पूजा, उपासना से परम लक्ष्य की प्राप्ति

अज्ञानवश हमने भौतिक और क्षणीक सुख पाने में समय, शरीर, धन, प्रतिष्ठा, गंवाकर, और आत्मा की अवज्ञा करके जीवन दाव पर लगा दिया है, पग पग पर संताप झेल रहे हैं।
अज्ञान को दूर करने के लिए जीवन में अध्यात्म जरूरी है। अध्यात्म से विवेक और ज्ञान की प्राप्ति होती है। ज्ञान तथा विवेक की प्रबलता, परमात्मा में अटल विश्वास और उसके न्याय में अखण्ड आस्था रखने से संसार का कोई भी शोक संताप मनुष्य को प्रभावित नहीं कर सकता।
उपासना इस स्थिति को प्राप्त करने में कितनी सफल सिद्ध होती है – इसके बारे में यही कहा जा सकता है कि वास्तविक पूजा – उपासना न सिर्फ अन्तःकरण में अपार शांति की प्रतिष्ठापना करती है वरन परम लक्ष्य तक पहुंचाने में भी सहायक बनती है।

युग ऋषि के संदेश

जहाँ गायत्री रूपी प्रकाश जाता है वहाँ से दुर्विचार और दुर्भावना रूपी अन्धकार अपना स्थान छोड़ देता है ।

जब अन्तःकरण पवित्र हो जाता है, मन पर चढ़े हुए सभी मल विक्षेप कट जाते हैं, ईर्ष्या, द्वेष, घृणा, निन्दा, बेईमानी, काम, क्रोध, लोभ, अहंकार की अनाधिकार चेष्टाओं से रहित हो जाता है सत्य, प्रेम, न्याय, दया, ईमानदारी संयम, सहानुभूति आदि गुणों का विकास हो जाता है, तभी भगवान् दर्शन देते हैं ।।

अमृतवाणी

क्या हम जिंदगी भर, बीबी – बच्चों को ही खिलाते रहेंगे? जिस पर मनुष्य का भविष्य टिका है, क्या उसके लिए कुछ नहीं कर सकेंगे? अपने लिये अधिक, समाज के लिए इतना कम| यह कैसे होगा? मेरे गुरु ने दुखियारों की सेवा, समाज की सेवा कम की है, परन्तु उसने सारे विश्व को हीला दिया है। दूसरों के दुःखो को देखकर यह सोचते हैं कि इसके लिए हम क्या करें? उस समय में रो पड़ता हूँ तथा उसे सहायता किये बिना मेरा मन नहीं मानता है।

युगऋषि श्रीराम शर्मा आचार्य

ગાયત્રી મંત્ર મંત્રલેખન શા માટે ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

મંત્રલેખન શા માટે ?

(૧) મંત્ર યા નામ લખવાથી આપણી અંદર એકાગ્રતા તથા શ્રેષ્ઠ માનસિક સ્થિતિ પેદા થાય છે અને ગુણોનો વિકાસ થાય છે.

(૨) મંત્રોના શબ્દોનો અર્થ અલગ અલગ હોય છે, પરંતુ એ બધામાં પ્રણામ અને પ્રાર્થનાનો ભાવ એકસરખો છે. તમામ મંત્રોનો મૂળભાવ આ જ છે પ્રણામ ! અમને આપનું દિવ્ય તેજ આપો, અમને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપો.” આ ભાવ માતૃભાષામાં લખવાથી મન, બુદ્ધિ અને હૃદય ત્રણેયની શુદ્ધિ થાય છે.

 (૩) ઉપરોક્ત ભાવમાં પોતાની રુચિ અનુસાર ખાલી જગ્યાએ ઇષ્ટદેવનું નામ અથવા ભગવાનનું નામ, ભગવતી માતા વગેરે કોઈપણ સંબોધન જોડી દો.

સૂચનો

(૧) મધ્યમ ગતિથી મંત્રલેખન કરો. શ્રદ્ધા સાથે લખો. (૨) બની શકે તેટલા સ્વચ્છ અને સુંદર અક્ષરે લખો.

અભ્યાસ

(૧) આપ જ્યારે નવું પાનું શરૂ કરો ત્યારે પ્રથમ લીટીમાં પોતાની માતૃભાષામાં સંબોધન સહિત ઉપરોક્ત ભાવ લખો.

(૨) આપ જે મંત્ર યા નામ જપતા હો તે લખવાનો આરંભ કરો. સામાન્ય રીતે અગિયાર વાર મંત્ર યા નામ લખો. જો આપને વધારે ઇચ્છા હોય તો વધુ લખો.

(૩) જ્યારે પાનું પૂરું થાય ત્યારે છેલ્લી લીટીમાં ઉપરોક્ત ભાવ ફરી લખો.

(૪) મંત્રલેખન બુકને માથે અડકાડો અને સાચવીને એક જગ્યાએ મૂકી દો.

મંત્રલેખનને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય ?

(૧) મંત્ર લખતી વખતે

– મનમાં મંત્રના પ્રથમ શબ્દના અર્થને લાવો.

– આ અર્થને મનમાં જાળવી રાખો, હવે બીજો મંત્ર લખો.

– પછી મનમાં મંત્રના બીજા શબ્દના અર્થને લાવો.

– આ અર્થને સતત જાળવી રાખો અને એક વધુ મંત્ર લખો.

– આ રીતે ક્રમશઃ એકએક શબ્દના અર્થને મનમાં લાવતા જાઓ અને નક્કી કરેલી સંખ્યામાં મંત્રલેખન કરો.

(૨) ભગવાનનું નામ લખતી વખતે -ઇષ્ટદેવના ગમતા એક ગુણને મનમાં લાવો. – આ ગુણને સતત જાળવી રાખો. એક લીટીમાં લગભગ ૧૬ વાર નામ લખો.

– આ રીતે ક્રમશઃ એકએક ગુણને મનમાં લાવો અને નક્કી કરેલી સંખ્યામાં નામલેખન કરો.

ઉપાસના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

ઉપાસના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે ?

આપ આસ્તિક વૃત્તિ ધરાવતી વ્યક્તિ છો , આ જ કારણે આપે આ પુસ્તકને જિજ્ઞાસાવશ પોતાના હાથમાં લીધું છે . એટલા માટે હવે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરું છું કે ઉપાસના આપણા સૌના જીવનની અનિવાર્ય જરૂરિયાત શા માટે છે ?

( ૧ ) તેની આવશ્યકતા એટલા માટે છે કે ઉપાસના વગર આપણે એ ભૂલતા જઈએ છીએ કે ઈશ્વરે આપણને મનુષ્યયોનિમાં શા માટે જન્મ આપ્યો છે . આવું ઉત્કૃષ્ટ જીવન આપવા પાછળ તેનો ઉદ્દેશ શું છે ? આ વાસ્તવિકતાને ભૂલી જવાના કારણે જ આપણે સાચા રસ્તા પરથી વારંવાર ભૂલા પડી જઈએ છીએ અને એવા રસ્તે વળી જઈએ છીએ કે જે આપણને પશુઓ જેવા જીવન તરફ લઈ જાય છે . આ રખડપટ્ટીમાં આપણે આપણું મૂલ્યવાન મનુષ્યજીવન ગુમાવી દઈએ છીએ . એટલા માટે સાચો રસ્તો દેખાડવામાં જે સમર્થ છે એવી ઉપાસનાને , ઈશ્વરની નજીક બેસવાને આપણે અનિવાર્ય કર્મ માનવું જોઈએ . આપણે નિયમિત દરરોજ ઉપાસના કરવી જોઈએ .

( ૨ ) મનુષ્યજન્મ પ્રાપ્ત કરવાનો અર્થ એટલો જ નથી કે આપણે ખાઈપીને મોજમજા કરીએ . આ મૂલ્યવાન શરીર દ્વારા ખૂબ જ મહત્ત્વનાં કાર્યો પણ કરી શકીએ એ માટે ભગવાને એમાં અદ્ભુત ક્ષમતાઓથી ભરેલ બુદ્ધિ અને સંવેદનાઓ ઉપજાવનાર હૃદય નામનું સાધન પણ આપ્યું છે . બીજાં પ્રાણીઓની પાસે આ ભાવસંવેદના નથી . એટલા માટે તેઓ બિચારાં ગમે તે રીતે પેટ ભરીને જીવતાં રહેવા અને પોતાના જેવાં બચ્ચાં પેદા કરવા સિવાય બીજું કંઈપણ કરી શકતાં નથી .

આપણે એવું વિચારીએ કે આપણે પણ શું નિર્બળ પ્રાણીઓની જેમ કેવળ પેટ અને પ્રજનન પાછળ જ પોતાનું જીવન વિતાવી દઈશું ? શું આપણે ઈશ્વરે આપેલ આ અનુપમ , અદ્ભુત અને અમૂલ્ય ભેટને વધુમાં વધુ પૈસા કમાવામાં જ હોમી દઈશું ? શું એટલા માટે આ દુર્લભ મનુષ્યજીવન પ્રાપ્ત કર્યું છે ? આ પ્રશ્નો પર આપણે વારંવાર ગંભીર વિચાર કરવો જોઈએ .

પરંતુ અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ વાત પર વિચાર કરવા , પોતાની ભૂલોને ઓળખવા , પોતાની શક્તિનો સાચો ઉપયોગ જાણવા માટે , મનુષ્યજીવન આપવાનો ભગવાનનો ઉદ્દેશ સમજવા માટે આપણને કોણ વારંવાર જગાડતું અને પ્રેરિત કરતું રહે ? નિત આપણને કોણ પ્રેમપૂર્વક યા વઢીને સમજાવે ?

આવું કરવામાં ઉપાસના સમર્થ છે . એટલા માટે ઉજ્જવળ જીવન તરફ આગળ વધવા માટે ઉપાસનાની અનિવાર્ય જરૂરિયાત છે .

( ૩ ) હવે આપણે જોઈએ કે આ ઉપાસના કેવી રીતે અદ્ભુત પ્રેરણા આપે છે ? “ ૐ નમઃ શિવાય ” મંત્ર નમ્ર અને કલ્યાણકારી જીવન જીવવાનો ઉત્સાહ વધારે છે . “ નમો અરિહંતાણમ્’’ કામ , ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરવા માટે આવાહન કરે છે . શીખધર્મનો “ શબદ’અને ખ્રિસ્તીધર્મની “ સામ ” પ્રાર્થનાઓ જીવનની શુષ્કતાને ઈશ્વરની મધુરતાથી સીંચે છે . એમના દ્વારા પ્રાપ્ત થતી પવિત્રતા અને શાંતિ ધગધગતા મન પર શીતળ મલમ લગાવે છે ત્યારે નીરસ હૃદયમાં કૃતજ્ઞતા અને ઉમંગ વધવા લાગે છે . એટલે જે જીવનને ઉમંગનો રસ્તો બતાવે , એની ઉપર ચલાવે એવી પ્રાર્થના અને ઉપાસના આપણા જીવન માટે અનિવાર્ય છે .

( ૪ ) જેવી રીતે આપણે ગંદકી અને નુકસાનકારક કીટાણુઓથી પોતાના મકાનને બચાવવા અને આનંદ પ્રાપ્ત કરવા માટે એમાં દરરોજ કચરો વાળતા રહીએ છીએ , તેને સ્વચ્છ તથા સુંદર બનાવીએ છીએ , એવી જ રીતે આપણા મનમાં આવતા વિચારોની ગંદકીને અને હ્રદયમાં જાગતી અધમ તથા અનૈતિક ભાવનાઓની દુર્ગંધને દૂર કરવા માટે , મન અને હૃદયને ઈશ્વરની પવિત્રતા અને સુગંધથી ભરી દેવા માટે આપણે નિત ઉપાસનાનો નિશ્ચય કરવો જ જોઈએ.

શા માટે પ્રાર્થના-ઉપાસના કરવામાં આવે છે ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

શા માટે પ્રાર્થના-ઉપાસના કરવામાં આવે છે ?

ભગવાને આપણને જન્મ થવાના સમયે જ દૈવી ચૈતન્યની અમૂલ્ય ભેટ આપી દીધી છે . એ હંમેશાં સૂતેલી અવસ્થામાં જ પડી રહે છે . ઉપાસના એટલા માટે કરવામાં આવે છે કે આપણું મન પવિત્ર બને , આપણા હ્રદયમાં ઉદારતાનો ભાવ પ્રગટે અને વિસ્તાર પામે , આપણે બીજાઓની સેવા કરવા માટે હંમેશાં તત્પર રહી આનંદ ઉત્સાહથી સભર રહીએ . મનુષ્યજીવનની સૌથી મોટી ચાર સિદ્ધિઓ છે . આ સિદ્ધિઓનાં શ્રેષ્ઠ પરિણામો પર જરા ધ્યાન આપો –

( ૧ ) અંદર ઉત્પન્ન થતા ગંદા વિચારો ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને શરીર વડે થતાં પાપકર્મો પણ ઓછાં થતાં જાય છે .

( ૨ ) ઉચ્ચ , શ્રેષ્ઠ ભાવના અને શ્રેષ્ઠ કર્મો કરવાની ઇચ્છા વધવા લાગે છે . સ્વભાવ અને સંસ્કારો પણ શ્રેષ્ઠ બીબામાં ઢળવા લાગે છે .

( ૩ ) ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આત્મીયતાનો વિકાસ થાય છે . આથી જીવાત્મા ઉજ્જવળ બને છે અને આનંદનો અનુભવ કરે છે .

( ૪ ) સાંસારિક લાભ પણ થાય છે . ઉપાસકમાં સાત્ત્વિકતા વધે છે . આથી પોતાનાં કુટુંબીજનોમાં પણ સૌમ્યતાનો ભાવ પેદા થાય છે . બાળકોમાં આજ્ઞાંકિતતા અને અન્ય શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થાય છે .

આથી ભગવાનને પોતાના સૌથી મોટા શુભચિંતક અને આત્મીય માની દ ૨૨ોજ તેમની ઉપાસના કરો . સદ્ભાવના અને સત્બુદ્ધિ આપવાની પ્રાર્થના કરતા રહો . ભગવાન આવી નિર્મળ ઇચ્છાઓ અવશ્ય પૂરી કરે છે . કોઈની પણ ઉપાસના નિષ્ફળ જતી નથી , તો પછી આપની શા માટે નિષ્ફળ જાય ?

સાહિત્યનો ખજાનો વિચારક્રાંતિ બુકસ્ટોર નામની એપ્લિકેશનથી શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લખાયેલ સંપૂર્ણ પુસ્તકો

આજે દુનિયામાં ચારે તરફ વિવિધ પ્રકારના પ્રદુષણો ફ્લાઈ રહ્યા છે . એ બધામાં વિચાર પ્રદુષણ સૌથી વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહેલ છે . આ વિકટ પ્રદુષણને સદ્વિચારોના પ્રચાર – પ્રસાર દ્વારા જ દૂર કરવું સંભવ છે .
પરમપૂજ્ય ગુરુદેવે આ જ ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને વિચારાંતિ અભિયાનની શરૂઆત કરી હતી , જેનો આજે દેશના ખૂણે – ખૂણામાં વિસ્તાર થઈ રહ્યો છે . તેમણે વ્યક્તિ , પરિવાર અને રાષ્ટ્ર નિર્માણ માટે લગભગ બધા વિષયો પર ઘણું જ સાહિત્ય રચ્યું છે .
ૠષિ ચિંતન ચેનલ : https://youtube.com/shorts/6SI4nxLhLiM?feature=share
જે ઇન્ટરનેટ જગતમાં યુગ નિર્માણ યોજનાને સાર્થક બનાવવાના શુભ આશયથી વિચારક્રાતિ ટીમ દ્વારા જ્ઞાન યજ્ઞની લાલ મશાલને સદાય જલતી રાખવાની ક્રાંતિકારી બીડું હાથ ધરેલ છે,  જેમાં ગુરુદેવના વિચારોને ઘર ઘર સુધી, વ્યકતિગત પોતાની  વ્યસ્ત જીવનમાં આજે લોકો પાસે સમયની વ્યસ્થતા ધ્યાને લઈ આજના મોબાઈલ યુગમાં ઝડપની  પહોચી ગુરુદેવનો સાહિત્યનો ખજાનો આપ સૌના હાથમાં પહોંચડવામાં આવી રહ્યો છે,  જેમાં 3400+ પુસ્તકો, પત્રિકાઓ, લેખો, વાર્તાઓ, મહાન વ્યક્તિત્વ અને બીજું ઘણું બધું …એકજ જગ્યાએ…  વિચારક્રાંતિ બુકસ્ટોર નામની એપ્લિકેશનથી ગુરુદેવના દ્વારા લખાયેલ સંપૂર્ણ પુસ્તકો મળી શકશે.
તમારા મોબાઈલમા ગુગલ પ્લે સ્ટોરમાં જઈ “વિચારક્રાતિ બુકસ મોબાઇલ એપ્લિકેશન”  નીચે આપેલ લીંક ઉપરથી ક્લિક કરવાથી ખુલશે.
https://play.google.com/store/apps/details?id=tech.codewing.vicharkranti.bookstore

વેદોનું જ્ઞાન – 3, સામવેદ –૨૨

હે અગ્નિદેવ ! આપ હંમેશાં બધાની સાથે ન્યાય કરો છો દુષ્ટ , દુરાચારી પુરુષોને તથા વિઘ્નકારક તત્ત્વોને આપ પોતાની પ્રજ્જવલિત તીક્ષ્ણ જ્વાળાઓથી નષ્ટ કરી દો અને જે ધર્માત્મા છે , આપની સ્તુતિ અને ઉપાસના કરે છે , તેઓને બળ અને ઐશ્વર્ય આપો . ( સામવેદ –૨૨ )

ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫

ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫

બોધ : ખરાબ સોબતથી બાળકોને બચાવવામાં આવે. નોકર, મિત્રો, શિક્ષકો, ઓળખીતાઓમાંથી કોણ કેવા લાયક છે, તેનું ધ્યાન રાખવાનું કામ વડિલોનું છે. આ બાબતમાં બહુ સાવચેતીની જરૂર છે. ખરાબ સોબત અથવા ખરાબ પ્રભાવથી કેટલાંય બાળકોનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બગડે છે. જે પાછળથી ઘણું દુઃખકારક બને છે. બાળકોને ઘર – પરિવારના કામોમાં રસ લેવાની, ધ્યાન આપવાની અને કામમાં મદદ કરવાની ટેવ નાનપણથી પાડવી જોઈએ. લાડમાં ગમે તે કરવાની છૂટ ન આપવી જોઈએ.

બાહ્યના જેવું જ આંતરિક સૌંદર્ય :

વ્યવહારિક શિક્ષણ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ કે ખરાબ કે સારા વ્યવહારની અસર કેવી થાય છે. એક રાજાને ત્રણ છોકરીઓ હતી. બે સુંદર અને એક કુરૂપ હતી. કુરૂપ છોકરીને બધા ચાહતા હતા અને બીજી બે સુંદર હોવા છતાં ઘરના માણસો તેમની ઉપેક્ષા કરતા હતા. બંને છોકરીઓ પિતા પાસે આ પક્ષપાતની ફરિયાદ કરવા અને કારણ જાણવા ગઈ. રાજાએ એક અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું. ત્રણેય છોકરીઓને બીજે દિવસે બગીચામાં મોકલી. બગીચાના દરવાજામાં પ્રવેશ કરતાં જ એક ભૂખી ડોસી મળી. બંને મોટી રાજકુમારીઓ ડોસીને અયોગ્ય જગ્યાએ બેસવા બદલ ગમે તેમ બોલીને આગળ જતી રહી. નાની કુરૂપ રાજકુમારીએ પોતાનું ભોજન તેને આપી દીધુ. સહાનુભૂતિ પ્રગટ કરી તેનું વજનદાર પોટલું માથા ઉપર મૂકીને યોગ્ય જગ્યાએ તેને બેસાડી દીધી. ડોસીએ જે કહ્યું તે રાજાએ છોકરીઓને સંભળાવ્યું અને કહ્યું કે ચહેરાની સુંદરતા કરતાં હાથ અને વાણીની સુંદરતા વધુ મહત્વની છે, એનાથી પ્રેમ મળે છે. બંને છોકરીઓએ તનની જેમ પોતાના મનને પણ સુંદર બનાવવાની સાધનાનો આરંભ કરી દીધો.

સ્વાભિમાની તિલક :

લોકમાન્ય તિલક જે કોલેજમાં ભણતા હતા, તે કોલેજના છોકરાઓ ફેશનમાં રહેતા હતા. તિલક એકલા જ કુરતો અને પાઘડી પહેરતા હતા. ફેશનેબલ છોકરાઓની તેમણે મજાક ઉડાવી ઉડાવીને દેશી પોષાક પહેરવા માટે સહમત કરી દીધા.

ઘણા છોકરાઓ હંમેશાં બિમાર રહેતા હતા અને એમનાં કબાટ દવાઓથી ભરેલાં રહેતાં હતાં. તિલકે તે દવાઓ ગટરમાં ફેંકી દીધી અને કહ્યું, “ તમે મારી સાથે અખાડામાં નિયમિત આવ્યા કરો, જો કોઈ બિમારી રહે તો એની જવાબદારી મારી. ”

જડ બુધ્ધિમાંથી મેઘાવી બુદ્ધિઃ

જર્મનીના જોસેફ બર્નાડની કિશોરાવસ્થા એવી રીતે પસાર થઈ કે જાણે જડબુધ્ધિના હોય. શાળામાં ન ભણી શક્યા. તેથી તેમનાં માતાપિતાએ ટ્યુશનની વ્યવસ્થા કરી. એનું પણ કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે તેમના પિતાએ કહ્યું કે, “ તારા જેવા બુધ્ધુને બદલે કૂતરો પાળ્યો હોત તો સારૂ થાત. ” આ વાક્ય હ્રદયમાં તીરની જેમ ભોંકાઈ ગયું અને બર્નાડે એ જ દિવસથી પુરી દીલચસ્પી અને મહેનતથી ભણવાનું શરૂ કર્યું. જડ મગજે ધીરે ધીરે સુધરવાનું અને બદલવાનું શરૂ કર્યું. એણે એક પછી એક ધોરણ સારા નંબરે પાસ કરવા માંડયાં. એનામાં એવું પરિવર્તન થયું કે જેને ચમત્કારની ઉપમા આપી શકાય. એણે બાઈબલ મોંઢે કરી દીધું એટલું જ નહીં, થોડા જ વર્ષોમાં નવ ભાષાના મૂર્ધન્ય વિદ્વાન બની ગયા. એમને જર્મનીના ઈતિહાસમાં બુદ્ધિના ધનવાન કહેવામાં આવે છે, પરંતુ કિશોરાવસ્થા પુરી થતાં સુધી તેઓ જડબુદ્ધિના હતા.

બુધ્ધુની અનુપમ બુધ્ધિમતા :

જગતના જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન નાનપણમાં બુધ્ધુ હતા. તેમના મિત્રો હંમેશાં તેમની મજાક ઉડાવતા હતા. એક દિવસ અત્યંત ગંભીરતાપૂર્વક એમણે શિક્ષકને પૂછયું કે શું હું કોઈપણ રીતે સુયોગ્ય ન બની શકું ? શિક્ષકે તેમને ટૂંકમાં એક જ વાક્યમાં જવાબ આપ્યો કે, “ દિલચસ્પી અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ એ જ વિદ્વાન બનવાનો એક માત્ર ગુરૂમંત્ર છે. ” આઈન્સ્ટાઈને આ વાત ગાંઠે બાંધી લીધી અને પોતાના અભ્યાસમાં તન્મય બની ગયા. પરિણામે સ્પષ્ટ છે કે તેમને સંસારમાં અણુવિજ્ઞાનના પારંગત અને સાપેક્ષવાદના પિતા માનવામાં આવે છે. એમની નાનપણની બુધ્ધિ જે તેમને બુધ્ધુ કહેવડાવતી હતી, તે હજારગણી વિકસિત થઈ.

સાચી વાત કહેવાનું સાહસ :

અમીચંદ નામનો એક પ્રસિધ્ધ માણસ મહર્ષિ દયાનંદ પાસે ગીત ગાવા જતો હતો. દયાનંદને એ વ્યક્તિ સાથે અત્યંત આત્મીયતા થઈ ગઈ હતી. એક દિવસ સમાજના સભ્ય લોકોએ એમના ખરાબ આચરણ વિષે ફરિયાદ કરી. મહર્ષિએ તપાસ કરી તો વાત સાચી નીકળી. બીજા દિવસે જ્યારે અમીચંદ ગીત ગાઈને ઉઠતો હતો ત્યારે મહર્ષિએ કહ્યું, “ પ્યારા દોસ્ત તમારો કંઠ કોયલ જેવો છે, પરંતુ આચરણ તો કાગડા જેવું છે.” આ વાત અમીચંદને હ્રદ યમાં ખૂંચવા લાગી. એણે સંકલ્પ કર્યો કે મહર્ષિને હું ત્યારે જ મળીશ કે જ્યારે હું સારો બનીશ. બીજા જ દિવસથી તેણે લાંચ લેવાની બંધ કરી દીધી. ઘણા સમયથી ત્યજેલી પત્નીને પાછી બોલાવી લીધી. દારૂ પીવાનું છોડી દીધું. આ રીતે શ્રેષ્ઠ આચરણ કર્યું ત્યાર પછી ઋષિનાં ચરણોમાં શીશ નમાવ્યું.

સ્વાવલંબી બાળક :

ફ્રાન્સની ગાયિકા મેલિથોર્ન પાસે એક વખત એક ગરીબ છોકરો આવ્યો. મેલિથોર્ન એને દેખીને દુઃખી થઈ ગઈ. એણે કહ્યું, “ બેટા, તારું શું નામ છે અને શું કામ કરે છે ? ” છોકરાએ કહ્યું કે, “ મારું નામ પિયરે અને હું અભ્યાસ કરૂ છું. હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. મારી મા માંદી છે. મારી પાસે દવા માટે કે એના ઈલાજ માટે પૈસા નથી. ” મેલિથૈને કહ્યું, “ તારે આર્થિક મદદ જોઈએ છે ને ? બોલ કેટલા પૈસા આપુ ? ” પિયરે કહ્યું “ ના, હું મફતના પૈસા નથી લેતો. હું તો તમને એક નિવેદન કરવા આવ્યો હતો. મેં એક કવિતા લખી છે. તમે એ સંગીત સભામાં ગાવાની કૃપા કરો, ત્યાર પછી જે ઉચિત લાગે તે આપજો.

મેલિથોર્ન ઘણી પ્રભાવિત થઈ. બીજા દિવસે એણે એ કવિતા એક જલસામાં ગાઈ. કરૂણ સ્વરમાં ગવાયેલ એ કવિતા સાંભળી શ્રોતાઓની આંખમાં પાણી આવી ગયું. એ કવિતા ઉપર લોકોએ સારો એવો પુરસ્કાર આપ્યો. મેકિર્થોન બધી રકમ લઈને પિયરની માંદી મા પાસે ગઈ અને એનો હકદાર પિયરે છે એમ કહી બધી રકમ પિયરને આપી દીધી.

અંતે બાળકો સમાજવાદીનાં પુષ્પો છે, આવતીકાલના નાગરિકો છે. રાષ્ટ્રને સમર્થ નાગરિકો આપી આપનો ગૃહસ્થાશ્રમ ધન્ય બનાવો .

શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪

શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪

પ્રારંભિક કક્ષાનું સામાન્ય શિક્ષણ પૂરું કરતાં પહેલાં જ એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના બાળકને શું બનાવવો છે અથવા બાળકને શામાં રૂચિ છે. તેના આધારે એના આગળના શિક્ષણનો નિર્ણય લેવો જોઈએ. યોગ્ય નિર્ણય ન કરવાને લીધે કરેલી મહેનત તથા ખર્ચલો સમય અને ધન નકામાં જાય છે. એના લીધે પાછળથી કાયમ પસ્તાવું પડે છે. ભોજનની જેમ શિક્ષણના ઉદ્દેશ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બાળકને રમવા કૂદવાની તક આપવી જોઈએ, એને કલાકૌશલ્યની ટેવ પણ પાડવી જોઈએ. લોક વ્યવહાર અને નીતિ તથા સદાચારનું ઉપયોગી જ્ઞાન એને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.

વિકસિત દેશોનાં ઉદાહરણ :

ક્યુબા, ઈઝરાયેલ તથા યુગોસ્લાવિયાએ સ્વાવલંબી શિક્ષણને મહત્વ આપ્યું છે. વિશ્વ યુદ્ધ પછી એમને સુયોગ્ય નાગરિકોની જરૂર હતી. આથી ડીગ્રી પ્રધાન શિક્ષણથી દૂર રહીને એમણે રાષ્ટ્રના નવનિર્માણ માટે જરૂરી એવા પ્રગતિશીલ શિક્ષણની વ્યવસ્થા કરી. દરેક યુવાન તથા પ્રૌઢ માણસ માટે એવું ફરજિયાત કરવામાં આવ્યું કે પોતાનું શિક્ષણ પુરૂ કર્યા પછી કમાવાનું શરૂ કરે તે પહેલાં ઓછામાં ઓછી ૧૦૦ ( એક સોહ ) વ્યક્તિઓને સાક્ષર બનાવે તથા એમને નાગરિકતાનું શિક્ષણ આપે. એનાં સારાં પરિણામતરત જ જોવા મળ્યાં.

ચીન અને જાપાનમાં પણ આવા પ્રયોગો કિશોરો તથા યુવકો ઉપર કરવામાં આવ્યા કે જેથી સ્વાવલંબી નાગરિકોનું ઘડતર કરી શકાય. આ બંને દેશો આજે પ્રગતિના શિખરે પહોંચ્યા છે તેનું મૂળકારણ અનૌપચારિક શિક્ષણ જ છે.

ફિશરની લગની :

ફ્રાન્સનાં એક મહિલા પાદરી ફિશર ભારત આવ્યા. અહીંની નિરક્ષરતા જોઇને એમને દુઃખ થયું. બાળકોને ભણાવવાનું કહેતાં તો લોકો માં ફેરવી લેતા. છતાં એમણે નિશ્ચય કર્યો કે પોતાના કામને વળગી રહેવું. થોડાંક જ વર્ષોમાં એનું ચમત્કારિક પરિણામ આવ્યું. છોકરા છોકરીઓનું શિક્ષણ ૪૦ ટકાએ પહોંચ્યું અને એ વિસ્તારમાં ૧૫૦ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી અને એમાં દોઢ હજાર બાળકો ભણવા લાગ્યાં. એમણે બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ ન આપ્યું, પણ તેમને શિષ્ટાચાર તથા લોકવ્યવહારનું શિક્ષણ પણ આપ્યું. એમણે ભણાવેલાં અનેક બાળકોએ આગળ વધી સમાજનિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી.

સ્વામી રામતીર્થે પ્રોફેસર પદ છોડયું :

બી.એ.ની પરીક્ષામાં એક યુવકને નિષ્ફળતા મળી છતાં પણ તે નિરાશ ન થયો. નિરાશ થવાનું તો તે શીખ્યો જ ન હતો. બમણી મહેનત કરીને અભ્યાસ કરવા લાગ્યો. આ વખની પરીક્ષામાં તેણે પરીક્ષકને ચક્તિ કરી દીધા. જૂન મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પેલો યુવક પ્રાંતમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. તેનું નામ હતું તીર્થરામ. જેને દેશવિદેશમાં લોકો સ્વામી રામતીર્થના નામે ઓળખે છે. એમણે પ્રોફેસરની નોકરી છોડીને જગતમાં વેદાંતના શિક્ષણ તથા ઉપદેશોનો પ્રચાર કર્યો. એમનું કહેવું હતું કે શાળાકીય શિક્ષણના બદલે લોકોને વ્યવહારિક આધ્યાત્મનું સિક્ષણ આપવું જોઈએ. પોતાનું ટૂંકુ જીવન એમણે આ માટે જ ગાળ્યું.

કવિવર રવિન્દ્રનાથનું શિક્ષણ :

રવિન્દ્રનાથ ટાગોર જે સ્કુલમાં ભણતા હતા તેનું શિક્ષણ માત્ર નોકરીના કામનું જ હતું. આથી તેમના પિતાએ એમને નિશાળમાંથી ઉઠાડી લીધા. તેઓ એમને જે બનાવવા ઈચ્છતા હતા તેવું શિક્ષણ આપ્યું. પરિણામે એટલા જ સમય અને શ્રમમાં રવિન્દ્રબાબુ વિશ્વવિખ્યાત બની ગયા તથા નોબેલ ઈનામ પણ મેળવ્યું. એમણે પ્રકૃતિ પાસેથી જ પોતાનું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પિતાને બાદ કરતાં તેઓ પોતાની ઉપલબ્ધિઓનું શ્રેય પદ્મા નદી ( બંગલા દેશ ) ના કિનારે વિતાવેલી પોતાની કિશોરાવસ્થાના સમયને આપતા હતા કે જ્યાંથી એમણે નૈસર્ગિક સહચર્ય દ્વારા અમૂલ્ય શિક્ષણ મેળવ્યું હતું.

વૈજ્ઞાનિક એડિસનઃ

શિક્ષકોએ એડિસનની માને સલાહ આપી કે આ મંદબુધ્ધિનો બાળક ભણી શકશે નહીં. માતાએ એડિસનને સ્કુલમાંથી ઉઠાડી લીધો અને એક વર્તમાનપત્ર વેચવાની દુકાને ગોઠવી દીધો. એડિસનનું મગજ શોધખોળ કરવામાં સારૂ કામ કરતું હતું. એણે ઠીકઠાક કરીને એક પ્રેસ બનાવ્યો. તેની ઉપર પોતાનાં વર્તમાનપત્રો પણ છાપવા લાગ્યો. એક દિવસ તાર માસ્તરના છોકરાને રેલવેના પાટા પરથી મરતો બચાવી લીધો. એના આભાર બદલ તાર માસ્તરે એડિસનને તારનું કામ શિખવાડી દીધું. તેણે ગ્રામોફોન શોધ્યું. તે પોતાના કામમાં એટલો બધો મશગૂલ હતો કે પોતાની પત્નીને પણ ઓળખી ના શક્યો. એડિસને કેટલીય શોધખોળો કરી છે અને દુનિયાનો મહાન વૈજ્ઞાનિક ગણાય છે. તે ભણ્યો ઓછું પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં એણે આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત કરી.

શ્રમ – આજીવિકાનું શિક્ષણ સંપાદન :

મનુષ્ય એવી કલા પણ શીખવી જોઈએ કે પોતાની નોકરી છૂટી જાય તો પણ સામાન્ય સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી શકે. કુંતામાતાએ પાંડવોના ઉછેર સમયે એ દિશામાં પહેલેથી જ ધ્યાન રાખ્યું હતું. જે તેમને વનવાસ સમયે કામ લાગ્યું. ભીમે રસોઈયાનું કામ, અર્જુને નૃત્યકારનું અને દ્રૌપદીએ દાસીનું કામ કર્યું. આ રીતે તેમણે વિરાટનગરમાં પોતપોતાનાં કૌશલ્યોને અનુરૂપ કામ મેળવી લીધું હતું. આ રીતે એક વર્ષનો ગુપ્ત વનવાસ પુરો કર્યો.

%d bloggers like this: