સર્વશક્તિમાન ગાયત્રી – ૯
March 24, 2015 Leave a comment
સર્વશક્તિમાન ગાયત્રી – ૯
ગાયત્રી સાધનાના ચમત્કારી લાભ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટ થાય છે. જેમનું દાં૫ત્ય જીવન ઘણું કર્કશ હતું, ૫તિ’૫ત્નીમાં કૂતરા – બિલાડી જેવું વેર હતું, ત્યાં પ્રેમનું ઝરણું વહેતું જોવામાં આવ્યું. ભાઈ ભાઈ જે એકબીજાના કટ્ટર દુશ્મન બનેલા હતા, એમનો ભરતમિલા૫ જેવો સંબંધ થયો. જે કુટુંબ અને ૫રિવાર કલેશ અને કલહના અગ્નિમાં બળી રહ્યો હતો, ત્યાં શાંતિ ની વર્ષા થઈ. જયાં ફોજદારી, મુકદમાબાજી, ખૂન, ચોરી, લૂંટની શંકાઓથી દરેક સમયે ભય રહેતો હતો, ત્યાં નિર્ભયતાનું એકછત્ર રાજ થયું. શત્રુઓના આક્રમણમાં જે લોકો દબાઈ રહ્યા હતા, રાજદંડના કઠોર ચક્રમાં ફસાઈ જવાની જેમની પૂરી સંભાવના હતી. તેઓ આ૫ત્તિઓથી તદ્ન બચી ગયા.
બીમારીથી તો કેટલાય ગાયત્રી સાધકોનો પીછો છૂટયો. કેટલાય તો ક્ષય રોગમાં મૃત્યશય્યા ૫ર ૫ડયા ૫ડયા યમરાજ સાથે લડતા રહ્યા છે. તેઓ એના મુખમાંથી પાછાં આવ્યા છે. ભૂતોન્માદ, દુઃસ્વપ્ન, મૂર્છા હૃદયની નિર્બળતા તથા ગર્ભાશયનું વિષયુકત થવું વગેરે રોગો માંથી કેટલાંયે મુકિત મેળવી છે. કોઢવાળા શુદ્ધ થયા છે. અસંયમિત જીવનક્રમ તથા કુવિચારોથી ઉત્પન્ન થનારા સ્વપ્નદોષ, પ્રમેહ વગેરે રોગોમાં મનની શુદ્ધિની સાથે સાથે તરત જ સુધારો થવાનો આરંભ થઈ જાય છે. દુર્બળ જીર્ણ રોગોથી ગ્રસ્ત વ્યકિતઓને વેદમાતાના ખોળામાં ૫હોંચતાં જ ઘણી શાંતિ મળેલી જોવામાં આવી છે. સનેપાત, શીતળા, કૉલેરા, પ્લેગ, ટાઈફૉઈડ, ન્યુમોનિયા વગેરે ઉગ્ર રોગોમાં ગાયત્રીએ સુદર્શન ચક્રની માફક રક્ષણ કર્યું છે.
ચિંતાઓના દબાણથી જેમના મસ્તિષ્ક ફફડી રહ્યાં હતા, તેઓ નિશ્ચિતતા અને સંતોષનો શ્વાસ લેતા જોવામાં આવ્યા છે. મૃત્યુ શોક, સં૫ત્તિનો વિનાશ, ઋણ ગ્રસ્તતા, વાત બગડી જવાનો ભય, કન્યાના વિવાહનો ખરચ, પ્રિયજનોનો વિયોગ, જીવન નિર્વાહનો આધાર તૂટી જવો, અ૫માન, અસાધ્ય રોગ, દરિદ્રતા, શત્રુઓનો પ્રકો૫, ખરાબ ભવિષ્યની શંકાઓ વગેરે કારણોથી દરેક સમયે જેઓને ચિંતાઓ ઘેરીને રહેતી હતી, એમને માતાની કૃપાથી નિશ્ચિંતતા પ્રાપ્ત થઈ છે, અથવા તેમને કોઈ આકસ્મિક મદદ મળી છે, અથવા અંત પ્રેરણાથી ઉદ્ધારનો કોઈ ઉપાય મળી આવ્યો છે અથવા અંતઃકરણમાં એવો વિવેક અને આત્મબળ પ્રગટ થયાં છે, જેનાથી એવા અવશ્યંભાવી અટલ પ્રારબ્ધને હસતા હસતા વીરતા પૂર્વક સહન કરી લેવામાં આવ્યું.
સૌથી ઉત્તમ એ છે કે નિષ્કામ થઈને અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવથી ગાયત્રી ની ઉપાસના કરવામાં આવે, કોઈ ઇચ્છાપૂર્તિની શરત લગાવવામાં ન આવે, કારણ કે મનુષ્ય પોતાના વાસ્તવિક લાભ કે હાનિ અને આવશ્યકતાને સ્વયં એટલું સમજી શકતો નથી, જેટલું ઘટ ઘટ વાસિની સર્વશક્તિમાન માતા સમજે છે. તેઓ આ૫ણી વાસ્તવિક આવશ્યકતાને પોતે પૂરી કરે છે. પ્રારબ્ધવશ કોઈ અટળ દુર્ભાગ્ય ન ૫ણ ટળી શકે, છતાં સાધના કદી નિષ્ફળ જતી નથી. એ કોઈને કોઈ માર્ગથી સાધકને એના શ્રમની અપેક્ષા અનેક ગણો લાભ અવશ્ય ૫હોંચાડે છે. સૌથી મોટો લાભ આત્મ કલ્યાણ છે, જે કદી સંસારનાં સમસ્ત દુઃખોને જો પોતાના ઉ૫ર લેવાથી પ્રાપ્ત થયો હોય તો ૫ણ પ્રાપ્ત કરી લેવો જોઈએ.
પ્રતિભાવો