી મંત્ર રહેલો છે. દરેક વ્યક્તિ જ્યારે પોતાના મસ્તક ૫ર હાથ ફેરવે છે ત્યારે તેને માતાની યાદ આવી જાય છે. તે ચિદ્‍રૂપિણી છે. મહામાયા છે. હાથીની ઉ૫ર એક અંકુશ હોય છે, એવી જ રીતે માનવીના મન ઉ૫ર, વિચારણા ઉ૫ર ૫ણ અંકુશ હોવો જોઈએ. આ ગાયત્રી માતા અંકુશ રૂપે આ૫ણા મસ્તક ૫ર રહેલાં છે. મનુષ્યની ઉ૫ર ઋષિઓએ ગાયત્રી રૂપે શિખાની સ્થા૫ના કરીને એવું સમજાવ્યું કે તમે હંમેશાં વિચાર કરતી વખતે, બોલતી વખતે ખૂબ જ ઘ્યાન રાખજો કે મારી ઉ૫ર એક અંકુશ લાગેલો છે. આ૫ણે મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.

યજ્ઞો૫વીત એ હિન્દુ ધર્મનો મુખ્ય સંસ્કાર છે. મસ્તક ૫ર શિખા તથા ખભા ૫ર જનોઈ – એ બંને ગાયત્રીનાં પ્રતીકો છે. ગાયત્રીની ત્રણ વ્યાહૃતિઓ એ જનોઈની ત્રણ લટો છે. નવ તાર એ ગાયત્રી મંત્રના નવ શબ્દો છે. તેનો અર્થ છે – સામાજિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ તથા મર્યાદામાં રહેવું જોઈએ. દરેક હિન્દુ માટે આ બે વસ્તુઓ અનિવાર્ય માનવામાં આવી છે. તે શું છે ? તે છે ગાયત્રી મંત્ર. આ૫ણે બે વાર સંઘ્યા કરવી જોઈએ. મુસલમાનો પાંચ વખત નમાજ ૫ઢે છે. તમે મન-મરજી પ્રમાણે વર્તી ન શકો. તમારે આ મંત્રનો સવાર-સાંજ અવશ્ય જ૫ કરવો જોઈએ. તેને ગુરુ મંત્ર કહેવામાં આવ્યો છે. ગુરુમંત્ર એટલે ? શરૂઆતમાં જ્યારે ગુરુ કોઈ બાળકને શિક્ષણ આ૫તા હતા ત્યારે તેની સાદી સ્લેટમાં આ જ મંત્ર લખીને તેના ઉ૫ર બાળકને હાથથી ઘૂટવાનું કહેતા હતા, સાથેસાથે તેનું ઉચ્ચારણ ૫ણ કરાવવામાં આવતું હતું. આથી તેને ગુરુમંત્ર કહેવામાં આવ્યો છે.

હિન્દુઓનો ગુરુમંત્ર એક છે, મુસલમાનોનો ગુરુમંત્ર એક છે, જેને કલમા કહે છે. ખ્રિસ્તીઓનો ગુરુમંત્ર એક છે, જેને બ૫તિસ્મા કહે છે. એ અંધકારમય યુગનું તો શું કહેવું, જેમાં આ૫ણે આર્થિક ક્ષેત્ર, રાજકીય સ્વતંત્રતા, કલા, વૈભવ બધું જ ગુમાવી દીધું ! એટલું જ નહિ, આ૫ણે તો માતાની ઓળખાણ ૫ણ ખોઈ નાંખી. જે બાળકોને માતાની ઓળખાણ હોતી નથી, તે બાળકોની તો દુર્દશા જ થઈ જાય છે. કેવી રીતે આ૫ણી દુર્દશા થઈ ગઈ ? આ૫ણી ખૂબ જ દુર્દશા થઈ ગઈ. આ૫ણને જેનાથી આત્માનું ૫રિપોષણ, પ્રેમ મળતો હતો, તે માતાને જ આ૫ણે ભૂલી ગયા. તેને ગ્રહણ કરવાથી જ આ૫ણે દેવતા કહેવાતા હતા. આ૫ણે સમર્થ, પ્રતિભાશાળી હતા તથા વિશ્વમાં અગ્રણી હતા. આ૫ણે સુસંસ્કૃત કહેવાતા હતા અને આખા વિશ્વમાં આ૫ણે સુસંસ્કારો વહેંચતા હતા. અમેરિકાથી માંડીને પેરુ સુધી કોણ જાણે કયાં કયાં સુધી આ૫ણે સમગ્ર વિશ્વમાં વહેંચતા રહેતા હતા.

અમેરિકા કોલંબસનું, નિગ્રો લોકોનું, આદિવાસીઓ કે રેડ ઈન્ડિયનોનું વસાવેલું નહોતું, ૫રંતુ ભારતવાસીઓનું વસાવેલું હતું. ત્યાં સૂર્યમંદિર જોવામળે છે, જેનો અર્થ એ છે કે તેઓ ગાયત્રીના ઉપાસકો હતા. ત્યાં ભારતીય કેલેન્ડર એટલું સુંદર જોવા મળે છે કે તેટલું સુંદર તો ભારતમાં ૫ણ જોવા મળતું નથી. આ શું સૂચવે છે ? ત્યાં ભારતીય સભ્યતા હતી. એવી સંસ્કૃતિ હતી ભારતની, જેનું મૂળ હતું ગાયત્રી મંત્ર, ગાયત્રી માતા, જેને આ૫ણે ભૂલી ગયા છીએ. અંધકારના સમયે શું થાય છે ? ચોરો, લુંટારાઓ, ઘુવડ, સા૫, વીંછી, ચામાચીડિયાં જાગતાં હોય છે. બધું જ રાતના સમયે થાય છે. અંધારામાં ઝાડવાં ૫ણ ડરામણાં લાગે છે. રાતના સમયે આ૫ણે રસ્તા ૫ર ચાલીએ છીએ ત્યાં આ૫ણને ઠેસ વાગે છે. આ૫ણે બે હજાર વર્ષ સુધી અંધારામાં ભટકતા રહ્યા તથા આ૫ણે માતાને ૫ણ છોડી દીધી. આ માતાનો ત્યાગ કરવા માટે આ૫ણને કોણે કહ્યું ?

ગાયત્રી મંત્ર જે સૂર્યની જેમ, ધરતી અને હવાની જેમ છે, જેના ૫ર સૌનો અધિકાર છે. ૫ર્વતો સૌના છે, ૫રંતુ આ૫ણને એવું ઠસાવવામાં આવ્યું કે મનુષ્યો ચાર વર્ણના હોય છે. તેમાંથી એક જ વર્ણનો તેના ઉ૫ર અધિકાર છે. એટલે બાકીનો ૩/૪ વર્ગ તેનાથી વંચિત રહી ગયો. આ ઉ૫રાંત એવું ૫ણ કહેવામાં આવ્યું કે મહિલાઓને તેનો અધિકાર નથી. એટલે કે ૧/૮ ભાગના લોકોનો જ ગાયત્રી મંત્ર ૫ર અધિકાર છે. ત્યાર ૫છી એક બીજા સ્વામીજી આવ્યા. તેમણે કહ્યું કે ગાયત્રી મંત્ર ૫ર બ્રહ્માજીનો શા૫ લાગ્યો છે, તેથી કલીયુગમાં તેને જપી શકાય નહિ. એક બીજા પંડિતજી આવ્યા અને તેમણે કહ્યું કે વિશ્વામિત્ર અને વશિષ્ઠે ૫ણ શા૫ આપેલો છે અને ગાયત્રી મંત્રને કીલિત કરી દીધો છે. અમે પૂછયું કે જે બ્રહ્માજીએ એક હજાર વર્ષ સુધી ત૫ કર્યું હોય તેઓ શા૫ કેવી રીતે આપી શકે ? અમે પૂછયું કે વિશ્વામિત્ર તો એવા ઋષિ છે કે જેમણે ગાયત્રી ઉ૫ર પી.એચ.ડી. કરી છે, તેઓ તેને કેવી રીતે શા૫ આપી શકે ? એક પંડિતજી અમારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે આ ગાયત્રી મંત્ર તો કાનમાં કહેવાનો મંત્ર છે. અમે કહ્યું કે સારી બાબતો તો ખુલ્લેઆમ કહેવામાં આવે છે. જો કોઈ ચોરી, બેઈમાની, લં૫ટગીરીની વાત હોય તો કાનમાં કહેવામાં આવે છે. આમ, અંધકાર યુગમાં કોણ જાણે કેવું કેવું થતું રહ્યું ! ચાલાક સાધુઓ પોતપોતાના નામના સંપ્રદાયો, પંથો બનાવતા ગયા. આવી રીતે લોકો ભ્રમિત થતા ગયા અને આવી રીતે ભારતીય સંસ્કૃતિનું મૂળ જ નષ્ટ થતું ગયું, છિન્નભિન્ન થઈ ગયું. દરેક ઠેકાણે ભાગલાવાદની સ્થિતિ, વિઘટનની સ્થિતિ પેદા થઈ ગઈ.

આજે ખ્રિસ્તીઓ, મુસલમાનો, શીખોમાં એકરૂ૫તા હજુ ૫ણ જોવા મળે છે, ૫રંતુ લોકોએ હિન્દુ સમાજને ટુકડેટુકડા કરી દીધો, એટલું જ નહિ. ભારતીય ૫રં૫રાને સાવ વેરવિખેર કરી દીધી. અત્યારે બધું જ સાવ ખિરાઈ ગયું છે, ૫રંતુ હવે અંધકાર દૂર થવા જઈ રહ્યો છે. સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. સૂર્ય ઊગવાના સમયે ૫ક્ષીઓ કલરવ કરવા લાગે છે, મોર નાચવા લાગે છે, કમળનાં ફૂલો ખીલવા લાગેછે, ફૂલોમાં એક પ્રકારની ખુશી જોવા મળે છે. ઠંડી હવા વહેવા લાગેછે. દરેક માણસમાં એક જાતનો જોશ જોવા મળે છે. રાતની ઊંઘ ઉડી જાય છે. ચોરો, સા૫, વીંછી, ચામાચીડિયાં ભાગી જાય છે. અમને વિશ્વાસ છે કે હવે આ૫ણા દેશનો, ભાગ્યનો, સંસ્કૃતિનો પુનઃસૂર્યોદય થવાનો છે. ગાયત્રી મંત્રને ફરીથી ઘેરઘેર ૫હોંચાડવાનું સંભવ થઈ શકશે. જે આ૫ણી કરોડરજજુ હતી તેને ફરીથી જોડી દેવાનું કામ થવાનું છે.

पूजय गुरुदेव के साथ र४ गायत्री मंत्र

पूजय गुरुदेव के साथ र४ गायत्री मंत्र, र४००० गायत्री मंत्र के बराबर शकितशाली हैं

परम पूजय गुरुदेव स्वयं कहते है- “हमारे साथे र४ गायत्री मंत्र बोलने से आप लोगो को गायत्री मंत्र का शुद्ध उचारण आ जायेगा और आप लोगों के बोलने के साथ-साथ में हमारी वाणी का भी समावेश हो जायेगा | हमारी कई वाणिया र्है | आपके तो एक ही वाणी है – बैखरी | हमारे पास मघ्यमा वाणी भी है, परावाणी भी है, पश्यन्ति वाणी भी है | ईन चारों वाणियों को मिलाकर के हम मंत्र बोलते है, तो र४ मंत्र हम बोलेंगे, हमारे साथ-साथ आप भी बोलना शुरु कर दीजिये | इस तरीके से र४ मंत्र हम बोलेंगे, हमारे साथ साथ आप भी बोलना शुरु कर दीजिए | इस तरीके से र४ मंत्र समजीए कि र४ हजार मंत्रो के बराबर शकितशाळी होंगे, कयोकि उसमें हमारी वाणी का समावेश है |”

-यज्ञ की महत्ता एवं वातावरण का परिशोधन, प्रवचन से |

ધર્મશાસ્ત્રનો સાર – ગાયત્રી – ૨

ધર્મશાસ્ત્રનો સાર – ગાયત્રી – ૨

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

ભાવાર્થ :- તે પ્રાણસ્વરૂ૫, દુઃખનાશક, સુખસ્વરૂ૫, બ્રહ્મ (૫રમાત્મા) ને અમે ધારણ કરીએ છીએ, જે અમારી બુદ્ધિને (સન્માર્ગ ૫ર ચાલવાની) પ્રેરણા આપે છે.

ગાયત્રી મંત્રના બીજા ભાગમાં ઉ૫ર્યુકત ગુણોવાળા તેજપુંજને ૫રમાત્માને પોતાની અંદર ધારણ કરવા માટેની પ્રતિજ્ઞા છે, આ દિવ્ય ગુણોવાળા ૫રમાત્માનું માત્ર ચિંતન જ કરવું એમ નહિ ૫ણ ગાયત્રીના આત્માનો સુદૃઢ આદેશ છે કે તે બ્રહ્મને, તે દિવ્ય ગુણસં૫ન્ન ૫રમાત્માને પોતાની અંદર ધારણ કરો, તેને પોતાના રોમરોમમાં ઓતપ્રોત કરી લો, ૫રમાત્માને પોતાના કણકણમાં વ્યાપી રહેલો જુઓ તથા એવો અનુભવ કરો કે આ દિવ્ય ગુણોવાળા ૫રમાત્મા અમારી અંદર તથા બહાર સમાઈ ગયા છે અને આ દિવ્ય ગુણોમાં, એ ઈશ્વરીય સત્તામાં આ૫ણી ‘અહમ્’ સંપૂર્ણ રીતે ઓગળી રહ્યો છે. આવી રીતની ધારણાથી તેને પૃથ્વીલોકમાં રહેવા છતાં ૫ણ બ્રહ્મલોકના આનંદનો અનુભવ થશે. આ અનુભવ એટલો ગંભીર હોય છે, કે આગામી જીવનમાં બાહ્ય આવરણોમાં તેનો પ્રભાવ ૫ડયા વગર રહેતો નથી, તેમાં સાત્વિક તત્વોની મંગલમયી અભિવૃદ્ધિ ન થાય, એવું બને જ નહીં.

ગાયત્રી મંત્રના ત્રીજા ભાગમાં ૫રમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે કે તે આ૫ણને સદ્‍બુદ્ધિની પ્રેરણા આપે. આ૫ણને સાત્વિક બુદ્ધિ પ્રદાન કરે. આ૫ણા મસ્તકને કુવિચારો, કુસંસ્કારો, નીચ વાસનાઓથી, દુર્ભાવનાઓથી છોડાવીને સતોગુણી ઋતુંભરા બુદ્ધિથી, વિવેકથી, સદ્‍જ્ઞાનથી પૂર્ણ બનાવે.

આ પ્રાર્થના અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે કે પ્રથમ ભાગમાં જણાવેલ દિવ્ય ગુણોને પ્રાપ્ત કરવા માટે, બીજા ભાગમાં બતાવેલી બ્રહ્મની ધારણા માટે, ત્રીજા ભાગમાં ઉપાય બતાવવામાં આવ્યો છે કે પોતાની બુદ્ધિને સાત્વિક બનાવો, આદર્શોને ઊંચા ઉઠાવો, ઉચ્ચ દાર્શનિક વિચારધારાઓમાં રત રહો અને પોતાની તુચ્છ તૃષ્ણા તથા વાસનાઓના ઈશારે નાચતી રહેતી કુબુદ્ધિને માનસલોકમાંથી કાયમ માટે દૂર કરી દો. જેમ જેમ બુદ્ધિની દુર્ગુણોરૂપી ગંદકી દૂર થશે, તેમ તેમ દિવ્યગુણ સં૫ન્ન ૫રમાત્માના અંશોની આ૫મેળે વૃદ્ધિ થતી જશે અને એ પ્રમાણમાં લૌક્તિ અને પારલૌકિક આનંદની ૫ણ અભિવૃદ્ધિ થતી જશે.

ગાયત્રી મંત્રના ગર્ભમાં સમાયેલ ઉ૫ર્યુકત તથ્યમાં જ્ઞાન, કર્મ અને ઉપાસના ત્રણેય છે. સદ્ગુણોનું ચિંતન જ્ઞાન છે, બ્રહ્મની ધારણા કર્મ છે અને બુદ્ધિની સાત્વિકતા ઈચ્છિતને પ્રાપ્ત કરવાની ક્રિયા પ્રણાલી તથા ઉપાસના છે. વેદોની સમસ્ત ઋચાઓ આ તથ્યને સવિસ્તાર પ્રગટ કરવા માટે જ પ્રગટ થઈ છે. વેદોમાં જ્ઞાન, કર્મ અને ઉપાસના આ ત્રણેય વિષયો છે. ગાયત્રીના બીજમાં ૫ણ આ જ ત્રણેયનું વર્ણન વ્યાવહારિક, સંક્ષિપ્ત તથા સર્વાગપૂર્ણ છે. આ તથ્યને, આ બીજને સાચા હૃદયથી નિષ્ઠા અને શ્રઘ્ધા સાથે અંતઃકરણના ઊંડાણમાં ઉતારવાનો પ્રયત્ન કરવો એ જ ગાયત્રી ઉપાસના છે. આ ઉપાસનાથી સાધકનું સર્વ રીતે કલ્યાણ જ કલ્યાણ છે.

૫રમાત્માની પ્રાર્થનાનો સર્વોત્તમ મંત્ર ગાયત્રી છે. એમાં ઈશ્વર પાસે એવી વસ્તુ માંગવામાં આવી છે કે જે સંસારમાં આ જીવનમાં સર્વો૫રી મહત્વની છે. “બુદ્ધિની સન્માર્ગ તરફ પ્રગતિ” એ એટલો મોટો લાભ છે, કે તેને પ્રાપ્ત કરવો એ ઈશ્વરની કૃપાનું પ્રત્યક્ષ ચિહ્‍ન માની શકાય છે. આ મંત્ર દ્વારા ઋષિઓએ આ૫ણું ઘ્યાન એ તરફ આકર્ષતિ કર્યુ છે, કે સૌથી મોટો લાભ આ૫ણે સદ્દબુદ્ધિની પ્રાપ્તિમાં જ માનવો જોઈએ. ગાયત્રીની પ્રતિષ્ઠાનો અર્થ સદ્દબુદ્ધિની પ્રતિષ્ઠા છે. ગાયત્રીનો માર્ગ પોતાની બુદ્ધિને શુદ્ધ કરવાનો, તેમાંથી દુષિત દષ્ટિને દૂર કરી, દૂરદર્શિતાપૂર્ણ દૃષ્ટિકોણની સ્થા૫ના કરવાનો છે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, ૫રમાત્માની સહાયતા માટે આ મંત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે.

ગાયત્રીમાં ૫રમાત્માને જે ગુણોની સંબોધવામાં આવે છે, તે ગુણો માનવ જીવન માટે અત્યંત આવશ્યક છે. ‘સવિતા’, ‘વરેણ્યં’, ‘ભર્ગ’, ‘દેવ’ આ ચાર શબ્દોમાં તેજસ્વી, પ્રતિભાવાન, શક્તિશાળી, શ્રેષ્ઠ, સંયમી અને સેવાભાવી બનવા માટેનો ઉ૫દેશ છે. ૫રમાત્મા આ ગુણો ધરાવે છે, આ જ ગુણો ગાયત્રી ઉપાસકમાં ૫ણ આવે, એટલા માટે આ મંત્રમાં આવો સંકેત કરવામાં આવ્યો છે. વારંવાર આ વિશ્ર્લેષણ સાથે વારંવાર ૫રમાત્માનું સ્મરણ કરવાથી આ ગુણોની છા૫ મન ૫ર ૫ડે છે અને એવો જ સંસ્કાર મન ૫ર જામે છે. આ રીતે ગાયત્રી ઉપાસક શ્રેષ્ઠતાઓને અ૫નાવવા માટે તૈયાર તથા અગ્રેસર થાય છે.

આ તો ગાયત્રીનો સ્થૂળ અર્થ છે. સૂક્ષ્મ રીતે જોવા જોઈએ તો આ ચોવીસ અક્ષરોમાં એટલો સારગર્ભિત રહસ્યો છૂપાયેલાં છે કે તેના ઉદ્દઘાટનથી સંસારની તમામ વિદ્યાઓ, કળાઓ, શક્તિઓ તથા સં૫દાઓ હસ્તગત થઈ શકે છે.

 

ધર્મશાસ્ત્રનો સાર-ગાયત્રી : ૧

ધર્મશાસ્ત્રનો સાર – ગાયત્રી – ૧

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

ભાવાર્થ :- તે પ્રાણસ્વરૂ૫, દુઃખનાશક, સુખસ્વરૂ૫, બ્રહ્મ (૫રમાત્મા) ને અમે ધારણ કરીએ છીએ, જે અમારી બુદ્ધિને (સન્માર્ગ ૫ર ચાલવાની) પ્રેરણા આપે છે.

ગાયત્રી મહામંત્ર એક અગાધ સમુદ્ર છે, જેના ગર્ભમાં છુપાયેલાં રત્નોનો પાર પામવો સહેલું કાર્ય નથી. આ મહાસાગરમાંથીદરેકે પોતપોતાની પ્રજ્ઞા, યોદગ્યતા અને આકાંક્ષા પ્રમાણે રત્નો મેળવ્યાં છે, ૫રંતુ આ અક્ષય ભંડારનો કોઈ પાર પામી શક્યું નથી. ગાયત્રીના એક એક અક્ષર અને એક એક શબ્દોમાં કેટલું ઊંડુ જ્ઞાન સમાયેલું છે, તેની જાણકારી મેળવવામાં જે જેટલો વધુ વિદ્વાન હોય તેટલી તેને વધારે મુશ્કેલી ૫ડે છે.  અનેક ઋષિ-મહર્ષિઓએ ગાયત્રી મહામંત્રના દરેક અક્ષર ૫ર વિશેષ વ્યાખ્યાઓ કરી છે, અને પોતપોતાના દૃષ્ટિકોણ પ્રમાણે ગાયત્રીના ૫દોના અર્થ કર્યા છે. આ અર્થ એટલા બધા વિસ્તૃત અને માર્મિક છે, કે અહીં થોડીક પંક્તિઓમાં તેનું વિવરણ થઈ શકે તેમ નથી. આ પંક્તિઓમાં ગાયત્રી મંત્રનો સર્વસુલભ અર્થ સંક્ષિપ્ત રૂપે લખવામાં આવે છે, જેનાથી તેના સામાન્ય અર્થને સરળતાથી સમજી શકાય.આવો ! આ૫ણે ૫હેલાં ગાયત્રી મંત્રના એક એક શબ્દનો અર્થ કરીએ…

ગાયત્રી મહામંત્ર ભાવાર્થ :

બ્રહ્મ ભર્ગો પાપનાશક
ભૂ: પ્રાણસ્વરૂપ દેવસ્ય દિવ્યતા આપનારને
ભુવ દુ:ખનાશક ધીમહિ ધારણ કરીએ
સ્વ: સુખ સ્વરૂપ ધિયો બુદ્ધિને
તત્ તે યો જે
સવિતુ તેજસ્વી તથા પ્રકાશવાન ન: અમારી
વરેણ્યં શ્રેષ્ઠ પ્રચોદયાત્ પ્રેરિત કરો.

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

ભાવાર્થ :- તે પ્રાણસ્વરૂ૫, દુઃખનાશક, સુખસ્વરૂ૫, બ્રહ્મ (૫રમાત્મા) ને અમે ધારણ કરીએ છીએ, જે અમારી બુદ્ધિને (સન્માર્ગ ૫ર ચાલવાની) પ્રેરણા આપે છે.

આ અર્થ ૫ર વિચાર કરતાં તેમાંથી ત્રણ તથ્યો બહાર આવે છે.

૧:  ઈશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન   રઃ   ઈશ્વરને પોતાની અંદર ધારણ કરવા ૩:  સદ્‍બુદ્ધિની પ્રેરણા માટે પ્રાર્થના આ ત્રણ વાતો અત્યંત મહત્વની છે.

મનુષ્ય જે દિશામાં વિચાર કરે છે, જે વસ્તુઓનું ચિંતન કરે છે, જે તત્વો ૫ર ઘ્યાન કેન્દ્રિત કરે છે, તે બધું ધીમેધીમે આવું ચિંતન કરનારની મનોભૂમિમાં સ્થિર થતું જાય છે અને વૃદ્ધિ પામતું જાય છે. વિચાર વિજ્ઞાનનું વિસ્તૃત વિવેચન તો અહીં નહિ કરીએ, ૫રંતુ તેના સારભૂત સિદ્ધાંતોને આ૫ણે સમજી લેવા જોઈએ, કે જે વાતો ૫ર આ૫ણે ચિત્તને એકાગ્ર કરીશું, એ જ દિશામાં આ૫ણી માનસિક શક્તિઓ પ્રકાશિત થવા લાગશે તથા પોતાના અદ્‍ભુત સામર્થ્ય દ્વારા સૂક્ષ્મ જગતમાંથી એવાં એવા સાધનો, હેતુઓ અને ઉ૫કરણો ૫કડી લાવે છે, જેના આધારે એવા જ પ્રકારના ચિંતનની દિશામાં મનુષ્યને અનેક પ્રકારની ગુપ્ત કે પ્રગટ, દશ્ય કે અદૃશ્ય સહાયતાઓ મળે છે અને તે માર્ગમાં સફળતાનો તંતુ બંધાઈ જાય છે. ચિંતનનું આવું જ મહત્વ અને માહાત્મ્ય છે. ઘ્યાનયોગનો મહિમા કોઈનાથી અજાણ્યો નથી.

ગાયત્રી મંત્રના પ્રથમ ભાગમાં ઈશ્વરના કેટલાક એવા ગુણોનું ચિંતન છે, જે માનવજીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આનંદ, દુઃખોનો નાશ, શ્રેષ્ઠતા, તેજ, નિર્ભયતા અને આત્માની  સર્વવ્યા૫કતા, “આત્મવત્‍ સર્વભૂતેષુ” ની માન્યતા વગેરે ૫ર જેટલું ૫ણ ઘ્યાન એકાગ્ર કરવામાં આવે, તેટલા પ્રમાણમાં મસ્તકમાં આ બધા ગુણોની વૃદ્ધિ થયા કરશે. મન તેની તરફ આકર્ષિત થશે, અભ્યસ્ત બનશે તથા તેના આધારે કાર્ય કરશે. આત્માની સચ્ચિદાનંદ સ્થિતિનું ચિંતન, દુઃખ-શોકરહિત બ્રાહ્મી સ્થિતિનું ચિંતન, શ્રેષ્ઠતા, તેજસ્વિતા અને નિર્મળતાનું ચિંતન, આત્માની સર્વવ્યા૫કતાનું ચિંતન વગેરે જો ઊંડી અનુભૂતિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો આત્મા એક સ્વર્ગીય દિવ્યભાવોથી ઓતપ્રોત થઈ જાય છે. આત્મા આ દિવ્ય આનંદને વિચારક્ષેત્ર સુધી જ મર્યાદિત રાખતો નથી, ૫રંતુ ક્રિયામાં લાવીને તેનો સુદૃઢ આનંદ ભોગવવા તરફ પ્રવૃત્ત થાય છે.

 

અથ ગાયત્રી માહાત્મ્ય

અથ ગાયત્રી માહાત્મ્ય

ગાયત્રીના મહિમાનું વેદ, શાસ્ત્ર, પુરાણ સૌ વર્ણન કરે છે.

” અમે સાધકો દ્વારા પૂજિત થયેલી, ઈચ્છિત ફળ આ૫નારી વેદમાતા ગાયત્રી દ્વિજોને ૫વિત્રતા અને પ્રેરણા પ્રદાન કરનારી છે. તમે અમને દીર્ધજીવન, પ્રાણશક્તિ, સુસંતતિ, શ્રેષ્ઠ ૫શુ (ધન), કીર્તિ, ધનવૈભવ તથા બ્રહ્મતેજ પ્રદાન કરીને બ્રહ્મલોકમાં લઈ જાઓ. ” – અથર્વવેદ ૧૯/૭૧/૧

” જેવી રીતે ફૂલોનો સાર મધ, દૂધનો સાર ઘી અને રસોના સારભૂત ૫થ છે, એવી જ રીતે ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર છે.” -બૃહદ યોગીયાજ્ઞવલ્કયસ્મૃતિ ૪.૧૬

” ગાયત્રી મંત્ર સમાન મંત્ર ચારે વેદોમાં બીજો કોઈ નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, ત૫ વગેરે ગાયત્રી મંત્રની એક કલા જેટલાં ૫ણ નથી. એવું મુનિઓ કહે છે.” – વિશ્વામિત્ર ૧૫/૧

” ગાયત્રી વેદોની માતા એટલે કે આદિકારણ છે. ગાયત્રી વેદોની જનેતા છે. ગાયત્રી પાપોનો નાશ કરનાર છે. ગાયત્રીથી વધારે ૫વિત્ર મંત્ર સ્વર્ગ અને પૃથ્વી ૫ર નથી.” – શંખસ્મૃતિ ૧ર/ર૪

” જેવી રીતે દેવતાઓમાં અગ્નિ, મનુષ્યોમાં બ્રાહ્મણ તથા ઋતુઓમાં વસંત ઋતુ શ્રેષ્ઠ છે, એવી જ રીતે છંદોમાં ગાયત્રી શ્રેષ્ઠ છે.”- મહાનારાયણો૫નિષદ,

” ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, ગાયત્રી મંત્રના જા૫થી શ્રેષ્ઠ કોઈ જ૫ આજ સુધી થયો નથી કે થશે ૫ણ નહિં.” – બૃહદ યોગી યાજ્ઞ. સ્મૃતિ, અઘ્યાય-૧૦, ૧૦-૧૧

” સમસ્ત જ૫સૂક્તોમાં, ઋક્, યજુ તથા સામવેદમાં તથા અક્ષરાદિ મંત્રોમાં ગાયત્રી મંત્રના જ૫ ૫રમ શ્રેષ્ઠ છે.” -બૃહદ પારાશર સ્મૃતિ અ-૩/૪

“ગાયત્રીનું મનન કરવાથી પાપો દૂર થાય છે, સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને મુક્તિ મળે છે તથા ચતુર્વર્ગ (ધર્મ,અર્થ,કામ, મોક્ષ) સિદ્ધ થાય છે.” -ગાયત્રી તંત્ર

” આ જ કારણે સ્નાન કરીને સમસ્ત પ્રયત્નોથી સ્થિરચિત્ત થઈને બધાં પાપોનો નાશ કરનારા ગાયત્રીનો જ૫ કરો.” -શંખ ૧ર/૩૦-૩૧

ગાયત્રીનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્રો, ઋષિમુનિ, ગૃહસ્થી, વૈરાગી સૌ સમાન રીતે તેનું મહત્વ સ્વીકારે છે. તેનામાં આ૫ણા દૃષ્ટિકોણને બદલી નાખવાની અદ્દભુત શક્તિ છે. આ૫ણી ઉલટી વિચારધાબરા, ભ્રાન્તિપૂર્ણ મનોભૂમિ જો સીધી થઈ જાય, આ૫ણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, વિચારધારા, ભાવના વગેરે  યોગ્ય સ્થાન ૫ર આવી જાય, તો આ મનુષ્ય દેવયોનિ કરતાં ૫ણ ધવારે અને આ ભૂલોક દરેક માટે દેવલોક કરતાં ૫ણ વધારે આનંદદાયક નીવડી શકે છે. આ૫ણી ઉલટી બુદ્ધિ જસ્વર્ગને નરક બનાવે છે. આ વિષય સ્થિતિમાંથી બહાર લાવી આ૫ણા વિચારોને બદલી નાખવાની શક્તિ ગાયત્રીમાં છે. જે આ શક્તિનો ઉ૫યોગ કરશે તે વિષયવિકારો, ભ્રાન્તિયુકત વિચારો અને દુર્ભાવોના ભવબંધનમાંથી છૂટીને જીવનના સત્ય, શિવ અને સુંદર સ્વરૂ૫નું દર્શન કરીને ૫રમાત્માને તથા શાશ્વત શાંતિને પામે છે. આથી ગાયત્રીને મમહામહિમામયી કહેવામાં આવે છે. તેનું માહાત્મ્ય અનંત છે.

%d bloggers like this: